AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત

ગુજરાત

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.

ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.

ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.

 

Read More

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક, કારના બોનેટમાં છુપાવેલા હતા નોટાના 42 બંડલ,પોલીસે IT વિભાગને કરી જાણ

અરવલ્લી જિલ્લાના રતનપુર ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક કારમાંથી ₹1.5 કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે. શામળાજી પોલીસ દ્વારા હાથ ધરાયેલા નિયમિત વાહન ચેકિંગ અભિયાન દરમિયાન આ સફળતા મળી હતી.

Surat : સુરત એરપોર્ટ પર મુસાફરના કપડાંમાંથી વરસ્યો ડાયમંડનો વરસાદ ! દાણચોરીના ડોલર અને ડાયમંડ જપ્ત કરાયા, જુઓ Video

એરપોર્ટ પર અવારનવાર દાણચોરીનો પર્દાફાશ થતો હોય છે. વિદેશમાંથી આવતા કેટલાક લોકો સોનું, ડાયમંડની દાણચોરી કરતા હોય છે. ત્યારે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે,

Breaking News : જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ, 1.26 કરોડનો દંડ ફટકાર્યો, જુઓ Video

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલનો પર્દાફાશ વારંવાર થતો હોય છે. ત્યારે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે. જામનગરની ઓશવાલ આયુષ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે.

અમદાવાદીઓ માટે માઠા સમાચાર! ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ લાંબો સમય રહી શકે છે બંધ, IIT રૂડકી દ્વારા કરવામાં આવશે તપાસ, જુઓ Video

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે તાત્કાલિક અસરથી બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઘટનાને પગલે IIT રૂડકી દ્વારા બ્રિજના તમામ છ સ્પાનની ઉંડાણપૂર્વક અને સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

Junagadh : ધારાસભ્યના સંજય કોરડિયાના ફેક ફેસબુક એકાઉન્ટમાં લોગીન એક્ટિવિટી પાકિસ્તાનથી થયાનો ખુલાસો, જુઓ Video

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે બનેલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો મામલો સામે આવ્યો છે. આ ફેક આઈડીની લોગિન એક્ટિવિટી પાકિસ્તાનથી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ મુદ્દે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Valsad : પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 6થી વધારે ફાયરની ટીમ ઘટનાસ્થળે, જુઓ Video

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત વલસાડના પારડી ખાતે ભયંકર આગ લાગવાની ઘટના બની છે. વલસાડના પારડીના ઉમરસાડી ખાતે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઇન્ડિગો સંકટ વચ્ચે આજે પણ અનેક ફ્લાઇટ રદ, અમદાવાદ એરપોર્ટ પર અટવાયા અનેક મુસાફરો, Videoમાં જુઓ લાગણીસભર દ્રશ્યો

ઇન્ડિગો એરલાઇન્સના સંકટને કારણે આજે પણ અનેક ફ્લાઇટો રદ થતા અમદાવાદ એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. ફ્લાઇટો રદ થવાને કારણે અનેક મુસાફરો અટવાઈ ગયા છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજનું હવામાન : અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી, જુઓ Video

ઓક્ટોબર બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે.

06 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં AMC એ બોલાવી તવાઈ, 5 હોસ્પિટલ અને નર્સિંગ હોમ, 3 સિનેમાગૃહને કરાયા સીલ

આજે 06  ડિસેમ્બરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, પોરબંદર, દ્વારકાના ખેડૂત મુદ્દે શક્તિસિંહે સરકારને ઘેરી- જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું  કે દિવાળી પછીના વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ- Video

જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સભામાં ભારે હંગામો મચી ગયો હતો. સભામાં હાજર લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે તુરંત જૂતું ફેંકનારની અટકાયત કરી હતી.

Breaking News: ગોંડલના ચકચારી રાજકુમાર જાટના મોત કેસમાં જયરાજ સિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો કરાશે નાર્કો ટેસ્ટ

ગોંડલ બહુચર્ચિત અને ચકચારી એવા રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં તપાસ કરી રહેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જ્યારે આરોપી ગણેશ ગોંડલે  પણ નાર્કો માટે સહમતી દર્શાવી છે.

એરલાઈન કંપનીઓએ આફતમાં શોધ્યો અવસર, ફ્લાઈટો રદ્દ થવાની સમસ્યા વચ્ચે કંપનીઓએ ઍરફેરમાં કર્યો 5થી10 ગણો તોતિંગ વધારો

દેશભરમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરો હાલ રઝળી પડ્યા છે. અચાનક ફ્લાઈટ્સ રદ થવાને કારણે અનેક સંખ્યાબંધ મુસાફરો અટવાયા છે અને તેમના સમયસર તેમના ગંતવ્યસ્થાને પહોંચી ન શક્યાનો અફસોસ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે હવે ઍરલાઈન કંપનીઓને પણ જાણે કમાઈ લેવાનું સૂઝ્યુ છે અને આફતમાં અવસર મળ્યો હોય તેમ ઍરફેરમાં 5 થી 10 ગણો વધારો કરી દીધો છે.

Breaking News : ગુજરાત બોર્ડનો મોટો છબરડો, ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી

ગુજરાત બોર્ડ દ્વારા ધુળેટીના દિવસે પરીક્ષા ગોઠવવાનો ફરી એક છબરડો સામે આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 4 માર્ચે વિવિધ વિષયોના પેપરો જાહેર રજાના દિવસે રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી છે.

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ, વડોદરા અને રાજકોટની પણ અનેક ફ્લાઇટો રદ થતા અટવાયા મુસાફરો,જુઓ Video

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ગુજરાતના વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા અનેક પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી અને ફ્લાઇટ અંગે યોગ્ય માહિતી ન મળતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">