History of city name : કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કાંકરિયા તળાવ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલું એક વિખ્યાત ઐતિહાસિક તળાવ છે. આજે તે એક સુંદર પ્રવાસસ્થળ, ઐતિહાસિક નિશાની અને મનોરંજન કેન્દ્ર તરીકે જાણીતું છે, જ્યાં દરરોજ હજારો લોકો ફરવા આવે છે.

કાંકરિયા તળાવના નામ પાછળના અર્થ વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ નામ "કાંકર" શબ્દ પરથી ઊતરેલું છે, જે ચૂનાના પથ્થરો માટે વપરાય છે. કહેવાય છે કે તળાવના નિર્માણ વખતે મોટા પાયે ચૂનાના પથ્થર ખોદવામાં આવ્યા હતા, જેના કારણે તેનું નામ "કાંકરિયા" પડ્યું. (Credits: - Wikipedia)

બીજી લોકકથા અનુસાર, સંત હઝરત-એ-શાહ આલમ તળાવના નિર્માણ સમયે એક કાંકર પર પગ લાગી જતા બોલી ઊઠ્યા કે “કેવો કાંકર!”, જેના આધારે તળાવનું નામ પડ્યું હોવાની માન્યતા છે. “કાંકરિયા” શબ્દનો અર્થ પણ “પથ્થર” અથવા “નાનું કાંકર” એવી રીતે લેવાય છે.

કાંકરિયા તળાવનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન અને મહત્વપૂર્ણ છે. આ તળાવ 15મી સદીમાં સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાના સમયમાં બંધાવાયું હતું અને તેનું બાંધકામ ઇ.સ. 1451માં પૂર્ણ થયું. (Credits: - Wikipedia)

તે સમયગાળામાં તેને "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" તરીકે ઓળખવામાં આવતું. આ તળાવ શાસકોના સ્નાન માટે ખાસ ઉપયોગમાં લેવાતું હતું, અને તેમાં પાણી શુદ્ધ રહે તે માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી. (Credits: - Wikipedia)

ઇ.સ. 1781 દરમિયાન તળાવના નગીનાવાડી વિસ્તાર સુધી જતો પુલ, ઘટ્ટામહલ નામની ઇમારત અને તળાવના પાળ પર આવેલા પથ્થરના ઘાટો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. લાંબા સમય સુધી આ તળાવ સંભાળ વગર રહી ગયું હતું જ્યાં સુધી ઇ.સ. 1872માં કલેક્ટર બોરાડેઇલે તેના પુનઃસર્જન અને સમારકામની કામગીરી ન કરી. (Credits: - Wikipedia)

એ જ સમયમાં, રાયપુર દરવાજાથી તળાવ સુધીનો અંદાજે 6600 ફૂટ લાંબો માર્ગ પણ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે લોકો માટે ત્યાં પહોંચી શકાય એવી સરળતા ઉભી થઇ. (Credits: - Wikipedia)

તળાવ આસપાસની પાળના પથ્થર, ઘાટ, પ્રવેશદ્વાર વગેરેમાં મહત્ત્વપૂર્ણ આર્કિટેક્ચરલ શૈલી જોવા મળે છે. પહેલા સમયમાં અહીંથી પાણી શહેરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવતું હતું.

કાંકરિયા તળાવનો કેળવણી, સંસ્કૃતિ અને આરોગ્ય સાથે સંબંધિત અનેક આયોજનો માટે ઉપયોગ થાય છે. જેમ કે ખેલ મહાકુંભ, ફેસ્ટિવલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
