અનિલ અંબાણીનો 29 રૂપિયાનો સસ્તો પાવર શેર ખરીદવા રોકાણકારોની લૂંટ, સતત લાગી રહી છે અપર સર્કિટ, જાણો કંપની વિશે

રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. અનિલ અંબાણીની આ કંપની દેવ મુક્ત થઈ છે. આ શેર ખરીદવા હવે રોકાણકારો માટે સારો મોકો છે જેથી હવે રોકાણકારો આ શેર ખરીદવા તૂટી પડ્યા છે.

| Updated on: Jul 25, 2024 | 5:35 PM
રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરનો શેર આજે ગુરુવારે રૂપિયા 29.67ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. આ પહેલા બુધવારે પણ આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 8%નો વધારો થયો છે. આ સ્ટોક એક વર્ષમાં 90% વધ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ જાહેરાત કરી છે કે તે દેવું મુક્ત રહેશે. કંપની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની લોન બાકી હતી જે બેંકોને ચૂકવવામાં આવી છે.

રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરનો શેર આજે ગુરુવારે રૂપિયા 29.67ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. આ પહેલા બુધવારે પણ આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 8%નો વધારો થયો છે. આ સ્ટોક એક વર્ષમાં 90% વધ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ જાહેરાત કરી છે કે તે દેવું મુક્ત રહેશે. કંપની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની લોન બાકી હતી જે બેંકોને ચૂકવવામાં આવી છે.

1 / 6
તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર લિમિટેડને માર્ચ ક્વાર્ટરમાં 397.66 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીને આ નુકસાન મુખ્યત્વે ઈંધણના ભાવમાં વધારાને કારણે થયું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં તેણે રૂપિયા 321.79 કરોડનો નફો કર્યો હતો. જોકે, કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચ, 2024 ક્વાર્ટરમાં વધીને રૂપિયા 2,193.85 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા 1,853.32 કરોડ હતી.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર લિમિટેડને માર્ચ ક્વાર્ટરમાં 397.66 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીને આ નુકસાન મુખ્યત્વે ઈંધણના ભાવમાં વધારાને કારણે થયું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં તેણે રૂપિયા 321.79 કરોડનો નફો કર્યો હતો. જોકે, કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચ, 2024 ક્વાર્ટરમાં વધીને રૂપિયા 2,193.85 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા 1,853.32 કરોડ હતી.

2 / 6
ખર્ચની વાત કરીએ તો, ક્વાર્ટર દરમિયાન ઇંધણનો ખર્ચ વધીને રૂપિયા 953.67 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2022-23માં જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં રૂપિયા 823.47 કરોડ હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીની ખોટ વધીને રૂપિયા 2,068.38 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયા 470.77 કરોડ હતી. કંપનીએ હાલમાં જ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

ખર્ચની વાત કરીએ તો, ક્વાર્ટર દરમિયાન ઇંધણનો ખર્ચ વધીને રૂપિયા 953.67 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2022-23માં જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં રૂપિયા 823.47 કરોડ હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીની ખોટ વધીને રૂપિયા 2,068.38 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયા 470.77 કરોડ હતી. કંપનીએ હાલમાં જ જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

3 / 6
તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, Axis Bank અને DBS સહિત વિવિધ બેંકો સાથે ઘણા લોન સેટલમેન્ટ કરારો કર્યા હતા. ડિસેમ્બર 2023માં, રિલાયન્સ પાવરે અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDCને રૂપિયા 128 કરોડમાં વેચ્યા હતા.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, Axis Bank અને DBS સહિત વિવિધ બેંકો સાથે ઘણા લોન સેટલમેન્ટ કરારો કર્યા હતા. ડિસેમ્બર 2023માં, રિલાયન્સ પાવરે અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDCને રૂપિયા 128 કરોડમાં વેચ્યા હતા.

4 / 6
માર્ચ 2024માં, કંપનીએ મહારાષ્ટ્રના વોશપેટમાં તેનો 45 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચ્યો હતો. કંપનીએ આ પ્રોજેક્ટ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કર્યો હતો.

માર્ચ 2024માં, કંપનીએ મહારાષ્ટ્રના વોશપેટમાં તેનો 45 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચ્યો હતો. કંપનીએ આ પ્રોજેક્ટ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કર્યો હતો.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">