AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અચાનક રાજીનામુ આપ્યા બાદ શક્તિસિંહ ગોહિલે સૌપ્રથમ tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીના નિરાશાજનક પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યુ છે. હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ છે. ત્યારે રાજીનામુ આપ્યા બાદ સૌપ્રથમ tv9 સાથે શક્તિસિંહે વાતચીત કરી હતી. આવો સાંભળીએ રાજીનામા અંગે શું કહ્યુ શક્તિસિંહે..

Narendra Rathod
| Edited By: | Updated on: Jun 23, 2025 | 7:01 PM
Share

ગુજરાતમાં આજે પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં કોંગ્રેસનું નિરાશાજનક પરિણામ સામે આવતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. રાજીનામાના કારણો અંગે સૌપ્રથમ શક્તિસિંહે Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી.

માત્ર બે બેઠકો પરના પરિણામો પરથી રાજીનામું આપવાનો નિર્ણય કેમ ?

શક્તિસિંહે જણાવ્યુ “ચોક્કસથી બંને બેઠકો અમારી પાસે ન હતી. પરંતુ આ ચૂંટણીમાં અમારા કાર્યકર્તા ખૂબ મક્કમતાથી લડ્યા અને પદ પર રહીને મહેનત કર્યા પછી પરિણામ ના આવી શકે તો એ પદ પર બેસી રહેવાનો અધિકાર નથી અને એટલા માટે મેં એક નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો છે. હવે જેટલું કામ પ્રદેશ પ્રમુખ તરીકે કરતો હતો એટલું જ કામ એક કાર્યકર તરીકે કરીને પાર્ટી માટે કામ કરીશ.”

ખડગેજીએ ખુદ કહ્યુ હતુ કે તુમ્હી કો કરના હૈ, તુમ્હે હી રહના હૈ છતા અચાનક રાજીનામાનો આ નિર્ણય કેમ?

શક્તિસિંહે કહ્યુ “મેં તમને કહ્યું હતું હું પરિણામો પણ સારા લાવી શકવામાં સક્ષમ રહીશ, મહેનત ઘણી કરી પરંતુ પરિણામ સુધી ના પહોંચી શક્યા હોય એની જવાબદારી પણ સ્વીકારવી પડે. મને પાર્ટી હાઈ કમાન્ડે તો કહ્યું હતું ખુબ આભાર માનીશ મારા આલા કમાનનો કે કોઈ મારા વિરુદ્ધ ફરિયાદ પણ ક્યારેક કરવા ગયું છે ને તો એને ધમકાવીને કાઢી મુક્યો હોય અને કહ્યુ હોય અમે એમને ઓળખીએ છીએ. હાઈ કમાન્ડને મારામાં વિશ્વાસ છે પણ મારી પણ કેટલીક નૈતિક જવાબદારી છે અને પક્ષના એક સૈનિક તરીકે મને લાગ્યું કે હું પ્રમુખ હોવ, મારો કાર્યકરતા મહેનત કરે અને પરિણામ નથી આવ્યું તો એમાં ક્યાંકને ક્યાંક મારી પણ જવાબદારી છે જ.”

કાર્યકર્તાઓની લાગણીનું શું?

શક્તિસિંહે કહ્યુ “ચોક્કસ સંઘર્ષ ચાલુ રાખીશું. કાર્યકર્તા અને પક્ષે નેતા બનાવ્યો હું નેતામાંથી પાછો કાર્યકરતા થઈને પણ કામ કરાય ને ? હું કામ કરતો રહીશ અને કાર્યકરોની સાથે મળીને કામ કરીશ.”

નવા પ્રમુખે આવીને શું કરવુ જોઈએ જે પરિણામલક્ષી બની શકે?

શક્તસિંહે કહ્યુ, “હું જે ના કરી શક્યો હોઉં એ કરશે એવી શ્રદ્ધા સાથે તો મેં છોડ્યું છે પછી મારે બીજાને સલાહ દેવાનો ક્યાં અધિકાર છે તો તો મેં જ ના કરી દીધું હોત!”

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
g clip-path="url(#clip0_868_265)">