AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

લોહગઢ કિલ્લાનો 2 હજાર વર્ષ જૂનો ઇતિહાસ: જ્યાં કેતનને ધક્કો અપાયો, તે સ્થળને લઈને કેમ છે રહસ્ય અને ભૂતિયા કથાઓ ?

પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લામાં બનેલી કેતન અગ્રવાલ હત્યાની ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. પરંતુ આ કિલ્લો માત્ર આ ઘટનાને કારણે જ નહીં, તેના 2 હજાર વર્ષ જૂના ઇતિહાસ, છત્રપતિ શિવાજી મહારાજ સાથેના સંબંધ અને ભૂતિયા કથાઓને કારણે પણ લોકોમાં ઉત્સુકતા જગાવે છે.

History of the bicycle : 200 વર્ષ જૂની સાયકલની કહાની ! ભારતમાં કેવી રીતે બની લોકોની પહેલી પસંદ?

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને રોજિંદા જીવનમાં સાયકલનો વધુ ઉપયોગ કરવા પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં વધતા ઇંધણ ખર્ચ અને પર્યાવરણની સમસ્યાઓ વચ્ચે સાયકલ એક સસ્તું, આરોગ્યપ્રદ અને પર્યાવરણમૈત્રી સાધન બની શકે છે. સાયકલ ચલાવવાથી પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે તેમજ શરીર પણ તંદુરસ્ત રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ તેને લઈને અનેક મતમતાંતરો છે. દ્વારિકા નગરીનું ડૂબવુ એ એક ભૌગોલિક ઘટના હતી. જો કે પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણના દેહ ત્યાગ અને યાદવ કુળના વિનાશ બાદ સમુદ્રએ દ્વારકા નગરીને પણ પોતાની અંદર જ સમાવી લીધી. મથુરાથી સ્થપાયેલી આ સુવર્ણ નગરી વિશ્વકર્મા દ્વારા નિર્મિત અદ્યતન શહેર હતું. ગાંધારીના શ્રાપ અને યાદવોના કલહથી તે સમુદ્રમાં સમાઈ ગઈ.

History of city name : કાલભૈરવ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લીની ગીરીમાળાની વચ્ચે આવેલ બોલુન્દ્રા ગામ ધાર્મિક મહત્વ ધરાવે છે. હિંમતનગરથી અંદાજે 25 કિલોમીટર દૂર ખેડ-તસિયા માર્ગ પર સ્થિત આ સ્થળે કાલભૈરવ દાદાનું ગુજરાતનું એકમાત્ર શિખરબંધી મંદિર આવેલું છે, જે ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર માનવામાં આવે છે.

History of city name : માઉન્ટ એવરેસ્ટ પહેલા કયા નામથી ઓળખાતો હતો? જાણો રસપ્રદ ઇતિહાસ

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં, પરંતુ તેના નામ પાછળની અનોખી કહાની માટે પણ જાણીતું છે. દુનિયા તેને “માઉન્ટ એવરેસ્ટ” તરીકે ઓળખે છે, પરંતુ પ્રાચીન સમયમાં તેનું નામ અલગ હતું. આખરે આ શિખરને “માઉન્ટ એવરેસ્ટ” નામ કેવી રીતે મળ્યું અને તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ શું છે, જાણો અહીં.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

મધ્યપ્રદેશના ઐતિહાસિક ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળા માત્ર પથ્થરોની એક ઈમારત નથી, પરંતુ તે ભારતની ભવ્ય જ્ઞાન પરંપરા, અજોડ સ્થાપત્ય અને રાજા ભોજના સુવર્ણકાળની જીવંત સાક્ષી છે. તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપતા આ પરિસરને મંદિર જાહેર કર્યું છે.

Breaking News: ભારત પરત ફરશે 1000 વર્ષ જૂની ‘ચોળા’ ધરોહર, નેધરલેન્ડે સોંપ્યા ઐતિહાસિક તામ્રપત્ર

નેધરલેન્ડે 11મી સદીના ચોળા વંશ સાથે જોડાયેલા ઐતિહાસિક તામ્રપત્રો ભારતને પરત આપ્યા છે. આ તામ્રપત્રો ચોળા સામ્રાજ્યની સંસ્કૃતિ, સમુદ્રી શક્તિ અને દક્ષિણ ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ પુરાવા માનવામાં આવે છે.

  • Nishat
  • Updated on: May 17, 2026
  • 8:54 am

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલુ સોમનાથ મંદિર એ માત્ર 12 જ્યોતિર્લિંગોમાંનું જ પ્રથમ જ્યોતિર્લિંગ નથી પરંતુ તે પ્રાચન ભારતીય સ્થાપત્ય અને વિજ્ઞાનના અદ્દભૂત સંગનું પણ પ્રતિક છે. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ તેનાથી સેંકડો સદીઓ પહેલા અહીં એક એવુ શિવલિંગ બિરાજમાન હતુ જે કોઈપણ આધાર વિના જમીનથી અધ્ધર હવામાં સ્થિર અને સ્થિત રહેતુ હતુ. શું આ કોઈ ચમત્કાર હતો કે સદીઓ પહેલા આપણા પ્રાચીન કારીગરોએ શોધેલુ વિજ્ઞાન. ચાલો આજે સોમનાથ મંદિરના એ જમીનથી અધ્ધર હવામાં તરતા જ્યોતિર્લિંગના રહસ્યના ઈતિહાસને સમજીએ.

ભારતમાં સૌપ્રથમ શરૂ થયેલા પેટ્રોલ પંપ પર કેવી રીતે ભરાતુ હતુ પેટ્રોલ, કેવી રીતે થતુ સપ્લાય? 1 લીટર પેટ્રોલની શું હતી કિંમત?

આજે પેટ્રોલ પંપ પર તમે જોયુ હશે કે પંપમાંથી નળી દ્વારા ડાયરેક્ટ વાહનમાં પેટ્રોલ ભરવામાં આવે છે. પરંતુ તમે નહીં જાણતા હો કે જ્યારે દેશમાં પહેલો પેટ્રોલ પંપ ખૂલ્યો ત્યારે કેવી રીતે પેટ્રોલ ભરવામાં આવતુ હતુ. આવો જાણીએ ભારતમાં શરૂ થયેલા પહેલા પેટ્રોલ પંપનો ઈતિહાસ.

ગોલગપ્પાનો અસલી ઇતિહાસ શું છે? આ સવાલનો સાચો જવાબ કોઈ પાસે નથી!

ગોલગપ્પાનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ એક એવી લાગણી સાથે જોડાયેલો અનુભવ છે જે દરેકને આકર્ષે છે. હવે વાત કરીએ તેની શરૂઆત વિશે, પહેલો ગોલગપ્પા ક્યારે અને ક્યાં બનાવાયો તેની ચોક્કસ માહિતી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેનો ઉદ્ભવ પ્રાચીન ભારતમાં થયો હતો અને સમય સાથે તે દેશભરમાં અલગ-અલગ નામ અને સ્વાદ સાથે લોકપ્રિય બન્યો છે.

સનાતન ભારતનો ઈતિહાસ… હડપ્પાથી પણ લાખો વર્ષ જૂની આપણી સંસ્કૃતિનું રહસ્ય- વાંચો

જો કે ઈતિહાસના પુસ્તકોમાં જે છપાયુ છે તે તો આપણને જણાવે છે કે મનુષ્યો આફ્રિકાથી ભારત આવ્યા હતા, જો કે હડપ્પા, મોહેં-જો- દડો કરતા પણ જૂની નર્મદા ઘાટીમાંથી મળી આવેલ 'નર્મદા હ્યુમન'નો અશ્મિ (ફોસિલ) લગભગ 5 લાખ વર્ષ જૂનો હોવાનું મનાય છે. જ સાબિત કરે છે કે હડપ્પા અને મોહેં-જો-દડો કરતા પણ લાખઓ વર્ષ પહેલા અહીં માનવ વસવાટ હતો.

ક્યાં ખૂલ્યું હતું ભારતનું પહેલું ‘પેટ્રોલ પંપ’? ત્યારે શું હતી 1 લિટરની કિંમત? જાણો આ રોમાંચક ઇતિહાસ

અત્યારે વિશ્વમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, તેના કારણે તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. આ બાબતને લઈને સામાન્ય લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે. તેલના આજના મહત્વને જોતા એ જાણવું રસપ્રદ છે કે, ભારતમાં પેટ્રોલ પંપની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી?

Breaking News : કચ્છમાં 10 વર્ષ બાદ જન્મ્યું આ પક્ષીનું બચ્ચુ, સુરક્ષા માટે વન વિભાગે ખાસ ટુકડીઓ તહેનાત કરી

લગભગ દાયકાઓ બાદ કચ્છમાં ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે, જે વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે અને લુપ્ત થતી આ પ્રજાતિ માટે નવી આશા જગાવી છે.

Kishan Surname History : IPL 2026 ક્રિકેટર Ishan Kishan ની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો

“કિશન” સરનેમનો અર્થ શું છે અને તેનો ઉદ્ભવ ક્યાંથી થયો? જાણો ભગવાન શ્રીકૃષ્ણ સાથેનો તેનો ધાર્મિક સંબંધ, તેના પાછળ છુપાયેલો ઈતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તેનું ખાસ મહત્વ શું છે.

ચોકડી, ફૂલ, કાળી અને લાલ … તાશના પત્તાઓને આ નામ કેમ મળ્યા ? ક્યારેય વિચાર્યું છે…

ચોકડી, ફૂલ, કાળી અને લાલ, તાશના પત્તાઓમાં વપરાતા આ નામો પાછળનો ઇતિહાસ શું છે? આ લેખમાં જાણીશું ચાર સૂટ્સના નામ, તેમની ઉત્પત્તિ અને દુનિયાભરમાં તેઓ કેવી રીતે પ્રચલિત થયા તેની રસપ્રદ કહાની.

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
g clip-path="url(#clip0_868_265)">