Pahalgam Terror Attack : આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન, ભાવુક દ્રશ્યો સર્જાયા , જુઓ Video
સુરતના વતની અને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા શૈલેષ કળથિયાને શુક્રવારે સમગ્ર સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. શૈલેષની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રસ્તાઓ લોકોના આક્રંદ અને દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા.
સુરતના વતની અને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા શૈલેષ કળથિયાને શુક્રવારે સમગ્ર સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. શૈલેષની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રસ્તાઓ લોકોના આક્રંદ અને દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. અંતિમયાત્રામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
આંતરિક દુઃખ વચ્ચે શહીદની પત્ની શીતલ કળથિયા ભાવુક થયા હતા અને તેમના દુઃખ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે શૈલેષ રોજિંદા જીવનમાં દેશપ્રેમથી ભરેલા હતા અને દેશની સુરક્ષા માટે કંઈ પણ કરી શકે એવા હતા. જોકે હુમલાના સમયે જ્યાં સાચી જરૂર હતી, ત્યાં કોઈ જ મદદ ન મળી.
મૃતકની પત્નીએ જણાવ્યું કે લોકો ટેક્સ આપે છે, અને એના પૈસાથી VIP સુરક્ષા મળી શકે છે, તો સામાન્ય નાગરિકને કેમ નહિ? તેમણે આ પ્રશ્ન ઊભો કર્યો કે હંમેશા કોઈ શહીદ થાય ત્યારબાદ જ નેતાઓ કેમ પહોંચે છે? તેમણે જણાવ્યુ કે, તેમનો દીકરો આખા રસ્તે જ્યાં આર્મીના લોકોને જોતો, ત્યાં તેમને સેલ્યુટ મારતો. પણ, જ્યારે ખરાં અર્થમાં જરૂર હતી ત્યારે કોઈ જ મદદે ન આવ્યું.
શહીદ શૈલેષના મૃતદેહ સાથે સમગ્ર શહેરનું સૌમ્યતાભર્યું પ્રતિકાર જોવા મળ્યું. દરેકની આંખે આંસુ હતા, પણ સાથે સાથે દેશમાં સુધારાની માંગ પણ દેખાઈ. શીતલબેને જણાવ્યું કે આ કેસમાં ન્યાય મળવો જોઈએ અને આવા દુર્ઘટનાઓ ફરી ના ઘટે એ માટે સરકાર કડક પગલાં ભરે.

અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ

લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ

નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
