AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Attack : J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા, જુઓ Video

Pahalgam Attack : J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા, જુઓ Video

Ronak Varma
| Edited By: | Updated on: Apr 24, 2025 | 5:13 PM

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો મૃત્યુ પામ્યા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃતદેહોને ગુજરાત લાવવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે પીડિત પરિવારોને સહાયતા પૂરી પાડવાની જાહેરાત કરી છે.

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. દુર્ભાગ્યવશ, તેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓ પણ શહીદ થયા છે.

મૃતકોમાં ભાવનગરના પિતા અને પુત્ર – યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર – તેમજ સુરતના શૈલેષભાઈ કળથિયાનો સમાવેશ થાય છે.

મૃતદેહોની વતન વાપસી:

  • ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહોને હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા, જ્યાં રાજકીય આગેવાનો અને અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને રોડમાર્ગે ભાવનગર મોકલવામાં આવ્યા.

  • સુરતના શૈલેષભાઈ કળથિયાના મૃતદેહને દિલ્હીથી ફ્લાઇટ મારફતે સુરત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના પરિવારના અન્ય છ સભ્યો સાથે તેમને સુરક્ષિત રીતે સુરત લાવવામાં આવશે.

સહાય માટે વ્યવસ્થા:

હમલાની ઘટના બાદ ગુજરાત સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા તરત જ J&K પોલીસ, હોસ્પિટલ અને સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીર ટુરિઝમ વિભાગ દ્વારા ગુલમર્ગ ખાતે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતના પ્રવાસીઓને કોઈ અડચણ ન પડે.

Published on: Apr 23, 2025 10:26 PM
g clip-path="url(#clip0_868_265)">