Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ

|

May 16, 2023 | 1:08 PM

જામનગર મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામા આવે છે. ત્યારબાદ વખતો વખત નોટિસ આપવામા આવે છે. આ વર્ષે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. કયાંક મકાનોમાં તિરાડો, કયાંક નજરે ચડતા બીલ્ડીંગમા સળીયા, કયાંક મોટા પોપળા જોવા મળે છે.

Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ
Jamnagar

Follow us on

જામનગર   ( Jamanagar ) શહેરમા અનેક ઈમારતો ખંડેર હાલતમાં છે. મહાનગર પાલિકા દ્રારા દર વર્ષે ઈમારતોનું સર્વે કરવામા આવે છે. ત્યારબાદ વખતો વખત નોટિસ આપવામા આવે છે. આ વર્ષે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. કયાંક મકાનોમાં તિરાડો, કયાંક નજરે ચડતા બીલ્ડીંગમા સળીયા, કયાંક મોટા પોપળા જોવા મળે છે. જામનગર શહેરમાં અનેક ઈમારતો ભયજનક સ્થિતિમાં છે.

આ પણ વાંચો : Jamnagar: કાલાવડના બેડીયા ગામે થયેલ 7 લાખથી વધુ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ શરૂ

કોઈ પણ સમયે આ ઈમારતો ધરાશાય થાય તેવી સ્થિતિમાં છે. મહાનગર પાલિકા દ્રારા સર્વે બાદ મકાન માલિકોને નોટિસ આપીને સંતોષ માનવામા આવે છે. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની ? કોઈ ઘટના બને ત્યાર બાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

129 ઈમારતો જર્જરિત હાલતમાં

શહેરમાં અનેક જુની અને જોખમી ઈમારતો છે. જેમાં આ વર્ષ 129 જેટલી ઈમારતો છે. કેટલીક ઈમારતો જર્જરિત હાલતમાં જોવા મળે છે. જો આવી ઈમારતો ધરાશાયી તો અકસ્માત થઈ શકે છે. કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. માત્ર ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટિસ આપીને તંત્ર સંતોષ માની લે છે. પરંતુ બાદ કોઈ પગલા લેવાતા નથી. કોઈ ઈજા કે જાનહાનીના બનાવ બને તે પહેલા તેની સામે કાર્યવાહી કરવાની વિપક્ષના નેતા ધવલ નંદાએ માંગણી કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્રારા શહેરમા જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી કરવામાં આવી હતી. મનપાની 6 ટીમ દ્રારા સર્વે કરીને આવી મિલ્કતઘારકોને નોટિસ આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 129 ઈમારતો ભયજનક હોવાનું બહાર આવ્યુ છે. આવી ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્રારા નોટિસો ફટકારવામા આવી છે. પરંતુ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમા યથાવત રહે છે. તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની છે.

 

 જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article