ગુજરાત
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.
ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.
ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.
Read More
Breaking News : 6,000 કરોડના ડ્રગ્સ કેસનો કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયા દુબઈથી ભારત લાવવામાં આવ્યો
₹6,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયાને UAEથી ભારત લાવવામાં આવ્યો છે. NCBએ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 10:20 pm
આનંદ નિકેતન સ્કૂલ વિવાદ, રાષ્ટ્રગાન અને પુસ્તકોના આક્ષેપો પર બજરંગ દળનો ઉગ્ર વિરોધ, જુઓ Video
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદમાં આવી છે, જ્યાં બજરંગ દળે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સ્કૂલ મેનેજમેન્ટ પર રાષ્ટ્રગાન બંધ કરવા અને વાલીઓને ચોક્કસ પુસ્તકો ખરીદવા દબાણ કરવાનો આરોપ છે.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 10:09 pm
ગુજરાતમાં ટ્રાફિક ચલણના નવા નિયમો, જાણો DL-RC પર શું અસર થસે..
ગુજરાતમાં 12 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ટ્રાફિક ચલણ સિસ્ટમ શરૂ થઇ છે. હવે ચલણ મળ્યાના 75 દિવસમાં રકમ ભરવી પડશે, જ્યારે પડકારવા માટે 45 દિવસનો સમય મળશે. નિયત સમયમાં ચુકવણી ન થતાં ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન સંબંધિત સેવાઓ સ્થગિત કરાશે.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 9:54 pm
સુરત: ઔદ્યોગિક નીતિ-2026ની જાહેરાત છતા સરકારી GR અદ્ધરતાલ, અબજો રૂપિયાના પ્રોજેક્ટ લટકી પડ્યા
સુરતમાં ઔદ્યોગિક નીતિ 2026ના સરકારી ઠરાવ (GR) ને લઈને ઉદ્યોગ જગતમાં વ્યાપક મૂંઝવણ જોવા મળી રહી છે. નીતિની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, સરકારી GR હજુ સુધી બહાર ન પડતાં અબજો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 14, 2026
- 9:46 pm
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, ખેતીવાડી વિભાગે 400 થેલીઓ કરી જપ્ત
દાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ થયો છે. મહેન્દ્રા ચોકડી નજીકના એક ગોડાઉન પર ખેતીવાડી વિભાગે દરોડો પાડી 400 થેલી DAP ખાતર જપ્ત કર્યું. અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘના ગોડાઉનમાંથી આ જથ્થો મળતા તંત્રએ ગોડાઉન સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 14, 2026
- 9:33 pm
ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે મોટા સમાચાર, રતનમહાલમાં વાઘના કાયમી વસવાટની પુષ્ટિ
પંચમહાલના રતનમહાલ જંગલમાં વાઘના કાયમી વસવાટની પુષ્ટિ થઈ છે, જે ગુજરાત માટે ગર્વની વાત છે. વાઘ 120 કિલોમીટરના વિસ્તારમાં હિલચાલ કરી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 14, 2026
- 9:38 pm
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો, બોર બનાવવાની કામગીરીમાં બેદરકારીનો આરોપ
સુરતમાં કેચ ધ રેઇન અભિયાન હેઠળ બનેલા વોટર હાર્વેસ્ટિંગ બોરવેલ વિવાદમાં છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ 39માંથી 20થી વધુ બોર વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 14, 2026
- 9:02 pm
ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિકાસ એ જ વિકસિત ગુજરાતનો પાયો, 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે રાજ્યના વિકાસલક્ષી ભવિષ્યનો સંદેશ આપ્યો. તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 7:56 pm
“પહેલી વાત તો એ કે રેગિંગ થયુ જ નથી..” સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર અનુજ મહેશ્વરીનો દાવો
સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર ડૉ. અનુજ મહેશ્વરીએ દાવો કર્યો છે કે તેમના દ્વારા કે તેમના સહસાથીઓ દ્વારા જુનિયર સાથે રેગિંગ કરાયુ જ નથી. રેગિંગ જેવી કોઈ ઘટના બની જ નથી.
- Mina Pandya
- Updated on: Aug 14, 2026
- 8:10 pm
Breaking News : અમદાવાદ પોલીસે મહિલાઓ માટે શરૂ કર્યું ‘મિશન સાયબર રક્ષિકા’, 8 આરોપીઓની ધરપકડ
અમદાવાદ પોલીસે મહિલાઓને ઓનલાઈન ઉત્પીડન અને સાયબર બુલિંગથી સુરક્ષિત રાખવા ‘મિશન સાયબર રક્ષિકા’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ એક વિશેષ સાયબર રક્ષિકા સ્ક્વોડની રચના કરાઈ છે, જે મહિલાઓની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરશે.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 7:25 pm
બે દિવસમાં બે વાર… કાલોલમાં પીવાના પાણીમાંથી પશુના હાડકાં મળ્યા, તંત્રની સુરક્ષા સામે ઊઠ્યા સવાલો – જુઓ Video
પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાંથી ફરી પશુઓના હાડકાં મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સફાઈ બાદ પણ બે દિવસમાં બીજીવાર હાડકાં મળ્યા છે. કાલોલ ચીફ ઓફિસરે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકો નગરપાલિકાની બેદરકારી અને સુરક્ષાના અભાવ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Aug 14, 2026
- 6:50 pm
Breaking News : કચ્છમાં ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં, જુઓ Video
કચ્છના ખાવડા વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ કચ્છથી 42 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું છે.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 6:21 pm
Trending Video: 30 મિનિટ… સાક્ષાત મોતના મુખમાં! ગુજરાતમાં સિંહણના સકંજામાં ફસાયો ‘શખ્સ’, આ રીતે બચાવ્યો ‘પોતાનો જીવ’
સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. બસ આવો જ એક વીડિયો તાજેતરમાં ગુજરાતમાંથી સામે આવ્યો છે, જેને જોઈને ભલભલાના રૂવાંડાં ઊભા થઈ ગયા છે. અહીં એક શખ્સ અચાનક સિંહણની સામે આવી ગયો અને સિંહણે તેને પકડી લીધો. ત્યારબાદ, જે થયું એ ખરેખરમાં હૃદયના ધબકારા વધારી દે તેવો 'નજારો' છે.
- Ravi Prajapati
- Updated on: Aug 14, 2026
- 5:27 pm
વડોદરાના રસ્તાઓની થશે કાયાપલટ, RCC રોડ પ્રોજેક્ટને કારણે ખાડામુક્ત ભવિષ્ય તરફ આવશે કાયમી ઉકેલ?
વડોદરામાં ખાડારાજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ૨૬ મુખ્ય માર્ગોને RCC રોડમાં પરિવર્તિત કરવાની કવાયત શરૂ થઈ છે. આશરે ₹300 કરોડના ખર્ચે 25 કિલોમીટરના રસ્તાઓ બનાવવાના છે.
- Sagar Solanki
- Updated on: Aug 14, 2026
- 5:12 pm
“ઘરમાં જુગાર રમવો એ ગુનો નથી બનતો જો તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય” – ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા નોંધ્યુ છે કે ઘરમાં જુગાર રમવો એ ત્યાં સુધી ગુન્હો નથી બનતો જ્યાં સુધી તેમા નફાનું તત્ત્વ સાબિત ન થતુ હોય. જેને અર્થઘટના એવુ કરી શકાય કે ઘરના કે પરિવારના સભ્યો દ્વારા ઘરમાં અંદરોઅંદર રમાતી તીન પત્તી કે પત્તાની રમતને જુગારમાં ગણી શકાય નહીં. તે માત્ર ગમ્મત ખાતર રમાતી હોય છે. તેમા કોઈ મોટા આર્થિક ઉપાર્જનની ખેવના હોતી નથી.
- Mina Pandya
- Updated on: Aug 14, 2026
- 5:34 pm