દિલ્હી
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.
રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.
દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.
Read MoreVideo: ચમત્કાર… હાર માનીને ગુસ્સામાં બોલને મારી લાત, થયો રનઆઉટ અને મેચ ટાઈ
દિલ્હી પ્રીમિયર લીગ 2026 ની આઠમી મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી થયું હતું. નવી દિલ્હી ટાઇગર્સના કેપ્ટન હિંમત સિંહે એક વિચિત્ર રનઆઉટ કરીને મેચ ટાઇ કરાવી. આ ટૂર્નામેન્ટની સૌથી ચોંકાવનારી ઘટના હતી અને તે પણ મેચના છેલ્લા બોલ પર જોવા મળી હતી.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 9:22 pm
Breaking News : થાઈલેન્ડથી દિલ્હી આવતી Air India ની ફ્લાઈટ હવામાં જ ધ્રુજી, અનેક મુસાફરોને નાની ઈજાઓ
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 (ફુકેટ-દિલ્હી) માં ભારે ટર્બ્યુલન્સનો અનુભવ થયો. આ અચાનક ઉથલપાથલથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને કેટલાકને નાની ઈજાઓ થઈ.
- Sagar Solanki
- Updated on: Aug 4, 2026
- 3:13 pm
સરકારી ખર્ચે કરો તીર્થયાત્રા, 15 રાજ્યોના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજના, જાણો કોણ લઈ શકે લાભ
જો તમે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક છો અને ધાર્મિક યાત્રા કરવા ઈચ્છો છો, તો ભારતમાં અનેક રાજ્યોની સરકારો મફત તીર્થયાત્રા યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ હેઠળ ટ્રેન, બસ, રહેઠાણ, ભોજન અને અન્ય સુવિધાઓ વિનામૂલ્યે મળે છે.
- Sagar Solanki
- Updated on: Aug 3, 2026
- 9:28 pm
વિદેશ જવાનું સપનું થશે પૂરું… અમદાવાદ સહિત 5 શહેર માટે ‘ખાસ ઓફર’, માત્ર ₹11 થી શરૂ થઈ રહી છે ‘ફ્લાઇટ ટિકિટ’
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું કે વિયેતનામ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. વિયેતનામની જાણીતી એરલાઇન ભારતીય મુસાફરો માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં હવાઈ સફરની ટિકિટ માત્ર ₹11 (ટેક્સ અને ફી સિવાય) થી શરૂ થઈ રહી છે.
- Ravi Prajapati
- Updated on: Aug 3, 2026
- 4:26 pm
ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાન માટે, કેન્દ્ર સરકારની ગુજરાતને રૂપિયા 500 કરોડની આગોતરી મદદ
કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગુજરાતને SDRFની પ્રથમ હપ્તાની આગોતરી રકમ તરીકે રૂ. 500 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે એ બાબતે પણ સ્પષ્ટ કર્યું છે કે, ચોમાસા દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં રાજ્યોને જરૂરી તમામ સહયોગ અને આર્થિક સહાય સમયસર મળી રહે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Aug 2, 2026
- 11:31 am
રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!
1997 થી 2012 ની વચ્ચે જન્મેલી પેઢી Gen-Z એ પુસ્તકો પહેલા ઇન્ટરનેટ અને રમકડા પહેલા સ્માર્ટફોન જોયા છે. આ પેઢી સૌથી વધુ ટેકનો-સેવી છે, માહિતીની સૌથી ઝડપી ઍક્સેસ ધરાવે છે, અને ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી છે. છતાં, આજે Gen-Z જે ડિજિટલ વાતાવરણમાં ઉછરી રહી છે જ્યાં જ્ઞાન કરતા વધુ અલગોરિધમ ઉત્તેજિત કરે છે. સંવાદ કરતા વધુ ટકરાવ અને તર્ક કરતા વધુ ટ્રોલિંગને પ્રાથમિક્તા આપે છે. એટલા માટે આજે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન ફક્ત યુવાનો શું વિચારી રહ્યા છે તે નથી, પરંતુ તેઓ કઈ ભાષામાં વિચારી રહ્યા છે અને બોલી રહ્યા છે તે પણ છે.
- Mina Pandya
- Updated on: Aug 1, 2026
- 2:25 pm
Trending Video: જંતર-મંતર પર ‘લાઈટ, કેમેરા, એક્શન’, આ વિરોધ પ્રદર્શન કે પછી કોઈ ફિલ્મનું શૂટિંગ?
આજના સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ કંઈક એવું વાયરલ થતું હોય છે, જે આપણને હસાવવાની સાથે સાથે વિચારવા પર પણ મજબૂર કરી દે છે. તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પરથી એક એવો જ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે, હવે આંદોલન પણ માત્ર 'ડ્રામા' બનીને રહી ગયા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 31, 2026
- 7:17 pm
મુસ્લિમ નેતા, JK ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલા, પંજાબી પત્નિ પાયલને આપશે તલ્લાક
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચે છૂટાછેડા અંગે એક કરાર થયો છે. સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે બંને પક્ષો વચ્ચેના તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 31, 2026
- 7:01 pm
સરકારને મોંઘવારી નડી… કે શું ? વન ઓફિસર, વન કાર નીતિ રૂપે કેન્દ્ર સરકારે ખર્ચ ઘટાડવા અધિકારીઓની વધારાની ગાડીઓ પર કાપ મૂક્યો
કેન્દ્ર સરકારે ખોટા ખર્ચ અને વાહનોના દુરુપયોગને રોકવા માટે વન ઓફિસર વન કાર નીતિ લાગુ કરી છે. હવે વધારાનો ચાર્જ ધરાવતા અધિકારીઓને બીજી સરકારી ગાડી નહીં મળે.
- Sachin Agrawal
- Updated on: Jul 30, 2026
- 8:08 pm
Breaking News: યુવરાજ સિંહને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, અપમાન કરનારાઓને ઝટકો, પોસ્ટ-કોમેન્ટ હટાવવાનો આદેશ
ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે દાખલ કરાયેલા કેસમાં કોર્ટે ઉલ્લંઘનકારી સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે. યુવરાજના નામ અને ઓળખનો ઉપયોગ કરીને નાણાકીય લાભ મેળવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે અપલોડર્સને સામગ્રી હટાવવા માટે 48 કલાકનો સમય આપ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 29, 2026
- 5:43 pm
Maharashtra Breaking News : રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ! અમિત શાહ બાદ PM મોદીને મળ્યા મહારાષ્ટ્રના આ મોટા નેતા, શું NCPના બંને જૂથો એક થશે?
NCPના સંભવિત વિલીનીકરણની અટકળો વચ્ચે સુનીલ તટકરેએ અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 9:33 am
Breaking News : વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિઓ સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે
સીજેઆઈએ ટિપ્પણી કરી કે, લોકશાહીમાં આવા આંદોલનો થવા જ જોઈએ. સર્વોચ્ચ અદાલતે પેલેટ ગન અને ઇલેક્ટ્રિક ડંડાના ઉપયોગનો પણ ઉલ્લેખ કરીને પોલીસ અતિરેકના તમામ આરોપોની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
- Bipin Prajapati
- Updated on: Jul 28, 2026
- 3:13 pm
આંદોલનકારી Gen-Z વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો ? સાદા વસ્ત્રોમાં લોકોને માર મારનારા કોણ હતા ? રાહુલ ગાંધીએ અમિત શાહને લખયો પત્ર
રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખીને 20 જુલાઈના રોજ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા "ક્રૂર હુમલા" માટે જવાબદારી લેવાની માંગ કરી છે. તેમણે પેલેટ ગનનો ઉપયોગ કરવાથી એક વિદ્યાર્થીની એક આંખની દ્રષ્ટિ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું ગૃહમંત્રીએ ઘાતક બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો તેમણે નહોતી આપી તો પેલેટ ગનનો ઉપયોગ કરવાનું કોણે કહ્યું હતું
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 2:01 pm
Breaking News : અનાહત સિંહે 18 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો, અને વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની
ભારતની 18 વર્ષની દીકરી અનાહત સિંહે જૂનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મિસ્ત્રની રુકય્યા સાલેમને સતત 3 સેટમાં હાર આપવાની સાથે બંને ખિતાબ જીતનારી પહેલી ખેલાડી બની ગઈ છે.
- Nirupa Duva
- Updated on: Jul 26, 2026
- 8:24 am
Breaking News : ભાજપ માટે પદથી મોટો દેશ, યુવા પેઢી, વિદ્યાર્થી છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહે વ્યક્ત કરી પ્રતિક્રિયા
Gen Z Protest : ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાને, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ, માતૃભાષામાં પરીક્ષાઓ યોજવાની જોગવાઈ, શાળાઓનું વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવવા સંબંધિત મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મૂક્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 8:40 am