ગુજરાત
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.
ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.
ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ મચાવશે તાંડવ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ તાંડવ મચાવશે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.
- Mina Pandya
- Updated on: Jul 25, 2026
- 8:54 pm
અમદાવાદ ગ્રામ્યમાં મેઘતાંડવથી અનેક ગામોનો સંપર્ક કપાયો, માંડલ તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં મેઘતાંડવથી જળબંબાકાર સર્જાયો છે. ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે અને તેમનો સંપર્ક કપાયો છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે, દૈનિક જરૂરિયાતો ખોરવાઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
- Mina Pandya
- Updated on: Jul 25, 2026
- 7:20 pm
Breaking News: ગુજરાતની શાંતિ ડોહળવાનો કારસો! બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ – જુઓ Video
ગાંધીનગરમાં બ્રિજરાજ નામના યુવકની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ‘હાર્દિક પટેલ પાર્ટ 2’ અને મોટાપાયે તોડફોડની વાતચીત સામે આવી છે. આ ક્લિપમાં બસ સ્ટોપ સળગાવવા અને અરાજકતા ફેલાવવાનો ઉલ્લેખ છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 7:31 pm
Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદથી તબાહી, દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓ તંત્રની મદદની રાહમાં
અમદાવાદના વસ્ત્રાપુરમાં ધોધમાર વરસાદે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં ભારે વિનાશ વેર્યો છે. 45થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થતા મોબાઇલ, એસેસરીઝ અને કપડાંના વેપારીઓને લાખોનું નુકસાન થયું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 4:55 pm
Breaking News : ભારે વરસાદથી ઉમરગામમાં તારાજી, વારોલી નદી અને સંજાણના પુલ તૂટ્યા, રસ્તાઓ બંધ
વલસાડના ઉમરગામ તાલુકામાં 45 ઈંચ વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. હુમરણ ગામે વારોલી નદી પરનો પુલ તૂટી પડ્યો છે, જ્યારે સંજાણ ગામે પણ પુલ ધરાશાયી થતાં તેનો સ્લેબ 100 ફૂટ દૂર તણાઈ ગયો હતો.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2026
- 4:07 pm
Breaking News : સુરતમાં ફરીવાર ખાડીપુરથી કાપડ વેપારીઓને મોટું નુકસાન, કાયમી નિરાકરણની માંગ
સુરતમાં ખાડીપુરમાંથી સરોલી અને પુણાગામ વિસ્તારના કાપડ વેપારીઓને દર વર્ષે મોટું નુકસાન થાય છે. દુકાનો અને ગોડાઉનમાં પાણી ભરાતાં વેપાર ઠપ થાય છે, માલસામાન બગડે છે.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2026
- 3:42 pm
Breaking News : ઉમરગામમાં 45 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
વલસાડમાં 45 ઈંચ વરસાદ અવરિત વરસતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ હુમારણ ગામ ને જોડતો બ્રિજ પાણીના વહેણથી તુટ્યો. પાણીના જોરદાર પ્રવાહના કારણે પુલ પાણીમા વહી ગયો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 2:51 pm
Breaking News: નવસારીમાં પૂર ઓસરતા જ ‘ભયાનક તારાજી’; 17 લોકોના મોત, અનેક ઘરો જમીનદોસ્ત અને 500 પરિવારો બેઘર – જુઓ Video
નવસારી જિલ્લામાં પૂર ઓસર્યા બાદ ભયાવહ તારાજી સર્જાઈ છે. સોનવાડી જેવા ગામોમાં અનેક મકાનો ધરાશાયી થયા છે, પરિવારો ઘરવિહોણા બન્યા છે. ખેતી અને પશુપાલનને ભારે નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 17 લોકોના મોત થયા છે, જ્યારે તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી શરૂ કરાઈ છે.
- Ravi Prajapati
- Updated on: Jul 25, 2026
- 2:31 pm
Ahmedabad Breaking : સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ, જુઓ Video
સાણંદ GIDCથી આગળ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગને બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનચાલકોને આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે.
- Devankashi rana
- Updated on: Jul 25, 2026
- 1:41 pm
Breaking News : અમદાવાદમાં લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થતા રહિશોને પ્રવેશબંધી, લોકોમાં ભારે રોષ, જુઓ Video
અમદાવાદના નારણપુરામાં એક લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થતાં ચાર બ્લોકના પરિવારો બે દિવસથી ઘરમાં જઈ શક્યા નથી. ધારાસભ્ય દ્વારા કાર્યવાહીના દાવા કરાઈ રહ્યા છે, જોકે અસરગ્રસ્ત રહિશો અપૂરતી મદદ અને બિલ્ડર સામે કડક પગલાં ન લેવાયા હોવાના આરોપ લગાવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 1:16 pm
Breaking News : સુરતના ઓલપાડના સાયણમાં ફરી જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સુરતમાં આજે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.સુરતના ઓલપાડના સાયણમાં ફરી જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. સિઝનમાં બીજી વખત સાયણ ગામ બેટ બન્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 12:38 pm
ઘરોમાં પાણી ઘૂસે ત્યારે કેવું થાય? સાંભળો દિયોદરના લક્ષ્મીપુરાના લોકોની જુબાની, જુઓ Video
બનાસકાંઠાના દિયોદરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદને કારણે લક્ષ્મીપુરા વિસ્તાર જળબંબાકાર બન્યો છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 12:05 pm
Breaking News : નવસારીમાં પૂરનો હાહાકાર, સંઘવી અને પાટીલની તંત્ર સાથે બેઠક, જુઓ Video
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે, જેમાં 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 15થી વધુના મોત થયા છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીની મુલાકાત લીધી હતી.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2026
- 12:37 pm
Breaking News : અમદાવાદ ગ્રામ્યમાં હાઇવે પર બસે પલટી મારતા મુસાફરો બારીમાંથી કુદ્યા,જુઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદથી હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિરમગામ-માળિયા હાઈવે પર ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ટળી છે. નખત્રાણા ડેપોની મુસાફરો ભરેલી ST બસ તણાતા પલટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2026
- 11:08 am
Breaking News : હેલિકોપ્ટરથી ભારતીય કોસ્ટગાર્ડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન! 170થી વધુ પૂરપીડિતોને બચાવાયા, જુઓ Video
મળતી માહિતી મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે અત્યાર સુધીમાં 170થી વધુ પૂરપીડિતોનું હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે. દમણ અને દાદરા-નગર હવેલીમાં કુલ 11 સ્થળોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Devankashi rana
- Updated on: Jul 25, 2026
- 11:02 am