ગુજરાત
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.
ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.
ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.
10 એપ્રિલના મહત્વના સમાચાર : આજે પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વાટાઘાટો યોજાશે
આજે 10 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Apr 10, 2026
- 7:23 am
રેલવેની ભેટ.. ગુજરાતથી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ, 5 રાજ્યોમાંથી થશે પસાર, જાણો
ઉનાળાની રજાઓમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. કુલ 22 જનરલ કોચ સાથે, તે 5 રાજ્યોના 23 સ્ટેશનો પર રોકાશે
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 10:15 pm
એક નાની ભૂલ અને 598 કરોડનું કૌભાંડ: ધોબીને ઇનકમ ટેક્સનો મોટો ફટકો: સુરતના ડાયમંડ માર્કેટ સાથે કેવી રીતે જોડાયા તાર?
રસ્તા પર કપડાં પ્રેસ કરનાર એક ગરીબ માણસ રાતોરાત અબજોપતિ કેવી રીતે બની ગયો? ઇનકમ ટેક્સની નોટિસ પાછળ છુપાયેલું છે એક મોટું ષડયંત્ર. શું તમે પણ દસ્તાવેજો ખોઈ નાખ્યા છે? સાવધાન, આ મજૂર જેવી હાલત તમારી પણ થઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: Apr 9, 2026
- 9:20 pm
અબોલ જીવોનો આશરો છીનવાયો ? પાંચોટમાં ઐતિહાસિક ઢોર ડબ્બાની જગ્યાએ પંચાયત ઘર બનાવવા મુદ્દે ગ્રામજનો અને તંત્ર સામસામે
ગાયકવાડ સમયનો ઢોર ડબ્બો તોડી પંચાયત ભવન બનાવવા સામે ખેડૂતોમાં રોષ. તલાટીએ ધમકી આપ્યાના આક્ષેપ વચ્ચે વિવાદ વકર્યો.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 8:40 pm
Breaking News: અમદાવાદ માસૂમ બાળકીઓના મોતનું રહસ્ય ઘેરાયું: FSL રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની થિયરી નકારાઈ, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ
ફૂડ પોઈઝનિંગ નહીં પણ ઝેરી પદાર્થ બન્યો મોતનું કારણ. ક્રાઈમ બ્રાન્ચે માતા-પિતાની લાઈફ સ્ટાઈલ અને મેડિકલ સ્ટોરના કનેક્શન પર તપાસ તેજ કરી.
- Sachin Agrawal
- Updated on: Apr 9, 2026
- 8:43 pm
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસર કેરીના રસીયાઓ માટે કેસરનું હબ ગણાતા તાલાલા ગીરથી માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે વિષમ વાતાવરણને કારણે ઉત્પાદન ઘટ્યુ છે, જેના કારણે કેરી રસીયાઓને કેરી ઓછી ખાવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 8:35 pm
ગુજરાતમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ, 46 ડિગ્રી માટે રહો તૈયારઃ અંબાલાલની આગાહી
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. સાથે જ, લઘુત્તમ તાપમાન 24થી 26°C વચ્ચે રહેતા ઉકળાટમાં વધારો થશે, જેના કારણે રાત્રિના સમયે પણ રાહત મળવાની શક્યતા બહુ જ ઓછી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 6:55 pm
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં નાખી ધા- Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ચૂંટણી રોકવા સહિત અનામતને પડકારતી અરજી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 6:32 pm
Breaking News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ List
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અંતે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. લાંબા સમયથી ચાલતી રાહ હવે પૂર્ણ થઈ છે અને પક્ષે પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પહેલી યાદીમાં જાણો એ 52 ઉમેદવારોના નામ.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2026
- 5:53 pm
Breaking news: સુરત-અમદાવાદ બન્યું ‘ઇલેક્શન ફેશન હબ’, પ્રચાર સાહિત્યની માંગમાં જબરદસ્ત ઉછાળો, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ સાથે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે Surat હવે ‘ઇલેક્શન ફેશન હબ’ તરીકે ઉભરાયું છે. દેશભરમાં જ્યાં પણ ચૂંટણી યોજાય છે ત્યાં પ્રચાર માટેનો મોટો હિસ્સો સુરતમાંથી જ સપ્લાય થાય છે. હવે ગુજરાતમાં જ ચૂંટણી હોવાને કારણે અહીંના પ્રચાર સાહિત્યના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 2:33 pm
Breaking News : ‘શ્રી કમલમ’ ખાતે રાજુ કરપડાએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો
સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે ખેડૂત નેતા રાજુ કરપડાએ AAP છોડીને ભાજપમાં જોડાતા ગ્રાઉન્ડ લેવલ પર રાજકીય સમીકરણો બદલાયા છે.
- Hasmukh Ramani
- Updated on: Apr 9, 2026
- 1:39 pm
Breaking News : દાનવીર અંબાણી પરિવાર, સાળંગપુર હનુમાનજી મંદિરને મળ્યુ 10 કરોડ અને દ્વારકામાં 30 કરોડનું અનુદાન કર્યું
રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રુપિયા 30 કરોડનું અનુદાન જાહેર કર્યું છે. તેમજ સાળંગપુર હનુમાનજી મંદિરને ગૌશાળા નિર્માણ માટે 10 કરોડનું દાન આપ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 1:11 pm
કાનુની સવાલ: રસ્તા, ગટર, સ્કૂલ, બિલ્ડિંગ જેવા સરકારી કામ થતા હોય ત્યાં બોર્ડ ન મુકેલું હોય તો શું એક્શન લઈ શકાય?
કાનુની સવાલ: નિયમ મુજબ, કોઈપણ સરકારી કામ શરૂ થાય ત્યારે ત્યાં માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે. આથી સામાન્ય નાગરિકોને ખબર પડે છે કે કયું કામ ચાલી રહ્યું છે, કેટલો ખર્ચ થઈ રહ્યો છે અને તે ક્યારે પૂરું થવાનું છે.
- Meera Kansagara
- Updated on: Apr 9, 2026
- 1:10 pm
Breaking News : અમદાવાદના દેત્રોજમાં સેવ ખમણી ખાધા બાદ 60 લોકોની તબિયત લથડી, જુઓ વીડિયો
અમદાવાદના દેત્રોજમાં ખોરાકી ઝેરની અસરની ઘટના સામે આવી છે. ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા પછી ગ્રામજનોની તબિયત લથડી હતી. અંદાજે 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2026
- 11:29 am
Breaking News: 24 કલાકમાં બે વખત પક્ષ પલટો ! વડોદરા જિલ્લા પંચાયત સભ્ય પહેલા ભાજપથી કોંગ્રેસમાં અને હવે કોંગ્રેસથી ભાજપમાં જોડાયા
કિરણસિંહ રાઠોડે ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, 24 કલાક પૂરા થાય તે પહેલાં જ તેમણે ફરી ભાજપમાં વાપસી કરી, જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે
- Devankashi rana
- Updated on: Apr 9, 2026
- 11:15 am