જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.
Read MoreTrending Video: રીલ બનાવવાના ચક્કરમાં નદીમાં ઉતારી દીધી SUV, આગળ જે થયું તે જોઈને હોશ ઊડી જશે
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં લોકો ઘણીવાર પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં એક કારચાલકે પોતાની એસયુવી કારને ધસમસતા નદીના પાણીમાં ઉતારી દીધી હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે, કાર નદીની વચ્ચે જ ફસાઈ ગઈ અને તેમાં સવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા.
- Ravi Prajapati
- Updated on: Sep 14, 2026
- 8:20 pm
Breaking News : NIAની કાશ્મીરમાં મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાની આતંકવાદી પ્રવુતિ સામે 10 સ્થળોએ દરોડા
NIA એ જમ્મુ-કાશ્મીરમાં 10 સ્થળોએ પ્રતિબંધિત LeT આતંકવાદી સંગઠન સામે મોટા દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પાકિસ્તાન સ્થિત LeT હેન્ડલર્સ અને તેમના સ્થાનિક OGWs દ્વારા આચરવામાં આવેલ સરહદ પારના આતંકવાદી કાવતરાની તપાસનો ભાગ છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2026
- 7:18 am
Breaking News: કુપવાડામાં હિઝબુલ મુજાહિદ્દીનનો ‘હાઇબ્રિડ આતંકવાદી’ ઝડપાયો, સુરક્ષાબળોએ ચાઇનીઝ પિસ્તોલ અને કારતૂસ સાથે કરી ધરપકડ
સામાન્ય નાગરિકોની જેમ જીવીને ગુપ્ત રીતે આતંકી ષડયંત્ર રચતા એવા ખતરનાક ચહેરાનો પર્દાફાશ થયો છે જેના પર કોઈને શંકા પણ ન જાય! સુરક્ષાબળોએ વિશેષ ઓપરેશન પાર પાડીને આખરે કોને ઝડપી પાડ્યો અને તેની પાસેથી કયા ઘાતક હથિયારો મળી આવ્યા? વાંચો જમ્મુ-કાશ્મીર પોલીસનો સનસનાટીભર્યો ખુલાસો.
- Sachin Agrawal
- Updated on: Sep 9, 2026
- 6:19 pm
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ‘ઓપરેશન અશદર’ સફળ: 5 મોટા આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકવાદી યાસિર ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 3 દિવસ ચાલેલા 'ઓપરેશન અશદર' એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી યાસિર માર્યો ગયો છે. તે ડેરા કી ગલી અને પૂંછમાં વાયુસેનાના કાફલા પર થયેલા હુમલા સહિત 5 મોટા આતંકી ષડયંત્રોમાં સામેલ હતો.
- Sachin Agrawal
- Updated on: Sep 5, 2026
- 9:54 pm
Breaking News : નવી મુંબઈથી શ્રીનગર એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ સાથે મોટી ઘટના, પાર્કિંગમાં રહેલા થાંભલા સાથે અથડાઈ, જુઓ Photos
નવી મુંબઈથી શ્રીનગર એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ સાથે દુર્ઘટના બની છે. વિમાન પાર્કિંગના થાંભલા સાથે અથડાયું. આ ઘટના આજે સવારે 9 વાગ્યે બની. વિમાન રનવે પાસે સ્થિત વિઝ્યુઅલ ડોકિંગ ગાઈડન્સ સિસ્ટમ સાથે અથડાયું.
- Sagar Solanki
- Updated on: Sep 4, 2026
- 3:03 pm
અશ્લીલ એપ્લિકેશન અને સિક્રેટ ચેટ.. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નવી ડિજિટલ સાજિશ
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ હવે ડિજિટલ માધ્યમોથી સંચાર કરી રહ્યા છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ, એન્ક્રિપ્ટેડ એપ્સ, VPN અને Tor નેટવર્કનો ઉપયોગ કરીને ગુપ્ત સૂચનાઓ આપે છે અને ભરતી કરે છે.
- Sagar Solanki
- Updated on: Aug 30, 2026
- 8:38 pm
પાકિસ્તાને જ્યાં અણુશસ્ત્રો સંતાડ્યા છે તે કિરાણા હિલ્સ પર ભારતે ઓપરેશન સિંદૂર વખતે હૂમલો કર્યો હતો ? પૂર્વ CDSએ ખોલ્યું રહસ્ય
ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' અગાઉની લશ્કરી કાર્યવાહીથી કેમ અને કેટલુ અલગ હતું, કારણ કે વ્યૂહરચના અંગે કોઈ અનિશ્ચિતતા કે ખચકાટ નહોતો. જ્યારે ભારતે ઉરી હુમલા પછી જમીન-આધારિત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પુલવામા પછી મોટા લશ્કરી દળને સામેલ કરીને હવાઈ હુમલાનો વિકલ્પ પસંદ કર્યો હતો
- Bipin Prajapati
- Updated on: Aug 26, 2026
- 2:38 pm
Breaking News : 28 વર્ષ બાદ ફરી ખુલી વંધામા હત્યાકાંડની ફાઇલ, 23 કાશ્મીરી પંડિતોની સામૂહિક હત્યાની થશે તપાસ
જમ્મુ-કાશ્મીરના વંધામા ગામમાં 1998માં 23 કાશ્મીરી પંડિતોની હત્યાનો કેસ 28 વર્ષ બાદ ફરી તપાસ હેઠળ છે. SIA દ્વારા આ જૂના હત્યાકાંડની તપાસ શરૂ કરાઈ છે, જે અગાઉ અનટ્રેસ્ડ જાહેર કરાયો હતો.
- Sagar Solanki
- Updated on: Aug 24, 2026
- 5:22 pm
સાબરમતીથી જમ્મુ તવી જતી ટ્રેન નં.19223, 18 ઓક્ટોબરથી કટરા સુધી દોડશે, વૈષ્ણૌદેવીની યાત્રા કરનારાઓને થશે ફાયદો
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનેથી દોડતી જમ્મુ તવી ટ્રેનને હવેથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી 18મી ઓક્ટોબરથી સાબરમતી અને જમ્મુ તવીને બદલે સાબરમતી અને માતા વૈષ્ણોદેવી કટરા સુધી દોડશે. આ ઉપરાંત 25મી ઓક્ટોબરથી જ ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 24 ઓક્ટોબરથી ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- Bipin Prajapati
- Updated on: Aug 19, 2026
- 4:55 pm
Sarfaraz Khan: કાશ્મીરમાં કરી ખાસ ટ્રેનિંગ, 17 કિલો વજન ઘટાડ્યું, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ સરફરાઝ ખાને હાર માની નહીં અને પોતાની રમત સુધારવા માટે સખત મહેનત શરૂ કરી. આ દરમિયાન તે ખાસ ટ્રેનિંગ માટે કાશ્મીર પણ ગયો હતો. ત્યાં તેણે લાંબા સમય સુધી બેટિંગનો અભ્યાસ કર્યો. હવે તેની મહેનત રંગ લાવી છે અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં તેની વાપસી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Aug 10, 2026
- 8:05 pm
Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા પર બ્રેક ! 9 ઓગસ્ટથી યાત્રા કરાઈ સ્થગિત, જાણો કારણ
અમરનાથ યાત્રા નિર્ધારિત તારીખ પહેલાં અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદનવારી (અનંતનાગ) અને બાલતાલ (ગંદરબલ) રૂટ દ્વારા યાત્રા 9 ઓગસ્ટથી સ્થગિત કરવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Aug 9, 2026
- 10:09 am
Breaking News: આતંકવાદ સામે ‘મોટી કાર્યવાહી’! સોશિયલ મીડિયાથી યુવાનોને ભટકાવવાનું કાવતરું ખુલ્લું પડ્યું, સુરક્ષા દળોએ સેકંડોમાં કર્યો ‘પર્દાફાશ’
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા એજન્સીઓએ મોટો સકંજો કસ્યો છે. પહાડો બાદ હવે મોબાઇલ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેઇનવોશ કરી ડિજિટલ રેડિકલાઇઝેશન ફેલાવતા મોટા મોડ્યુલનો પર્દાફાશ થયો છે.
- Ravi Prajapati
- Updated on: Aug 8, 2026
- 5:12 pm
ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહનું સ્થાન લેનાર જમ્મુ અને કાશ્મીરના આકિબ નબીની કુલ સંપત્તિ કેટલી છે?
જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર આકિબ નબીને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને પસંદ થયેલા આકિબની ચર્ચા હવે તેની બોલિંગ સાથે સાથે તેની કમાણી અને નેટવર્થને લઈને પણ થઈ રહી છે. IPLમાં મળેલા મોટા કોન્ટ્રાક્ટ બાદ તેની કમાણીમાં મોટો વધારો થયો છે.
- Smit Chauhan
- Updated on: Aug 3, 2026
- 8:31 pm
Duleep Trophy 2026: શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન
દુલીપ ટ્રોફી 2026 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટ માટે નોર્થ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો કન્હૈયા વાધવન કરશે. ચાલો જાણીએ કોણ છે ખેલાડી.
- Smit Chauhan
- Updated on: Aug 3, 2026
- 5:45 pm
Breaking News : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર, BCCIએ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી
Auqib Nabi replaces Jasprit Bumrah : આકિબ નબી,શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહના રિપ્લેસ કરશે, તેમના ઘરેલું ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે.
- Nirupa Duva
- Updated on: Aug 3, 2026
- 11:37 am