
રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના લાઇવ પ્રસારણ દરમિયાન જાહેરમાં ખલેલ પહોંચાડવા બદલ કોઈમ્બતુરમાં દાખલ કરાયેલી FIR મદ્રાસ હાઈકોર્ટે રદ કરી દીધી છે.

જસ્ટિસ એન. સતીશ કુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થવાને ગેરકાયદેસર સભા ગણી શકાય નહીં જ્યાં સુધી તેમાં હિંસા અથવા ગુનાનું તત્વ ન હોય.

ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષના ડોક્યુમેન્ટ્સ સાબિત કરતા નથી કે આરોપીએ બળનો ઉપયોગ કર્યો હતો. ગુનો કર્યો હતો અથવા કોઈના અધિકારોમાં દખલ કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે, "કેટલાક જૂથોએ વાંધો ઉઠાવ્યો હોવાથી, ધાર્મિક સભાને ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય નહીં."

ફરિયાદ મુજબ આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ પ્રસારણ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.

પોલીસે દાવો કર્યો હતો કે આના કારણે ટ્રાફિક જામ અને ભીડ થઈ હતી. જો કે, કોર્ટે તારણ આપ્યું કે FIRમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી હોવાનું સાબિત કરવા માટે કોઈ નક્કર આરોપો અથવા પુરાવાનો અભાવ છે.