AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈતિહાસ

ઈતિહાસ

ઈતિહાસ એ માનવજાતિના ભૂતકાળનો વિવિધ ઘટનાઓનો વિગતવાર અભ્યાસ છે, જે સમાજ, સંસ્કૃતિ, રાજકીય વ્યવસ્થા અને અર્થતંત્રના વિકાસને દર્શાવે છે.

ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધોની કથાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે સામાન્ય લોકોના જીવન, તેમના સંઘર્ષો અને જીવનશૈલીનું પણ પ્રતિબિંબ આપે છે. ઈતિહાસના અભ્યાસ દ્વારા આપણે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી શીખી શકીએ છીએ અને ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

વિવિધ સંસ્કૃતિઓના ઉદ્ભવ અને પતન, સામાજિક અને ધાર્મિક પરિવર્તનો, શોધો અને આવિષ્કારો—આ બધું જ ઈતિહાસના પાનાંમાં લખાયેલું છે. ઈતિહાસ આપણને પોતાની ઓળખ સમજવામાં અને સમાજની પ્રગતિ માટે પ્રેરણા આપે છે.

આથી, ઈતિહાસનો અભ્યાસ માત્ર ભવિષ્ય માટે શિક્ષણ પૂરું પાડે છે નહીં, પરંતુ તે સમાજ અને માનવજાતિ માટે એક મજબૂત પાયો પણ છે.

Read More

ભારતમાં આટલી બધી ભાષાઓ કેમ? વસ્તીગણતરીના આંકડા અને ભૂગોળ પાછળ છુપાયેલી અનોખી વાર્તા

એક જ દેશ અને એક જ સવાલના 20,000 જવાબો... વિચારો જ્યારે આખી દુનિયા એમ માનતી હતી કે, ભારતમાં બસ થોડીક જ ભાષાઓ છે, ત્યારે વસ્તીગણતરીના એક જ ફોર્મે અધિકારીઓના પણ હોશ ઉડાવી દીધા. આખરે એવું તો શું છે, ભારતના ભૂગોળ, તેના સદીઓ જૂના ઇતિહાસ અને આઝાદી પછી લેવાયેલા એક ગુપ્ત દાવમાં... જેણે આ દેશને ટુકડા થવાથી બચાવ્યો અને આજે પણ દરેક સીમા પાર કરતા જ અવાજ બદલી નાખે છે?

દેશના કયા મંદિરોમાં પ્રસાદ તરીકે ચઢે છે ‘નોનવેજ’? દેવી-દેવતાઓને કેમ ધરાવાય છે ‘ચિકન અને મટનનો ભોગ’?

સામાન્ય રીતે આપણે મંદિરોમાં ફળ, મીઠાઈ કે પંજીરીનો પ્રસાદ જોતા હોઈએ છીએ. હવે આ બધા વચ્ચે શું તમે જાણો છો કે, આપણા જ દેશમાં કેટલાક એવા પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિરો પણ છે, જ્યાં ભગવાનને નોનવેજ એટલે કે માંસાહારી ભોગ ચઢાવવાની સદીઓ જૂની પરંપરા છે? આ મંદિરોમાં બલી ચઢાવ્યા બાદ અથવા વિશેષ પૂજા પછી ચિકન, મટન કે માછલીનો ભોગ દેવી-દેવતાઓને અર્પણ કરાય છે અને ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.

BRICS Summit 2026 : માત્ર એક રિસર્ચ પેપરથી શરૂ થયેલું સંગઠન કેવી રીતે બન્યું 11 દેશોનું મહાગ્રુપ ? જાણો રસપ્રદ ઈતિહાસ

નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મું બ્રિક્સ સંમેલન યોજાઈ રહ્યું છે. વર્ષ 2001માં અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલ દ્વારા શરૂ થયેલા એક વિચારથી લઈને 2026 સુધીમાં 11 પૂર્ણ સભ્યો અને 10 પાર્ટનર દેશો સુધી વિસ્તરેલા BRICS સંગઠનની રોમાંચક સફર અને મહત્વ વિશે વિગતવાર જાણો.

શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?

હાલ આ સવાલ એટલા માટે કારણ કે અભિનેત્રી(?) સ્વરા ભાસ્કર કહે છે કે ફિલ્મ 'પદ્માવત' માં ફિલ્માવાયેલો 'જૌહર સીન' આજની રેપ સર્વાઈવલ્સને એ સંદેશ આપી રહ્યો છે કે જો તમારે ઈજ્જત બચાવવી છે તો જીવ આપી દેવો જોઈએ. એવુ નથી કે સ્વરા ભાસ્કરે આવુ પહેલીવાર કહ્યુ હોય. વર્ષ 2018માં પણ સ્વરાએ આ વાત કરી હતી. સ્વરાએ આ વાત છેડ્યા બાદ વિવાદ તો થવાનું નક્કી જ હતુ અને થયો પણ. એકતરફ કરોડો લોકો કહી રહ્યા છે કે અમારા ઘરમાં દાદી-નાનીઓ આજે પણ જણાવે છે કે રાણીએ વિરતાની પરાકાષ્ટાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. તેમણે અગ્નિ સ્નાન કરવાનું પસંદ કર્યુ પરંતુ ગુલામી નહોંતી સ્વીકારી.

Mandanna Surname History : રશ્મિકા મંદાનાની અટકનો રહસ્યમય ઇતિહાસ, કોડવા સમુદાયથી રાષ્ટ્રીય ઓળખ સુધી

Mandanna અટકનો કર્ણાટકના કોડાગુ (કુર્ગ) પ્રદેશ અને કોડવા સમુદાય સાથેના તેના ઐતિહાસિક સંબંધો, અર્થ અને ઉત્પત્તિ પર પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે કેવી રીતે આ દુર્લભ અટક પેઢીઓથી ચાલી આવે છે અને અભિનેત્રી રશ્મિકા Mandanna દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી છે, જે કોડવા સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે.

Doval Surname History : અજીત ડોભાલની અટક ‘Doval’ નું મૂળ ક્યાં? ગઢવાલ સાથે જોડાયેલ રસપ્રદ ઇતિહાસ

ડોભાલ અટક મુખ્યત્વે ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશ સાથે જોડાયેલી છે. આ અટકનો ચોક્કસ શાબ્દિક અર્થ સ્પષ્ટ નથી, પરંતુ તે સ્થાનિક કુટુંબ કે પ્રદેશની ઓળખમાંથી વિકસી હોવાનું મનાય છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ અટક ધરાવે છે. ડોભાલ અટક ગઢવાલના ઐતિહાસિક અને સામાજિક મૂળની એક મહત્વપૂર્ણ પ્રાદેશિક ઓળખ દર્શાવે છે.

ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ

ભારતના ઐતિહાસિક વારસામાં એક એવું શહેર શામેલ છે જે એક સમયે 'દરવાજાઓનું શહેર' તરીકે જાણીતું હતું. એવું કહેવાય છે કે શહેરમાં વિવિધ દિશાઓથી પ્રવેશ માટે 52 વિશાળ દરવાજા બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા આજે પણ ઇતિહાસના સાક્ષી તરીકે ઉભા છે. ઐતિહાસિક દરવાજા પાછળની સાચી વાર્તા શું છે? ચાલો જાણીએ.

સુહાગરાતની પરંપરા ક્યાંથી શરૂ થઈ ? જાણો લગ્નની પહેલી રાતનો રસપ્રદ ઇતિહાસ અને અલગ-અલગ રાજ્યોના રિવાજો

લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાતનો રિવાજ ક્યારથી શરૂ થયો અને તેનો ઇતિહાસ શું છે? જાણો દેશના વિવિધ રાજ્યોમાં આ પરંપરાને કયા નામે ઓળખવામાં આવે છે.

1947માં લાલ કિલ્લા પર નહીં, પણ અહીં ફરકાવવામાં આવ્યો હતો ત્રિરંગો ! તો હવે લાલ કિલ્લા પર જ કેમ ?

શું તમે જાણો છો કે લાલ કિલ્લો જે હવે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પર્યાય છે તે સ્થળ પર સૌથી પહેલા ત્રિરંગો ફરકાવવામાં આવ્યો જ ન હતો. 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્રતા દિવસે જાહેરમાં પહેલી વખત ત્રિરંગો ફરકાવવામાં આવ્યો પણ તે સ્થળ કયુ હતુ

Pawar Surname History : Pawar અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘Pawar’નો સાચો અર્થ અને ઈતિહાસ

પવાર અટક ભારતના અનેક વિસ્તારોમાં પ્રચલિત છે, જેનો સંબંધ માત્ર એક પરિવાર સાથે નથી, પરંતુ તેનો એક સમૃદ્ધ ઐતિહાસિક અને સામાજિક સંદર્ભ છે. તેને 'પરમાર' કે 'પનવાર' સાથે પણ જોડવામાં આવે છે. મરાઠા ઇતિહાસ અને મધ્ય-પશ્ચિમ ભારતમાં આ અટકનું વિશેષ મહત્વ રહ્યું છે. સમય જતાં ભાષાકીય અને પ્રાદેશિક ફેરફારોને કારણે તેના સ્વરૂપો બદલાયા છે, જે ભારતના વૈવિધ્યસભર ઇતિહાસનું પ્રતિબિંબ પાડે છે.

Kalra Surname History : Lock Upp 2 Winner શ્રેયા કાલરાની અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘કાલરા’નો સાચો અર્થ

કાલરા અટક મુખ્યત્વે પંજાબી ખત્રી સમાજ સાથે સંકળાયેલી છે. તેની ઉત્પત્તિ અને ઇતિહાસ વેપાર, શિક્ષણ અને સ્થળાંતર સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ભારતના ભાગલા પછી વિશ્વભરમાં ફેલાયેલા કાલરા પરિવારો આજે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે, શિક્ષણ અને પારિવારિક મૂલ્યોને મહત્વ આપીને પોતાની આગવી ઓળખ બનાવી છે.

Rawat Surname History : Pradeep Rawat ની અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘રાવત’નો સાચો અર્થ

રાવત અટક એક પ્રાચીન અને ગૌરવપૂર્ણ અટક છે, જેનો અર્થ વીર યોદ્ધા કે નેતા થાય છે. ભારતના રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આ અટકના લોકો જોવા મળે છે. રાજાઓ દ્વારા અપાયેલી ઉપાધિમાંથી વિકસેલી આ અટક બહાદુરી અને નેતૃત્વની પરંપરા દર્શાવે છે. રાવત અટક કોઈ એક જાતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં તેના યોગદાન માટે જાણીતી છે.

મરીન ઈતિહાસકારે ખોલી અંગ્રેજોના જુઠાણાની પોલ, સૌથી જુની સભ્યતા ભારતીય હતી નહીં કે મેસોપોટેમિયાની- વાંચો

અત્યાર સુધી યુરોપિયન ઈતિહાસકારો મેસોપોટેમિયાને સૌથી જુની સભ્યતાનું કેન્દ્ર માનતા હતા. પરંતુ એક ઈતિહાસકારે તથ્યો અને સેટેલાઈટ સાક્ષ્યના આધારે આ થિયરી સંપૂર્ણપણે પલટાવીને રાખી દીધી. તેમણે કહ્યુ કે સૌથી જુની સભ્યતા ભારતની છે અને ત્યાંથી જ સભ્યતાની શરૂઆત થઈ હતી. તેમનો દાવો છે કે 4000 વર્ષ સુધી યુરોપમાં ભારતના લોથલ જેવુ કોઈ બંદર વિકસ્યુ જ ન હતુ. અંગ્રેજોએ તેમના પૂર્વગ્રહને આધારે મેસોપોટેમિયાને દુનિયાની સૌથી પહેલી સભ્યતા ગણાવી જ્યારે ઈતિહાસકાર કોલિનનો દાવો છે કે ભારત તમામ સભ્યતાનું જનક છે અને અહીંથી જ સૌથી પહેલી સભ્યતા વિકસી હતી દુનિયામાં વિસ્તરી હતી. આ તમામ દાવાને સાબિત કરતા તથ્યો પણ કોલિને રજૂ કર્યા છે અને અંગ્રેજોનો જુઠાણાનો પર્દાફાશ કર્યો છે.

જનતાનો અવાજ ‘ગાદી’ પણ ડગમગાવી શકે છે… ઇતિહાસ જોઈ લો ! જાણો ક્યારે અને કેમ લોકશાહીની તાકાત સામે ‘સરકાર’ ઘૂંટણિયે પડી ?

ઇતિહાસ સાક્ષી છે કે, લોકશાહીમાં સૌથી મોટી શક્તિ જનતાના અવાજમાં છે. એવામાં જ્યારે પણ સરકારે પ્રજાના ન્યાયી અવાજને દબાવવાનો પ્રયત્નો કર્યા છે, ત્યારે ત્યારે અહિંસક 'ભૂખ હડતાલ' સામે મોટી-મોટી સત્તાઓને પણ ઝૂકવું પડ્યું છે. ડિજિટલ યુગના કોઈ પણ પ્રોપેગેન્ડા કે એલ્ગોરિધમ આ નૈતિક બળને દબાવી શકતા નથી.

Rupala Surname History : પરશોત્તમ રુપાલાની અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘રૂપાલા’નો સાચો અર્થ

રૂપાલા અટક ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ઓળખ છે. 'રૂપાળો' શબ્દ પરથી ઉદ્ભવેલી આ અટક સુંદરતા અને તેજસ્વિતા દર્શાવે છે. સૌરાષ્ટ્રના કડવા પટેલ, રાજપૂત અને અન્ય સમાજોમાં પ્રચલિત આ અટકનો ચોક્કસ વંશવૃક્ષ સ્પષ્ટ નથી, પરંતુ તે પારિવારિક વારસા અને પ્રાદેશિક સંદર્ભ સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેનો ઇતિહાસ લોકપરંપરા અને સ્થાનિક દસ્તાવેજોમાં જોવા મળે છે.

g clip-path="url(#clip0_868_265)">