સરકાર અને બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પૂર્ણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો આ જવાબ
રાજ્યમાં આંદોલનો ઉગ્ર બની રહ્યા છે. તેવામાં સરકારે આંદોલનો ઠારવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બિન અનામત સમાજના આગેવાનોની કમિટીની સરકાર સાથે બેઠક શરૂ યોજાઈ હતી. સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જ્યારે જે કમિટીના સભ્યો ચર્ચા કરવા જવાના છે તેમાં દિનેશ બાંભણિયા, રમજુભા જાડેજા, પૂર્વીન પટેલ, યગ્નેશ દવે, […]
રાજ્યમાં આંદોલનો ઉગ્ર બની રહ્યા છે. તેવામાં સરકારે આંદોલનો ઠારવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બિન અનામત સમાજના આગેવાનોની કમિટીની સરકાર સાથે બેઠક શરૂ યોજાઈ હતી. સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જ્યારે જે કમિટીના સભ્યો ચર્ચા કરવા જવાના છે તેમાં દિનેશ બાંભણિયા, રમજુભા જાડેજા, પૂર્વીન પટેલ, યગ્નેશ દવે, ભરત રાવલ, અંજુ પટેલ, રાજ શેખાવત, એકે પટેલ, પાર્થ ચોવટિયા અને અમિત દવેનો સમાવેશ થાય છે. તો આંદોલનકારીઓમાંથી જુલીબા વાઘેલા, રીતુ પટેલ, રમીલાબેન, જાગૃતિ બાબરિયા, વિજયસિંહ ચાવડા અને શીતલ ચાવડાનો સમાવેશ થાય છે.
તો આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, તેમણે આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને તેમની માગણી સાંભળી હતી. બેઠક બાદ તમામ નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો