AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23.75 કરોડ રૂપિયામાં વેચાયેલ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, IPL પહેલા આ ટીમનું વધ્યું ટેન્શન

IPL 2025ની સિઝન આગામી 60 દિવસથી પણ ઓછા સમયમાં શરૂ થશે અને તે પહેલા ઓક્શનમાં 23.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરાયેલ ખેલાડી ઈજાગ્રસ્ત થતાં ફ્રેન્ચાઈઝીનું ટેન્શન વધી ગયું છે. આ ઈજા કેટલી ગંભીર છે અને તેની IPL સિઝન પર કેટલી અસર પડશે તે જોવાનું રહ્યું.

| Updated on: Jan 23, 2025 | 6:19 PM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન શરૂ થવામાં 60 દિવસથી ઓછા દિવસો બાકી છે. IPL 2025 21 માર્ચથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, દરેક ફ્રેન્ચાઈઝી આશા રાખશે કે જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થશે, ત્યારે તેના તમામ ખેલાડીઓ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ અને ઉપલબ્ધ હશે. પરંતુ ફ્રેન્ચાઈઝી માટે ખતરાની ઘંટડી વાગી છે કારણ કે તેનો સૌથી મોંઘો ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ઈજા એવી હતી કે તેને મેદાન છોડવું પડ્યું. આ ખેલાડી છે વેંકટેશ અય્યર, જેને વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન શરૂ થવામાં 60 દિવસથી ઓછા દિવસો બાકી છે. IPL 2025 21 માર્ચથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, દરેક ફ્રેન્ચાઈઝી આશા રાખશે કે જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થશે, ત્યારે તેના તમામ ખેલાડીઓ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ અને ઉપલબ્ધ હશે. પરંતુ ફ્રેન્ચાઈઝી માટે ખતરાની ઘંટડી વાગી છે કારણ કે તેનો સૌથી મોંઘો ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ઈજા એવી હતી કે તેને મેદાન છોડવું પડ્યું. આ ખેલાડી છે વેંકટેશ અય્યર, જેને વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

1 / 5
ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડાબા હાથના બેટ્સમેન વેંકટેશ અય્યર પાસેથી પણ ફ્રેન્ચાઈઝીને આ સિઝનમાં ઘણી આશાઓ છે, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ ચિંતાજનક સમાચાર આવી ગયા છે. વેંકટેશને રણજી ટ્રોફી મેચ દરમિયાન પગમાં ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું હતું, જેણે મધ્યપ્રદેશ તેમજ કોલકાતાના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા.

ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડાબા હાથના બેટ્સમેન વેંકટેશ અય્યર પાસેથી પણ ફ્રેન્ચાઈઝીને આ સિઝનમાં ઘણી આશાઓ છે, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ ચિંતાજનક સમાચાર આવી ગયા છે. વેંકટેશને રણજી ટ્રોફી મેચ દરમિયાન પગમાં ઈજાને કારણે મેદાન છોડવું પડ્યું હતું, જેણે મધ્યપ્રદેશ તેમજ કોલકાતાના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા.

2 / 5
23 જાન્યુઆરી ગુરુવારથી રણજી ટ્રોફીના બીજા તબક્કાની ગ્રુપ મેચો શરૂ થઈ હતી, જેમાં એમપી અને કેરળ વચ્ચેની મેચ પણ શરૂ થઈ હતી. એમપીની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 4 વિકેટ ઝડપથી પડી ગયા બાદ વેંકટેશ ક્રિઝ પર આવ્યો હતો. તે ફક્ત થોડો સમય બેટિંગ કરી શક્યો જ્યારે અચાનક તેને પગમાં દુખાવો થયો, જે હેમસ્ટ્રિંગની સમસ્યા હોવાનું જણાયું. આવી સ્થિતિમાં તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. જો કે, જ્યારે ટીમે એક પછી એક વધુ 3 વિકેટ ગુમાવી દીધી, ત્યારે વેંકટેશે ઈજાગ્રસ્ત હોવા છતાં ક્રિઝ પર ઉતરવાનું નક્કી કર્યું અને પોતાની લડાયક શૈલીથી દરેકના દિલ જીતી લીધા.

23 જાન્યુઆરી ગુરુવારથી રણજી ટ્રોફીના બીજા તબક્કાની ગ્રુપ મેચો શરૂ થઈ હતી, જેમાં એમપી અને કેરળ વચ્ચેની મેચ પણ શરૂ થઈ હતી. એમપીની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 4 વિકેટ ઝડપથી પડી ગયા બાદ વેંકટેશ ક્રિઝ પર આવ્યો હતો. તે ફક્ત થોડો સમય બેટિંગ કરી શક્યો જ્યારે અચાનક તેને પગમાં દુખાવો થયો, જે હેમસ્ટ્રિંગની સમસ્યા હોવાનું જણાયું. આવી સ્થિતિમાં તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. જો કે, જ્યારે ટીમે એક પછી એક વધુ 3 વિકેટ ગુમાવી દીધી, ત્યારે વેંકટેશે ઈજાગ્રસ્ત હોવા છતાં ક્રિઝ પર ઉતરવાનું નક્કી કર્યું અને પોતાની લડાયક શૈલીથી દરેકના દિલ જીતી લીધા.

3 / 5
આઉટ થતાં પહેલા વેંકટેશ અય્યરે 42 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી, જેના આધારે એમપીની ટીમ કોઈક રીતે સ્કોર 160 સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. વેંકટેશે તેની એક ટીમ માટે સંપૂર્ણ હિંમત દર્શાવતી મજબૂત ઈનિંગ રમી હતી, પરંતુ તેની ઈજાએ ચોક્કસપણે બીજી ટીમ એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન વધાર્યું છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે અને તે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરશે કે કેમ. પરંતુ જો તે વધુ ગંભીર બનશે તો કોલકાતાએ તેના સ્ટાર ખેલાડી વગર સિઝનની શરૂઆત કરવી પડી શકે છે.

આઉટ થતાં પહેલા વેંકટેશ અય્યરે 42 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી, જેના આધારે એમપીની ટીમ કોઈક રીતે સ્કોર 160 સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. વેંકટેશે તેની એક ટીમ માટે સંપૂર્ણ હિંમત દર્શાવતી મજબૂત ઈનિંગ રમી હતી, પરંતુ તેની ઈજાએ ચોક્કસપણે બીજી ટીમ એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સનું ટેન્શન વધાર્યું છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે અને તે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરશે કે કેમ. પરંતુ જો તે વધુ ગંભીર બનશે તો કોલકાતાએ તેના સ્ટાર ખેલાડી વગર સિઝનની શરૂઆત કરવી પડી શકે છે.

4 / 5
ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં વેંકટેશે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે ક્વોલિફાયર 1 અને ફાઈનલમાં અડધી સદી ફટકારી હતી. આખી સિઝનમાં આ બેટ્સમેને 158ના સ્ટ્રાઈક રેટથી 370 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન જોઈને કોલકાતાએ તેના માટે તિજોરી ખોલી અને મેગા ઓક્શનમાં 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા. હવે KKR આશા રાખશે કે સિઝનની શરૂઆતથી જ અય્યર ટીમમાં ઉપલબ્ધ રહે. (All Photo Credit : PTI)

ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં વેંકટેશે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે ક્વોલિફાયર 1 અને ફાઈનલમાં અડધી સદી ફટકારી હતી. આખી સિઝનમાં આ બેટ્સમેને 158ના સ્ટ્રાઈક રેટથી 370 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન જોઈને કોલકાતાએ તેના માટે તિજોરી ખોલી અને મેગા ઓક્શનમાં 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા. હવે KKR આશા રાખશે કે સિઝનની શરૂઆતથી જ અય્યર ટીમમાં ઉપલબ્ધ રહે. (All Photo Credit : PTI)

5 / 5

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વાંચવા ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">