Pahalgam Attack : J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા, જુઓ Video
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો મૃત્યુ પામ્યા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃતદેહોને ગુજરાત લાવવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે પીડિત પરિવારોને સહાયતા પૂરી પાડવાની જાહેરાત કરી છે.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. દુર્ભાગ્યવશ, તેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓ પણ શહીદ થયા છે.
મૃતકોમાં ભાવનગરના પિતા અને પુત્ર – યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર – તેમજ સુરતના શૈલેષભાઈ કળથિયાનો સમાવેશ થાય છે.
મૃતદેહોની વતન વાપસી:
-
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહોને હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા, જ્યાં રાજકીય આગેવાનો અને અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને રોડમાર્ગે ભાવનગર મોકલવામાં આવ્યા.
-
સુરતના શૈલેષભાઈ કળથિયાના મૃતદેહને દિલ્હીથી ફ્લાઇટ મારફતે સુરત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના પરિવારના અન્ય છ સભ્યો સાથે તેમને સુરક્ષિત રીતે સુરત લાવવામાં આવશે.
સહાય માટે વ્યવસ્થા:
હમલાની ઘટના બાદ ગુજરાત સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા તરત જ J&K પોલીસ, હોસ્પિટલ અને સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર ટુરિઝમ વિભાગ દ્વારા ગુલમર્ગ ખાતે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતના પ્રવાસીઓને કોઈ અડચણ ન પડે.

અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ

લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ

નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
