AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ, અધિકારીની દાદાગીરી કેમેરામાં થઈ કેદ

રાજકોટમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો. ખેડૂતોએ ખરીદ કેન્દ્રના મજૂરો પર ગંભીર આરોપ લગાવ્યા. મજૂરો ગુણી દીઠ 5 રૂપિયા વસુલતા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2025 | 5:53 PM
Share

રાજકોટના ધોરાજીમાં મગફળી ખરીદ કેન્દ્ર પર વિવાદ વકર્યો છે. ખેડૂતોએ ખરીદ કેન્દ્રના મજૂરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મગફળીની એક ગુણી દીઠ મજૂરો 5 રૂપિયા માંગતા હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મજૂરોને તેમના કામના પૈસા મળતાં હોવા છતાં ખેડૂતો પાસે ગુણી દીઠ પૈસા માગી દાદાગીરી કરી રહ્યા છે. સાથે જ જો કોઈ ખેડૂત પૈસા આપવાનું ના પાડે તો મજૂરો મગફળીની ગુણી તોલવાનું બંધ કરી દેતા હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે.

આ સમગ્ર મામલે જ્યારે ખેડૂતોએ ખરીદ કેન્દ્રના અધિકારીને રજૂઆત કરી ત્યારે અધિકારી પણ ખેડૂતોને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા નજરે પડ્યા. સાથે જ કેમેરાથી ભાગતા જોવા મળ્યા. અધિકારીની દાદાગીરીનો ખેડૂતોએ વીડિયો બનાવ્યો. ત્યારે હવે મજૂરો ગુણી દીઠ પૈસા માગવાનું બંધ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

ખેડૂતોનો આરોપ છે કે મજૂરો કોથળા ઢપકારવાના અલગથી પાંચ રૂપિયા માગતા હતા. ત્યારે ખેડૂતોની રજૂઆત છે કે અમારુ સેમ્પલ કમ્પલિટ પાસ થઈ ગયુ છે તો કોથળા શેના ઠપકારવાના હોય? ત્યારે ખેડૂતોની રજૂઆત છે કે તેમને મગફળી કેન્દ્ર તરફથી મજૂરી આપવામાં જ આવે છે તો ખેડૂતો પાસેથી વધારાની મજૂરી કેવી રીતે માગી શકે. અલગથી પાંચ રૂપિયા આપવાની ના પાડતા મજૂરે કાંટો લઈને ચાલતી પકડી હતી. ખેડૂતોનું કહેવુ છે કે જવાબદાર અધિકારી કોઈ હાજર ન હોવાથી મજૂરો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

બોક્સર નીરજે PM મોદીને પૂછ્યુ ઔર કેસે હો, અને PM મોદીએ જે જવાબ આપ્યો….. તો હાસ્યનું મોજુ ફરી વળ્યુ- જુઓ વાયરલ Video

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">