AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલાની આ તસવીરો કાળજુ કંપાવી દેશે, કાયરોએ છીનવી લીધી કેટલાય પરિવારોની ખુશી

Pahalgam Terror Attack:પહેલગામ આતંકવાદી હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. 2019 માં પુલવામા હુમલા પછી કાશ્મીર ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. આ હુમલાને લઈને સમગ્ર દેશમાં શોક અને ગુસ્સો છે. લોકોની માંગ છે કે પાકિસ્તાનને હવે કડક પાઠ ભણાવવો જોઈએ. સરકારે એમ પણ કહ્યું છે કે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં.

| Updated on: Apr 23, 2025 | 11:05 AM
Share
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે. 2019 માં પુલવામા હુમલા પછી કાશ્મીર વેલીમાં આ સૌથી મોટો હુમલો છે. આતંકવાદી હુમલા પછી હૃદયદ્રાવક વીડિયો અને તસવીરો બહાર આવી રહ્યા છે. આમાં, વિખરાયેલી ખુરશીઓ, લોહીથી લથપથ લોકો અને જમીન પર બેભાન પડેલા લોકો જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આતંકવાદીઓએ બૈસરન પર હુમલો કર્યો ત્યારે લોકો ડરના કારણે તંબુઓની અંદર છુપાઈ ગયા હતા. આ સમય દરમિયાન, આતંકવાદીઓએ 54 વર્ષીય સંતોષ જગદાલેને તંબુમાંથી બહાર આવવા કહ્યું. તેણે તેને ઇસ્લામીક કલમા વાચવા કહ્યું. જ્યારે તે કલમાનું પઠન કરી શક્યો નહીં, ત્યારે આતંકવાદીઓએ તેને ગોળીઓ મારી મારી નાખ્યો. એક ગોળી માથામાં, પછી કાનની પાછળ અને એક પાછળના ભાગમાં વાગી.

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે. 2019 માં પુલવામા હુમલા પછી કાશ્મીર વેલીમાં આ સૌથી મોટો હુમલો છે. આતંકવાદી હુમલા પછી હૃદયદ્રાવક વીડિયો અને તસવીરો બહાર આવી રહ્યા છે. આમાં, વિખરાયેલી ખુરશીઓ, લોહીથી લથપથ લોકો અને જમીન પર બેભાન પડેલા લોકો જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આતંકવાદીઓએ બૈસરન પર હુમલો કર્યો ત્યારે લોકો ડરના કારણે તંબુઓની અંદર છુપાઈ ગયા હતા. આ સમય દરમિયાન, આતંકવાદીઓએ 54 વર્ષીય સંતોષ જગદાલેને તંબુમાંથી બહાર આવવા કહ્યું. તેણે તેને ઇસ્લામીક કલમા વાચવા કહ્યું. જ્યારે તે કલમાનું પઠન કરી શક્યો નહીં, ત્યારે આતંકવાદીઓએ તેને ગોળીઓ મારી મારી નાખ્યો. એક ગોળી માથામાં, પછી કાનની પાછળ અને એક પાછળના ભાગમાં વાગી.

1 / 10
સંતોષની પુત્રી આશાવરીએ જણાવ્યું કે જ્યારે પિતા જમીન પર પડ્યા ત્યારે આતંકવાદીઓએ કાકા પર હુમલો કર્યો. પીઠ પર ઘણી ગોળીઓ ચલાવવામાં આવી હતી. અમારામાંથી પાંચ લોકો કાશ્મીર ગયા હતા. મમ્મી-પપ્પા પણ ત્યાં હતા. સ્થાનિક લોકો અને સુરક્ષા દળો દ્વારા માતા અને એક સંબંધીને પહેલગામ લઈ જવામાં આવ્યા છે.

સંતોષની પુત્રી આશાવરીએ જણાવ્યું કે જ્યારે પિતા જમીન પર પડ્યા ત્યારે આતંકવાદીઓએ કાકા પર હુમલો કર્યો. પીઠ પર ઘણી ગોળીઓ ચલાવવામાં આવી હતી. અમારામાંથી પાંચ લોકો કાશ્મીર ગયા હતા. મમ્મી-પપ્પા પણ ત્યાં હતા. સ્થાનિક લોકો અને સુરક્ષા દળો દ્વારા માતા અને એક સંબંધીને પહેલગામ લઈ જવામાં આવ્યા છે.

2 / 10
પહેલગામમાં થયેલા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જમ્મુ શહેરમાં વિરોધ પ્રદર્શનો થયા. વિરોધીઓએ આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા ઓપરેશનની માંગ કરી છે. રાષ્ટ્રીય બજરંગ દળે શહેરમાં વિરોધ કૂચ કાઢી. આ હુમલાની નિંદા કરતા, તેને હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ ગણાવવામાં આવી.

પહેલગામમાં થયેલા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જમ્મુ શહેરમાં વિરોધ પ્રદર્શનો થયા. વિરોધીઓએ આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા ઓપરેશનની માંગ કરી છે. રાષ્ટ્રીય બજરંગ દળે શહેરમાં વિરોધ કૂચ કાઢી. આ હુમલાની નિંદા કરતા, તેને હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ ગણાવવામાં આવી.

3 / 10
પહેલગામ હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ શહીદ થયા હતા. તે માત્ર 26 વર્ષના હતા. તે હરિયાણાના રહેવાસી હતા. તેમના લગ્ન 16 એપ્રિલે થયા. નરવાલ કોચીમાં પોસ્ટેડ હતા અને હાલમાં રજા પર હતા.

પહેલગામ હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ પણ શહીદ થયા હતા. તે માત્ર 26 વર્ષના હતા. તે હરિયાણાના રહેવાસી હતા. તેમના લગ્ન 16 એપ્રિલે થયા. નરવાલ કોચીમાં પોસ્ટેડ હતા અને હાલમાં રજા પર હતા.

4 / 10
હુમલામાં માર્યા ગયેલા 16 લોકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આમાં 10 ઘાયલ લોકોના નામ પણ સામેલ છે. હુમલામાં કર્ણાટકના મંજુ નાથ, હરિયાણાના વિનય નરવાલ, યુપીના શુભમ દ્વિવેદી, મહારાષ્ટ્રના દિલીપ જયરામ, નેપાળના સંદીપ અને પ્રદીપ કુમાર, મહારાષ્ટ્રના અતુલ શ્રીકાંત મોને અને સંજય લખનનો સમાવેશ થાય છે.

હુમલામાં માર્યા ગયેલા 16 લોકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આમાં 10 ઘાયલ લોકોના નામ પણ સામેલ છે. હુમલામાં કર્ણાટકના મંજુ નાથ, હરિયાણાના વિનય નરવાલ, યુપીના શુભમ દ્વિવેદી, મહારાષ્ટ્રના દિલીપ જયરામ, નેપાળના સંદીપ અને પ્રદીપ કુમાર, મહારાષ્ટ્રના અતુલ શ્રીકાંત મોને અને સંજય લખનનો સમાવેશ થાય છે.

5 / 10
આ સાથે જમ્મુ અને કાશ્મીરથી સૈયદ હુસૈન શાહ, સુરત ગુજરાતથી હિંમત ભાઈ, કર્ણાટકથી પ્રશાંત કુમાર, મનીષ રંજન, રામચંદ્રમ, શાલિંદર, શિવમ મોગાના નામનો સમાવેશ થાય છે.

આ સાથે જમ્મુ અને કાશ્મીરથી સૈયદ હુસૈન શાહ, સુરત ગુજરાતથી હિંમત ભાઈ, કર્ણાટકથી પ્રશાંત કુમાર, મનીષ રંજન, રામચંદ્રમ, શાલિંદર, શિવમ મોગાના નામનો સમાવેશ થાય છે.

6 / 10
ઘાયલોમાં ગુજરાતના વિન્નીભાઈ, માણિક પાટીલ, રિનો પાંડે, મહારાષ્ટ્રના એસ બાલાચંદ્ર, તમિલનાડુના ડૉ. પરમેશ્વરમ, કર્ણાટકના અભિજવમ રાવ, તમિલનાડુના સંત્રુ, ઓડિશાના શશી કુમારી, તમિલનાડુના બાલચંદ્ર, મુંબઈના શોભિત પટેલનો સમાવેશ થાય છે.

ઘાયલોમાં ગુજરાતના વિન્નીભાઈ, માણિક પાટીલ, રિનો પાંડે, મહારાષ્ટ્રના એસ બાલાચંદ્ર, તમિલનાડુના ડૉ. પરમેશ્વરમ, કર્ણાટકના અભિજવમ રાવ, તમિલનાડુના સંત્રુ, ઓડિશાના શશી કુમારી, તમિલનાડુના બાલચંદ્ર, મુંબઈના શોભિત પટેલનો સમાવેશ થાય છે.

7 / 10
આ આતંકવાદી હુમલાથી દુનિયા સ્તબ્ધ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એક નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.

આ આતંકવાદી હુમલાથી દુનિયા સ્તબ્ધ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એક નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.

8 / 10
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, આતંકવાદ સામે લડવામાં હું ભારતની સાથે ઉભો છું. હું આ સહયોગને વધુ વધારવા માટે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, આતંકવાદ સામે લડવામાં હું ભારતની સાથે ઉભો છું. હું આ સહયોગને વધુ વધારવા માટે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું.

9 / 10
યુએસના ઉપપ્રમુખ જેડી વાન્સે કહ્યું, ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. આ ભયાનક હુમલાનો શોક મનાવી રહ્યા છીએ ત્યારે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું છે કે તે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. આ હુમલો દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાની હિંમત છે.

યુએસના ઉપપ્રમુખ જેડી વાન્સે કહ્યું, ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. આ ભયાનક હુમલાનો શોક મનાવી રહ્યા છીએ ત્યારે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું છે કે તે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે. અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. આ હુમલો દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાની હિંમત છે.

10 / 10

 જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
g clip-path="url(#clip0_868_265)">