પાકિસ્તાનને આવ્યુ ડહાપણ, વિદેશમાં જઈને શાહબાઝ શરીફે કહ્યુ, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડીને પાઠ શિખ્યાં, જુઓ Video

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે કહ્યું- અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે. કાશ્મીરનો રાગ ફરી આલાપીને શાહબાઝે પીએમ મોદીને પોતાનો ખાસ સંદેશ પણ મોકલ્યો હતો.

પાકિસ્તાનને આવ્યુ ડહાપણ, વિદેશમાં જઈને શાહબાઝ શરીફે કહ્યુ, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડીને પાઠ શિખ્યાં, જુઓ Video
Shahbaz Sharif, Prime Minister, Pakistan (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 9:29 AM

હાલમાં ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન, અનાજ અને પૈસા મેળવવા માટે દુનિયાના ઘણા દેશોના ચક્કર લગાવી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે તાજેતરમાં UAEની મુલાકાત લીધી હતી. અહીં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શાહબાઝે કહ્યું કે, પરમાણુ શક્તિ ધરાવતો દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ માંગવી ખૂબ જ શરમજનક છે. શાહબાઝે ભારત વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું- અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. કાશ્મીરનો ફરીથી રાગ આલાપતા શાહબાઝે પીએમ મોદીને પોતાનો ખાસ સંદેશ પણ મોકલ્યો હતો.

અલ અરેબિયા ચેનલ સાથેની ખાસ મુલાકાતનો વીડિયો શહેબાઝ શરીફની પાર્ટી, પીએમએલ (નવાઝ) દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ચેનલ સાથેની વાતચીતમાં શહેબાઝ શરીફે કહ્યું કે, સાઉદી અરેબિયાની સાથેસાથે UAE પણ પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે. યુએઈમાં ઘણા મુસ્લિમો રહે છે અને પાકિસ્તાન દેશની પ્રગતિમાં તેઓ ભાગીદાર છે.

ભારત સાથે યુદ્ધ કરીને પાઠ શીખ્યા- શાહબાઝ

શાહબાઝ શરીફે કહ્યું કે, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા પરંતુ હવે પાકિસ્તાને પાઠ શીખ્યો છે. તે આપણા પર નિર્ભર છે કે, આપણે આપણા સંસાધનો અને લોકોને યુદ્ધમાં બરબાદ કરવા છે કે શાંતિથી જીવીને અને એકબીજાને મદદ કરીને પોતાને મજબૂત બનાવવું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કાશ્મીરનો રાગ આલાપીને પીએમ મોદીને આપ્યો સંદેશ

શાહબાઝે કાશ્મીરનો રાગ આલાપતા પીએમ મોદીને સંદેશ પણ આપ્યો હતો. શાહબાઝે કહ્યું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મંચ પર આવવા અને અમારી સાથે વાતચીત કરવા આમંત્રણ આપવા માંગે છે જેથી કરીને કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય. કાશ્મીર મુદ્દે ફરી એકવાર દુષ્પ્રચાર ચલાવતા શાહબાઝે કહ્યું કે, કાશ્મીરમાં સ્થાનિક લોકોના જીવનને પાટા પર લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.

પરમાણુ દેશ હોવા છતાં આર્થિક મદદ માંગવી શરમજનક

શાહબાઝે કહ્યું કે, UAE તરફથી આર્થિક મદદ મેળવીને તે ખૂબ જ ખુશ છે, પરંતુ એક પરમાણુ દેશ હોવા છતાં દુનિયાની સામે આર્થિક મદદ માગવામાં શરમ આવે છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">