AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2025 : 26 જાન્યુઆરીએ કેમ કરવામાં આવે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ? જાણો શું છે ઈતિહાસ અને મહત્વ

26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ.(REPUBLIC DAY ) 26 જાન્યુઆરીના રોજ ભારતના રાષ્ટ્રપતિ કર્તવ્યપથ ખાતે ત્રિરંગો ફરકાવે છે. આ દિવસે બધા જ ભારતીય દેશભક્તિના રંગમાં રંગાયેલા નજરે આવે છે. હવે વાત આવે છે કે ગણતંત્ર શું છે અને ગણતંત્રનો અર્થ શું છે ? ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન. 26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે.

| Updated on: Aug 13, 2025 | 10:02 PM
Share
બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલા હતી. આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે. તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પાંડુલિપિ 234 પાના ધરાવે છે, તેનું વજન કુલ 13 કિલો છે. ( Credits: Getty Images )

બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલા હતી. આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે. તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પાંડુલિપિ 234 પાના ધરાવે છે, તેનું વજન કુલ 13 કિલો છે. ( Credits: Getty Images )

1 / 7
બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ હતું કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશનપંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં 1929માં યોજાયું હતું. આમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને ઉપનિવેશનું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર બનાવશે. આ બાદ જ્યારે બ્રિટિશ સરકારે કંઇ કર્યું નહીં, ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો. ( Credits: Getty Images )

બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ હતું કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશનપંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં 1929માં યોજાયું હતું. આમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને ઉપનિવેશનું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર બનાવશે. આ બાદ જ્યારે બ્રિટિશ સરકારે કંઇ કર્યું નહીં, ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો. ( Credits: Getty Images )

2 / 7
આ બાદ આઝાદી માટે સક્રિય આંદોલન શરૂ થયું હતું. આ બાદ દર વર્ષે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત માતાના બહાદુર પુત્રોએ તેમની માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે બધુ બલિદાન આપ્યું હતું. આવા મહાન દેશભક્તોના બલિદાનને લીધે માત્ર આપણો દેશ જ લોકશાહી દેશ બની શક્યો. આપણા દેશમાં બહાદુરીનો ઇતિહાસ દરેક પગલે લખાયેલો છે.( Credits: Getty Images )

આ બાદ આઝાદી માટે સક્રિય આંદોલન શરૂ થયું હતું. આ બાદ દર વર્ષે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત માતાના બહાદુર પુત્રોએ તેમની માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે બધુ બલિદાન આપ્યું હતું. આવા મહાન દેશભક્તોના બલિદાનને લીધે માત્ર આપણો દેશ જ લોકશાહી દેશ બની શક્યો. આપણા દેશમાં બહાદુરીનો ઇતિહાસ દરેક પગલે લખાયેલો છે.( Credits: Getty Images )

3 / 7
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના નાગરિકોને એક ખાસ સંદેશમાં કહ્યું હતું કે આજેના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા આપણે પોતાને સમર્પિત કરવું જોઈએ. જેણે આપણા રાષ્ટ્રપિતા અને ઘણા આગેવાનો અને સ્વતંત્રતા સંગ્રામના સૈનિકોને પ્રેરણા આપી કે આપણા દેશમાં વર્ગહીન, સહકારી, મુક્ત અને સુખી સમાજની સ્થાપનાના સ્વપ્નાને સાકાર કરવા.  ( Credits: Getty Images )

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના નાગરિકોને એક ખાસ સંદેશમાં કહ્યું હતું કે આજેના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા આપણે પોતાને સમર્પિત કરવું જોઈએ. જેણે આપણા રાષ્ટ્રપિતા અને ઘણા આગેવાનો અને સ્વતંત્રતા સંગ્રામના સૈનિકોને પ્રેરણા આપી કે આપણા દેશમાં વર્ગહીન, સહકારી, મુક્ત અને સુખી સમાજની સ્થાપનાના સ્વપ્નાને સાકાર કરવા. ( Credits: Getty Images )

4 / 7
આપણે આ દિવસે યાદ રાખવું જોઈએ કે આજનો દિવસ આનંદની ઉજવણી કરતા સમર્પણનો દિવસ છે. તે કામદારો, મજૂરો અને વિચારકો સંપૂર્ણપણે સ્વતંત્ર, ખુશ અને સાંસ્કૃતિક બનાવવાના ભવ્ય કાર્યને સમર્પિત કરવાનો દિવસ છે. 26 જાન્યુઆરી 1950ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 1950માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા. ( Credits: PTI Images )

આપણે આ દિવસે યાદ રાખવું જોઈએ કે આજનો દિવસ આનંદની ઉજવણી કરતા સમર્પણનો દિવસ છે. તે કામદારો, મજૂરો અને વિચારકો સંપૂર્ણપણે સ્વતંત્ર, ખુશ અને સાંસ્કૃતિક બનાવવાના ભવ્ય કાર્યને સમર્પિત કરવાનો દિવસ છે. 26 જાન્યુઆરી 1950ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 1950માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા. ( Credits: PTI Images )

5 / 7
ભારત દેશના ગામે ગામ  26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારત ઉપરાંત વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ આ ઉત્સવ ખૂબ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનનું મુખ્ય સમારોહ ભારતીય રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે. કાર્યક્રમના લોકાર્પણ પૂર્વે વડા પ્રધાને ‘અમર જવાન જ્યોતિ’ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ્સ સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચે છે. જ્યાં વડા પ્રધાન તેમનું સ્વાગત કરે છે. આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે. એરોપ્લેન દ્વારા પુષ્પાંજલી આપવામાં આવે છે. ત્રિરંગો ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને સૈન્ય જવાનો દ્વારા  પરેડ કરવામાં આવે છે.( Credits: PTI Images )

ભારત દેશના ગામે ગામ 26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારત ઉપરાંત વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ આ ઉત્સવ ખૂબ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. પ્રજાસત્તાક દિનનું મુખ્ય સમારોહ ભારતીય રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે. કાર્યક્રમના લોકાર્પણ પૂર્વે વડા પ્રધાને ‘અમર જવાન જ્યોતિ’ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ્સ સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચે છે. જ્યાં વડા પ્રધાન તેમનું સ્વાગત કરે છે. આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે. એરોપ્લેન દ્વારા પુષ્પાંજલી આપવામાં આવે છે. ત્રિરંગો ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને સૈન્ય જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે.( Credits: PTI Images )

6 / 7
પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે અને  વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે.વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે.આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે. ( Credits: PTI Images )

પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે અને વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે.વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે.આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે. ( Credits: PTI Images )

7 / 7

 

26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસને લગતા સમાચાર જાણવા આપ અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">