સુરત : ‘ભુખ્યાને ભોજન’ના વિચાર સાથે ખોડીયાર ફાઉન્ડેશનની અનોખી સેવા, રોજ વિનામૂલ્યે 300 લોકોને અપાય છે ભોજન
ભૂખ્યાને ભોજન એટલે કે જેને પણ ભૂખ લાગી હોય એ ડીશ લઈને અહીં લાઈનમાં ઊભા રહી જાય છે. ગરીબ હોય કે અમીર હોય, ધર્મ કે જાતિ જોયા વગર અહીંયા મિસ્ઠાન સાથે વિનામૂલ્યે જમવાનું મળે છે. ખોડીયાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રોજ 12:00 વાગ્યા સુધીમાં આશરે 300 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે.


કહેવાય છે કે સુરતના લોકો ખૂબ દાનવીર હોય છે. રામ ચોક પાસે હેમંતભાઈ દેસાઈ એક વખત મિત્રો સાથે બેઠા હતા એમણે જોયું કે કચરાપેટી માંથી કચરા વીણવાવાળા ચટણીને બધું જમવાનું ખાય છે. તેમણે તેમના મિત્ર સાથે વાત કરી કે આપણે આવા લોકો માટે દાળભાત બનાવીને જમાડીએ, જે પછી તેમણે ચાર મિત્રો સાથે મળીને ભુખ્યા માટે ભોજનની સુવિધા શરુ કરી.

ભૂખ્યાને ભોજન એટલે કે જેને પણ ભૂખ લાગી હોય એ ડીશ લઈને અહીં લાઈનમાં ઊભા રહી જાય છે. ગરીબ હોય કે અમીર હોય, ધર્મ કે જાતિ જોયા વગર અહીંયા મિસ્ઠાન સાથે વિનામૂલ્યે જમવાનું મળે છે.

ખોડીયાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રોજ 12:00 વાગ્યા સુધીમાં આશરે 300 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે.અહીં રોજે રોજ જમાવામાં અલગ અલગ વસ્તુ રાખવામાં આવે છે.વિશેષ વાત એ છે કે અહીં 365 દિવસ લોકોને જમાડવામાં આવે છે

શાક, પુરી, જલેબી, ભજીયા, શિરો, દાળભાત એમ વાર-તહેવાર પ્રમાણે જમવાનું રાખવામાં આવે છે. ઉત્તરાયણમાં ઊંધિયું- જલેબી, દશેરા પર ફાફડા-જલેબી, ચંદીપડવા પર ઘારી, ઉનાળાની ગરમીમાં સરસીયા ખાજા સાથે રસ અને છાશ પણ હોય છે સાથે દાળ ભાત તો હોય જ છે.

મા ખોડીયાર ફાઉન્ડેશન સંસ્થા તરફથી ખાલી દાળ-ભાત હોય છે અને કોઈ વ્યક્તિની બર્થ ડે લગ્નની એનિવર્સરી કે કોઈપણ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય તો જમવાનું એમના તરફથી આપવામાં આવે છે.

લોકો પણ અહીંયા 12:00 કલાકે જમવા માટે લાઈનમાં ડીશ લઈને ઊભા થઈ જાય છે, તેમજ આજુબાજુના શોપિંગ સેન્ટરમાં નોકરી કરવાવાળા કોઈપણ વ્યક્તિ અહીંયા પેટ ભરીને જમી શકે છે.
Latest News Updates

































































