Pahalgam Terror Attack : શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને, 2 હજારની ટિકિટના ભાવ હવે 15 હજારે પહોંચ્યા, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટના ભાવ આસમાને પહોંચ્યા છે.
શ્રીનગર-અમદાવાદની ટિકિટમાં વધારો
શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં વધારો થયો છે. ટિકિટના ભાવ ₹ 15 હજાર પર પહોંચ્યા છે. અગાઉ 2 થી 3 હજારમાં ટિકિટ મળતી હતી. જેની અત્યારે કિંમત 15 હજાર પહોંચી છે. અનેક સહેલાણીઓ દ્વારા વતન જવા પ્રયાસ હાથ ધર્યો છે. હવાઈ મુસાફરીના ભાવના ધરખમ વધારો થયો છે.
એક તરફ જ્યાં પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં ભય છે. જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકો પરત પોતાના વતન પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં ફ્લાઈટના ભાવમાં આસમાને પહોંચી જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આવા કપરા સમયે ફ્લાઈટના ભાવ વધારવાના નિર્યણથી લોકોમાં નારાજગી છે.

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં

ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો

ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના

ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
