AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

Rawat Surname History : Pradeep Rawat ની અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘રાવત’નો સાચો અર્થ

રાવત અટક એક પ્રાચીન અને ગૌરવપૂર્ણ અટક છે, જેનો અર્થ વીર યોદ્ધા કે નેતા થાય છે. ભારતના રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આ અટકના લોકો જોવા મળે છે. રાજાઓ દ્વારા અપાયેલી ઉપાધિમાંથી વિકસેલી આ અટક બહાદુરી અને નેતૃત્વની પરંપરા દર્શાવે છે. રાવત અટક કોઈ એક જાતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં તેના યોગદાન માટે જાણીતી છે.

મરીન ઈતિહાસકારે ખોલી અંગ્રેજોના જુઠાણાની પોલ, સૌથી જુની સભ્યતા ભારતીય હતી નહીં કે મેસોપોટેમિયાની- વાંચો

અત્યાર સુધી યુરોપિયન ઈતિહાસકારો મેસોપોટેમિયાને સૌથી જુની સભ્યતાનું કેન્દ્ર માનતા હતા. પરંતુ એક ઈતિહાસકારે તથ્યો અને સેટેલાઈટ સાક્ષ્યના આધારે આ થિયરી સંપૂર્ણપણે પલટાવીને રાખી દીધી. તેમણે કહ્યુ કે સૌથી જુની સભ્યતા ભારતની છે અને ત્યાંથી જ સભ્યતાની શરૂઆત થઈ હતી. તેમનો દાવો છે કે 4000 વર્ષ સુધી યુરોપમાં ભારતના લોથલ જેવુ કોઈ બંદર વિકસ્યુ જ ન હતુ. અંગ્રેજોએ તેમના પૂર્વગ્રહને આધારે મેસોપોટેમિયાને દુનિયાની સૌથી પહેલી સભ્યતા ગણાવી જ્યારે ઈતિહાસકાર કોલિનનો દાવો છે કે ભારત તમામ સભ્યતાનું જનક છે અને અહીંથી જ સૌથી પહેલી સભ્યતા વિકસી હતી દુનિયામાં વિસ્તરી હતી. આ તમામ દાવાને સાબિત કરતા તથ્યો પણ કોલિને રજૂ કર્યા છે અને અંગ્રેજોનો જુઠાણાનો પર્દાફાશ કર્યો છે.

જનતાનો અવાજ ‘ગાદી’ પણ ડગમગાવી શકે છે… ઇતિહાસ જોઈ લો ! જાણો ક્યારે અને કેમ લોકશાહીની તાકાત સામે ‘સરકાર’ ઘૂંટણિયે પડી ?

ઇતિહાસ સાક્ષી છે કે, લોકશાહીમાં સૌથી મોટી શક્તિ જનતાના અવાજમાં છે. એવામાં જ્યારે પણ સરકારે પ્રજાના ન્યાયી અવાજને દબાવવાનો પ્રયત્નો કર્યા છે, ત્યારે ત્યારે અહિંસક 'ભૂખ હડતાલ' સામે મોટી-મોટી સત્તાઓને પણ ઝૂકવું પડ્યું છે. ડિજિટલ યુગના કોઈ પણ પ્રોપેગેન્ડા કે એલ્ગોરિધમ આ નૈતિક બળને દબાવી શકતા નથી.

Rupala Surname History : પરશોત્તમ રુપાલાની અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘રૂપાલા’નો સાચો અર્થ

રૂપાલા અટક ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ઓળખ છે. 'રૂપાળો' શબ્દ પરથી ઉદ્ભવેલી આ અટક સુંદરતા અને તેજસ્વિતા દર્શાવે છે. સૌરાષ્ટ્રના કડવા પટેલ, રાજપૂત અને અન્ય સમાજોમાં પ્રચલિત આ અટકનો ચોક્કસ વંશવૃક્ષ સ્પષ્ટ નથી, પરંતુ તે પારિવારિક વારસા અને પ્રાદેશિક સંદર્ભ સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેનો ઇતિહાસ લોકપરંપરા અને સ્થાનિક દસ્તાવેજોમાં જોવા મળે છે.

History of city name : શેભરના ગોગા મહારાજના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે જે કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિનું અનોખું સંગમ છે. એવી જ એક પવિત્ર જગ્યા છે . અમદાવાદથી ખેરાલુ માર્ગે પાલનપુર તરફ જતાં રસ્તામાં આવેલું શેભર ગામ એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. આ ગામ અમદાવાદથી અંદાજે 130 કિલોમીટર દૂર આવેલું છે. અહીં પાતાળના દેવ શેષનારાયણ ભગવાન અને શેભરના ગોગા મહારાજનું પવિત્ર મંદિર આવેલું છે.

Gavaskar Surname History :ક્રિકેટ કોમેન્ટેટર અને પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવાસ્કરની અટકનો શું છે અર્થ? જાણો તેનો ઈતિહાસ

ગાવસ્કર અટક, ખાસ કરીને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં પ્રચલિત, એક સ્થળવાચક ઓળખ છે. 'કર' પ્રત્યય 'રહેવાસી' સૂચવે છે, જે તેના મૂળ ગામ સાથે જોડાણ દર્શાવે છે. સુનીલ ગાવસ્કરને કારણે વૈશ્વિક ખ્યાતિ પામેલી આ અટક, કોંકણના ઇતિહાસ, સંસ્કૃતિ અને સામાજિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ લેખ ગાવસ્કર અટકના ઉદ્ભવ, અર્થ અને ભૌગોલિક પ્રસાર પર પ્રકાશ પાડે છે.

Kashyap Surname History : કશ્યપ અટકનો અર્થ શું છે ? જાણો તેનો ઈતિહાસ, ગોત્ર, ધાર્મિક મહત્વ અને રસપ્રદ તથ્યો

કશ્યપ અટક અને ગોત્ર મહર્ષિ કશ્યપ સાથે સંકળાયેલું છે, જે એક પ્રાચીન હિન્દુ ઋષિ હતા. આ અટકનો ઇતિહાસ વેદો અને પુરાણોમાં જોવા મળે છે, જે ભારતના વિવિધ પ્રદેશોમાં ફેલાયેલો છે. કશ્યપ ગોત્રનું ધાર્મિક મહત્વ છે, પરંતુ તે કોઈ એક જાતિ પૂરતું મર્યાદિત નથી. આ અટક ધારકો શિક્ષણથી લઈને રાજકારણ સુધીના ક્ષેત્રોમાં યોગદાન.

પ્રાચીન સમયમાં જમીન નીચે ખજાનો કેમ છુપાવવામાં આવતો? જાણો તેની રહસ્યમય કહાની

પ્રાચીન સમયમાં રાજાઓ, વેપારીઓ અને લોકો પોતાના મૂલ્યવાન ખજાનાને જમીનમાં કેમ છુપાવતા હતા? તેની પાછળના ઐતિહાસિક કારણો અને પરંપરાની શરૂઆત વિશે જાણો રસપ્રદ માહિતી.

  • Nishat
  • Updated on: Jul 6, 2026
  • 2:51 pm

લોહગઢ કિલ્લાનો 2 હજાર વર્ષ જૂનો ઇતિહાસ: જ્યાં કેતનને ધક્કો અપાયો, તે સ્થળને લઈને કેમ છે રહસ્ય અને ભૂતિયા કથાઓ ?

પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લામાં બનેલી કેતન અગ્રવાલ હત્યાની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. પરંતુ આ કિલ્લો માત્ર આ ઘટનાને કારણે જ નહીં, તેના 2 હજાર વર્ષ જૂના ઇતિહાસ, છત્રપતિ શિવાજી મહારાજ સાથેના સંબંધ અને ભૂતિયા કથાઓને કારણે પણ લોકોમાં ઉત્સુકતા જગાવે છે.

History of the bicycle : 200 વર્ષ જૂની સાયકલની કહાની ! ભારતમાં કેવી રીતે બની લોકોની પહેલી પસંદ?

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને રોજિંદા જીવનમાં સાયકલનો વધુ ઉપયોગ કરવા પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં વધતા ઇંધણ ખર્ચ અને પર્યાવરણની સમસ્યાઓ વચ્ચે સાયકલ એક સસ્તું, આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી સાધન બની શકે છે. સાયકલ ચલાવવાથી પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે તેમજ શરીર પણ તંદુરસ્ત રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ તેને લઈને અનેક મતમતાંતરો છે. દ્વારિકા નગરીનું ડૂબવુ એ એક ભૌગોલિક ઘટના હતી. જો કે પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણના દેહ ત્યાગ અને યાદવ કુળના વિનાશ બાદ સમુદ્રએ દ્વારકા નગરીને પણ પોતાની અંદર જ સમાવી લીધી. મથુરાથી સ્થપાયેલી આ સુવર્ણ નગરી વિશ્વકર્મા દ્વારા નિર્મિત અદ્યતન શહેર હતું. ગાંધારીના શ્રાપ અને યાદવોના કલહથી તે સમુદ્રમાં સમાઈ ગઈ.

History of city name : કાલભૈરવ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લીની ગીરીમાળાની વચ્ચે આવેલ બોલુન્દ્રા ગામ ધાર્મિક મહત્વ ધરાવે છે. હિંમતનગરથી અંદાજે 25 કિલોમીટર દૂર ખેડ-તસિયા માર્ગ પર સ્થિત આ સ્થળે કાલભૈરવ દાદાનું ગુજરાતનું એકમાત્ર શિખરબંધી મંદિર આવેલું છે, જે ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર માનવામાં આવે છે.

History of city name : માઉન્ટ એવરેસ્ટ પહેલા કયા નામથી ઓળખાતો હતો? જાણો રસપ્રદ ઇતિહાસ

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં, પરંતુ તેના નામ પાછળની અનોખી કહાની માટે પણ જાણીતું છે. દુનિયા તેને “માઉન્ટ એવરેસ્ટ” તરીકે ઓળખે છે, પરંતુ પ્રાચીન સમયમાં તેનું નામ અલગ હતું. આખરે આ શિખરને “માઉન્ટ એવરેસ્ટ” નામ કેવી રીતે મળ્યું અને તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ શું છે, જાણો અહીં.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

મધ્યપ્રદેશના ઐતિહાસિક ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળા માત્ર પથ્થરોની એક ઈમારત નથી, પરંતુ તે ભારતની ભવ્ય જ્ઞાન પરંપરા, અજોડ સ્થાપત્ય અને રાજા ભોજના સુવર્ણકાળની જીવંત સાક્ષી છે. તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપતા આ પરિસરને મંદિર જાહેર કર્યું છે.

Breaking News: ભારત પરત ફરશે 1000 વર્ષ જૂની ‘ચોળા’ ધરોહર, નેધરલેન્ડે સોંપ્યા ઐતિહાસિક તામ્રપત્ર

નેધરલેન્ડે 11મી સદીના ચોળા વંશ સાથે જોડાયેલા ઐતિહાસિક તામ્રપત્રો ભારતને પરત આપ્યા છે. આ તામ્રપત્રો ચોળા સામ્રાજ્યની સંસ્કૃતિ, સમુદ્રી શક્તિ અને દક્ષિણ ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ પુરાવા માનવામાં આવે છે.

  • Nishat
  • Updated on: May 17, 2026
  • 8:54 am
g clip-path="url(#clip0_868_265)">