દિલ્હી
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.
રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.
દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.
₹50માં જ રાષ્ટ્રપતિ ભવનની અંદર જઈને જોઇ શકાશે ભારતના લોકશાહીનું જાદુ, જુઓ તસવીરો
દિલ્હી આવતા પ્રવાસીઓમાં મોટા ભાગના રાષ્ટ્રપતિ ભવનને માત્ર બહારથી જોયા વગર જ પાછા પાછા વળતા હોય છે. સામાન્ય માન્યતા છે કે ભારતના રાષ્ટ્રપતિનું આ અધિકારીક નિવાસ સામાન્ય જનતા માટે બંધ છે. પરંતુ જો યોગ્ય બુકિંગ અને નિયમોનું પાલન કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ભવનના અમુક હોલ્સને અંદરથી પણ જોવામાં આવી શકે છે.
- Nishat
- Updated on: Feb 3, 2026
- 11:56 am
કાનુની સવાલ : શું વિધવાને પુનલગ્ન પછી પણ તેના પતિનું પેન્શન મળતું રહેશે? દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
હાઈકોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972ના નિયમ 54ને સમર્થન આપ્યું, જે નિઃસંતાન વિધવાને પુનર્લગ્ન પછી પણ કૌટુંબિક પેન્શન મેળવવાના અધિકાર સાથે સંબંધિત છે.
- Nirupa Duva
- Updated on: Jan 31, 2026
- 7:11 am
Breaking News: ઘરેલુ કામદારોના લઘુત્તમ વેતનની માગ કરતી અરજી પર થઇ સુનાવણી, CJIએ કહ્યું કે તેના પરિણામો ખતરનાક હોઈ શકે
આજકાલના સમયમાં દરેક ઘરોમાં મદદ માટે ઘરકામ કરનાર રાખવામાં આવે છે. ત્યારે હવે આવા ઘરે ઘરે કામ કરનારાઓ માટે લઘુત્તમ વેતનની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) થઇ છે. જો કે આ જાહેર હિતની અરજી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે આ મુદ્દો ફક્ત અધિકારોનો નથી, પરંતુ તેની સામાજિક અને આર્થિક અસરનો પણ છે.
- Tanvi Soni
- Updated on: Jan 30, 2026
- 11:18 am
Breaking news: આજે દુનિયા કર્તવ્ય પથ પર ભારતની તાકાત જોશે, જાણો આ વખતે શું ખાસ છે
આજે ભારત તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. કર્તવ્ય પથ પર લશ્કરી શક્તિનો અનોખો સંગમ જોવા મળશે. રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા વિમાનો વિમાની કરતબ કરશે. વધુમાં, દેશના સાંસ્કૃતિક વારસા અને લશ્કરી શક્તિનું અદભુત પ્રદર્શન જોવા મળશે. 10,000 સૈનિકો તૈનાત સાથે અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 8:18 am
Republic Day Parade 2026 : કર્તવ્ય પથ પર સૈન્ય બહાદુરીનું પ્રદર્શન, અહીં જોઈ શકશો તમે લાઇવ
77th Republic Day 2026: ભારત 26 જાન્યુઆરી, 2026 ના રોજ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર એક ભવ્ય પરેડ યોજાશે, જેમાં દેશની લશ્કરી તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને તકનીકી પ્રગતિ દર્શાવવામાં આવશે. જો તમે આ પરેડ નિહાળવા માટે રૂબરૂ હાજર રહી શકવાના ના હોવ, તો નિરાશ ના થશો. તમે આ ઐતિહાસિક પરેડ ઘરે બેઠા બેઠા આરામથી TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલ અને ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર પણ લાઇવ જોઈ શકો છો.
- TV9 Gujarati
- Updated on: Jan 23, 2026
- 8:16 pm
Republic Day 2026 : પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલાં થાય છે સૈનિકોની ‘અગ્નિ પરીક્ષા’, દરેક હથિયારનું થાય છે પરીક્ષણ
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસની પરેડ માત્ર એક ઘટના નથી, તે સૈનિકોની મહિનાઓની મહેનતનું પરિણામ છે. દરેક પગલું, દરેક શસ્ત્ર અને દરેક સેકન્ડનું અગાઉથી પરીક્ષણ કરવામાં આવે છે, જે એક સંપૂર્ણ પરેડ સુનિશ્ચિત કરે છે.
- Meera Kansagara
- Updated on: Jan 23, 2026
- 7:14 am
26મી જાન્યુઆરીના રોજ દિલ્હીના કર્તવ્ય પથ પરની પરેડમાં ગુજરાત રજૂ કરશે ‘વંદે માતરમ’ ગીત આધારિત ટેબ્લો
આગામી 26મી જાન્યુઆરીના રોજ 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાશે. ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં, ગુજરાતે વંદે માતરમ ગાનને 150 વર્ષ ધ્યાને લઈને વિશેષ ટેબ્લો બનાવેલ છે. આ ટેબ્લોમાં ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણા, મેડમ ભિખાજી કામા, મહાત્મા ગાંધી સહિતનાઓએ લડેલી આઝાદીની લડતને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2026
- 6:56 pm
પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર ખાસ કાર્યક્રમોનું આયોજન, મુખ્ય મહેમાન કોણ હશે?
પ્રજાસત્તાક દિવસ 2026: 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. આ વર્ષે વંદે માતરમ ગાવાની 150મી વર્ષગાંઠ હોવાથી, નવી દિલ્હીમાંકર્તવ્ય પથ પરના તમામ કાર્યક્રમો વંદે માતરમ થીમ પર હશે.
- TV9 Gujarati
- Updated on: Jan 21, 2026
- 6:08 pm
Viral Video: મુસાફરી કે મનોરંજન? મેટ્રોમાં યુવતીએ કરી અજીબ હરકત, વીડિયો થયો ધડાધડ વાયરલ
મેટ્રોમાં સીટ મેળવવી એ યુદ્ધ જીતવા જેવું છે. સીટ મેળવવા માટે આવી યુક્તિ શોધનારી એક છોકરીનો વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. તેને જોયા પછી તમે દંગ રહી જશો.
- Meera Kansagara
- Updated on: Jan 21, 2026
- 9:38 am
Breaking News : આજથી નબીન મારા બોસ અને હું તેમનો કાર્યકર, નવા ભાજપ અધ્યક્ષની તાજપોશી પર બોલ્યા PM મોદી
પીએમ મોદીએ કહ્યું, "ભાજપ એક સંસ્કૃતિ છે. ભાજપ એક પરિવાર છે. સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે જે પદ નહીં, પ્રક્રિયા દ્વારા ચાલે છે. પદ એક સિસ્ટમ છે, અને સોંપણીઓ જીવનભરની જવાબદારીઓ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 20, 2026
- 1:14 pm
Auto9 Awards 2026 : TV9 નેટવર્કના ઓટોમોટિવ એક્સેલન્સના મુખ્ય અતિથિ હશે નીતિન ગડકરી, જાણો સમગ્ર કાર્યક્રમ
TV9 નેટવર્ક 21 જાન્યુઆરીથી નવી દિલ્હીના તાજ પેલેસમાં Auto9 Awards 2026નું આયોજન કરવા જઈ રહ્યું છે. કાર્યક્રમની શરુઆત બપોરના 3 કલાકથી રજિસ્ટ્રેશનથી થશે. જેમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. આ આયોજનમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી મુખ્ય અતિથિ હશે.
- TV9 Gujarati
- Updated on: Jan 19, 2026
- 2:01 pm
Breaking News: ટોલ પ્લાઝા પર હવે નહીં ચાલે રોકડ વ્યવહાર, આ તારીખથી માત્ર FASTag અને UPI થી જ થશે એન્ટ્રી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે "હવેથી સરકારે ટોલપ્લાઝા પર રોકડ વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે" 1 એપ્રિલથી ટોલ પર માત્ર FASTag કે UPI જ માન્ય રહેશે.
- Mina Pandya
- Updated on: Jan 16, 2026
- 11:45 am
NEET-PG માં કટઓફ ઘટાડીને માઈનસ 40 કેમ કરાયો? જાણો સમગ્ર પ્રક્રિયા અને વિવાદ
હવે NEET-PG માં -40 નંબર હશે તો પણ સ્પેશ્યિલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળી જશે. આ નિર્ણય બાદ દેશભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કારણ કે NEET-PG માં એડમિશન માટે હવે કટઓફ -40 પુરતો છે. ત્યારે આવો સમજીએ -40 કટઓફની સમગ્ર પ્રક્રિયા શું છે?
- Mina Pandya
- Updated on: Feb 3, 2026
- 7:15 pm
Breaking News: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, કન્ટેનર સાથે ટકરાયુ Air Indiaનું વિમાન
એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં એક સામાનનો કન્ટેનર ફસાઈ ગયો, જેના કારણે વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું. કન્ટેનર એર ઇન્ડિયા A350 વિમાનના એન્જિન સાથે અથડાયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ ઘટના અંગે એર ઇન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
- Devankashi rana
- Updated on: Jan 15, 2026
- 5:29 pm
Breaking News: ભાજપ નેતા રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત ઘરમાં આગ લાગી, અફરા તફરીનો માહોલ સર્જાયો
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત ઘરમાં આગ લાગી હતી. અહેવાલો અનુસાર, બુધવારે સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ તેમના એક રૂમમાં બેડમાંથી લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 10:28 am