મીડિયા ફિલ્ડમાં 4 કરતા વધારે વર્ષના અનુભવ સાથે હાલમાં TV9 ગુજરાતી Digital માં સ્પોર્ટ્સ, મનોરંજન અને ટેકનોલોજી બીટ પર કાર્યરત છે. ઉપરોક્ત વિષય પર સરળ ભાષામાં લોકો સુધી તમામ સમાચાર પહોંચાડવું એ મુખ્ય ધ્યેય છે. FM રેડિયોથી કરિયરની શરૂઆત કરી 23 વર્ષની ઉંમરે પોતાની પહેલી બુક ‘અભિવ્યક્તિ’ લખીને લોન્ચ કરી.
રાજકોટમાં પહેલીવાર ટેસ્ટ રમી રહેલા રોહિત શર્માને 13મી ઓવરમાં આઉટ જાહેર કરાયો, પણ DRS લઈને બતાવી હકીકત
રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.
- Abhigna Maisuria
- Updated on: Feb 15, 2024
- 1:17 pm
બ્રેકિંગ ન્યૂઝ : ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી, સરફરાઝ અને ધ્રુવ ડેબ્યૂ કરશે
રાજકોટ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ ટેસ્ટ મેચમાં 4 ફેરફારો કર્યા છે, જેમાંથી 2 ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ છે.
- Abhigna Maisuria
- Updated on: Feb 15, 2024
- 9:25 am
જાડેજાના હોમ ટાઉનમાં દિગ્ગજો બનાવશે રેકોર્ડ, રાજકોટ ટેસ્ટ બની શકે છે ઐતિહાસિક
ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. રાજકોટ ટેસ્ટમાં જીત મેળવીને સિરીઝમાં 2-1થી લીડ મેળવવાનો ટાર્ગેટ બંને ટીમ રાખી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન જાડેજાના હોમટાઉનમાં ક્રિકેટ જગતના ત્રણ દિગ્ગજ ક્રિકેટર્સ મોટા રેકોર્ડ બનાવીને ટેસ્ટ મેચને ઐતિહાસિક બનાવશે.
- Abhigna Maisuria
- Updated on: Feb 15, 2024
- 8:35 am
ભારતમાં જ યોજાશે IPL 2024, અરુણ ધૂમલે આપી મોટી અપડેટ
વર્ષ 2009 માં સામાન્ય ચૂંટણીઓને કારણે આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. વર્ષ 2014માં ચૂંટણીના કારણે સિઝનની પ્રથમ મેચ યુએઈમાં રમાઈ હતી. ચૂંટણી હોવા છતાં સમગ્ર આઈપીએલ 2019 સિઝન ભારતમાં રમાઈ હતી. તેમ છતા BCCIને વિશ્વાસ છે કે ચૂંટણી સામે આ વર્ષે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં જ રમાશે.
- Abhigna Maisuria
- Updated on: Feb 15, 2024
- 7:56 am
જય શાહનું મોટું એલાન, ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ હશે ભારતના કેપ્ટન
આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ 10 વર્ષથી કેપ્ટન રહેલા રોહિત શર્માને બદલે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને સોંપવામાં આવી હતી. ત્યારથી જ ચર્ચા શરુ થઈ હતી કે શું ટી20 વર્લ્ડ કપ 2024માં પણ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવામાં આવશે. આ દરમિયાન રોહિત શર્માના કરિયર, પરફોર્મન્સ અને ફિટનેસ પર પણ સવાલ ઉઠયા હતા. જોકે જય શાહની જાહેરાતથી તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે.
- Abhigna Maisuria
- Updated on: Feb 15, 2024
- 6:53 am
રાજકોટ ટેસ્ટથી થઈ ‘નેક્સ્ટ ધોની’ની એન્ટ્રી, જાણો તેના રેકોર્ડ
સરફરાઝ અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભારત માટે આ ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ બંનેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ છે. અનિલ કુંબલેએ સરફરાઝને ડેબ્યૂ કેપ આપી. આ સાથે જ દિનેશ કાર્તિકે ધ્રુવને ડેબ્યૂ કેપ સોંપી. સરફરાઝ 311મો ખેલાડી છે અને ધ્રુવ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 312મો ખેલાડી છે.
- Abhigna Maisuria
- Updated on: Feb 15, 2024
- 9:29 am
ESPNcricinfo એવોર્ડ માટે થઈ નોમિનેશનની જાહેરાત, જાણો કેટલા ભારતીય ક્રિકેટર્સને મળ્યું સ્થાન
ESPNcricinfo કેલેન્ડર વર્ષ 2023માં ક્રિકેટમાં શ્રેષ્ઠ વ્યક્તિગત બેટિંગ અને બોલિંગ પ્રદર્શનના એવોર્ડ માટે નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતીય ક્રિકેટર્સ આ એવોર્ડ મેળવી ચૂક્યા છે. ચાલો જાણીએ આ વખતે કઈ કેટેગરીના નોમિનેશનમાં ક્યા ક્યા ભારતીયોઓને સ્થાન મળ્યું છે.
- Abhigna Maisuria
- Updated on: Feb 14, 2024
- 2:50 pm
રાજકોટ ટેસ્ટથી મેદાનમાં થશે ક્રિકેટના અમિતાભ બચ્ચનની એન્ટ્રી, જાણો તેના રેકોર્ડ
6.2 ઈંચની હાઈટ ધરવતા અમિતાભ બચ્ચન બોલિવૂડના ટોપ અભિનેતાઓમાંથી એક છે. તેમની એન્ટ્રીની સાથે જ તેના વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થઈ જતા હોય છે. પણ હવે અમિતાભ બચ્ચન કરતા 1 ઈંચ વધુ હાઈટ ધરાવતા 6.3 ઈંચના એક ખેલાડીનું ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ થશે.
- Abhigna Maisuria
- Updated on: Feb 14, 2024
- 1:31 pm
બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપઃ પીવી સિંધુ અને એચએસ પ્રણય ભારતીય ટીમનું નેતૃત્વ કરશે
2019 ની વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં કોર્ટ પર પરત ફરશે. ઘૂંટણની ઇજાને કારણે ઓક્ટોબરથી કોઈપણ ટુર્નામેન્ટમાં રમી શકી ન હતી. આ કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે પણ મહત્વની રહેશે કારણ કે તે ‘રેસ ટૂર ધ 2024 પેરિસ ઓલિમ્પિક્સ’ માટે મહત્વપૂર્ણ ક્વોલિફિકેશન પોઈન્ટ મેળવવામાં મદદરુપ થશે.
- Abhigna Maisuria
- Updated on: Feb 14, 2024
- 12:00 pm
યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગનો મોટો નિર્ણય, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)નું સસ્પેન્શન હટાવી લીધું છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. WFI સમયસર ચૂંટણી કરાવવામાં નિષ્ફળ જતાં યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ગયા વર્ષે ઓગસ્ટમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું. હવે WFI પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- Abhigna Maisuria
- Updated on: Feb 14, 2024
- 11:30 am
ફેરારી વર્લ્ડ, ફ્યુચર સિટી અને સૌથી મોટું રણ…તમે અબુ ધાબી વિશે કેટલું જાણો છો? 10 પોઈન્ટમાં સમજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. અબુ ધાબી એ સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું અમીરાત છે. મંદિરના ઉદ્ઘાટનને કારણે અબુધાબી ચર્ચાનો વિષય બની ગયું છે. મંદિરના ઉદ્ઘાટનને કારણે અબુધાબીમાં ખૂબ ચર્ચા થવા લાગી છે. ચાલો આજે જાણીએ અબુ ધાબી વિશેની 10 રસપ્રદ વાતો.
- Abhigna Maisuria
- Updated on: Feb 14, 2024
- 10:03 am
ભારત-UAEની દોસ્તી ઝિંદાબાદ, અમારી ભાગીદારી સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને 'પ્રગતિમાં ભાગીદાર' ગણાવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે અબુ ધાબીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકોને શુભેચ્છા પાઠવતા બંને દેશો વચ્ચેના સંબંધોને વિશ્વ માટે આદર્શ ગણાવ્યા. તેમણે કહ્યું કે 21મી સદીના ત્રીજા દાયકામાં બંને દેશ નવો ઈતિહાસ રચી રહ્યા છે. ભારત ઈચ્છે છે કે અમારી ભાગીદારી દરરોજ વધુ મજબૂત થતી રહે.
- Abhigna Maisuria
- Updated on: Feb 14, 2024
- 9:17 am