Women’s health : શું PCOD સંપૂર્ણપણે મટાડી શકાય છે? ડૉક્ટર પાસેથી જાણો
શું PCOD સંપૂર્ણપણે મટાડી શકાય છે? ચાલો આ પ્રશ્નનો જવાબ ડૉક્ટર પાસેથી લઈએ.પીસીઓડીની સમસ્યાથી બચવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ. PCOD શું છે તેના વિશે વિસ્તારથી જાણીએ.

PCOD પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસિસ એક સામાન્ય હોર્મોનલ ડિસઓર્ડર છે જે વિશ્વભરમાં લાખો મહિલાઓને અસર કરે છે. તે ઘણીવાર પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) સાથે આવે છે. PCOD અને PCOS બંનેમાં હોર્મોનલ અસંતુલન અને અંડાશયની તકલીફ સામેલ છે.

તેમ છતાં પીસીઓડીને સામાન્ય રીતે હળવું માનવામાં આવે છે. પીસીઓડીનો સામનો કરી રહેલી મહિલાઓના મનમાં એક સવાલ આવે છે કે, શું પીસીઓડીની સમસ્યા સંપૂર્ણ રીતે દુર કરી શકાય છે.

પીસીઓડીની સમસ્યા થવા પર અંડાશયમાં અપરિપક્વ ઇંડાનું ઉત્પાદન વધારે છે. આનાથી અસંખ્ય નાની કોથળીઓ બની શકે છે. આ સ્થિતિ અનિયમિત પીરિયડ્સ, વજનમાં વધારો, ખીલ, વધુ પડતા વાળનો વિકાસ અને વંધ્યત્વ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સ્થિતિ મુખ્યત્વે હોર્મોનલ અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર અને લાઈફસ્ટાઈલના કારણે થાય છે.

આનો સીધો જવાબ એ છે કે, પીસીઓડીની સમસ્યા સંપુર્ણ રીતે યોગ્ય કરી શકાય છે. તેને મેનેજ પણ કરી શકાય છે. આ સ્થિતિમાં પીસીઓડીના લક્ષણો દુર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, હોર્મોનલ સંતુલન બનાવી રાખવા માટે પીસીઓડીને મેનેજ કરવું ખુબ જરુરી છે.

પીસીઓડીને મેનેજ કઈ રીતે કરવું. આ માટે તમારે આખા અનાજ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવાથી ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં અને PCOD ના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે.

પીસીઓડીની સમસ્યાથી બચવા માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ. તમે વેટ ટ્રેનિંગ કે યોગા પણ કરી શકો છો.પીસીઓડીને કંટ્રોલ કરવા માટે વજનને મેનેજ કરવું ખુબ જરુરી છે. તમને જણાવી દઈએ કે, વજન ઓછું થવાથી પીસીઓડીના લક્ષણોમાં ખુબ સુધારો થઈ શકે છે અને પીરિયડ્સ રેગ્યુલર થઈ શકે છે. વજન ઘટાડવાથી ઈંસુલિન રેજિસ્ટેટ્સ ઓછું થાય છે. જેનાથી એન્ડ્રોજનનું સ્તર ઓછું થઈ શકે છે.

હવે આપણે મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો. હોર્મોનલ થેરેપી પીરિયડ્સ રેગ્યુલર કરવા,ખીલ અને વાળના વિકાસને નિયંત્રિત કરવા માટે હોર્મોનલ થેરાપી આપી શકાય છે.મેટફોર્મિનઆ ઇન્સ્યુલિન-સંવેદનશીલ દવાનો ઉપયોગ ઘણીવાર ઇન્સ્યુલિન પ્રતિકારને નિયંત્રિત કરવા અને ઓવ્યુલેશન સુધારવા માટે થાય છે.

ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કંસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરનારી મહિલાઓને ઓવ્યુલેશન-પ્રેરિત દવાઓ અથવા IVF જેવી ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી ફાયદો થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
