AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસ

ગણતંત્ર દિવસ

ગણતંત્ર દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં ભારતનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વર્ષ 2024 માટે મુખ્ય અતિથિ છે. 26 જાન્યુઆરી 1950 માં, ભારત સરકાર અધિનિયમ (1935) ને દૂર કરીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. તે ભારતના ત્રણ રાષ્ટ્રીય પર્વમાંનુ એક છે.

26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા અને દેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. તેના અમલીકરણ માટે 26મી જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું.

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે. શાળા, કોલેજો વગેરેમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાજપથ પર ભારતીય ધ્વજ ફરકાવે છે. કર્તવ્યપથ પર શાનદાર પરેડ યોજાય છે. જેમાં વિવિધ રાજ્યો અને સરકારી વિભાગોની ઝાંખીઓ હોય છે. 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો દિલ્હી આવે છે. ભારતીય સેનાના હથિયારો પ્રદર્શિત કરવામાં આવે છે.

Read More

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારો CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા

76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી

ગુજરાતી કોરિયોગ્રાફર અંકુર પઠાણે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રચ્યો ઈતિહાસ

દિલ્હીમાં કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં, મૂળ ગુજરાતી એવા અમદાવાદના કોરિયોગ્રાફર અંકુર પઠાણે નવો ઈતિહાસ રચ્યો છે. 26 જાન્યુઆરીની પરેડમાં "જયતિ જય મામહ ભારતમ" ના સહ-નૃત્યલેખન દ્વારા પોતાની સિદ્ધિમાં વધુ એક કલગી ઉમેરી છે.

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘ટેબ્લો’ની વિજયી ઝાંખી, માહિતી સચિવ અવંતિકા સિંધે ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર સ્વીકાર્યું

26 મી જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક પર્વ પર રાજકીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં સતત ત્રીજી વાર વિજય મેળવીને એવોર્ડ જીતી લીધો. આ ટેબ્લો 'આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ' નામથી રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં, ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે મેળવ્યું પ્રથમ સ્થાન

76માં પ્રજાસત્તાક દિવસે યોજાયેલ પરેડમાં, આનર્તપુરથી એકતાનગર સુધીના ટેબ્લોમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી વર્તમાન વિકાસ સુધીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીએ, સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં નાગરિકોના સૌથી વધુ વોટ મેળવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

જામનગરના ફલ્લા ગામમાં 365 દિવસ કરવામાં આવે છે ધ્વજવંદન, જુઓ Video

પ્રજાસત્તાક પર્વ અને ગણતંત્ર દિવસ એટલે આપણા દેશના સૌથી મોટા તહેવાર છે. દેશભરમાં ગણતંત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.  આ બંને દિવસે ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

તમારો એક વોટ રાખશે ગુજરાતનો વટ, ગુજરાતના ટેબ્લાને વિજેતા બનાવવા માટે હાલ જ કરો વોટિંગ

26મી જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૌન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ, વારસા અને વિકાસની કરાઈ રજૂઆત

ગુજરાત રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી હતી.

Republic Day : ભારતમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો – હર્ષ સંઘવી, જુઓ Video

ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યુ કે દેશમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો છે.

Tapi : વાલોડ તાલુકાના બાજીપુરામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, જુઓ Video

તાપીના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉજવણી દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની હાજરી હતી.

Tricolour Sandwich Recipe : પ્રજાસત્તાક દિવસે ઘરે બનાવો તિરંગા સેન્ડવીચ, આ રહી સરળ રેસિપી

દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. તો આજે અમે તમને તિરંગા કલરની સેન્ડવીચ ઘરે કેવી રીતે બનાવી તેની રેસિપી જણાવીશું.

કુમુદિની લાખિયા , તુષાર શુક્લ સહિત ગુજરાતના 8 રત્નોને પદ્મ સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે. 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ તેમજ 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

26 જાન્યુઆરીના મહત્વના સમાચાર : જયેશ રાદડિયા વિરોધીઓ પર ફરી વરસ્યા, કહ્યુ સમાજના બે ટકા ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે, રાદડિયા સમાજનું કામ કરે એટલે લોકોના પેટમાં તેલ રેડાય

Gujarat Live Updates આજ 26 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

ગણતંત્ર દિવસ પર ટ્રાય કરો આ ખાસ તિરંગા રંગની વાનગીઓ, જુઓ ફોટા

દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને ખાવી ગમશે.

સુરેન્દ્રનગરનું ગૌરવ: થાનના આ બે રાસ મંડળને દિલ્હીમાં 26મીની પરેડમાં પરફોર્મ કરવા મળ્યુ નિમંત્રણ- જુઓ રાસનો Video

સુરેન્દ્રનગરના બે રાસ મંડળને આ વખતે 26 મી જાન્યુઆરીની દિલ્હીમાં કર્તવ્ય પથ પર આયોજિત થતી પરેડમાં પરફોર્મ કરવાનું નિમંત્રણ મળ્યુ છે. થાનના જય ગોપાલ રાસ મંડળ અને પાંચાલ રાસ મંડળ 26 મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક પર્વની પરેડમાં પરફોર્મ કરવાના છે. આ નિમંત્રણ મળતા તેઓ ઘણા જ ઉત્સાહિત છે અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

Republic Day: 10.18 મિનિટે ભારત બન્યુ પ્રજાસત્તાક રાષ્ટ્ર, પહેલી પરેડમાં 3000 જવાનો અને 100 વિમાનો કરાયા સામેલ

Republic Day Facts: 26 જાન્યુઆરી 1950 એ ગણતંત્ર દિવસની પ્રથમ પરેડ સાંજે નીકળી હતી. આ પ્રથમ પરેડ ઈરવિન સ્ટેડિયમમાં યોજાઈ હતી. 1955 થી દર વર્ષે રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">