સ્વામી બ્રહ્મવિહારીદાસે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી ખાસ મુલાકાત ,જુઓ Photos
BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજ તરફથી ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના સ્વાસ્થ્ય તેમના કામ અને દેશના વિકાસને લઈને સ્વામીજીએ વિશેષ આશીર્વાદ આપ્યા હતા.


સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીજી બ્રહ્મવિહારીદાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક 30 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી હતી.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજ તરફથી ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના સ્વાસ્થ્ય તેમના કામ અને દેશના વિકાસને લઈને સ્વામીજીએ વિશેષ આશીર્વાદ આપ્યા હતા.

મિત્રતા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતા સાથે, સ્વામી બ્રહ્મવિહારીદાસ આગામી 'હાર્મની મહોત્સવ'ની પીએમ મોદી સાથે વિગતો શેર કરે છે અને સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલે, યુએસએ ખાતે ચાલી રહેલા 'પ્રેરણા મહોત્સવ' વિશે અપડેટ આપી હતી.

14 ફેબ્રુઆરી 2024 ના રોજ અબુ ધાબીમાં BAPS મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી કરાશે. તે અંગે પણ સ્વામીએ પીએમ મોદી સાથે વાત કરી હતી. તેમજ અંતમાં, ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિરનું સુંદર 3D પ્રિન્ટેડ મોડલ રજૂ કરવામાં આવ્યું હતું

BAPS સંતો અને સ્વયંસેવકો દ્વારા વૈશ્વિક કલ્યાણ માટે કરવામાં આવતા સાર્વત્રિક સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યની નોંધ લેતા અને ઊંડેથી પ્રશંસા કરતા, પ્રધાનમંત્રીએ સ્વામીજીને શુભેચ્છાઓ આપી હતી.

































































