AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ

2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ
T20 World Cup trophyImage Credit source: X
| Updated on: Mar 14, 2026 | 7:40 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ દેશભરમાં ઉજવણીના માહોલમાં છે. આ ઐતિહાસિક વિજય પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા. બંનેએ વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભગવાન ગણેશના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

સિદ્ધિવિનાયક મંદિરમાં T20 વર્લ્ડ કપ ટ્રોફી

મંદિરમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે ખૂબ જ શ્રદ્ધાભાવે પ્રાર્થના કરી હતી. તેઓ ટ્રોફીને ભગવાન ગણેશ સમક્ષ રાખીને પ્રણામ કરતા પણ જોવા મળ્યા હતા. મંદિરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકો માટે આ દૃશ્ય ખૂબ જ ખાસ બની ગયું હતું. ટીમ ઈન્ડિયાની જીત પછી ટ્રોફી સાથે મંદિર પહોંચવાનું દૃશ્ય સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયું હતું.

સતત બે વખત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન

ઉલ્લેખનીય છે કે 8 માર્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનના રેકોર્ડ માર્જિનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. વિશ્વ ક્રિકેટમાં સતત બે વખત આ ખિતાબ જીતનાર ભારત પહેલો દેશ બન્યો છે.

વર્લ્ડ કપમાં ભારતનો દબદબો

ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર અને સંતુલિત પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ A માં ભારત ટોપના સ્થાને રહ્યું હતું અને શરૂઆતથી જ ટીમે મજબૂત રમત બતાવી હતી. ટીમના બેટ્સમેન અને બોલર્સ બંનેએ મહત્વપૂર્ણ સમયે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી.

માત્ર એક મેચ હારી ટીમ ઈન્ડિયા

સુપર 8 રાઉન્ડમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે દમદાર જીત મેળવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. જોકે દક્ષિણ આફ્રિકા સામેના એક મુકાબલામાં ટીમ ઈન્ડિયાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ પર થોડો દબાણ પણ આવ્યો હતો.

ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી

આ મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે જણાવ્યું હતું કે તે મેચમાં અક્ષર પટેલને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય યોગ્ય નહોતો. જોકે ટીમે તે પરાજયમાંથી પાઠ શીખીને જોરદાર વાપસી કરી અને અંતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. હવે ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતનો ઉત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે.

Breaking News: KKRએ RCBની ઉડાવી મજાક, IPL શરૂ થાય તે પહેલા જ ટક્કર શરુ

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">