Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.

Read More

કાશ્મીરના વાતાવરણને ધ્યાને રાખીને તૈયાર કરાઈ છે વંદેભારત, જાણો કટરાથી શ્રીનગર વચ્ચે ક્યારથી દોડશે ટ્રેન

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી કટરાથી ખીણ પ્રદેશના શ્રીનગર સુધી તેજ ગતિએ દોડનારી વંદે ભારત ટ્રેન રોજબરોજ દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. કટરા-શ્રીનગર વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન, જમ્મુ કાશ્મીર પ્રદેશના વિશિષ્ટ હવામાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. જાણો તેની ખાસિયત

પાછા આવતા રહે વિસ્થાપિત કાશ્મીરી પંડિત, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અપીલથી જાગી નવી આશા

કાશ્મીરી પંડિત સમુદાય 1990 થી વિસ્થાપનની પીડા સહન કરી રહ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તેમના પરત ફરવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, પરંતુ પંડિત સમુદાય સ્પષ્ટ રોડમેપની માંગ કરી રહ્યો છે. તેઓ સરકારને કાશ્મીરમાં સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા અને અનુકૂળ વાતાવરણ બનાવવાનો આગ્રહ કરી રહ્યા છે. 30 વર્ષ કરતા પણ વધુ સમય પછી પણ, તેમના પાછા ફરવાની આશા જીવંત છે.

Breaking News : કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર ગોળીઓનો વરસાદ, સેના એલર્ટ

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે અથવા તો સરહદ ઉપર ગોળીબાર કરીને યુદ્ધવિરામની સ્થિતિનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આજે બુધવારે કાશ્મીરના રાજૌરીમાં LOC પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો, આ ગોળીબારમાં ભારતીય સૈન્યના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સૈન્ય એલર્ટ થઈ ગયુ છે. વધારાનો ફોર્સ બોલાવી લઈને ગોળીબારના નજીકના સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામા આવી રહ્યો છે.

45 વર્ષની ઉંમરે બોલિવુડ અભિનેત્રીએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

બોલિવૂડ ફિલ્મ રોકસ્ટારથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી નરગીસ ફખરીએ લગ્ન કર્યા છે. જોકે, નરગીસે ​​હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી. પરંતુ તેમના લગ્નના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

કોમેડીથી કરોડપતિનો માલિક બનેલા સમય રૈનાના પરિવાર વિશે જાણો,સંપત્તિ મામલે બોલિવુડ સ્ટારને પણ ટકકર મારે છે

'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પરની તેની અભદ્દ ટિપ્પણીઓને કારણે રૈનાને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. કોમેડિયન સમય રૈનાની કુલ સંપત્તિ જાણીને તમે દંગ રહી જશો, કારણ કે સમયે પોતાની કોમેડીના દમ પર કરોડોની સંપત્તિ બનાવી છે. સમય રૈનાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

પંડ્યાની ટીમ પર ફિક્સિંગનો આરોપ, મેચ અધવચ્ચે જ અટકી, રણજી ટ્રોફીમાં મોટો હંગામો

વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ગ્રુપ Aની મેચના ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના કોચે બરોડા પર આરોપ લગાવ્યો હતો અને અમ્પાયર અને મેચ રેફરીને ફરિયાદ કરી હતી ત્યારે આ વિવાદ સામે આવ્યો હતો. બરોડા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી મહત્વપૂર્ણ છે.

Vaishno Devi Temple : 1584 મીટરની ઊંચાઈ પર વૈષ્ણોદેવી મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું?

જમ્મુમાં 1584 મીટરની ઉંચાઈ પર આવેલા વૈષ્ણો દેવી મંદિરનો ઇતિહાસ પાંડવોથી માંડીને ગુરુ ગોવિંદ સિંહ અને પંડિત શ્રીધર સુધી જોડાયેલો છે. 1846 થી તે મહારાજા ગુલાબ સિંહના ટ્રસ્ટ હેઠળ છે.

6 ફૂટ 4 ઈંચ ઉંચા બોલરે રોહિત શર્માની વિકેટ લીધા બાદ ન કરી ઉજવણી, જાણો કેમ ?

લગભગ 10 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રોહિત શર્માની વાપસી સારી રહી ન હતી અને તેને માત્ર 3 રનના સ્કોર પર જમ્મુ અને કાશ્મીરના 6 ફૂટ 4 ઈંચ ઉંચા ફાસ્ટ બોલર ઓમર નઝીરે પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્યારથી, ઉમરની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પરંતુ રોહિત શર્માની વિકેટ લીધા તેણે સેલિબ્રેશન ન કર્યું, અને આ વાત વધુ હેડલાઈન્સ બનાવી રહી છે.

માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ

રેલવેએ જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન 3 કલાક 10 મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે.

કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, બ્રિટિશ શાસન દરમિયાન ઇતિહાસમાં લખાયેલી આપણા દેશની વ્યાખ્યા તેમની અજ્ઞાનતાને કારણે ખોટી હતી. દિલ્હીમાં બેસીને ઈતિહાસ લખાતો નથી, ત્યાં જઈને સમજવો પડે છે. શાસકોને ખુશ કરવા ઈતિહાસ લખવાનો સમય પૂરો થઈ ગયો છે. હું ભારતના ઈતિહાસકારોને અપીલ કરું છું કે તેઓ પુરાવાના આધારે ઈતિહાસ લખે.

ભારતના એ ગામ, જ્યાં ગર્ભવતી થવા આવે છે વિદેશી મહિલાઓ !

ભારતમાં કેટલાક એવા ગામો છે, જ્યાં વિદેશી પર્યટકોના આવવાનું કારણ માત્ર ફરવા જવા સિવાય કંઈક બીજું છે. લોકો આ ગામોમાં પહાડો, પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ જોવા તો આવે જ છે, પરંતુ કેટલાક લોકો અન્ય કારણોસર પણ અહીં આવે છે. એવું કહેવાય છે કે અહીં કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

J-K: પૂંચમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુ, 5 જવાન શહીદ, 10 ઘાયલ

india army poonch valley tragedy: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. મેંધાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલું સૈન્ય વાહન અચાનક ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જ્યારે 10થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે બરફવર્ષા, પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ, જુઓ ફોટા

ભારતના પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. શિમલા, મનાલી, ઔલી, કેદારનાથ, બદ્રીનાથ અને કાશ્મીર જેવા સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

જમ્મુ કાશ્મીરને લઈને પાકિસ્તાન મીડિયાના જૂઠ્ઠાણાને ભારતે દુનિયાભરમાં ખુલ્લા પાડ્યાં

ભારતના વિદેશ મંત્રાલયે, પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર પર ઠરાવ લાવ્યા હતા અને તેને પસાર પણ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આ વાર્ષિક દરખાસ્ત છે, જે ત્રીજી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી અને મતદાન કર્યા વિના સ્વીકારવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા દ્વારા આ સંબંધે ભ્રામક રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.

Travel With Tv9 : નાતાલની રજાઓમાં Snowfallની મજા માણવા જમ્મુ-કાશ્મીરનો કરો પ્રવાસ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં જમ્મુ-કાશ્મીર ફરી શકાય.

ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">