AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા BCCIનો મોટો નિર્ણય

પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઈબ્રિડ મોડલ પર હશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન BCCI જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પણ પાલન કરશે.

| Updated on: Jan 22, 2025 | 6:17 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા પહેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઈનકાર કરી દીધો છે. સામાન્ય રીતે તમામ ટીમોની જર્સી પર ટૂર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ હોય છે. જે બાદ નવો વિવાદ ઉભો થયો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા પહેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઈનકાર કરી દીધો છે. સામાન્ય રીતે તમામ ટીમોની જર્સી પર ટૂર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ હોય છે. જે બાદ નવો વિવાદ ઉભો થયો હતો.

1 / 5
જો કે હવે આ મુદ્દે BCCI તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. BCCIના નવા સચિવ દેવજીત સૈકિયાએ પણ હવે પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન BCCI જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પાલન કરશે. એટલે કે આ ટૂર્નામેન્ટના યજમાન પાકિસ્તાનનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે.

જો કે હવે આ મુદ્દે BCCI તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. BCCIના નવા સચિવ દેવજીત સૈકિયાએ પણ હવે પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન BCCI જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પાલન કરશે. એટલે કે આ ટૂર્નામેન્ટના યજમાન પાકિસ્તાનનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે.

2 / 5
ICCના નિયમો અનુસાર, ICC બેનર હેઠળ યોજાતી તમામ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમોએ ટૂર્નામેન્ટના નામની સાથે યજમાન દેશનું નામ અને ટૂર્નામેન્ટનું વર્ષ છાતીની જમણી બાજુ લખવું ફરજિયાત છે.

ICCના નિયમો અનુસાર, ICC બેનર હેઠળ યોજાતી તમામ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમોએ ટૂર્નામેન્ટના નામની સાથે યજમાન દેશનું નામ અને ટૂર્નામેન્ટનું વર્ષ છાતીની જમણી બાજુ લખવું ફરજિયાત છે.

3 / 5
તાજેતરમાં જ પાકિસ્તાનના મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને BCCI પર આરોપ લગાવ્યો હતો કે તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવાનો ઈન્કાર કર્યો હતો. PCB પણ આ મુદ્દાને ICCમાં લઈ જવા માંગતું હતું. પરંતુ BCCIએ હવે આ તમામ અહેવાલોને ફગાવી દીધા છે અને જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પાલન કરવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં જ પાકિસ્તાનના મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને BCCI પર આરોપ લગાવ્યો હતો કે તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવાનો ઈન્કાર કર્યો હતો. PCB પણ આ મુદ્દાને ICCમાં લઈ જવા માંગતું હતું. પરંતુ BCCIએ હવે આ તમામ અહેવાલોને ફગાવી દીધા છે અને જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પાલન કરવાની જાહેરાત કરી છે.

4 / 5
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયાની તેની છેલ્લી મેચમાં 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી સેમીફાઈનલ અને પછી ફાઈનલ રમાશે. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને ફાઈનલ માટે ક્વોલિફાઈ કરે છે તો આ મેચો પણ દુબઈમાં જ રમાશે. (All Photo Credit : PTI)

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયાની તેની છેલ્લી મેચમાં 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી સેમીફાઈનલ અને પછી ફાઈનલ રમાશે. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને ફાઈનલ માટે ક્વોલિફાઈ કરે છે તો આ મેચો પણ દુબઈમાં જ રમાશે. (All Photo Credit : PTI)

5 / 5

આઈપીએલ, વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિત ICC દ્વારા આયોજીત તમામ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જોડાયેલ સમાચારો વિશે જાણવા કરી ક્લિક

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">