Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ભરૂચ, ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નર્મદા નદીના કિનારે વસેલું એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. ભરૂચનો ઉલ્લેખ મહાભારત, રામાયણ અને જુદા-જુદા વિદેશી પ્રવાસીઓના વર્ણનોમાં જોવા મળે છે.

| Updated on: Apr 03, 2025 | 7:57 PM
ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃગુકચ્છ" તરીકે ઓળખવામાં આવતું. સમયાંતરે, ‘ભૃગુકચ્છ’ શબ્દ બોલવામાં સરળતા માટે ‘ભરૂચ’ તરીકે પ્રચલિત થઈ ગયો.

ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃગુકચ્છ" તરીકે ઓળખવામાં આવતું. સમયાંતરે, ‘ભૃગુકચ્છ’ શબ્દ બોલવામાં સરળતા માટે ‘ભરૂચ’ તરીકે પ્રચલિત થઈ ગયો.

1 / 13
સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ ભરૂચના ઉલ્લેખ મળે છે, જ્યાં તેનું વર્ણન એક શક્તિશાળી અને સમૃદ્ધ નગર તરીકે કરવામાં આવ્યું છે. ભરૂચ નર્મદા નદીના કિનારે સ્થિત હોવાથી, તે પ્રાચીન કાળથી જ વેપાર માટે મહત્વપૂર્ણ બંદર અને વ્યાપારનું કેન્દ્ર રહ્યું છે.  ( Credits: Getty Images )

સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ ભરૂચના ઉલ્લેખ મળે છે, જ્યાં તેનું વર્ણન એક શક્તિશાળી અને સમૃદ્ધ નગર તરીકે કરવામાં આવ્યું છે. ભરૂચ નર્મદા નદીના કિનારે સ્થિત હોવાથી, તે પ્રાચીન કાળથી જ વેપાર માટે મહત્વપૂર્ણ બંદર અને વ્યાપારનું કેન્દ્ર રહ્યું છે. ( Credits: Getty Images )

2 / 13
ભરૂચનો  ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. પ્રાચીન ભારતીય સાહિત્ય, વિદેશી પ્રવાસીઓની નોંધો અને પુરાતત્વશાસ્ત્રીય શોધો દ્વારા આ શહેરની મહત્તા અને વિકાસ વિશે અનેક પુરાવાઓ મળે છે.  ( Credits: Getty Images )

ભરૂચનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. પ્રાચીન ભારતીય સાહિત્ય, વિદેશી પ્રવાસીઓની નોંધો અને પુરાતત્વશાસ્ત્રીય શોધો દ્વારા આ શહેરની મહત્તા અને વિકાસ વિશે અનેક પુરાવાઓ મળે છે. ( Credits: Getty Images )

3 / 13
મહાભારત અને રામાયણમાં ભરૂચનું ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં લખ્યું છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન ભરૂચમાં રહેવાસ કર્યો હતો.

મહાભારત અને રામાયણમાં ભરૂચનું ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં લખ્યું છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન ભરૂચમાં રહેવાસ કર્યો હતો.

4 / 13
ઋગ્વેદ અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે નર્મદા તટે ભરૂચ એક મહત્વપૂર્ણ યજ્ઞભૂમિ અને તપોસ્થાન હતું. રામાયણ અનુસાર, રામચંદ્રજી વનવાસ દરમિયાન અહીં એક રાત્રિ રોકાયા હતા.

ઋગ્વેદ અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે નર્મદા તટે ભરૂચ એક મહત્વપૂર્ણ યજ્ઞભૂમિ અને તપોસ્થાન હતું. રામાયણ અનુસાર, રામચંદ્રજી વનવાસ દરમિયાન અહીં એક રાત્રિ રોકાયા હતા.

5 / 13
મૌર્ય વંશના મહાન રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને આ પછી સમ્રાટ અશોકના શાસન દરમિયાન ભરૂચ એક મહત્વપૂર્ણ શહેર હતું. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં (ઈ.સ. 319–550) ભરૂચ ઉન્નત બંદર તરીકે વિકસ્યું, જ્યાંથી વિદેશી વેપાર ચાલતો.

મૌર્ય વંશના મહાન રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને આ પછી સમ્રાટ અશોકના શાસન દરમિયાન ભરૂચ એક મહત્વપૂર્ણ શહેર હતું. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં (ઈ.સ. 319–550) ભરૂચ ઉન્નત બંદર તરીકે વિકસ્યું, જ્યાંથી વિદેશી વેપાર ચાલતો.

6 / 13
સાતવાહન અને રાષ્ટ્રકૂટ શાસન (ઈ.સ. 200–800) આ યુગમાં ભરૂચ ભારત અને વિદેશી વેપારીઓ વચ્ચે એક મોટું વેપારી કેન્દ્ર બની ગયું. ખાસ કરીને રોમન, ગ્રીક અને અરબ વેપારીઓ અહીંથી વેપાર કરતા. રાષ્ટ્રકૂટ શાસન  શાસન શાસન દરમિયાન ભરૂચ એક મજબૂત રાજકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે ઉભરાયું.

સાતવાહન અને રાષ્ટ્રકૂટ શાસન (ઈ.સ. 200–800) આ યુગમાં ભરૂચ ભારત અને વિદેશી વેપારીઓ વચ્ચે એક મોટું વેપારી કેન્દ્ર બની ગયું. ખાસ કરીને રોમન, ગ્રીક અને અરબ વેપારીઓ અહીંથી વેપાર કરતા. રાષ્ટ્રકૂટ શાસન શાસન શાસન દરમિયાન ભરૂચ એક મજબૂત રાજકીય અને વ્યાપારી કેન્દ્ર તરીકે ઉભરાયું.

7 / 13
અરબ અને સુલતાન શાસન (ઈ.સ. 800–1300) 8મી સદીમાં અરબોએ ભારત પર હુમલાઓ શરૂ કર્યા, અને ભરૂચ પર પણ તેમની નજર પડી. મોહમ્મદ ગઝની અને ઘોરીના આક્રમણો પછી, ભરૂચમાં મુસ્લિમ શાસન શરૂ થયું.

અરબ અને સુલતાન શાસન (ઈ.સ. 800–1300) 8મી સદીમાં અરબોએ ભારત પર હુમલાઓ શરૂ કર્યા, અને ભરૂચ પર પણ તેમની નજર પડી. મોહમ્મદ ગઝની અને ઘોરીના આક્રમણો પછી, ભરૂચમાં મુસ્લિમ શાસન શરૂ થયું.

8 / 13
અકબર (1572) ના સમયમાં ભરૂચ મુઘલ શાસન હેઠળ આવ્યું અને તે દરિયાઈ વેપાર માટે મહત્વપૂર્ણ બંદર હતું.

અકબર (1572) ના સમયમાં ભરૂચ મુઘલ શાસન હેઠળ આવ્યું અને તે દરિયાઈ વેપાર માટે મહત્વપૂર્ણ બંદર હતું.

9 / 13
મરાઠા શાસનમાં (18મી સદી) નાનાસાહેબ પેશવામાં ભરૂચ પર કબજો મેળવ્યો. 18મી સદીમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવી ભરૂચ પર કબજો જમાવ્યો.

મરાઠા શાસનમાં (18મી સદી) નાનાસાહેબ પેશવામાં ભરૂચ પર કબજો મેળવ્યો. 18મી સદીમાં અંગ્રેજોએ મરાઠાઓને હરાવી ભરૂચ પર કબજો જમાવ્યો.

10 / 13
1772માં અંગ્રેજોએ ભરૂચ પર શાસન શરૂ કર્યું.બ્રિટિશરો માટે ભરૂચ મહત્વનું વેપારી કેન્દ્ર હતું, ખાસ કરીને કપાસ, મસાલા અને ઊનનો વેપાર. 1864માં ભરૂચમાં રેલવે શરૂ થયો, જે વેપાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો.

1772માં અંગ્રેજોએ ભરૂચ પર શાસન શરૂ કર્યું.બ્રિટિશરો માટે ભરૂચ મહત્વનું વેપારી કેન્દ્ર હતું, ખાસ કરીને કપાસ, મસાલા અને ઊનનો વેપાર. 1864માં ભરૂચમાં રેલવે શરૂ થયો, જે વેપાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો.

11 / 13
ભરૂચ આજના સમયમાં રાસાયણિક ઉદ્યોગો, ટેક્સટાઇલ ઉદ્યોગ અને નર્મદા નદીના કારણે ખેતી માટે જાણીતું છે.આ શહેરમાં અનેક મોટા ઉદ્યોગો જેવા કે GNFC, GIDC, ONGC અનેONGC પ્લાન્ટ્સ છે.

ભરૂચ આજના સમયમાં રાસાયણિક ઉદ્યોગો, ટેક્સટાઇલ ઉદ્યોગ અને નર્મદા નદીના કારણે ખેતી માટે જાણીતું છે.આ શહેરમાં અનેક મોટા ઉદ્યોગો જેવા કે GNFC, GIDC, ONGC અનેONGC પ્લાન્ટ્સ છે.

12 / 13
આજના સમયમાં ભરૂચ ઉદ્યોગો, કેમિકલ પ્લાંટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે. આ ઉપરાંત, નર્મદા નદી અને ભરૂચના ભૃગુરિશ્વર મહાદેવ મંદિર, ગોલ ટાવર અને અન્ય ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે.

આજના સમયમાં ભરૂચ ઉદ્યોગો, કેમિકલ પ્લાંટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે. આ ઉપરાંત, નર્મદા નદી અને ભરૂચના ભૃગુરિશ્વર મહાદેવ મંદિર, ગોલ ટાવર અને અન્ય ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર છે.

13 / 13

ભરૂચ એક ઐતિહાસિક અને વેપારની દ્રષ્ટિએ મહત્વનું શહેર છે, જે ભારતના પ્રાચીનતમ શહેરોમાંથી એક ગણાય છે. ભરૂચની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
g clip-path="url(#clip0_868_265)">