બંગાળની ખાડીથી ભારતને ઉક્સાવવાનુ મોહમ્મદ યુનુસનું ષડયંત્ર… બાંગ્લાદેશનો ‘એન્ટી ઈન્ડિયા’ પ્લાનનો પર્દાફાશ- લઘુમતી હિંદુઓ પર સતત વધી રહ્યા છે હુમલા
બાંગ્લાદેશમાં હાદીની હત્યા બાદ સતત વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને કટ્ટરવાદીઓનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લામાં ભીડે ઈશનીંદાના આરોપમાં એક હિંદુ યુવકની નિર્દયતાથી હત્યા કરી દીધી. ઢાકા, ચટગાંવ અને ખુલનામાં હિન્દુ પરિવારોને ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી. આ ભારત માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે હિન્દુઓ બાંગ્લાદેશના સાંસ્કૃતિક વારસામાં ઊંડા મૂળ ધરાવે છે. ભારતે હિન્દુઓ પરના હુમલાઓનો વિરોધ કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશે તેને આંતરિક મામલો ગણાવ્યો.

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુરુવાર રાતથી રાજધાની ઢાકામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગ્રેટર બાંગ્લાદેશનું સ્વપ્ન જોનારા કટ્ટરપંથી ઇસ્લામિક નેતા શરીફ ઉસ્માની હાદીના મોત બાદ લોકો આક્રોષિત છે. વિરોધ કરનારાઓમાં નવા રચાયેલા વિદ્યાર્થી પક્ષ ઇન્કિલાબી મોરચા, નેશનલ સિટીઝન્સ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીના સભ્યોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા, હાદીએ ગ્રેટર બાંગ્લાદેશનો નવો નકશો બનાવ્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વ, બંગાળ અને બિહાર પર કબજો કરવાની હાકલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ, શાહબાગ વિસ્તારમાં હાદીને બે માણસોએ ગોળી મારી હતી. જેમા વધુ સારવાર અર્થે સિંગાપોર ખસેડાયો હતો અને 17 તારીખે સિંગાપોરમાં તેનું મૃત્યુ થયું હતું. હાદીની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
