AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.

Read More

CM ઉમર અબ્દુલ્લાના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ) વાળા નિવેદન પર ભડકી BJP, મોકલી 100 કરોડની નોટિસ

જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લાએ ભાજપ પર 'ઓપરેશન લોટસ' હેઠળ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર આપીને સરકાર તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ નિવેદનથી નારાજ થયેલી BJPએ હવે સીએમ સામે મોટું કાનૂની પગલું ભર્યું છે. ભાજપે ઉમર અબ્દુલ્લા પાસે કઈ મોટી માંગ કરી છે અને આ વિવાદ પાછળની અસલી કહાની શું છે?

અમરનાથ યાત્રા સમયે જ, પહેલગામ-શાંગુસમાં વાદળ ફાટ્યુ, અચાનક આવેલા પૂરથી હોટલો અને ઘરો ડૂબ્યાં

જમ્મુ કાશ્મીરના પહલગામમાં અવુરાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી, હેઠવાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું. જોકે, નદીના કિનારે આવેલી એક હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા.

આતંકીના જનાજામાં શબ્બિર શાહ સહીતના હુરિયર્તના નેતાઓએ, ભીડને હુમલો કરવા ઉશ્કેરી હતીઃ NIAએ દાખલ કરી ચાર્જશીટ

NIA એ 1996ના શ્રીનગર હિંસા કેસ સંદર્ભે હુર્રિયત કોન્ફરન્સના છ વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ખાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એવો આરોપ છે કે 17 જુલાઈ, 1996ના રોજ આતંકવાદી હિલાલ અહેમદ બેગની અંતિમયાત્રા દરમિયાન, ભીડને પોલીસ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવી હતી અને મોટા પાયે હિંસા ભડકાવવામાં આવી હતી.

Breaking News : પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હજારો કશ્મીરી, ‘પાકિસ્તાન આર્મી, પાછા જાઓ’ના લગાવ્યા નારા, જાણો એવું તો શું થયું

પ્રદર્શનકારીઓએ પાર્લામેન્ટ સ્ક્વેરથી પાકિસ્તાન હાઇ કમિશન સુધી કૂચ કરી. કૂચ દરમિયાન, તેમણે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો અને અટકાયતમાં લેવાયેલા રાજકીય કાર્યકરોની મુક્તિની માંગ કરી.

અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ

અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.

અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા, જુઓ Video

અમરનાથ યાત્રા હવે આસ્થાની સાથે હાઇટેક સુરક્ષાનો પણ પર્યાય બની છે. 3 જુલાઈથી શરૂ થતી યાત્રા માટે જમ્મુમાં 600 સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

Breaking News : કાશ્મીરી પંડિત સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની જાગી આશા, ચાર્જશીટમાં આતંકી યાસીન મલિકનું નામ

કાશ્મીરમાં 1990ના સમયગાળામાં પંડિતો અને હિન્દુઓ વિરુદ્ધ ફાટી નીકળેલ હિંસા સમયે, શ્રીનગરની સરકારી હોસ્પિટલની નર્સ સરલા ભટ્ટનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના કેસમાં આતંકી યાસિન મલિકનુ નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે, સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની આશા જાગી છે.

Breaking News : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં વિસ્ફોટ, એકનું મોત, અનેક ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં નિયંત્રણ રેખા (LoC) નજીક શેલ બ્લાસ્ટ થયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા. પ્રાથમિક તપાસ મુજબ, જૂનો ન ફૂટેલો મોર્ટાર શેલ વિસ્ફોટનું કારણ હોઈ શકે છે.

Breaking News : જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન

જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હોવાનું જાણવા મળે છે. જોકે, ભૂકંપની તીવ્રતા અને કયા સ્થળોએ આંચકા અનુભવાયા તેની વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી.

ભારતે, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું, સિંધુ જળસંધિ છોડો, ગેરકાયદે પચાવેલી ભારતની ઘરતી પાછી સોંપવાની વાત કરો, જુઓ Video

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક શબ્દોમાં રોક્ડુ પરખાવ્યું કે, સિંધુ જળ સંધિ ભૂલી જાઓ અને ગેરકાયદે પચાવેલી ભારતની જમીન પાછી સોપો. 1960 સિંધુ સંધિને જૂની ગણાવતા, ભારતે કહ્યું કે, જે રાષ્ટ્ર આતંકવાદ ફેલાવે છે તેણે સહકારની અપેક્ષા ના રાખવી જોઈએ.

Breaking News : પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, બાલાકોટ સેક્ટરમાં LoC પર PAK આર્મીનો ગોળીબાર

જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર ફરી તણાવ વધ્યો છે. પૂંચના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી આઠ મિનિટ ગોળીબાર કરાયો.

PoJK માટે જમ્મુમાં ભાજપ ઉતર્યું મેદાને, પાકિસ્તાન વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, ભારતમાં ભેળવી દેવા કરી માંગ

જેવા સાથે તેવા ની કહેવતને સાર્થક કરતા હોય તેમ, ભાજપના કાર્યકરોએ આજે શનિવાર 13 જૂનના રોજ જમ્મુમાં દેખાવો-વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ કાશ્મીરમાં નાગરિકો-શરણાર્થીઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરોએ માંગણી કરી હતી કે, PoJK ને હવે ભારતમાં ભેળવવા માટે કેન્દ્ર સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

Nehru vs Modi: 70 વર્ષ જૂનું વચન પૂર્ણ કરવું, પાકિસ્તાન અને અલગતાવાદીઓના કાવતરાઓનો અંત લાવવો, ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો કલમ 370નો અંત?

કાશ્મીરનો મુદ્દો સ્વતંત્રતા બાદથી જ ભારત માટે સંવેદનશીલ રહ્યો છે. વર્ષો દરમિયાન અનેક રાજકીય નિર્ણયો અને સુરક્ષા નીતિઓએ પ્રદેશના ભવિષ્યને અસર કરી છે. કલમ 370ના અંત બાદ કાશ્મીરમાં આવેલા ફેરફારો અને તેના રાજકીય અર્થ પર એક વિશેષ નજર.

  • Nishat
  • Updated on: Jun 9, 2026
  • 9:24 am

Breaking News : જમ્મુ કાશ્મીરના કિશતવાડમાં બે સ્થળોએ વાદળ ફાટ્યું, તબાહીના દૃશ્યો, જુઓ Video

જમ્મુ કાશ્મીરના કિશતવાડ જિલ્લાના સરથલ અને માછીપાળ વિસ્તારોમાં એકસાથે બે વાદળ ફાટ્યા. આ ઘટનાને કારણે ભારે પૂર અને ભૂસ્ખલન થયું, હાઇવે બંધ કરાયો અને અનેક મુસાફરો ફસાયા.

કાશ્મીર જવાના હોવ તો ફ્લાઈટ ચેક કરી લેજો, શ્રીનગર એરપોર્ટને 1થી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ, જાણો કેમ લેવાયો આવો નિર્ણય

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, જમ્મુ કાશ્મીરના સૌથી વ્યસ્ત, સૈન્ય એરપોર્ટમાં સંવેદનશીલ એરપોર્ટ ગણાતા શ્રીનગર એરપોર્ટને ઓક્ટોબર મહિનામાં 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર જવા ઈચ્છતા મુસાફરોએ, બાય રોડ કે ટ્રેન મારફતે પ્રવાસ કરવાની ફરજ પડશે.

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
g clip-path="url(#clip0_868_265)">