કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, સાતપુડા પર્વતમાળામાં નદીઓ થઈ બે કાંઠે- Video
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાવેર શહેર અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સાતપુડા પર્વતમાળામાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે, જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ફસાયા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 9:09 pm
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી, 160 પૈકી માત્ર 80 જ હાજર- Video
અમદાવાદમાં ભાજપના મિસાવાસી સન્માન કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની નોંધપાત્ર ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના કુલ 160 કાઉન્સિલરોમાંથી માત્ર 80 જેટલા કાઉન્સિલરો જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે સંગઠનના નેતાઓમાં નારાજગી જોવા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઓછી હાજરીને લઈને છેલ્લા […]
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 8:56 pm
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી, શિક્ષકોની અછતથી વાલીઓમાં રોષ
ડાંગના જામનપાડા ગામમાં વાલીઓએ શિક્ષકોની અછતને કારણે શાળા પ્રવેશોત્સવ વચ્ચે પ્રાથમિક શાળાને તાળાબંધી કરી. ધોરણ 1 થી 5 ના 11 વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના ભણતર પર ગંભીર અસર પડી રહી છે. વાલીઓ તાત્કાલિક પૂરતા શિક્ષકોની નિમણૂકની માંગ કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 8:40 pm
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે તંત્રના આયોજન સામે ઉઠાવ્યા સવાલ- Video
જામનગર મહાનગરપાલિકાએ વરસાદના વિલંબ અને ડેમમાં ઓછા પાણીને કારણે દૈનિક પાણી વિતરણ બંધ કરી એકાંતરા પાણી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વિપક્ષે મનપાના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 8:21 pm
પાલનપુરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલો STP પ્લાન્ટ પ્રોજેક્ટ અટક્યો, કલેક્ટરે ફરમાવ્યો મનાઈ હુકમ- Video
પાલનપુર શહેર માટે માથાનો દુખાવો બનેલો STP પ્લાન્ટનો મુદ્દો હવે વધુ ગૂંચવાયો છે. જમીનની કિંમતના વિવાદ વચ્ચે કલેક્ટરે મનાઇ હુકમ ફરમાવતા આખો પ્રોજેક્ટ ખોરંભે ચઢ્યો છે .
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 8:07 pm
સુરત: મીટર સાદું, બિલ સ્માર્ટ મીટરનું ! સુરતમાં DGVCLની ભૂલથી ગ્રાહક મૂંઝાયો
સુરત જિલ્લાના કીમમાં એક ગ્રાહકને સાદું વીજ મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ મળતાં DGVCL સામે સવાલો ઊભા થયા છે. એક જ ગ્રાહકને બે અલગ-અલગ બિલ મળતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 6:30 pm
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો, અધિકારીઓના 27 લાખના નાસ્તા બિલ સામે કોંગ્રેસે કાઢ્યો બળાપો- Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશનના રૂ. 27 લાખના નાસ્તા બિલનો મુદ્દો ગાજ્યો. કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કાજુકતરીના ઊંચા ભાવ અને અધિકારીઓની ઉડાવગીરી સામે કોંગ્રેસના કોર્પોરેટરોને બોલવા નહીં દેવાતા બળાપો કાઢતા જોવા મળ્યા હતા
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 5:18 pm
ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ
હાલમાં આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ વિવિધ કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીનું માનવું છે કે કાયદાકીય રીતે પોતાની દલીલો મજબૂત બનાવીને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાળવી રાખી શકાય છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 4:40 pm
Breaking News : સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર, પ્રતિ કિલો ફેટ 12 રૂપિયાનો વધારો, જુઓ Video
સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના 3.5 લાખ પશુપાલકોને 29 જૂને ₹560 કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 4:26 pm
કતરની ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું થયુ મોત, પરિવારમાં માતમ -Video
કતરની ગેસ કંપનામાં થયલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું મોત થયુ છે. બ્લાસ્ટમાં કૂલ 12 ભારતીયોના મોત થયા છે જેમા દ્વરાકાના ખંભાળિયાના 31 વર્ષિય કિરીટ કણજારિયાએ પણ જીવ ગુમાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 4:11 pm
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ, સંગઠને લીધી ગંભીર નોંધ
અમદાવાદમા, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં કોર્પોરેટરોની હાજરી સંતોષજનક ના હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. ખાસ કરીને સાબરમતી નદી સફાઈ અભિયાન સહિતના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં અનેક કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 3:30 pm
ગુજરાતમાં વરસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘગર્જના સાથે થશે અતિ ભારે વરસાદ- Video
ગુજરાતના હવામાનને લઈને આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલે જણાવ્યુ કે 29 જૂન બાદ આ જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2026
- 3:29 pm