વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં મનોહર ઈન્ટરનેશન એરપોર્ટનું કર્યું ઉદ્વાટન, કહ્યુ- 8 વર્ષમાં 72 એરપોર્ટ શરુ થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવાના બીજા એરપોર્ટનું ઉદ્વાટન કર્યુ હતું, વર્ષ 2016માં તેમણે જ આ એરપોર્ટની આધારશિલા મુકી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2016માં ગોવાના મોપામાં જે એરપોર્ટની આધારશિલા મુકી હતી, તે જ મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટનું આજે તેમણે ઉદ્વાટન કર્યુ હતુ. આ દેશનું પાંચમું એવુ એરપોર્ટ છે જેની આધારશિલા મુકનાર અને ઉદ્વાટન કરનાર બંને વડાપ્રધાન મોદી હતા.

વડાપ્રધાન મોદી એ ઉદ્વાટન કાર્યક્રમમાં કહ્યુ કે, ગોવા એ જે પ્રેમ અને આર્શીવાદ મને આપ્યા છે, તેને વિકાસના રુપમાં વ્યાજ સહિત પાછું આપુ છુ.

વડાપ્રધાન મોદી એ જણાવ્યુ કે, છેલ્લા 8 વર્ષમાં ભારતમાં નવા 72 એરપોર્ટ બન્યા. ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું એવિએશન માર્કેટ બની ગયુ છે.

વડાપ્રધાન મોદી એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, મને ખુશી છે કે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મારા પ્રિય મિત્ર-સહયોગી અને ગોવાના પ્રિય મનોહર પર્રિકરના નામ પર રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દ્વારા તેમની યાદ જીવંત રહેશે. જણાવી દઈએ કે સ્વ. મનોહર પર્રિકર દેશના રક્ષા મંત્રી પણ હતા. સ્વાદુપિંડના કેન્સરને કારણે વર્ષ 2018માં તેમનું નિધન થયુ હતુ.

આ એરપોર્ટ 2870 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. આજે આ એરપોર્ટના પ્રથમ ચરણનું ઉદ્વાટન થયુ છે. આ એરપોર્ટ વાર્ષિક 44 લાખ યાત્રીઓને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.