
જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.
મોદીનો મક્કમ નિર્ધાર, કલ્પના પણ નહીં કરી હોય તે રીતે એક એકને ગોતી ગોતીને મારીશું, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે બિહારના મધુબની પહોંચ્યા હતા. અહીં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક ભાષામાં સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ ઘણી મોટી સજા મળશે. આતંકીઓને જમીનમાં દફનાવવાનો સમય આવી ગયો છે. પહેલગામમાં આતંકી હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર સંબોધન હતું.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 3:56 pm
સુની પડી શેરીઓ, બંધ દુકાનો અને ચારેબાજુ છવાયો સન્નાટો… આતંકવાદી હુમલા પછી પહેલગામની શું હાલત છે? Watch Photos
Pahalgam Photos After Attack: મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પહેલગામમાં સર્વત્ર શાંતિ છે. બૈસરન હુમલા બાદ પહેલગામની લગભગ બધી હોટલો ખાલી કરાવી દેવામાં આવી છે. આજે પ્રવાસીઓને લઈ જતું એક પણ વાહન પહેલગામમાં પ્રવેશ્યું નથી.
- Meera Kansagara
- Updated on: Apr 24, 2025
- 3:14 pm
Google Map નહીં, આતંકવાદીઓએ પહેલગામ પહોંચવા માટે આ એપનો કેમ કર્યો ઉપયોગ?
Pahalgam Attack: શું તમે લોકો જાણો છો કે આતંકવાદીઓએ પહેલગામ પહોંચવા માટે કઈ એપનો ઉપયોગ કર્યો હતો? ઘણા લોકો એવું વિચારી શકે છે કે આતંકવાદીઓ નેવિગેશન માટે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે, પરંતુ એવું નથી. આતંકવાદીઓ એક ખાસ એપનો ઉપયોગ કરે છે. આ એપ કઈ છે અને તે કેવી રીતે કામ કરે છે? તે જાણો.
- Meera Kansagara
- Updated on: Apr 24, 2025
- 3:06 pm
Pahalgam Terror Attack : રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા, સરકાર પાસે મદદની કરી માગ, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 26 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાંથી 3 ગુજરાતીઓના પણ મોત થયા હતા. પ્રાપ્તથતી માહિતી અનુસાર ગુજરાતમાંથી મોરારી બાપુની રામ કથા સાંભળવા ગયેલા લોકોમાંથી ભાવનગરના 2 વ્યક્તિ એટલે કે પિતા-પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 3:01 pm
1 ખુરશીના ચક્કરમાં થયો પહેલગામ હુમલો,પાકિસ્તાની પત્રકારે માસ્ટરમાઇન્ડનું નામ કર્યું જાહેર
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર આદિલ રાજાએ ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ખુરશીનો ખેલ ગણાવ્યો છે.આદિલ રાજાના આ ખુલાસાથી પાકિસ્તાનમાં પણ ખળભળાટ મચી ગયો છે.
- Dhinal Chavda
- Updated on: Apr 24, 2025
- 2:56 pm
Pahalgam Terror Attack : ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન, જુઓ આક્રંદનો Video
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના કાળીયાબીડમાં રહેતા પિતા-પુત્ર મોતને ભેટ્યા છે.આજે વહેલી સવારે યતીષ પરમાર અને પુત્ર સ્મિત પરમારનો મૃતદેહ વતન લવાયા હતા. હૈયાફાટ રુદનના દ્રશ્યો સામે આવ્યા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ હચમચી ઉઠ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 1:59 pm
Pahalgam Terror Attack : શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને, 2 હજારની ટિકિટના ભાવ હવે 15 હજારે પહોંચ્યા, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 1:57 pm
Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 1:36 pm
જો યુદ્ધ થાય તો ભારત સામે 10 મિનિટ પણ નહીં ટકી શકે ગદ્દાર પાકિસ્તાન ! આ છે ભારતની સૌથી મોટી તાકત
Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ સરકારને કાર્યવાહી કરવા માટે કહી રહ્યો છે. વિપક્ષ પણ સંપૂર્ણપણે સરકાર સાથે છે. દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે કે શું સરકાર ફરી એકવાર હવાઈ હુમલો કરશે? જો યુદ્ધ થયું તો ભારતની સૌથી મોટી તાકાત આ છે.
- Devankashi rana
- Updated on: Apr 24, 2025
- 1:28 pm
PM Modi: દેશની આત્મા પર હુમલો, PM મોદીનો મધુબનીમાં હુંકાર
PM Modi speech after Pahalgam attack: આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે, પીએમ મોદી બિહાર પહોંચ્યા હતા. પહેલગામ હુમલા પછી આજે પીએમ મોદીનું આ પહેલું સંબોધન છે. તેમાં તેમણે આતંકવાદી પ્રવૃતિ પર લાલ આંખ બતાવી છે. પીએમ મોદીની સાથે દેશવાસીઓનું લોહી પણ ઉકળી રહ્યું છે.
- Meera Kansagara
- Updated on: Apr 24, 2025
- 1:27 pm
બાલાકોટ પછી ભારતમાં હવાઈ હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાની એર માર્શલને મળી સજા
પાકિસ્તાનમાં એર માર્શલને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે.રિપોર્ટ મુજબ પાકિસ્તાની વાયુસેનામાં વરિષ્ઠ અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યા બાદ ભૂતપૂર્વ એર માર્શલ જવાદ સઈદની ગત્ત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન ખાનની સરકાર દરમિયાન તેમને વાયુસેનાના વડા બનવાના હતા.
- Nirupa Duva
- Updated on: Apr 24, 2025
- 1:08 pm
Breaking News : પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર કરેલા ગોળીબારનો Exclusive વીડિયો આવ્યો સામે, બોડીકેમ પહેરી આવ્યા હતા આતંકવાદી
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, આતંકવાદી હુમલાનો એક એક્સક્લુઝિવ વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તબાહી મચાવતા જોઈ શકાય છે.
- Dhinal Chavda
- Updated on: Apr 24, 2025
- 12:34 pm
Pahalgam Terror Attack : પાકિસ્તાની ક્રિકેટરને આતંકવાદી હુમલામાં પોતાના દેશની સંડોવણીની શંકા, કહ્યું પાકિસ્તાનને શરમ આવવી જોઈએ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના એક ક્રિકેટરે પોતાના દેશ પર જ સવાલો ઉઠાવ્યા છે. પોતાના દેશને આ મામલે સવાલો પણ પુછ્યા છે. સાથે કહ્યું પાકિસ્તાન જો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો તેને શરમ આવવી જોઈએ.
- Nirupa Duva
- Updated on: Apr 24, 2025
- 12:08 pm
નફ્ફટ પાકિસ્તાનને ભારતે આપશે સજા, દોઢ કરોડથી વધુ ઘરોમાં છવાશે અંધારપટ, દાણા દાણા માટે કરગરશે
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારત સરકારે બંને દેશો વચ્ચેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાન પર ટૂંક સમયમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે. પાકિસ્તાનની 80% ખેતી, જેમાં વીજળી અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે, તેના પર નિર્ભર હોવાથી, કરાર રદ કરવો તેના માટે મોટો ફટકો હશે.
- Dhinal Chavda
- Updated on: Apr 24, 2025
- 2:32 pm
ભારતે પાકિસ્તાન પર કરી ડિજિટલ સ્ટ્રાઈક ! આપ્યો પહેલગામ હુમલાનો વળતો જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કર્યું છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
- Devankashi rana
- Updated on: Apr 24, 2025
- 3:26 pm