દિલ્હી
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.
રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.
દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.
તમારુ માનસિક સ્વાસ્થ્ય કેવુ છે? સરકાર કરાવશે તમારી મેન્ટલ હેલ્થનો દેશવ્યાપી સરવે
સરકાર 9 વર્ષ બાદ મેન્ટલ હેલ્થને લઈને દેશભરમાં સરવે કરવા જઈ રહી છે. જેનાથી જાણ થશે કે લોકોના માનસિક સ્વાસ્થ્યને લઈને શું સ્થિતિ છે
- Mina Pandya
- Updated on: Dec 18, 2025
- 6:42 pm
Pariksha Pe Charcha 2026: વિજેતાઓને મળશે PMના નિવાસસ્થાનને જવાની તક, PM Modi સાથે કરી શકશે મુલાકાત
Pariksha Pe Charcha 2026: "પરીક્ષા પે ચર્ચા" માટે રજિસ્ટ્રેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 3.3 મિલિયનથી વધુ નોંધણીઓ થઈ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે "પરીક્ષા પે ચર્ચા 2026" ના વિજેતાઓને પ્રધાનમંત્રી નિવાસસ્થાનની મુલાકાત લેવાની તક મળશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી શકશે.
- Meera Kansagara
- Updated on: Dec 16, 2025
- 8:40 am
Breaking News : દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર 7 બસ અને 3 કારમાં આગ લાગી, 4 લોકોના મોત, 25 ઘાયલ
દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. જ્યારે અનેક બસો અને કાર એક પછી એક અથડાય અને આગ લાગી. આ ઘટનામાં ચાર લોકોના મોત અને 25 ઘાયલ થયાના અહેવાલ છે. બચાવ કામગીરી ચાલુ છે.
- Nirupa Duva
- Updated on: Dec 16, 2025
- 8:36 am
16 ડિસેમ્બરના મહત્વના સમાચાર: વડોદરામાં ફેવિકોલ ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત, ઈડરમાં ગોઝારા અકસ્માતમાં 4 યુવકોના કરૂણ મોત
Gujarat Live Updates : આજ 16 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Dec 16, 2025
- 2:46 pm
15 ડિસેમ્બરના મહત્વના સમાચાર: અમદાવાદમાં SOG દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના પાન પાર્લરમાં તપાસ, નશા માટે વપરાતા ગોગો પેપરનો જથ્થો મળ્યો
ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં આરોપીના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. વાવ થરાદના સુઈગામના રડ઼ોસણ ગામની સીમમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. ગોવાની જે કલબમાં આગ લાગી હતી તેના માલિકોને કાલે સવારે થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવશે. જામનગર સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. લાંચ રુશ્વત વિભાગે, CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. દિવસભરના મહત્વના સમાચાર જાણવા આ પેજને સતત રીફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Dec 15, 2025
- 9:00 pm
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક
સંગઠનનું નવું માળખું, મંત્રીમંડળમાં ફેરફાર અને સામાજિક સમીક્ષા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં બેઠકમાં સામેલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 14, 2025
- 10:53 pm
Breaking News : દિલ્હી વાયુ પ્રદુષણની ઝપેટમાં આવ્યું , શાળાથી લઈ ઓફિસ પર શું અસર પડી જાણો
દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, રવિવારે AQI 450 ને વટાવી ગયું છે. ઝેરી ધુમ્મસના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. આ ભયાનકપરિસ્થિતિનેલઈ GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ઘણા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે આ ફેરફારો શું છે.
- Nirupa Duva
- Updated on: Dec 14, 2025
- 10:53 am
સફર થઈ સુપરફાસ્ટ! 1000 KM નું અંતર હવે માત્ર 8 કલાકમાં, 16 કોચ સાથેની વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર
પટનાથી નવી દિલ્હીની મુસાફરી હવે સુપરફાસ્ટ! નવી વંદે ભારત સ્લીપર ટ્રેન આવી રહી છે, જે આ પ્રવાસને બહુ જ ઓછો કરી દેશે. આ ટ્રેનમાં 16 કોચ છે અને તે ખૂબ જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેની સૌથી વધુ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઝડપને કારણે, પટના અને નવી દિલ્હી વચ્ચેનું અંતર હવે માત્ર 8 કલાકમાં જ પૂરું થઈ જશે, જેનાથી મુસાફરીનો ઘણો સમય બચશે.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 7:58 pm
એસિડ હુમલાખોરો હવે ખેર નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમના પર ‘હત્યાના પ્રયાસ’નો કેસ ચલાવવો જોઈએ
એસિડ હુમલાના કેસોમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીથી એસિડ પીનારા ગુનેગારો પર ફક્ત ગંભીર ઈજા પહોંચાડવાના આરોપને બદલે હત્યાના પ્રયાસ (કલમ 307) હેઠળ કેસ ચલાવવો જોઈએ.
- Sachin Agrawal
- Updated on: Dec 12, 2025
- 10:36 am
Virat Kohli : 15 વર્ષ પછી વિરાટ કોહલીને આ ટીમમાં મળી એન્ટ્રી, રોહિત-પંત પણ રમશે
દિલ્હી ક્રિકેટ એસોસિએશને વિજય હજારે ટ્રોફી માટે સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. ટીમમાં રિષભ પંતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 6:17 pm
એરપોર્ટ પર મુશ્કેલી વેઠનાર મુસાફરોને IndiGo આપશે રૂપિયા 10,000 નું વાઉચર! તમને મળશે કે નહીં ? જાણો
ઇન્ડિગોએ તાજેતરની મુસાફરી કટોકટી બાદ અસરગ્રસ્ત મુસાફરો માટે ₹10,000 નું ટ્રાવેલ વાઉચર જાહેર કર્યું છે. ફ્લાઇટ રદ થવા પર વળતર અને રિફંડ પણ અપાઈ રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Dec 11, 2025
- 5:32 pm
Breaking News : પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે પર્સનાલિટી રાઈટ્સ
બોલિવુડના ભાઈજાન સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અભિનેતાએ પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલે આજે સુનવણી કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Dec 11, 2025
- 1:35 pm
કાનુની સવાલ: પતિની આવકના અડધાથી વધુ ભરણપોષણ ચૂકવવું અન્યાય છે: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણની રકમ ઘટાડી
કાનુની સવાલ: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણની રકમ ઘટાડીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે પતિની કુલ આવકના અડધાથી વધુ ભાગ પત્નીને આપવો અતિશય અને ગેરવાજબી છે.આ નિર્ણય 'અનુરિતા વોહરા' સિદ્ધાંત પર આધારિત છે, જે પતિના હિતમાં એક દાખલારૂપ છે અને વધુ ભરણપોષણ માંગતી પત્નીઓ માટે એક ચેતવણી સમાન છે.
- Meera Kansagara
- Updated on: Dec 10, 2025
- 10:55 am
Breaking News: નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા બદલ સોનિયા ગાંધીને કોર્ટે ફટકારી નોટિસ
દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મતદાર યાદીના કેસમાં નોટિસ ફટકારી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર બન્યા હતા.
- Manish Gangani
- Updated on: Dec 9, 2025
- 9:38 pm
Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ
Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
- Mina Pandya
- Updated on: Dec 9, 2025
- 9:20 pm