AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan stock market crash : ભારત પર હુમલા બાદ પાકિસ્તાનના શેરબજાર પર આવ્યું મોટું સંકટ ! રોકાણકારોએ વેચી દીધા શેર, જાણો કારણ

કાશ્મીરના પહેલગામ શહેર નજીક 'મીની સ્વિટ્ઝર્લૅન્ડ' તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. જોકે આ ઘટના બાદ હવે પાકિસ્તાનના શેરબજારમાં અસર જોવા મળી રહી છે.

| Updated on: Apr 23, 2025 | 7:46 PM
Share
કાશ્મીરના પહેલગામ નજીકના પર્યટન સ્થળ બૈસરનમાં થયેલા આતંકી હુમલાના પગલે પાકિસ્તાનના શેરબજારમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. બુધવારે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) નું મુખ્ય સૂચકાંક KSE-100 ઇન્ડેક્સ 880 પોઈન્ટના ઘટાડા સાથે 1,17,550 પોઈન્ટની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડો અગાઉના દિવસના બંધ સાથે સરખાવતાં આશરે 1% જેટલો ઘટાડો દર્શાવે છે.

કાશ્મીરના પહેલગામ નજીકના પર્યટન સ્થળ બૈસરનમાં થયેલા આતંકી હુમલાના પગલે પાકિસ્તાનના શેરબજારમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. બુધવારે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) નું મુખ્ય સૂચકાંક KSE-100 ઇન્ડેક્સ 880 પોઈન્ટના ઘટાડા સાથે 1,17,550 પોઈન્ટની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડો અગાઉના દિવસના બંધ સાથે સરખાવતાં આશરે 1% જેટલો ઘટાડો દર્શાવે છે.

1 / 6
KSE-100 ઇન્ડેક્સની છેલ્લા 52 અઠવાડિયાની રેન્જ 70,562.12 પોઈન્ટથી લઈને 1,20,796.67 પોઈન્ટ સુધી રહી છે, જેમાંથી વર્તમાન સ્તર નોંધપાત્ર રીતે નીચે છે.

KSE-100 ઇન્ડેક્સની છેલ્લા 52 અઠવાડિયાની રેન્જ 70,562.12 પોઈન્ટથી લઈને 1,20,796.67 પોઈન્ટ સુધી રહી છે, જેમાંથી વર્તમાન સ્તર નોંધપાત્ર રીતે નીચે છે.

2 / 6
વિશ્લેષકો અનુસાર, શેરબજારમાં વધતી અસુરક્ષા પાછળનો એક મુખ્ય કારણ ભારત તરફથી શક્ય પ્રતિસાદનો ભય છે. આતંકી હુમલામાં 26 લોકોનાં જાન ગયા છે, જેમાંથી મોટા ભાગે પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત અધૂરી છોડી સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાનની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરની બેઠક યોજવામાં આવી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચીને જાતે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં હાજરી આપી.

વિશ્લેષકો અનુસાર, શેરબજારમાં વધતી અસુરક્ષા પાછળનો એક મુખ્ય કારણ ભારત તરફથી શક્ય પ્રતિસાદનો ભય છે. આતંકી હુમલામાં 26 લોકોનાં જાન ગયા છે, જેમાંથી મોટા ભાગે પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત અધૂરી છોડી સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાનની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરની બેઠક યોજવામાં આવી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચીને જાતે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં હાજરી આપી.

3 / 6
શેરબજાર પર આર્થિક દબાણ વધારતું બીજું એક કારણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા આપવામાં આવેલ GDP વૃદ્ધિ દરનો ઘટાડો છે. IMF અનુસાર, નાણાકીય વર્ષ 2025 માટે પાકિસ્તાનની GDP વૃદ્ધિ દર માત્ર 2.6% રહેશે, જ્યારે અગાઉ જાન્યુઆરીમાં આ અંદાજ 3%નો હતો. વર્ષ 2026 માટે પણ માત્ર 3.6% વૃદ્ધિનો અંદાજ આપવામાં આવ્યો છે.

શેરબજાર પર આર્થિક દબાણ વધારતું બીજું એક કારણ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા આપવામાં આવેલ GDP વૃદ્ધિ દરનો ઘટાડો છે. IMF અનુસાર, નાણાકીય વર્ષ 2025 માટે પાકિસ્તાનની GDP વૃદ્ધિ દર માત્ર 2.6% રહેશે, જ્યારે અગાઉ જાન્યુઆરીમાં આ અંદાજ 3%નો હતો. વર્ષ 2026 માટે પણ માત્ર 3.6% વૃદ્ધિનો અંદાજ આપવામાં આવ્યો છે.

4 / 6
આ ઉપરાંત, ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે પાકિસ્તાની રૂપિયામાં આગામી સમયમાં ઘટાડાની આગાહી કરી છે. ફિચના અનુમાન પ્રમાણે, જૂન 2025 સુધીમાં રૂપિયો ડોલર સામે 285 સુધી જઇ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં તે વધુ નબળો પડીને 295 સુધી પહોંચી શકે છે.

આ ઉપરાંત, ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે પાકિસ્તાની રૂપિયામાં આગામી સમયમાં ઘટાડાની આગાહી કરી છે. ફિચના અનુમાન પ્રમાણે, જૂન 2025 સુધીમાં રૂપિયો ડોલર સામે 285 સુધી જઇ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ 2026ના અંત સુધીમાં તે વધુ નબળો પડીને 295 સુધી પહોંચી શકે છે.

5 / 6
આ તમામ ઘટનાઓના એકસાથે પ્રભાવથી પાકિસ્તાની શેરબજારમાં અસ્વીકાર્ય ચિંતાનું માહોલ છવાઈ ગયું છે, અને રોકાણકારોમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.)

આ તમામ ઘટનાઓના એકસાથે પ્રભાવથી પાકિસ્તાની શેરબજારમાં અસ્વીકાર્ય ચિંતાનું માહોલ છવાઈ ગયું છે, અને રોકાણકારોમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. આ શહેરોની ઐતિહાસિકતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાનના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">