Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 133 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 740

|

Mar 19, 2023 | 10:05 PM

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 માર્ચના રોજ નવા 133 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 740એ પહોંચ્યા છે.અમદાવાદમાં 70, મહેસાણામાં 16,સુરત 08, રાજકોટમાં 06, વડોદરામાં 06, રાજકોટ જિલ્લામાં 05,ભરૂચમાં 03, વલસાડમાં 03, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 133 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 740
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 માર્ચના રોજ નવા 133 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 740એ પહોંચ્યા છે.અમદાવાદમાં 70, મહેસાણામાં 16,સુરત 08, રાજકોટમાં 06, વડોદરામાં 06, રાજકોટ જિલ્લામાં 05,ભરૂચમાં 03, વલસાડમાં 03, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, મહીસાગરમાં 01, મોરબીમાં 01 અને  સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 48 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આ પણ વાંચો : Gujarati Video: જૂનાગઢને ગૃહપ્રધાન અમિત શાહની વિકાસ કાર્યોની ભેટ, APMCના કિસાન ભવનનું કર્યુ લોકાર્પણ

 

Published On - 7:10 pm, Sun, 19 March 23

Next Article