જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.
Travel Tips : ડિસેમ્બરમાં રજાઓ લઈ ઓછા બજેટમાં ગર્લફ્રેન્ડ સાથે આ બરફીલા પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી લો
શિયાળામાં ભારતના કેટલાક સ્થળો પર ખુબ જ મોટી સંખ્યામાં સ્નોફ્લો જોવા મળે છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવાનો પણ પ્લાન બનાવતા હોય છે. ત્યારે તમે પણ ડિસેમ્બરમાં રજાઓ લઈ ગર્લફ્રેન્ડ સાથે આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Dec 3, 2025
- 4:28 pm
LoC પાર મોકલવામાં આવતા માલ પર ‘ટેક્સ ફ્રી’ની માગ ફગાવાઈ, કોર્ટે કહ્યું – PoK ભારતનો ભાગ છે, આ આંતરરાષ્ટ્રીય વેપાર નથી
જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, PoK ભારતનો ભાગ છે અને તેથી જમ્મુ અને કાશ્મીરમાંથી LoC પારનો વેપાર આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ આંતરિક રાજ્ય વેપાર છે. 2017-19માં GST ચૂકવવામાં નિષ્ફળ રહેલા વેપારીઓ નોટિસ મળ્યા બાદ કોર્ટમાં ગયા હતા. કોર્ટે અરજીઓ ફગાવી દીધી હતી.
- Meera Kansagara
- Updated on: Dec 1, 2025
- 10:56 am
અસલી પશ્મીના શાલની કિંમત કેટલી છે? તેની ખાસિયત જાણીને તમને નવાઈ લાગશે
પશ્મીના શાલ એટલે કે એવું કહેવાય છે કે તેને હાથમાં રાખવાથી વાદળને સ્પર્શ કરવા જેવું લાગે છે. એટલું નરમ, એટલું હળવું અને એટલું ગરમ કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે ફક્ત કાપડ છે.
- Meera Kansagara
- Updated on: Dec 1, 2025
- 8:55 am
Breaking News : જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર SAI ની રેડ, AK-47 ગોળીઓ અને પિસ્તોલ મળી
રાજ્ય તપાસ એજન્સી (SIA) એ જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર દરોડો પાડ્યો. AK-47 ગોળીઓ, એક પિસ્તોલ અને ગ્રેનેડ લિવર મળી આવ્યા. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી અને આતંકવાદી વિચારધારાઓને ટેકો આપવાના આરોપસર આ દરોડો પાડવામાં આવ્યો.
- Sagar Solanki
- Updated on: Nov 20, 2025
- 3:11 pm
Breaking News : દિલ્હીનો હુમલો અમે કરાવ્યો, પીઓકેના ભૂતપૂર્વ વડા પ્રધાને કરી કબૂલાત, જૂઓ વીડિયો
દિલ્હી વિસ્ફોટ અંગે પાકિસ્તાનમાં એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને જબરજસ્તીથી પચાવી પાડેલા ભારતના કાશ્મીરના એક ભાગના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકનો એક વીડિયો વાયરલ સ્વરૂપે સામે આવ્યો છે. આ વીડિયોમાં તે દિલ્હી-કાશ્મીરના વિસ્ફોટમાં પાકિસ્તાનનો સીધો હાથ હોવાની વાત કરે છે. દિલ્હીના લાલ કિલ્લાના વિસ્ફોટની તપાસ કરતી, કેન્દ્રીય એજન્સીઓએ અત્યાર સુધી પુષ્ટિ કરી છે કે આ હુમલો જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 20, 2025
- 2:44 pm
Breaking News : દિલ્હી બ્લાસ્ટની તપાસ આડેપાટે ચડાવવા આતંકીઓએ નૌગામ પોલીસ સ્ટેશને ધડાકો કર્યો ?
છેલ્લા બે અઠવાડિયાથી, બોનપોરામાં જૈશ દ્વારા પોલીસને ધમકી આપતા પોસ્ટરો બહાર આવ્યા હતા. જે બાદ આ ઘટના અંગ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનું મુખ્ય કેન્દ્ર નૌગામ પોલીસ સ્ટેશનને હતું. પરંતુ તે શુક્રવારે રાત્રે બ્લાસ્ટ થવાથી કાટમાળમાં ફેરવાઈ ગયું છે.
- Disha Thakar
- Updated on: Nov 16, 2025
- 11:07 am
Breaking News : ફરીદાબાદમાં જપ્ત કરાયેલા વિસ્ફોટક સામગ્રીના નમૂના લેતી વખતે નૌગામ પોલીસ સ્ટેશનમાં ભયંકર બ્લાસ્ટ, 9ના મોત, 30 ઘાયલ
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન પરિસરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો વિસ્ફોટ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરીદાબાદમાં જપ્ત કરાયેલા વિસ્ફોટક સામગ્રીના નમૂના લેતી વખતે થયેલા આકસ્મિક વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ પોલીસકર્મી અને એક નાગરિકનો સમાવેશ થાય છે. વિસ્તારમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટ પછી ધુમાડો અને જ્વાળાઓ હવામાં ફેલાઈ ગઈ હતી.
- Tanvi Soni
- Updated on: Nov 18, 2025
- 9:06 am
Breaking News : દિલ્હી બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ સ્ટેશનની અંદર ભયાનક બ્લાસ્ટ અનેક પોલીસકર્મીઓ ઘાયલ, જુઓ Video
જમ્મુ કાશ્મીરમાં થયેલો આ વિસ્ફોટ દિલ્હી વિસ્ફોટ જેવો જ માનવામાં આવી રહ્યો છે. વીડિયો ફૂટેજમાં દિલ્હી વિસ્ફોટ પછી જોવા મળેલા દ્રશ્યો જેવા જ દ્રશ્યો દેખાય છે.
- Sagar Solanki
- Updated on: Nov 15, 2025
- 1:00 am
Breaking News : દિલ્હી બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર આતંકી ડો. ઉમરનું ઘર સુરક્ષા એજન્સીઓએ IED બ્લાસ્ટથી ઉડાવી દીધું
દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પુલવામાનો ડૉક્ટર ઉમર મોહમ્મદ આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર હતો, જે વિસ્ફોટમાં માર્યો ગયો. હવે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે.
- Sagar Solanki
- Updated on: Nov 14, 2025
- 8:07 am
જમ્મુ કાશ્મીરની પોલીસે સતર્કતા બતાવી, ધમકીભર્યા પોસ્ટર્સ પાછળ દેશભરમાં આતંક મચાવવાનો હતો મેસેજ
શ્રીનગરના નૌગામ વિસ્તારમાં સુરક્ષાદળ માટે ધમકીભર્યા પોસ્ટર્સ ચોટાડવામાં આવ્યા હતા. જેની તપાસ કરતા દેશમાં આતંકનુ મોટુ નેટવર્ક સુધી તાર પહોચ્યા હતા. આ ઘટનાને યુદ્ધના ધોરણે અમલમાં મૂકીને દેશભરમાં દરોડા પાડીને દેશવ્યાપી આતંક મચાવવાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Nov 12, 2025
- 6:56 pm
Ranji Trophy : 96 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવ્યું
Ranji Trophy 2025 : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ ડીમાં રમાઈ રહેલી જમ્મુ કાશ્મીર અને દિલ્હી વચ્ચેની મેચ ખુબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં જમ્મુ કાશ્મીરે દિલ્હીને હરાવી ઈતિહાસ રચી દીધો છે.
- Nirupa Duva
- Updated on: Nov 11, 2025
- 1:48 pm
ગુજરાતમાંથી ઝડપાયેલા 3 આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, અનેક શહેરોમાં આતંકી હુમલો કરવાનું હતુ ષડયંત્ર
આતંકીઓની સૌથી મહત્વપૂર્ણ લાગેલી માહિતીમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથે સૌથી મોટા હત્યાકાંડના પ્લાનને અંજામ આપવાની ફિરાકમાં હતા. રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. આતંકી અહેમદ સૈયદે સૌથી મોટા હત્યાકાંડને લઇને કાવતરૂ ઘડ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Nov 10, 2025
- 1:25 pm
મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરમાંથી 300 કિલો RDX, એક AK-47 મળ્યા
જમ્મુ પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોક્ટરે એક રૂમ ભાડે લીધો હતો. પોલીસને તેના રૂમમાંથી આશરે 300 કિલો RDX, 2 AK-47 રાઈફલ, 84 કારતૂસ અને રસાયણો મળી આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Nov 10, 2025
- 10:46 am
મૂનિરના નાપાક ઈરાદાનો ફરી થયો પર્દાફાશ, કુપવાડામાં ઠાર કરાયેલા બે આતંકીની તપાસમાં મોટો ખૂલાસો
ભારતીય સેના દ્વારા ઓપરેશન પિમ્પલના ભાગ રૂપે, સેના અને સુરક્ષા દળોએ કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. એન્કાઉન્ટર સ્થળેથી પાકિસ્તાની બનાવટના સિગારેટના પેકેટ અને ડ્રગ્સઓ મળી આવ્યા હતા. વધુમાં, આતંકવાદીઓ પાસેથી ચીની બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર અંગે આસીમ મુનીર અને પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Nov 8, 2025
- 6:41 pm
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદીઓને કરાયા ઠાર, ઓપરેશન પિંપલ અંતર્ગત ભારતીય સેનાની કાર્યવાહી
ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ તેમના ઇરાદાઓને પાર પાડે તે પહેલા જ તેમને ઠાર કરી દેવામાં આવ્યા છે. 8 નવેમ્બર, શનિવારની સવારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર-શ્રીનગર પોલીસની સંયુક્ત ટીમે કુપવાડાના કેરન સેક્ટરમાં ઓપરેશન પિમ્પલમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. 7 નવેમ્બરના રોજ સુરક્ષા દળોને LoC નજીક ઘૂસણખોરીના પ્રયાસ અંગે મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
- Tanvi Soni
- Updated on: Nov 8, 2025
- 10:27 am