51 રુપિયા હતી પહેલી કમાણી.. હવે કરોડોની સપંત્તિ છોડી ગયા પંકજ ઉધાસ, જાણો કોણ છે તેમના વારસદાર

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમની પુત્રી નયાબ ઉધાસે ગાયકના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

| Updated on: Feb 27, 2024 | 11:00 AM
ચિઠ્ઠી આયી હૈ... અને ચાંદી જૈસા રંગ હૈ તેરા... જેવા સુપર ડુપર હિટ ગીતો આપનાર પંકજ ઉધાસ આ દુનિયામાંથી અલવિદા કહી ચૂક્યા છે. સોમવારે 72 વર્ષની વયે તેમનું અવસાન થયું હતુ. પંકજ ઉધાસ ઘણા સમયથી બીમાર હતા. તેમની ગઝલો અને ગીતો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતી ગઝલકાર તરીકે સફર શરુ કરીને બોલિવુડ માંથી ઘણી નામના અને પૈસા કમાયા. ત્યારે નિધન બાદ હવે પંકજ ઉધાસ કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા છે.

ચિઠ્ઠી આયી હૈ... અને ચાંદી જૈસા રંગ હૈ તેરા... જેવા સુપર ડુપર હિટ ગીતો આપનાર પંકજ ઉધાસ આ દુનિયામાંથી અલવિદા કહી ચૂક્યા છે. સોમવારે 72 વર્ષની વયે તેમનું અવસાન થયું હતુ. પંકજ ઉધાસ ઘણા સમયથી બીમાર હતા. તેમની ગઝલો અને ગીતો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતી ગઝલકાર તરીકે સફર શરુ કરીને બોલિવુડ માંથી ઘણી નામના અને પૈસા કમાયા. ત્યારે નિધન બાદ હવે પંકજ ઉધાસ કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા છે.

1 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે પંકજ ઉધાસની પહેલી કમાણી માત્ર 51 રૂપિયા હતી. તેણે પોતાના ભાઈ સાથે સિંગિંગ કરિયરની શરૂઆત એવા સમયે કરી હતી જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં દેશભરમાં દેશભક્તિનો રંગ છવાઈ ગયો હતો. એક કાર્યક્રમમાં પંકજ ઉધાસે લતા મંગેશકરનું ગીત 'એ મેરે વતન કે લોગોં' ગાયું હતું.

તમને જાણીને નવાઈ લાગશે કે પંકજ ઉધાસની પહેલી કમાણી માત્ર 51 રૂપિયા હતી. તેણે પોતાના ભાઈ સાથે સિંગિંગ કરિયરની શરૂઆત એવા સમયે કરી હતી જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં દેશભરમાં દેશભક્તિનો રંગ છવાઈ ગયો હતો. એક કાર્યક્રમમાં પંકજ ઉધાસે લતા મંગેશકરનું ગીત 'એ મેરે વતન કે લોગોં' ગાયું હતું.

2 / 5
પંકજ ઉધાસની ગાયકી અને અભિનયથી લોકોના દિલ જીતી ગયા હતા. તે પ્રદર્શન માટે તેમને 51 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ તેની પ્રથમ કમાણી હતી. આ પછી તે ધીરે ધીરે ગાયકીની દુનિયામાં આગળ વધ્યા.

પંકજ ઉધાસની ગાયકી અને અભિનયથી લોકોના દિલ જીતી ગયા હતા. તે પ્રદર્શન માટે તેમને 51 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ તેની પ્રથમ કમાણી હતી. આ પછી તે ધીરે ધીરે ગાયકીની દુનિયામાં આગળ વધ્યા.

3 / 5
પંકજ ઉધાસનું મુંબઈમાં પેડર રોડ પર આલીશાન ઘર છે. આ ઘરનું નામ હિલસાઇડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસે મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી કારનું કલેક્શન છે. પંકજ ઉધાસ ફિલ્મો અને ઈવેન્ટ્સમાં ગાવાની સાથે યુટ્યુબ પરથી સારી કમાણી કરતા હતા. અહેવાલો અનુસાર, વર્ષ 2017માં પંકજ ઉધાસની નેટવર્થ 11.21 કરોડ રૂપિયા હતી, જે 2024 સુધીમાં વધીને લગભગ 25 કરોડ રૂપિયા થઈ હતી.

પંકજ ઉધાસનું મુંબઈમાં પેડર રોડ પર આલીશાન ઘર છે. આ ઘરનું નામ હિલસાઇડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસે મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી કારનું કલેક્શન છે. પંકજ ઉધાસ ફિલ્મો અને ઈવેન્ટ્સમાં ગાવાની સાથે યુટ્યુબ પરથી સારી કમાણી કરતા હતા. અહેવાલો અનુસાર, વર્ષ 2017માં પંકજ ઉધાસની નેટવર્થ 11.21 કરોડ રૂપિયા હતી, જે 2024 સુધીમાં વધીને લગભગ 25 કરોડ રૂપિયા થઈ હતી.

4 / 5
પંકજ ઉધાસના પરિવારમાં તેમની પત્ની ફરીદા છે. આ લગ્નથી તેમને બે દીકરીઓ છે. નાયાબ અને રીવા ઉધાસ. નયાબે ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઓજસ અઢિયા સાથે લગ્ન કર્યા. જો આપણે નાયબના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ, તો તે પોતાનું મ્યુઝિક બેન્ડ પણ ચલાવે છે. તે ઘણા શોનું પણ આયોજન કરે છે. જ્યારે નાની દીકરી રીવા પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જોકે તે લાઈમલાઈટથી દૂર રહે છે.

પંકજ ઉધાસના પરિવારમાં તેમની પત્ની ફરીદા છે. આ લગ્નથી તેમને બે દીકરીઓ છે. નાયાબ અને રીવા ઉધાસ. નયાબે ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઓજસ અઢિયા સાથે લગ્ન કર્યા. જો આપણે નાયબના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ, તો તે પોતાનું મ્યુઝિક બેન્ડ પણ ચલાવે છે. તે ઘણા શોનું પણ આયોજન કરે છે. જ્યારે નાની દીકરી રીવા પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જોકે તે લાઈમલાઈટથી દૂર રહે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">