જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.
Read Moreટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહનું સ્થાન લેનાર જમ્મુ અને કાશ્મીરના આકિબ નબીની કુલ સંપત્તિ કેટલી છે?
જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર આકિબ નબીને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને પસંદ થયેલા આકિબની ચર્ચા હવે તેની બોલિંગ સાથે સાથે તેની કમાણી અને નેટવર્થને લઈને પણ થઈ રહી છે. IPLમાં મળેલા મોટા કોન્ટ્રાક્ટ બાદ તેની કમાણીમાં મોટો વધારો થયો છે.
- Smit Chauhan
- Updated on: Aug 3, 2026
- 8:31 pm
Duleep Trophy 2026: શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન
દુલીપ ટ્રોફી 2026 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટ માટે નોર્થ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો કન્હૈયા વાધવન કરશે. ચાલો જાણીએ કોણ છે ખેલાડી.
- Smit Chauhan
- Updated on: Aug 3, 2026
- 5:45 pm
Breaking News : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર, BCCIએ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી
Auqib Nabi replaces Jasprit Bumrah : આકિબ નબી,શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહના રિપ્લેસ કરશે, તેમના ઘરેલું ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે.
- Nirupa Duva
- Updated on: Aug 3, 2026
- 11:37 am
Breaking News : કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર, એકનું મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો, જેમાં એકનું મોત અને એક ઘાયલ થયો. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
- Sagar Solanki
- Updated on: Jul 31, 2026
- 10:50 pm
મુસ્લિમ નેતા, JK ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલા, પંજાબી પત્નિ પાયલને આપશે તલ્લાક
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચે છૂટાછેડા અંગે એક કરાર થયો છે. સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે બંને પક્ષો વચ્ચેના તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 31, 2026
- 7:01 pm
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધસમસતા પૂરથી ભારે વિનાશ, 200થી વધુ કાર રમકડાની માફક તણાઈ, જુઓ Video
રાજૌરી, અનંતનાગ અને ઉધમપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો થયા પછી, આશરે 200 થી 250 જેટલી ગાડીઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ દ્રશ્ય એક વીડિયોમાં કેદ થયું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Bipin Prajapati
- Updated on: Jul 19, 2026
- 10:32 am
Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા, આગામી દિવસો માટે જાહેર કરાયેલ પ્રતિકૂળ હવામાનની ચેતવણીને પગલે, આજે 19 જુલાઈથી વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથની યાત્રા, સાવચેતીના પગલા તરીકે અચોક્કસ સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 19, 2026
- 8:53 am
અમરનાથ યાત્રામાં અનોખો પ્રયોગ: 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ
5 લાખથી વધુ શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અમરનાથ યાત્રામાં આ વખતે ઇકો-ફ્રેન્ડલી મોડલ અપનાવાયું છે. ખચ્ચરના છાણમાંથી બાયોગેસ અને પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે લેવાયેલા અનોખા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jul 18, 2026
- 7:25 pm
CM ઉમર અબ્દુલ્લાના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ) વાળા નિવેદન પર ભડકી BJP, મોકલી 100 કરોડની નોટિસ
જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લાએ ભાજપ પર 'ઓપરેશન લોટસ' હેઠળ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર આપીને સરકાર તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ નિવેદનથી નારાજ થયેલી BJPએ હવે સીએમ સામે મોટું કાનૂની પગલું ભર્યું છે. ભાજપે ઉમર અબ્દુલ્લા પાસે કઈ મોટી માંગ કરી છે અને આ વિવાદ પાછળની અસલી કહાની શું છે?
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 4:52 pm
અમરનાથ યાત્રા સમયે જ, પહેલગામ-શાંગુસમાં વાદળ ફાટ્યુ, અચાનક આવેલા પૂરથી હોટલો અને ઘરો ડૂબ્યાં
જમ્મુ કાશ્મીરના પહલગામમાં અવુરાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી, હેઠવાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું. જોકે, નદીના કિનારે આવેલી એક હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા.
- Bipin Prajapati
- Updated on: Jul 12, 2026
- 1:58 pm
આતંકીના જનાજામાં શબ્બિર શાહ સહીતના હુરિયર્તના નેતાઓએ, ભીડને હુમલો કરવા ઉશ્કેરી હતીઃ NIAએ દાખલ કરી ચાર્જશીટ
NIA એ 1996ના શ્રીનગર હિંસા કેસ સંદર્ભે હુર્રિયત કોન્ફરન્સના છ વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ખાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એવો આરોપ છે કે 17 જુલાઈ, 1996ના રોજ આતંકવાદી હિલાલ અહેમદ બેગની અંતિમયાત્રા દરમિયાન, ભીડને પોલીસ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવી હતી અને મોટા પાયે હિંસા ભડકાવવામાં આવી હતી.
- Bipin Prajapati
- Updated on: Jul 10, 2026
- 5:28 pm
Breaking News : પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હજારો કશ્મીરી, ‘પાકિસ્તાન આર્મી, પાછા જાઓ’ના લગાવ્યા નારા, જાણો એવું તો શું થયું
પ્રદર્શનકારીઓએ પાર્લામેન્ટ સ્ક્વેરથી પાકિસ્તાન હાઇ કમિશન સુધી કૂચ કરી. કૂચ દરમિયાન, તેમણે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો અને અટકાયતમાં લેવાયેલા રાજકીય કાર્યકરોની મુક્તિની માંગ કરી.
- Devankashi rana
- Updated on: Jul 6, 2026
- 9:25 am
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 2:47 pm
અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા, જુઓ Video
અમરનાથ યાત્રા હવે આસ્થાની સાથે હાઇટેક સુરક્ષાનો પણ પર્યાય બની છે. 3 જુલાઈથી શરૂ થતી યાત્રા માટે જમ્મુમાં 600 સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને સુરક્ષા દળો તૈનાત કરાયા છે.
- Sagar Solanki
- Updated on: Jun 29, 2026
- 10:32 pm
Breaking News : કાશ્મીરી પંડિત સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની જાગી આશા, ચાર્જશીટમાં આતંકી યાસીન મલિકનું નામ
કાશ્મીરમાં 1990ના સમયગાળામાં પંડિતો અને હિન્દુઓ વિરુદ્ધ ફાટી નીકળેલ હિંસા સમયે, શ્રીનગરની સરકારી હોસ્પિટલની નર્સ સરલા ભટ્ટનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના કેસમાં આતંકી યાસિન મલિકનુ નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે, સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની આશા જાગી છે.
- Bipin Prajapati
- Updated on: Jun 29, 2026
- 4:05 pm