ગણતંત્ર દિવસ
ગણતંત્ર દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં ભારતનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વર્ષ 2024 માટે મુખ્ય અતિથિ છે. 26 જાન્યુઆરી 1950 માં, ભારત સરકાર અધિનિયમ (1935) ને દૂર કરીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. તે ભારતના ત્રણ રાષ્ટ્રીય પર્વમાંનુ એક છે.
26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા અને દેશમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. તેના અમલીકરણ માટે 26મી જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે. શાળા, કોલેજો વગેરેમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાજપથ પર ભારતીય ધ્વજ ફરકાવે છે. કર્તવ્યપથ પર શાનદાર પરેડ યોજાય છે. જેમાં વિવિધ રાજ્યો અને સરકારી વિભાગોની ઝાંખીઓ હોય છે. 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો દિલ્હી આવે છે. ભારતીય સેનાના હથિયારો પ્રદર્શિત કરવામાં આવે છે.
ભારતના સંવિધાન માટે 8 સદસ્યોની ડ્રાફ્ટિંગ કમિટી હતી, તો પણ માત્ર ડૉ. આંબેડકરને જ “ભારતીય બંધારણના જનક” કેમ કહેવામાં આવે છે- આ છે કારણ
ભારતનું બંધારણ દુનિયાના સારા કહી શકાય તેવા બંધારણો પૈકીનું એક છે. આ સંવિધાનને ઘડતા પહેલા 60 દેશોના સંવિધાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે બંધારણોમાં રહેલી સારી જોગવાઈઓને લઈને એક દેશ માટે એક શ્રેષ્ઠ સંવિધાન તૈયાર કરવામાં આવ્યુ.
- Mina Pandya
- Updated on: Feb 9, 2026
- 9:26 pm
ભારતીય સૈન્ય- સુરક્ષા દળ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનુ પ્રદર્શન નિહાળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
શસ્ત્ર પ્રદર્શન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહીત અન્ય મહાનુભાવોએ નિહાળ્યું હતું. શસ્ત્ર પ્રદર્શન નિહાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની વિગતવાર માહિતી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 10:45 pm
Breaking News: અમદાવાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન, પરેડ અને માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંગેના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 1:03 pm
Padma Awards 2026: પદ્મ પુરસ્કારોનું નામ પદ્મ કેમ રાખવામાં આવ્યું છે? તેની પાછળનો આધ્યાત્મિક અર્થ જાણો
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, જ્યારે દેશના નાયકોના નામ જાહેર કરવામાં આવે છે, ત્યારે પદ્મ શબ્દ ગુંજતો રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રતિષ્ઠિત પુરસ્કારોનું નામ પદ્મ કેમ રાખવામાં આવ્યું છે?
- Meera Kansagara
- Updated on: Jan 26, 2026
- 11:27 am
Breaking News : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા
પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jan 26, 2026
- 11:03 am
Republic Day 2026: ત્રિરંગા સાથે બનાવો દેશભક્તિના ફોટા, આ AI પ્રોમ્પ્ટ્સનો કરો ઉપયોગ
આજના ડિજિટલ યુગમાં, લોકો આ ખાસ દિવસની યાદોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ કરે છે. પરંતુ દરેક વ્યક્તિ પરેડ ગ્રાઉન્ડ, ઇન્ડિયા ગેટ અથવા ભવ્ય ઉજવણી સુધી પહોંચી શકતું નથી. આવી સ્થિતિમાં, Google Gemini જેવા AI ઇમેજ જનરેટર તમારા સામાન્ય ફોટાને પણ અદભુત પ્રજાસત્તાક દિવસના ફોટામાં પરિવર્તિત કરી શકે છે.
- Devankashi rana
- Updated on: Jan 26, 2026
- 10:32 am
Breaking News : વાવ-થરાદમાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન, જુઓ Video
વાવ-થરાદ ખાતે દેશના 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવભેર રીતે યોજાઈ. મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ સાથે જ રાષ્ટ્રગાનની ગુંજ સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 10:31 am
Breaking news: આજે દુનિયા કર્તવ્ય પથ પર ભારતની તાકાત જોશે, જાણો આ વખતે શું ખાસ છે
આજે ભારત તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. કર્તવ્ય પથ પર લશ્કરી શક્તિનો અનોખો સંગમ જોવા મળશે. રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા વિમાનો વિમાની કરતબ કરશે. વધુમાં, દેશના સાંસ્કૃતિક વારસા અને લશ્કરી શક્તિનું અદભુત પ્રદર્શન જોવા મળશે. 10,000 સૈનિકો તૈનાત સાથે અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 8:18 am
Republic Day 2026: આઝાદી બાદ ભારતના 41 ગામમાં પહેલી વાર થશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, જાણો કારણ
ભારતના આ 41 ગામોમાં આઝાદીના 77 વર્ષ બાદ આજે પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે., આ ઉજવણી પાછળ ઘણા કારણો છે ચાલો અહીં જાણીએ
- Devankashi rana
- Updated on: Jan 26, 2026
- 8:31 am
Republic Day 2026 Live Updates : ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં મધ્યરાત્રીના 3 વાગે યોજાશે અભ્યુદય સંમેલન
Indias Republic Day Celebrations: આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારત તેની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. ઓપરેશન સિંદૂર દરમિયાન તૈનાત કરાયેલા નવા રચાયેલા લશ્કરી એકમોના મોડેલો, તેમજ મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓ પ્રદર્શિત કરવામાં આવશે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન રાષ્ટ્રીય રાજધાનીમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે હાજર રહેશે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 8:52 pm
Republic Day 2026 : શું પાકિસ્તાનમાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે? જાણો
Pakistan Republic Day History : ભારતમાં ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીના દિવસે મનાવવામા આવે છે પરંચુ પાકિસ્તાનમાં કેમ 23મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. ચાલો આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jan 25, 2026
- 10:44 am
Republic Day 2026 : હાથથી તૈયાર કરાયેલું બંધારણ કેટલું મોટું છે અને કઈ શાહીનો ઉપયોગ કરાયો હતો ? જાણો રસપ્રદ વાતો
આજે આપણે ભારતના સંવિધાન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો વિશે વાત કરીશું જેના વિશે તમે જાણતા નહી હોય. બંધારણ 64 લાખ શબ્દો અને 432 નિબથી બન્યું છે. આ ભારતના લોકતંત્રનો આધાર છે.
- Nirupa Duva
- Updated on: Jan 25, 2026
- 7:04 am
Republic Day 2026: 26મી જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ? જાણો તેના પાછળની સ્ટોરી
ભારત 26 જાન્યુઆરી 2026ના રોજ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. 1950 માં આ દિવસે, બંધારણ અમલમાં આવ્યું, જેનાથી ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક બન્યું. સૌથી મોટો પ્રજાસત્તાક દિવસ ઉજવણી નવી દિલ્હીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થાય છે.
- Devankashi rana
- Updated on: Jan 24, 2026
- 11:09 am
Republic Day 2026: તિરંગો ખરીદતા પહેલા તેને ડિસ્પોઝ કેવી રીતે કરવો તે જાણો, નહીં તો જેલના સળિયા ગણવા પડશે
Republic Day 2026: જો તમે સ્વતંત્રતા દિવસ માટે તિરંગો ખરીદી રહ્યા છો તો તેનો નિકાલ કરવાની યોગ્ય રીત શીખો. નહિંતર તેને રસ્તા પર કે કચરાપેટીમાં ફેંકવું મોંઘુ સાબિત થઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Jan 24, 2026
- 7:00 am
Republic Day Parade 2026 : કર્તવ્ય પથ પર સૈન્ય બહાદુરીનું પ્રદર્શન, અહીં જોઈ શકશો તમે લાઇવ
77th Republic Day 2026: ભારત 26 જાન્યુઆરી, 2026 ના રોજ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર એક ભવ્ય પરેડ યોજાશે, જેમાં દેશની લશ્કરી તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને તકનીકી પ્રગતિ દર્શાવવામાં આવશે. જો તમે આ પરેડ નિહાળવા માટે રૂબરૂ હાજર રહી શકવાના ના હોવ, તો નિરાશ ના થશો. તમે આ ઐતિહાસિક પરેડ ઘરે બેઠા બેઠા આરામથી TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલ અને ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર પણ લાઇવ જોઈ શકો છો.
- TV9 Gujarati
- Updated on: Jan 23, 2026
- 8:16 pm