AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનના એન્જિનની બારીઓ પર ગ્રીલ કેમ હોય છે ? તમે નહીં જાણતા હોવ…

ભારતીય રેલવે અંગે અનેક રસપ્રદ અને અજાણી માહિતી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી હોય છે. આજના આ લેખમાં આપણે ટ્રેનના એન્જિન સાથે જોડાયેલું એક ઓછું જાણીતું પરંતુ ચોંકાવનારું રહસ્ય જાણવા જઈ રહ્યા છીએ.

| Updated on: Dec 25, 2025 | 5:30 PM
Share
એક શહેરથી બીજા શહેર પહોંચવા માટે મોટાભાગના લોકો ટ્રેનને પસંદ કરે છે. ઘણા મુસાફરોએ જીવનમાં અનેક વખત ટ્રેનયાત્રા કરી હશે. ટ્રેનમાં સફર કરતી વેળાએ લોકો રેલ્વે પાટા પાસે પડેલા પથ્થરો, અથવા સ્ટેશનના બોર્ડ પર લખાયેલી  માહિતી પર નજર કરે છે. મુસાફરી દરમિયાન આવી ઘણી બાબતો નજરે પડે છે, જેનું મહત્વ કે કારણ સૌ કોઈને સ્પષ્ટ હોતું નથી. ઘણા મુસાફરોના મનમાં આવા દ્રશ્યો અંગે પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ જવાબ મળતા નથી. આજના આ લેખમાં અમે એવી જ એક રસપ્રદ બાબત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ટ્રેનના એન્જિનની બારીઓ પર જાળી કેમ લગાવવામાં આવે છે? તેની પાછળનું સાચું કારણ શું છે,આજ અમે તમને તેની માહિતી આપીશું. ( Credits: AI Generated )

એક શહેરથી બીજા શહેર પહોંચવા માટે મોટાભાગના લોકો ટ્રેનને પસંદ કરે છે. ઘણા મુસાફરોએ જીવનમાં અનેક વખત ટ્રેનયાત્રા કરી હશે. ટ્રેનમાં સફર કરતી વેળાએ લોકો રેલ્વે પાટા પાસે પડેલા પથ્થરો, અથવા સ્ટેશનના બોર્ડ પર લખાયેલી માહિતી પર નજર કરે છે. મુસાફરી દરમિયાન આવી ઘણી બાબતો નજરે પડે છે, જેનું મહત્વ કે કારણ સૌ કોઈને સ્પષ્ટ હોતું નથી. ઘણા મુસાફરોના મનમાં આવા દ્રશ્યો અંગે પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ જવાબ મળતા નથી. આજના આ લેખમાં અમે એવી જ એક રસપ્રદ બાબત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ટ્રેનના એન્જિનની બારીઓ પર જાળી કેમ લગાવવામાં આવે છે? તેની પાછળનું સાચું કારણ શું છે,આજ અમે તમને તેની માહિતી આપીશું. ( Credits: AI Generated )

1 / 5
તમને ખબર જ હશે કે ટ્રેનના એન્જિનમાં અનેક મહત્વપૂર્ણ અને પરસ્પર જોડાયેલા ભાગો હોય છે. તેમાં એન્જિન, ટ્રેક્શન મોટર, કંટ્રોલ સિસ્ટમ, ટ્રાન્સમિશન વ્યવસ્થા તેમજ વિવિધ સહાયક સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ ઘટકો મળીને એન્જિનને જરૂરી શક્તિ આપે છે, વ્હીલ્સને ગતિમાં લાવે છે અને થ્રોટલ, બ્રેક લિવર તથા ગેજ જેવા નિયંત્રણો દ્વારા લોકોમોટિવને સલામત રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

તમને ખબર જ હશે કે ટ્રેનના એન્જિનમાં અનેક મહત્વપૂર્ણ અને પરસ્પર જોડાયેલા ભાગો હોય છે. તેમાં એન્જિન, ટ્રેક્શન મોટર, કંટ્રોલ સિસ્ટમ, ટ્રાન્સમિશન વ્યવસ્થા તેમજ વિવિધ સહાયક સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ ઘટકો મળીને એન્જિનને જરૂરી શક્તિ આપે છે, વ્હીલ્સને ગતિમાં લાવે છે અને થ્રોટલ, બ્રેક લિવર તથા ગેજ જેવા નિયંત્રણો દ્વારા લોકોમોટિવને સલામત રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

2 / 5
ટ્રેનના એન્જિનમાં ઇંધણની ખપત એકસરખી હોતી નથી અને તે વિવિધ પરિબળો પર આધાર રાખે છે. સામાન્ય રીતે ઇંધણનો ઉપયોગ લિટર પ્રતિ કિલોમીટર (LPKM) અથવા લિટર પ્રતિ 1000 ગ્રોસ ટન કિલોમીટર (GTKM)ના માપદંડથી ગણવામાં આવે છે. અહેવાલો મુજબ, પેસેન્જર ટ્રેનો સરેરાશ પ્રતિ કિલોમીટર લગભગ 4થી 6 લિટર ઇંધણ વાપરે છે. જ્યારે માલગાડીઓમાં ઇંધણની ખપત લોડના વજન, ટ્રેનની ગતિ અને રસ્તામાં થતાં સ્ટોપેજ પર વધુ નિર્ભર રહે છે. ભારે લોડ ધરાવતી માલગાડીઓ ખાલી ટ્રેન અથવા પેસેન્જર ટ્રેનની તુલનામાં પ્રતિ કિલોમીટર ઘણી વધારે ઇંધણ વાપરે છે. ( Credits: AI Generated )

ટ્રેનના એન્જિનમાં ઇંધણની ખપત એકસરખી હોતી નથી અને તે વિવિધ પરિબળો પર આધાર રાખે છે. સામાન્ય રીતે ઇંધણનો ઉપયોગ લિટર પ્રતિ કિલોમીટર (LPKM) અથવા લિટર પ્રતિ 1000 ગ્રોસ ટન કિલોમીટર (GTKM)ના માપદંડથી ગણવામાં આવે છે. અહેવાલો મુજબ, પેસેન્જર ટ્રેનો સરેરાશ પ્રતિ કિલોમીટર લગભગ 4થી 6 લિટર ઇંધણ વાપરે છે. જ્યારે માલગાડીઓમાં ઇંધણની ખપત લોડના વજન, ટ્રેનની ગતિ અને રસ્તામાં થતાં સ્ટોપેજ પર વધુ નિર્ભર રહે છે. ભારે લોડ ધરાવતી માલગાડીઓ ખાલી ટ્રેન અથવા પેસેન્જર ટ્રેનની તુલનામાં પ્રતિ કિલોમીટર ઘણી વધારે ઇંધણ વાપરે છે. ( Credits: AI Generated )

3 / 5
એવું માનવામાં આવે છે કે ટ્રેનના એન્જિનની બારીઓ પર લગાવવામાં આવેલી જાળીનો મુખ્ય હેતુ સલામતી સુનિશ્ચિત કરવાનો છે. રેલવે પાટા પરથી ઊંચી ઝડપે ઉડતા પથ્થરો, ધૂળ અથવા અન્ય  વસ્તુઓ બારીને નુકસાન ન પહોંચાડે અને લોકો પાઇલટ (ડ્રાઇવર)ને ઇજા ન થાય, તે માટે આ જાળી રક્ષણરૂપે કામ કરે છે. ખાસ કરીને જ્યારે ટ્રેન 130 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય ત્યારે અથડામણની અસર વધુ ગંભીર બની શકે છે, આવી પરિસ્થિતિમાં આ ગ્રિલ એન્જિનના આગળના ભાગ સાથે લોકો પાઇલટની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. ( Credits: AI Generated )

એવું માનવામાં આવે છે કે ટ્રેનના એન્જિનની બારીઓ પર લગાવવામાં આવેલી જાળીનો મુખ્ય હેતુ સલામતી સુનિશ્ચિત કરવાનો છે. રેલવે પાટા પરથી ઊંચી ઝડપે ઉડતા પથ્થરો, ધૂળ અથવા અન્ય વસ્તુઓ બારીને નુકસાન ન પહોંચાડે અને લોકો પાઇલટ (ડ્રાઇવર)ને ઇજા ન થાય, તે માટે આ જાળી રક્ષણરૂપે કામ કરે છે. ખાસ કરીને જ્યારે ટ્રેન 130 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય ત્યારે અથડામણની અસર વધુ ગંભીર બની શકે છે, આવી પરિસ્થિતિમાં આ ગ્રિલ એન્જિનના આગળના ભાગ સાથે લોકો પાઇલટની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. ( Credits: AI Generated )

4 / 5
વંદે ભારત જેવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેનોમાં બારીઓ પર જાળી જોવા મળતી નથી, કારણ કે તેમાં વિશેષ પ્રકારના મજબૂત અને  બખ્તરબંધ કાચનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાચ પથ્થર જેવા આઘાતોને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને સાથે સાથે લોકો પાઇલટને સ્પષ્ટ અને અવરોધરહિત દૃશ્ય પણ આપે છે, જેથી ઝડપી  ટ્રેન ચલાવતી વખતે સલામતી અને દૃશ્યતા બંને જળવાઈ રહે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

વંદે ભારત જેવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેનોમાં બારીઓ પર જાળી જોવા મળતી નથી, કારણ કે તેમાં વિશેષ પ્રકારના મજબૂત અને બખ્તરબંધ કાચનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાચ પથ્થર જેવા આઘાતોને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને સાથે સાથે લોકો પાઇલટને સ્પષ્ટ અને અવરોધરહિત દૃશ્ય પણ આપે છે, જેથી ઝડપી ટ્રેન ચલાવતી વખતે સલામતી અને દૃશ્યતા બંને જળવાઈ રહે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

5 / 5

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
g clip-path="url(#clip0_868_265)">