ગુજરાત
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે. ગુજરાત એ સૌથી મોટો 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે, જેમાંથી મોટો ભાગ કાઠિયાવાડ દ્વીપકલ્પ પર આવેલો છે. ગુજરાત ક્ષેત્રફળની દૃષ્ટિએ પાંચમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે, જે લગભગ 196,024 કિમીને આવરી લે છે.
ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.વર્ષ 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસતી 6,04,39,692 છે. જેમાં 3,46,94,609 ગ્રામ્ય અને 2,57,45,083 શહેરી વસતી છે. વસતીની ગીચતા 308 લોકો/ચો.કિ.મી. છે.
ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.
24 મેના મહત્વના સમાચાર : કચ્છના ભચાઉમાં આવ્યો ભૂકંપનો આંચકો
Gujarat Live Updates આજ 24 મે 2026ના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
- TV9 Gujarati
- Updated on: May 24, 2026
- 7:41 am
Rajkot Breaking News: કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં બે પિતરાઇ ભાઇઓના કમકમાટીભર્યા મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત!
ગોખલાણા ગામ નજીક બનેલી આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે આટકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 10:25 pm
Amreli Breaking News : અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર વચ્ચેની ટક્કરમાં 3 લોકોના મોત, જુઓ Video
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 10:14 pm
સુરેન્દ્રનગર પોલીસ વ્યાજખોરોના વિષચક્રમાંથી પરિવારને મુક્ત કરાવી માત્ર 24 કલાકમાં પરત અપાવ્યું ₹1 કરોડનું સોનું!
લીંબડીના એક પરિવારે વ્યાજના ચક્કરમાં 70 તોલા સોનું અને ₹30 લાખ ગુમાવી દીધા હતા. મહિલાઓએ એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરતા જ પોલીસે એક્શન મોડમાં આવી મોટો સપાટો બોલાવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 8:30 pm
Gujarat Weather Breaking: કાળજાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી, હાલ તાપમાનમાં નહીં થાય કોઈ ઘટાડો
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તો બીજી તરફ રાજ્યના તાપમાનમાં હાલ કોઈ ફેરફાર થવાના સંકેત દેખાઈ નથી રહ્યા.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 6:04 pm
Junagadh Breaking News : PMJY યોજનામાં મોટું કૌભાંડ, જુનાગઢની હોસ્પિટલમાં કાયદા વિરુદ્ધ કરાયા ઓપરેશન, જુઓ Video
જૂનાગઢની કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ ગંભીર ગેરરીતિનો પર્દાફાશ થયો છે. મંજૂરી વગરના તબીબો દ્વારા 76 સર્જરી કરાઈ હતી.
- Sagar Solanki
- Updated on: May 23, 2026
- 5:42 pm
Ahmedabad Breaking News : મેડિકલ અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક થયો ગુમ, જુઓ Video
અમદાવાદનો મેડિકલ વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ જોર્જિયામાં 9 દિવસથી ગુમ છે. પરિવારનો આરોપ છે કે પીજી સંચાલકોએ તેને બંધક બનાવી માનસિક ત્રાસ આપ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 5:34 pm
ખાખીનો ખોટો રોફ જમાવ્યો! સગાને ફાયદો કરાવવા PSIએ કરી ‘દાદાગીરી’, પેટ્રોલ પંપ પર સંચાલકને ધમકાવ્યો – જુઓ Video
અમરેલી જિલ્લાના રાજુલામાંથી ખાખીની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સુરતના એક PSIએ કાયદો નેવે મૂકીને પેટ્રોલ પંપ સંચાલકને ફોન પર ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 5:09 pm
Gandhinagar Breaking News : સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
આ અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
- Devankashi rana
- Updated on: May 23, 2026
- 4:03 pm
Miyazaki Mango : ગુજરાતની કેરીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 1.5થી 3 લાખ રૂપિયે કિલો ? જાણો કયા થાય છે
ઉનાળામાં મોટા પ્રમાણમાં કેરી ખાવામાં આવે છે. લોકો કેરીને ખૂબ આનંદ માનીને ખાય છે. કેસર, હાફુસ, રાજાપુરી, બદામી, તોતાપૂરી જેવી અનેક પ્રકારની કેરી માર્કેટમાં ઉપલબ્ધ હોય છે.
- Dhruval Shah
- Updated on: May 23, 2026
- 2:51 pm
Breaking News : ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત ! કહ્યું- હવે આરામ કરવો છે, જુઓ-Video
નરેશ પટેલે નિવૃતિને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ખોડલધામના દશાબ્દી મહોત્સવને લઈ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, “આગામી વર્ષ 2027થી મારે આરામ કરવો છે.
- Devankashi rana
- Updated on: May 23, 2026
- 1:48 pm
Kheda Breaking News : મીનાવાડાના દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી! CCTVમાં કેદ થઇ મહિલા, જુઓ Video
દેશભરના તમામ મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતી રહે છે. જેમાં ચોર મોટાભાગે દાનપેટી, સોના-ચાંદીનો હાર અને કિંમતી ઘરેણાંની ચોરી કરતા હોય છે. આ જ પ્રકારની એક ઘટના ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડાના દશામાતા મંદિરમાં બની છે.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 1:23 pm
Breaking News : ગુજરાત સહિત આ રાજ્યોમાં Wet Bulbનો ખતરો ! વૈજ્ઞાનિકોએ જાહેર કરી ચેતવણી, વધી શકે છે આ સમસ્યા
વૈજ્ઞાનિકોએ હવે એક નવા અને અત્યંત ખતરનાક ખતરા અંગે ચેતવણી જાહેર કરી છે. આ ખતરો ફક્ત તાપમાનનો જ નથી, પરંતુ "વેટ બલ્બ ટેમ્પરેચર" નો છે. જે ગરમી અને ભેજ વાળા વાતાવરણનું ખતરનાક મિશ્રણ સાથે સંબંધિત છે.
- Devankashi rana
- Updated on: May 23, 2026
- 12:46 pm
Mahisagar Breaking News: મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ, અત્યાર સુધી 31 આરોપી ઝડપાયા
મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. તાજેતરની કાર્યવાહીમાં વાળીનાથ ગામના કોન્ટ્રાકટર કમ સરપંચ તેમજ સિગ્નલી ગામના સરપંચના પતિ બાબુસિંહ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 23, 2026
- 12:45 pm
જાણવું જરુરી! જો પૃથ્વી પર કોઈ શહેરનું તાપમાન 100°C થઈ જાય તો શું થશે? જાણો કેવી રીતે થોડી મિનિટોમાં બધું બદલાઈ શકે
પૃથ્વી પર કોઈ શહેરનું તાપમાન 100°C થાય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભારે અસરગ્રસ્ત બની શકે. રસ્તાઓમાં વપરાતો ડામર નરમ પડી શકે, રેલવે ટ્રેક વાંકાં થઈ શકે અને વીજળીની લાઇન પર ભાર વધી શકે. એર કન્ડિશનિંગ સિસ્ટમ્સ પણ મોટા પ્રમાણમાં નિષ્ફળ જવાની શક્યતા રહે.
- Meera Kansagara
- Updated on: May 23, 2026
- 12:29 pm