AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત

ગુજરાત

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.

ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.

ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.

 

Read More

Breaking News : અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, ચૂંટણીની રણનીતિ માટે નેતાઓના લીધા ક્લાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા.

History of city name : શેભરના ગોગા મહારાજના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે જે કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિનું અનોખું સંગમ છે. એવી જ એક પવિત્ર જગ્યા છે . અમદાવાદથી ખેરાલુ માર્ગે પાલનપુર તરફ જતાં રસ્તામાં આવેલું શેભર ગામ એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. આ ગામ અમદાવાદથી અંદાજે 130 કિલોમીટર દૂર આવેલું છે. અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાન અને શેભરના ગોગા મહારાજનું પવિત્ર મંદિર આવેલું છે.

અષાઢી બીજે પવનના સૂસવાટા સાથે ‘ધોધમાર વરસાદ’, અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક – જુઓ Video

અષાઢી બીજના પાવન પર્વે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા વચ્ચે પવનના સૂસવાટા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. સાથે જ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Breaking News: આફ્રિકામાં 45 કરોડની તોતિંગ ખંડણી ચૂકવ્યા બાદ આખરે મુક્ત થયા સુરતના હીરા વેપારી, 3 મહિના સુધી રખાયા હતા બંધક

પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી રહસ્યમય રીતે ગુમ થયેલા સુરતના ડાયમંડ કિંગ ધીરુ રામાણી આખરે 3 મહિના બાદ મુક્ત થયા છે. કટ્ટરપંથીઓ દ્વારા 100 કરોડની માંગણી સામે 45 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવવામાં આવતા અપહરણકર્તાઓએ તેમને છોડી મૂક્યા.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર લાલે રથયાત્રાનો આનંદ માણ્યો, જુઓ Video

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રામાં નીકળી છે. રથયાત્રામાં કેટલાક સ્ટાર પણ જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમજ મયુર વાકાણી એટલે કે સુંદર મામા રાયપુર પહોચ્યા હતા. મયુર વાકાણીએ રથયાત્રાનો આનંદ માણ્યો હતો.

Rath Yatra 2026 : સોનાની સાવરણીથી રથ વાળવાની પરંપરા નિભાવી મુખ્ય પ્રધાને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી 149મી યાત્રાનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં પહિંદ વિધિ કરીને, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી હતી. ભૂપેન્દ્ર પટેલે, સોનાની સાવરણીથી રથ વાળીને સતત પાંચમી વાર પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

Breaking News : લોરેન્સ બિશ્નોઈને લઈને સરકાર કડક, અમેરિકાની માંગ સ્વીકારાશે નહીં ?

અમેરિકાએ ભારતીય ગેંગસ્ટરો પર પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ FBIના "ઓપરેશન હાર્ડબોલ"માં પણ સામે આવ્યું છે. આનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું અમેરિકા લોરેન્સની માંગણી કરી શકે છે. લોરેન્સ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે, જ્યાં તેના પર ગૃહ મંત્રાલયના કડક પ્રતિબંધો છે, જેના કારણે તે ક્યાંય મુસાફરી કરી શકતો નથી. આવી સ્થિતિમાં, ભારત પાસે કયા વિકલ્પો છે?

જગન્નાથ રથયાત્રામાંથી ઘરે લાવો આ 5 વસ્તુઓ, ધન-ધાન્યની ક્યારેય નહીં પડે અછત!

એવું માનવામાં આવે છે કે રથયાત્રામાંથી ચોક્કસ વસ્તુઓ ઘરે લાવવાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં ક્યારેય પૈસા કે અનાજની કમી તમારા ઘરમાં નહીં રહે. જો તમે આ વર્ષે રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છો કે પછી દર્શન કરવા જઈ રહ્યા છો તો આ ખાસ વસ્તુઓ રથયાત્રામાંથી ઘરે લાવવાથી ખૂબ જ શુભ ફળ મળી શકે છે.

Breaking News : અમદાવાદ જગન્નાથજીની રથયાત્રામાં હાથીની સુરક્ષા અને શાંતિ માટે ખાસ નિર્ણય, હાથી પસાર થયા બાદ જ DJ વગાડાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મીં રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદથી લઈને જગન્નાથ પુરી સુધી… કેમ ધામધૂમથી ઉજવાય છે રથયાત્રા ? જાણો રથયાત્રાનું ધાર્મિક મહત્ત્વ !

આષાઢ સુદ બીજના પવિત્ર દિવસે આજે 16 જુલાઈ 2026ના રોજ અમદાવાદ અને પુરીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. માન્યતા મુજબ રથની દોરી ખેંચવાથી ભક્તોને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે.

Breaking News : રથયાત્રાને લઈને અમદાવાદ સુરક્ષાથી સજ્જ ! 30 હજાર જવાન તૈનાત, 100 ડ્રોનથી થઈ રહ્યું મોનિટરિંગ

રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 2 વાગ્યાથી ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ સ્થળોએ ફરજ પર રહેશે. રૂટ પર 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, એક પેટ્રોલિંગ કાર અને CCTVથી સજ્જ 18 વાહનો તૈનાત રહેશે

Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો

અમદાવાદના જગન્નાથ મંદિરે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથ ખેચીને 149મી રથયાત્રાનુ પ્રસ્થાન કરાવ્યું હતું.

Jagannath Rath Yatra Live Updates : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, સરસપુરમાં ભરાયુ લાખેણુ મામેરુ,  હકડેઠઠ માનવ મહેરામણ વચ્ચે ભગવાનના રથનું નીજ મંદિર તરફ પ્રસ્થાન

Ahmedabad Jagannath 149th Rath Yatra Live Updates in Gujarati : આજે અષાઢી બીજનો દિવસ એટલે જગતના નાથની નગરચર્યાનો દિવસ. ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્ચાએ નીકળ્યા છે. ભાવિક ભક્તો પણ પ્રભુને આવકારવા શહેરની પોળ, ગલી, મહોલ્લાની બહાર આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Breaking News : હવે શરૂ થશે વરસાદનો ધમાકેદાર રાઉન્ડ! આગામી 7 દિવસ મોટી આગાહી, જુઓ Video

ગુજરાતમાં ચોમાસું મધ્યમાં હોવા છતાં વરસાદ ખેંચાતા ચિંતા હતી. જોકે, ભાવનગરના મહુવા, રાજકોટ, ભરૂચ અને અમદાવાદ ગ્રામ્યમાં છૂટાછવાયા વરસાદથી લોકોને અને ખાસ કરીને ખેડૂતોને રાહત મળી છે.

HBK AI Leaders Summit 2.0: 400થી વધુ શિક્ષકો માટે 6 નવી AI ટૂલ્સ લોન્ચ, ભવિષ્યલક્ષી શિક્ષણ પર ભાર

HBK AI લીડર્સ સમિટ 2.0 માં 400 થી વધુ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ભવ્ય આયોજનમાં શિક્ષણને આધુનિક બનાવવા માટે 6 નવી AI ટૂલ્સ લોન્ચ કરવામાં આવી.

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">