Travel Tips : જો તમે કેદારનાથ જઈ રહ્યા છો, તો નજીકના આ સુંદર સ્થળોની મુલાકાત લેતા આવજો
કેદારનાથ યાત્રા શરુ થવાના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે પણ આ વર્ષે ભોલેનાથના દર્શન કરવા માટે કેદારનાથ જઈ રહ્યા છો. તો કેદારનાથની આજુબાજુ આવેલા આ સ્થળો પર આંટો મારતા આવજો. તો ચાલો જાણીએ કેદારનાથની આસપાસ ક્યા ક્યા ફરવા લાયક સ્થળો આવેલા છે.

હિંદુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે. ચારધામમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, અને બદ્રીનાથ સામેલ છે. કેદારનાથ મંદિર 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. અહી દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

કેદારનાથ ધામના કપાટ દર વર્ષે અંદાજે 6 મહિના માટે ખુલે છે. આ વખેત કેદારનાથના કપાટ 2 મેના રોજ ખુલશે. જો તમે પણ પરિવાર સાથે કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજુબાજુ આવેલા આ સ્થળોની જરુર મુલાકાત લેજો.

ગુપ્તકાશી એક ફેમસ તીર્થ સ્થળ છે. જે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ મંદિરથી થોડે દુર આવેલું છે. આ સ્થળ પ્રાચીન વિશ્વનાથ મંદિર, અર્ધનારીશ્વર મંદિર અને મર્ણિકર્ણિકા કુંડ માટે ફેમસ છે.

ગુપ્તકાશીમાં ગૌરીકુંડ કેદારનાથ યાત્રા શરુ થતાં પહેલા શરુઆતના પોઈન્ટ માટે ફેમસ છે. આ મંદાકિની નદીના કિનારે આવેલું છે. તેમજ આધ્યાત્મિકતા અને મોક્ષનો પેવશ દ્વાર પણ માનવામાં આવે છે. ગૌરીકુંડ મંદિર અને ગૌરી ઝીલ ખુબ ફેમસ છે.

ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરથી અંદાજે 3 કિલોમીટર દર ચોરાબરી ઝીલ એક અનોખું ઝીલ છે. જેને ગાંધી તાલના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી દુર દુરથી પર્યટકો આવે છે.

ત્રિયુગીનારાયણ હિંદુ પૂજા માટે એક ફેમસ સ્થળ છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. આ એક હિંદુ મંદિર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

ભારતના ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું સોનપ્રયાગનું ખુબ જ ધાર્મિક મહ્તવ છે.કારણ કે, અહી બે શક્તિશાળી બાસુકી અને મંદાકિની નદીનો પવિત્ર સંગમનું પ્રતિક છે. સુંદર હિમાલય વચ્ચે વસેલું આ શાંત સ્થળ ચારધામ યાત્રા પર જતા ભક્તો માટે સુંદર સ્થળ છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
