કાનુની સવાલ : બીજા ધર્મમાં લગ્ન કરતી દીકરીઓને ચેતવણી, સુપ્રીમ કોર્ટ આપ્યો પિતાનો સાથ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પિતા પોતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરનારી પુત્રીને પોતાની સ્વ-કમાણી કરેલી મિલકતમાંથી હક છીનવી શકે છે. પિતાને પોતાની મિલકત કોઈપણને આપવાનો અધિકાર છે. આ ચુકાદો પૈતૃક સંપત્તિની મિલકત પર લાગુ પડતો નથી.

સુપ્રીમ કોર્ચટે એક એવો નિર્ણય સંભળાવ્યો છે. જે દીકરીઓ માટે માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ બીજા ધર્મમાં લગ્ન કરતી દીકરીઓ માટે એક બોધપાઠ સમાન છે. એ વાત સાચી છે કે કાયદો હવે પુત્ર અને પુત્રી બંનેને પૈતૃક સંપત્તિની મિલકતમાં સમાન અધિકાર આપે છે, પરંતુ એક કાયદો એવો પણ છે જે પિતાને પોતાની કમાણી કરેલી મિલકત જેને પસંદ કરે તેને આપી શકે છે.

જોકે, દીકરીઓને ક્યારેક આવી મિલકત પર સવાલ ઉઠાવવાનો અધિકાર હોઈ શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે હવે એવો ચુકાદો આપ્યો છે કે, માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ બીજા ધર્મના પુરુષ સાથે લગ્ન કરતી દીકરીને પિતાની મિલકતમાં ભાગ નહી મળે.

જ્ઞાતિ બહાર લગ્ન કરવાના કારણે એક પિતાએ પોતાની સંપત્તિમાંથી દીકરીને દુર કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે તમામ દીકરીઓ જે બીજી જ્ઞાતિમાં લગ્ન કરી રહી છે તેના માટે એક મોટો ઝટકો હતો.

પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ બીજા ધર્મના છોકરા સાથે લગ્ન કરતી પુત્રીને પિતાની મિલકત ન આપવી અને તેને મિલકતમાંથી કાઢી મૂકવી યોગ્ય છે.

ન્યાયાધીશ હસનુદ્દીન અમાનુલ્લાહ અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ આદેશ જાહેર કર્યો. શાયલા જોસેફ નામની એક મહિલાએ તેની જ્ઞાતિની બહારના પુરુષ સાથે લગ્ન કર્યા હતા, અને તેના પિતા, એન.એસ. શ્રીધરને, તેને તેની મિલકતમાંથી વારસામાંથી છીનવી લીધી હતી. તેમણે તેની મિલકત તેના આઠ બાળકોમાં સમાન રીતે વહેંચી દીધી હતી.

શાયલાએ આ નિર્ણયને નીચલી અદાલતમાં પડકાર્યો હતો, જેણે તેના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જોકે, તેના પિતા આ નિર્ણય સાથે અસંમત હતા અને હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે એવો પણ ચુકાદો આપ્યો હતો કે દરેકને મિલકત સમાન રીતે વહેંચવી જોઈએ અને બાળકને તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવા બદલ વારસામાંથી છીનવી લેવું અન્યાયી હતું. આ નિર્ણય પુત્રીના પક્ષમાં પણ ચુકાદો આવ્યો હતો.

પરંતુ પિતા આ નિર્ણયથી પણ સમંત ન હતા. તેમણે સુપ્રીમ કોર્ટ નિચલી કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરી કહ્યું કે, શ્રીધર દ્વારા બનાવવામાં આવેલી વસીયત યોગ્ય છે. કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે, શાયલાને પોતાની સંપત્તિમાં કોઈ હક નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
