AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું AC સાથે સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ ? જાણો અહીં

AC Tips: આજકાલ ઘણા દુકાનદારો તમને નવું એસી ખરીદતાની સાથે જ એર કંડિશનરની સાથે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ખરીદવાની સલાહ આપે છે. તો શું ખરેખર ACની સાથે સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ? ચાલો અહીં જાણીએ.

| Updated on: Apr 24, 2025 | 12:21 PM
દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે અને એર કંડિશનરની માંગ ફરી વધી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ સિઝનમાં નવું એસી ખરીદવાનું મન બનાવી લીધું હોય, તો સ્વાભાવિક છે કે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોરની મુલાકાત લેશો. જોકે, આજકાલ ઘણા દુકાનદારો તમને નવું એસી ખરીદતાની સાથે જ એર કંડિશનરની સાથે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ખરીદવાની સલાહ આપે છે. તો શું ખરેખર ACની સાથે સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ? ચાલો અહીં જાણીએ.

દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે અને એર કંડિશનરની માંગ ફરી વધી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ સિઝનમાં નવું એસી ખરીદવાનું મન બનાવી લીધું હોય, તો સ્વાભાવિક છે કે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોરની મુલાકાત લેશો. જોકે, આજકાલ ઘણા દુકાનદારો તમને નવું એસી ખરીદતાની સાથે જ એર કંડિશનરની સાથે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ખરીદવાની સલાહ આપે છે. તો શું ખરેખર ACની સાથે સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ? ચાલો અહીં જાણીએ.

1 / 6
AC સાથે સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવું ફરજિયાત નથી, પરંતુ તે કેટલાક કિસ્સાઓમાં મહત્વપૂર્ણ બની જાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારા વિસ્તારમાં વોલ્ટેજમાં વધ-ઘટ રહેતી હોય. આ સિવાય પણ ઘણા કારણો છે જેના લીધે  સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ, તો ચાલો જાણીએ

AC સાથે સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરવું ફરજિયાત નથી, પરંતુ તે કેટલાક કિસ્સાઓમાં મહત્વપૂર્ણ બની જાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારા વિસ્તારમાં વોલ્ટેજમાં વધ-ઘટ રહેતી હોય. આ સિવાય પણ ઘણા કારણો છે જેના લીધે સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ, તો ચાલો જાણીએ

2 / 6
ભારત જેવા દેશોમાં, સ્ટેબિલાઇઝરની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધે છે. આનું કારણ એ છે કે અહીં વીજ પુરવઠો હંમેશા સરખો હોતો નથી. ક્યારેક વોલ્ટેજ ખૂબ ઓછો હોય છે, ક્યારેક ખૂબ વધારે. આ વધઘટને વોલ્ટેજ વધઘટ કહેવામાં આવે છે. ઓછા અથવા ખૂબ ઊંચા વોલ્ટેજને કારણે, AC ના આંતરિક ભાગો જેમ કે કોમ્પ્રેસર, મોટર, સર્કિટ વગેરેને નુકસાન થઈ શકે છે. આ AC ની ક્ષમતાને પણ અસર કરે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.

ભારત જેવા દેશોમાં, સ્ટેબિલાઇઝરની જરૂરિયાત નોંધપાત્ર રીતે વધે છે. આનું કારણ એ છે કે અહીં વીજ પુરવઠો હંમેશા સરખો હોતો નથી. ક્યારેક વોલ્ટેજ ખૂબ ઓછો હોય છે, ક્યારેક ખૂબ વધારે. આ વધઘટને વોલ્ટેજ વધઘટ કહેવામાં આવે છે. ઓછા અથવા ખૂબ ઊંચા વોલ્ટેજને કારણે, AC ના આંતરિક ભાગો જેમ કે કોમ્પ્રેસર, મોટર, સર્કિટ વગેરેને નુકસાન થઈ શકે છે. આ AC ની ક્ષમતાને પણ અસર કરે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.

3 / 6
કોમ્પ્રેસરની સલામતી માટે મહત્વપૂર્ણ: AC નો સૌથી મહત્વપૂર્ણ ભાગ કોમ્પ્રેસર છે તે ખૂબ જ સંવેદનશીલ ભાગ પણ છે. જો વોલ્ટેજ ખૂબ ઓછો અથવા ખૂબ વધારે હોય, તો તે બળી શકે છે. એટલું જ નહીં, કોમ્પ્રેસરને નુકસાન થાય ત્યારે તેને બદલવું ખૂબ ખર્ચાળ છે. જો તમારું AC 5 વર્ષથી વધુ જૂનું છે, તો નવા કોમ્પ્રેસરની કિંમત તમારા આખા AC ની કિંમત કરતાં વધુ હોઈ થઈ શકે છે. આથી સ્ટેબિલાઇઝર આ સમસ્યાને થતી અટકાવે છે. તે હંમેશા કોમ્પ્રેસરને સમાન અને સ્થિર વોલ્ટેજ આપે છે

કોમ્પ્રેસરની સલામતી માટે મહત્વપૂર્ણ: AC નો સૌથી મહત્વપૂર્ણ ભાગ કોમ્પ્રેસર છે તે ખૂબ જ સંવેદનશીલ ભાગ પણ છે. જો વોલ્ટેજ ખૂબ ઓછો અથવા ખૂબ વધારે હોય, તો તે બળી શકે છે. એટલું જ નહીં, કોમ્પ્રેસરને નુકસાન થાય ત્યારે તેને બદલવું ખૂબ ખર્ચાળ છે. જો તમારું AC 5 વર્ષથી વધુ જૂનું છે, તો નવા કોમ્પ્રેસરની કિંમત તમારા આખા AC ની કિંમત કરતાં વધુ હોઈ થઈ શકે છે. આથી સ્ટેબિલાઇઝર આ સમસ્યાને થતી અટકાવે છે. તે હંમેશા કોમ્પ્રેસરને સમાન અને સ્થિર વોલ્ટેજ આપે છે

4 / 6
AC પરફોર્મેન્સ અને વીજળીની બચત: જો AC ને યોગ્ય વોલ્ટેજ ન મળે, તો તે યોગ્ય રીતે કામ કરતું નથી. ક્યારેક ઠંડક ઓછી થાય છે, અને ક્યારેક AC સંપૂર્ણપણે ઠંડુ થવાનું બંધ કરી દે છે. આ મશીન પર વધુ ભાર મૂકે છે અને વીજળીનો વપરાશ વધારે છે. આનાથી તમારું વીજળી બિલ પણ વધે છે. જો તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો છો, તો AC હંમેશા યોગ્ય વોલ્ટેજ મેળવે છે અને કોઈપણ વિક્ષેપ વિના તેનું કામ કરી શકે છે.

AC પરફોર્મેન્સ અને વીજળીની બચત: જો AC ને યોગ્ય વોલ્ટેજ ન મળે, તો તે યોગ્ય રીતે કામ કરતું નથી. ક્યારેક ઠંડક ઓછી થાય છે, અને ક્યારેક AC સંપૂર્ણપણે ઠંડુ થવાનું બંધ કરી દે છે. આ મશીન પર વધુ ભાર મૂકે છે અને વીજળીનો વપરાશ વધારે છે. આનાથી તમારું વીજળી બિલ પણ વધે છે. જો તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો છો, તો AC હંમેશા યોગ્ય વોલ્ટેજ મેળવે છે અને કોઈપણ વિક્ષેપ વિના તેનું કામ કરી શકે છે.

5 / 6
ACની લાઈફ વધે છે: માણસોની જેમ, દરેક મશીનનું પણ એક આયુષ્ય હોય છે, પરંતુ જો તે યોગ્ય રીતે ચલાવવામાં આવે તો તેનું આયુષ્ય વધારી શકાય છે. જ્યારે AC ને ઓછો કે વધુ વોલ્ટેજ મળે છે, ત્યારે તેના બધા ભાગો પ્રભાવિત થાય છે. ધીમે ધીમે મશીનની અંદરના ભાગો નબળા પડવા લાગે છે અને AC માં સમસ્યા થવા લાગે છે. આથી સ્ટેબિલાઇઝર આ નુકસાનને અટકાવે છે. જ્યારે AC ને દર વખતે યોગ્ય વોલ્ટેજ મળે છે, ત્યારે તેના ભાગો લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરશે. આમ ACની લાઈફ વધે છે

ACની લાઈફ વધે છે: માણસોની જેમ, દરેક મશીનનું પણ એક આયુષ્ય હોય છે, પરંતુ જો તે યોગ્ય રીતે ચલાવવામાં આવે તો તેનું આયુષ્ય વધારી શકાય છે. જ્યારે AC ને ઓછો કે વધુ વોલ્ટેજ મળે છે, ત્યારે તેના બધા ભાગો પ્રભાવિત થાય છે. ધીમે ધીમે મશીનની અંદરના ભાગો નબળા પડવા લાગે છે અને AC માં સમસ્યા થવા લાગે છે. આથી સ્ટેબિલાઇઝર આ નુકસાનને અટકાવે છે. જ્યારે AC ને દર વખતે યોગ્ય વોલ્ટેજ મળે છે, ત્યારે તેના ભાગો લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરશે. આમ ACની લાઈફ વધે છે

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">