TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
ચાના ભાવમાં વધારાની શક્યતા
દૂધના ભાવમાં વધારાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક ભાર પડ્યો છે. ખાસ કરીને અમૂલ દૂધના ભાવમાં થયેલા વધારાની સીધી અસર દૈનિક જીવન પર જોવા મળી રહી છે, જેમાં ચાની ચૂસકી પણ હવે મોંઘી બનવાની શક્યતા છે.
- Ashvin Patel
- Updated on: May 14, 2026
- 4:12 pm
પેટ્રોલ-ડીઝલની અછત ન હોવાનો પંપ સંચાલકોનો દાવો
રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને ભરૂચના હાંસોટ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં વાહનચાલકોને ઇંધણ મેળવવા માટે લાંબી રાહ જોવી પડી હતી.
- Ashvin Patel
- Updated on: May 14, 2026
- 4:02 pm
જો તમે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદો, તો તમે રત્નો કઈ ધાતુમાં પહેરશો? જ્યોતિષે બતાવ્યો સસ્તો અને અસરકારક ઉપાય
જ્યોતિષમાં અનેક રત્નોને સોનામાં ધારણ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ હાલ સોનાની ખરીદી અંગે સરકાર તરફથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વિચારતા હોય છે કે સોનાની જગ્યાએ બીજી કઈ ધાતુમાં રત્ન પહેરી શકાય. તો ચાલો જાણીએ કે અલગ-અલગ રત્નો માટે કઈ ધાતુ યોગ્ય માનવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: May 14, 2026
- 2:20 pm
રસ્તા પર દીપડાની લટારથી સ્થાનિક વાહનચાલકોમાં ફફડાટ
રાજકોટના પાટણવાવ ધોરાજી રોડ પર દીપડો કાર ચાલકના કેમેરામાં કેદ. રસ્તા પર દીપડાની લટારથી સ્થાનિક વાહન ચાલકોમાં ફફડાટ. ખેતરમાં દીપડાની અવરજવરથી ખેડૂતો, પશુપાલકોમાં ભયનો માહોલ..ઓસમ પર્વત આવતા પ્રવાસીઓને સાવચેત રહેવાની સૂચના. ખુલ્લી જગ્યામાં પશુ ન બાંધવા તંત્રએ કરી અપીલ.
- Ashvin Patel
- Updated on: May 13, 2026
- 7:03 pm
તુલસીના છોડમાં ફટકડીનું પાણી નાખવાથી શું થાય છે ? જાણો ચોંકાવનારા ફાયદા
ઘરના આંગણામાં જોવા મળતો તુલસીનો છોડ ઉનાળામાં ઘણીવાર સુકાઈ જતો હોય છે. તેને તાજો અને લીલો રાખવા લોકો અનેક ઘરગથ્થુ ઉપાયો અજમાવે છે. એમાં ફટકડીનું પાણી પણ એક ઉપાય માનવામાં આવે છે. હવે જાણીએ કે તુલસીમાં ફટકડીનું પાણી નાખવાથી શું અસર થાય છે.
- Ashvin Patel
- Updated on: May 13, 2026
- 4:51 pm
સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધતા જવેલર્સ પર મોટી અસર
અમદાવાદમાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા વધારાની અસર હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધતા સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે જવેલર્સના વેપાર પર સીધી અસર પડી રહી છે. બજારમાં ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે અને ખરીદીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
- Ashvin Patel
- Updated on: May 13, 2026
- 4:40 pm
દેશહિતમાં ગોલ્ડ ખરીદી પર બ્રેક !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતમાં દેશના હિતને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ કરી છે. જેમાંથી એક અપીલ આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે પણ કરાઈ છે. ત્યારે વડોદરાના જ્વેલર્સના શો રૂમમાં પણ આ અપીલની અસર દેખાઈ રહી છે.. શો રૂમમાં આવતા ગ્રાહકો આ અપીલને સમર્થન કરી રહ્યા છે.
- Ashvin Patel
- Updated on: May 13, 2026
- 3:59 pm
શું ભારત સરકાર નાગરિકોનું સોનું જપ્ત કરી શકે? જાણો ભારતના નિયમો અને ઇતિહાસ
તાજેતરમાં વડા પ્રધાન Narendra Modiએ લોકોને થોડો સમય સોનું ખરીદવાનું ટાળવાની સલાહ આપી હતી. હવે સવાલ એ છે કે સરકાર લોકોનું સોનું ખાસ યોજનાઓ દ્વારા જમા લઈ શકે છે કે નહીં.
- Ashvin Patel
- Updated on: May 13, 2026
- 2:54 pm
DJ બંધ થતાં સમાજમાં મોટો અને સારો સુધારો આવ્યો: ગેનીબેન
વાવ-થરાદના અરંટવા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ઠાકોર સમાજ સુધારણા અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન. કહ્યું, DJ બંધ થતાં સમાજમાં મોટો અને સારો સુધારો આવ્યો. DJના કારણે અસામાજિક તત્વો નાચવા આવતા હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ કહ્યું, બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી.
- Ashvin Patel
- Updated on: May 12, 2026
- 6:54 pm
ચાણક્યની આ નીતિઓ બદલી શકે છે તમારું નસીબ, ધનવાન બનવાનો રસ્તો અહીં છે!
ચાણક્યના વિચારો આપણને સમજાવે છે કે પૈસા માત્ર દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે જ નહીં, પરંતુ જીવનમાં સન્માન, સારા સંબંધો અને સુરક્ષિત ભવિષ્ય માટે પણ મહત્વ ધરાવે છે. પરંતુ માત્ર પૈસા કમાવા પૂરતા નથી, સફળતા મેળવવા માટે સાચી વિચારસરણી, સતત મહેનત અને સમજદારીપૂર્વક નિર્ણય લેવાની કળા પણ એટલી જ જરૂરી છે.
- Ashvin Patel
- Updated on: May 12, 2026
- 4:47 pm
પેપર લીકની ફરિયાદ બાદ NTAનો મોટો નિર્ણય
NEET 2026 ને લઈને દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 3 મે 2026ના રોજ લેવામાં આવેલી NEET 2026ની પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય બાદ હવે અંદાજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.
- Ashvin Patel
- Updated on: May 12, 2026
- 4:46 pm
ગામની શેરીમાં રીંછના આંટાફેરા
બનાસકાંઠા જિલ્લાના રહેણાક વિસ્તારમાં રીંછની એન્ટ્રી જોવા મળી..ગત રાત્રે બસુ ગામની શેરીમાં આંટાફેરા મારતુ રીંછ CCTVમાં કેદ થઈ હતું. રાત્રિના સમયે ગામમાં બે સ્થળે લાગેલા CCTVમાં રીંછ પસાર થતું કેદ થઈ હતું. રીંછના પાછળ શ્વાન પણ ભસતા નજરે પડ્યા.
- Ashvin Patel
- Updated on: May 12, 2026
- 4:31 pm