AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.

Read More

Breaking News : જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક 5 પાકિસ્તાની ડ્રોન દેખાયા, ભારતીય સેનાએ કર્યું ફાયરિંગ, જુઓ Video

પ્રજાસત્તાક દિન પૂર્વે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિમાં તીવ્ર વધારો થયો છે. LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાંચથી વધુ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મા તો મા હોય… એક શહીદની માતાનો અત્યંત ભાવુક કરી દેનારો વીડિયો, વ્હાલસોયાને ઠંડીથી બચાવવા પુત્રની મૂર્તિને ઓઢાડી આવી બ્લેન્કેટ- Video

જમ્મુ કાશ્મીરમાં એક શહીદની માતાનો અત્યંત ભાવુક કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. દેશની સરહદની સુરક્ષા કરી રહેલો એક જવાન આતંકીઓ સામે લડત લડતા વીરગતિને પામ્યો. તેનુ નામ કોન્સ્ટેબલ ગુરનામ સિંહ હતુ. આ શહીદની માતાએ તેના પૂત્રને કડકડતી ઠંડીમાં બચાવવા માટે તેની મૂર્તિને બ્લેન્કેટ ઓઢાડ્યુ છે. જે એક માતાનું વ્હાલસોયા દીકરા પ્રત્યેનું વાત્સલ્ય બતાવે છે.

Breaking News: આતંકવાદી દેશની અવળચંડાઈ! પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ડ્રોને સાંબામાં દારૂગોળો ફેંક્યો, BSF એ કર્યો જપ્ત

Breaking News: જમ્મુ અને કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનથી આવેલા એક શંકાસ્પદ ડ્રોન દ્વારા શસ્ત્રો અને દારૂગોળો ફેંકવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ઝડપથી કાર્યવાહી કરી અને બે પિસ્તોલ, એક ગ્રેનેડ અને 16 રાઉન્ડ દારૂગોળો જપ્ત કર્યો. જેની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

Breaking News : જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટર, જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ ઘેરામાં ઘેરાયા

જમ્મુ અને કાશ્મીરના કઠુઆના બિલ્લાવર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ સુરક્ષાદળે રચેલા ઘેરામાં ઘેરાઈ ગયાની આશંકા છે.

શ્રી માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજની માન્યતા રદ! મેડિકલ વિદ્યાર્થીઓને બીજી કોલેજમાં ટ્રાન્સફર કરવાનો આદેશ

જમ્મુની પ્રતિષ્ઠિત શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સ (SMVDIME) ની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. NMC ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB) એ 2025-26 શૈક્ષણિક વર્ષ માટે MBBS કોર્સની મંજૂરી (Letter of Permission – LoP) પાછી ખેંચી લીધી છે.

રહેવાનું ભારતમાં, રમવાનું પણ ભારતમાં, પરંતુ ગુણગાન ગાવાના પેલેસ્ટાઈનના ! વિવાદ સર્જાતા ક્રિકેટર પર લદાયો પ્રતિબંધ

જમ્મુ ખાતે, જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગ (JKPL) મેચ રમાઈ રહેલ છે. આ મેચ દરમિયાન, ક્રિકેટર ફુરકાન ભટને, તેના હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ પ્રદર્શીત કરવા બદલ ગંભીર પરિણામોનો સામનો કરવો પડ્યો. આ ઘટના બાદ, ક્રિકેટર ફુરકાન ભટ પર નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે.

તલાક માગી રહેલી પત્નીને મનાવવા આરોપીએ માગ્યા જામીન, અમદાવાદની કોર્ટે અરજી ફગાવી

જમ્મુકાશ્મીરના એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તે NIAની કસ્ટ઼ડીમાં છે. આ શખ્સ પર ડ્રગ્સની તસ્કરીનો આરોપ છે. તેણે જેલમાંથી બહાર આવવા માટે 30 દિવસની પેરોલ માગી અને તેના માટે છૂટાછેડા માગી રહેલી પત્નીને મનાવવાનું કારણ ધર્યુ હતુ,

જમ્મુ-કાશ્મીર : ખૂબ જ અદભૂત નજારો…ગુલમર્ગમાં હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ, જુઓ Video

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં અદ્ભુત હિમવર્ષા જોવા મળી રહી છે. ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે આ વિસ્તાર શિયાળુ સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. આ મનોહર દ્રશ્યો પ્રવાસીઓ માટે ખુશી લઈને આવ્યા છે, અને આવનારા દિવસોમાં વધુ પ્રવાસીઓ ગુલમર્ગની મુલાકાત લે તેવી શક્યતા છે.

Travel Tips : ડિસેમ્બરમાં રજાઓ લઈ ઓછા બજેટમાં ગર્લફ્રેન્ડ સાથે આ બરફીલા પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી લો

શિયાળામાં ભારતના કેટલાક સ્થળો પર ખુબ જ મોટી સંખ્યામાં સ્નોફ્લો જોવા મળે છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવાનો પણ પ્લાન બનાવતા હોય છે. ત્યારે તમે પણ ડિસેમ્બરમાં રજાઓ લઈ ગર્લફ્રેન્ડ સાથે આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

LoC પાર મોકલવામાં આવતા માલ પર ‘ટેક્સ ફ્રી’ની માગ ફગાવાઈ, કોર્ટે કહ્યું – PoK ભારતનો ભાગ છે, આ આંતરરાષ્ટ્રીય વેપાર નથી

જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, PoK ભારતનો ભાગ છે અને તેથી જમ્મુ અને કાશ્મીરમાંથી LoC પારનો વેપાર આંતરરાષ્ટ્રીય નહીં પરંતુ આંતરિક રાજ્ય વેપાર છે. 2017-19માં GST ચૂકવવામાં નિષ્ફળ રહેલા વેપારીઓ નોટિસ મળ્યા બાદ કોર્ટમાં ગયા હતા. કોર્ટે અરજીઓ ફગાવી દીધી હતી.

અસલી પશ્મીના શાલની કિંમત કેટલી છે? તેની ખાસિયત જાણીને તમને નવાઈ લાગશે

પશ્મીના શાલ એટલે કે એવું કહેવાય છે કે તેને હાથમાં રાખવાથી વાદળને સ્પર્શ કરવા જેવું લાગે છે. એટલું નરમ, એટલું હળવું અને એટલું ગરમ ​​કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે ફક્ત કાપડ છે.

Breaking News : જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર SAI ની રેડ, AK-47 ગોળીઓ અને પિસ્તોલ મળી

રાજ્ય તપાસ એજન્સી (SIA) એ જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર દરોડો પાડ્યો. AK-47 ગોળીઓ, એક પિસ્તોલ અને ગ્રેનેડ લિવર મળી આવ્યા. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી અને આતંકવાદી વિચારધારાઓને ટેકો આપવાના આરોપસર આ દરોડો પાડવામાં આવ્યો.

Breaking News : દિલ્હીનો હુમલો અમે કરાવ્યો, પીઓકેના ભૂતપૂર્વ વડા પ્રધાને કરી કબૂલાત, જૂઓ વીડિયો

દિલ્હી વિસ્ફોટ અંગે પાકિસ્તાનમાં એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને જબરજસ્તીથી પચાવી પાડેલા ભારતના કાશ્મીરના એક ભાગના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકનો એક વીડિયો વાયરલ સ્વરૂપે સામે આવ્યો છે. આ વીડિયોમાં તે દિલ્હી-કાશ્મીરના વિસ્ફોટમાં પાકિસ્તાનનો સીધો હાથ હોવાની વાત કરે છે. દિલ્હીના લાલ કિલ્લાના વિસ્ફોટની તપાસ કરતી, કેન્દ્રીય એજન્સીઓએ અત્યાર સુધી પુષ્ટિ કરી છે કે આ હુમલો જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) મોડ્યુલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Breaking News : દિલ્હી બ્લાસ્ટની તપાસ આડેપાટે ચડાવવા આતંકીઓએ નૌગામ પોલીસ સ્ટેશને ધડાકો કર્યો ?

છેલ્લા બે અઠવાડિયાથી, બોનપોરામાં જૈશ દ્વારા પોલીસને ધમકી આપતા પોસ્ટરો બહાર આવ્યા હતા. જે બાદ આ ઘટના અંગ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનું મુખ્ય કેન્દ્ર નૌગામ પોલીસ સ્ટેશનને હતું. પરંતુ તે શુક્રવારે રાત્રે બ્લાસ્ટ થવાથી કાટમાળમાં ફેરવાઈ ગયું છે.

Breaking News : ફરીદાબાદમાં જપ્ત કરાયેલા વિસ્ફોટક સામગ્રીના નમૂના લેતી વખતે નૌગામ પોલીસ સ્ટેશનમાં ભયંકર બ્લાસ્ટ, 9ના મોત, 30 ઘાયલ

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન પરિસરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો વિસ્ફોટ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરીદાબાદમાં જપ્ત કરાયેલા વિસ્ફોટક સામગ્રીના નમૂના લેતી વખતે થયેલા આકસ્મિક વિસ્ફોટમાં નવ લોકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ પોલીસકર્મી અને એક નાગરિકનો સમાવેશ થાય છે. વિસ્તારમાંથી મળેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટ પછી ધુમાડો અને જ્વાળાઓ હવામાં ફેલાઈ ગઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">