જમ્મુ કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.
Read MoreBreaking News : 28 વર્ષ બાદ ફરી ખુલી વંધામા હત્યાકાંડની ફાઇલ, 23 કાશ્મીરી પંડિતોની સામૂહિક હત્યાની થશે તપાસ
જમ્મુ-કાશ્મીરના વંધામા ગામમાં 1998માં 23 કાશ્મીરી પંડિતોની હત્યાનો કેસ 28 વર્ષ બાદ ફરી તપાસ હેઠળ છે. SIA દ્વારા આ જૂના હત્યાકાંડની તપાસ શરૂ કરાઈ છે, જે અગાઉ અનટ્રેસ્ડ જાહેર કરાયો હતો.
- Sagar Solanki
- Updated on: Aug 24, 2026
- 5:22 pm
સાબરમતીથી જમ્મુ તવી જતી ટ્રેન નં.19223, 18 ઓક્ટોબરથી કટરા સુધી દોડશે, વૈષ્ણૌદેવીની યાત્રા કરનારાઓને થશે ફાયદો
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનેથી દોડતી જમ્મુ તવી ટ્રેનને હવેથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી 18મી ઓક્ટોબરથી સાબરમતી અને જમ્મુ તવીને બદલે સાબરમતી અને માતા વૈષ્ણોદેવી કટરા સુધી દોડશે. આ ઉપરાંત 25મી ઓક્ટોબરથી જ ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 24 ઓક્ટોબરથી ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- Bipin Prajapati
- Updated on: Aug 19, 2026
- 4:55 pm
Sarfaraz Khan: કાશ્મીરમાં કરી ખાસ ટ્રેનિંગ, 17 કિલો વજન ઘટાડ્યું, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ સરફરાઝ ખાને હાર માની નહીં અને પોતાની રમત સુધારવા માટે સખત મહેનત શરૂ કરી. આ દરમિયાન તે ખાસ ટ્રેનિંગ માટે કાશ્મીર પણ ગયો હતો. ત્યાં તેણે લાંબા સમય સુધી બેટિંગનો અભ્યાસ કર્યો. હવે તેની મહેનત રંગ લાવી છે અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં તેની વાપસી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Aug 10, 2026
- 8:05 pm
Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા પર બ્રેક ! 9 ઓગસ્ટથી યાત્રા કરાઈ સ્થગિત, જાણો કારણ
અમરનાથ યાત્રા નિર્ધારિત તારીખ પહેલાં અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદનવારી (અનંતનાગ) અને બાલતાલ (ગંદરબલ) રૂટ દ્વારા યાત્રા 9 ઓગસ્ટથી સ્થગિત કરવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Aug 9, 2026
- 10:09 am
Breaking News: આતંકવાદ સામે ‘મોટી કાર્યવાહી’! સોશિયલ મીડિયાથી યુવાનોને ભટકાવવાનું કાવતરું ખુલ્લું પડ્યું, સુરક્ષા દળોએ સેકંડોમાં કર્યો ‘પર્દાફાશ’
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષા એજન્સીઓએ મોટો સકંજો કસ્યો છે. પહાડો બાદ હવે મોબાઇલ અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેઇનવોશ કરી ડિજિટલ રેડિકલાઇઝેશન ફેલાવતા મોટા મોડ્યુલનો પર્દાફાશ થયો છે.
- Ravi Prajapati
- Updated on: Aug 8, 2026
- 5:12 pm
ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહનું સ્થાન લેનાર જમ્મુ અને કાશ્મીરના આકિબ નબીની કુલ સંપત્તિ કેટલી છે?
જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર આકિબ નબીને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને પસંદ થયેલા આકિબની ચર્ચા હવે તેની બોલિંગ સાથે સાથે તેની કમાણી અને નેટવર્થને લઈને પણ થઈ રહી છે. IPLમાં મળેલા મોટા કોન્ટ્રાક્ટ બાદ તેની કમાણીમાં મોટો વધારો થયો છે.
- Smit Chauhan
- Updated on: Aug 3, 2026
- 8:31 pm
Duleep Trophy 2026: શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન
દુલીપ ટ્રોફી 2026 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટ માટે નોર્થ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ શુભમન ગિલની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરનો કન્હૈયા વાધવન કરશે. ચાલો જાણીએ કોણ છે ખેલાડી.
- Smit Chauhan
- Updated on: Aug 3, 2026
- 5:45 pm
Breaking News : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર, BCCIએ જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત કરી
Auqib Nabi replaces Jasprit Bumrah : આકિબ નબી,શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહના રિપ્લેસ કરશે, તેમના ઘરેલું ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે.
- Nirupa Duva
- Updated on: Aug 3, 2026
- 11:37 am
Breaking News : કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર, એકનું મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો, જેમાં એકનું મોત અને એક ઘાયલ થયો. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
- Sagar Solanki
- Updated on: Jul 31, 2026
- 10:50 pm
મુસ્લિમ નેતા, JK ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલા, પંજાબી પત્નિ પાયલને આપશે તલ્લાક
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચે છૂટાછેડા અંગે એક કરાર થયો છે. સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે બંને પક્ષો વચ્ચેના તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 31, 2026
- 7:01 pm
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધસમસતા પૂરથી ભારે વિનાશ, 200થી વધુ કાર રમકડાની માફક તણાઈ, જુઓ Video
રાજૌરી, અનંતનાગ અને ઉધમપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો થયા પછી, આશરે 200 થી 250 જેટલી ગાડીઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. આ દ્રશ્ય એક વીડિયોમાં કેદ થયું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Bipin Prajapati
- Updated on: Jul 19, 2026
- 10:32 am
Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા, આગામી દિવસો માટે જાહેર કરાયેલ પ્રતિકૂળ હવામાનની ચેતવણીને પગલે, આજે 19 જુલાઈથી વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથની યાત્રા, સાવચેતીના પગલા તરીકે અચોક્કસ સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 19, 2026
- 8:53 am
અમરનાથ યાત્રામાં અનોખો પ્રયોગ: 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ
5 લાખથી વધુ શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અમરનાથ યાત્રામાં આ વખતે ઇકો-ફ્રેન્ડલી મોડલ અપનાવાયું છે. ખચ્ચરના છાણમાંથી બાયોગેસ અને પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે લેવાયેલા અનોખા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jul 18, 2026
- 7:25 pm
CM ઉમર અબ્દુલ્લાના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ) વાળા નિવેદન પર ભડકી BJP, મોકલી 100 કરોડની નોટિસ
જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લાએ ભાજપ પર 'ઓપરેશન લોટસ' હેઠળ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર આપીને સરકાર તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ નિવેદનથી નારાજ થયેલી BJPએ હવે સીએમ સામે મોટું કાનૂની પગલું ભર્યું છે. ભાજપે ઉમર અબ્દુલ્લા પાસે કઈ મોટી માંગ કરી છે અને આ વિવાદ પાછળની અસલી કહાની શું છે?
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 4:52 pm
અમરનાથ યાત્રા સમયે જ, પહેલગામ-શાંગુસમાં વાદળ ફાટ્યુ, અચાનક આવેલા પૂરથી હોટલો અને ઘરો ડૂબ્યાં
જમ્મુ કાશ્મીરના પહલગામમાં અવુરાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી, હેઠવાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું. જોકે, નદીના કિનારે આવેલી એક હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા.
- Bipin Prajapati
- Updated on: Jul 12, 2026
- 1:58 pm