પીએમ મોદીએ થિરુ સી. જોસેફ વિજયને, તમિલનાડુના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્ર સરકાર તમિલનાડુના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર સાથે કામ કરતી રહેશે તેમ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે.
Congratulations to Thiru C. Joseph Vijay on taking oath as Tamil Nadu Chief Minister. Best wishes for his tenure ahead. The Central Government will keep working with the Tamil Nadu Government to improve the lives of people.@TVKVijayHQ
— Narendra Modi (@narendramodi) May 10, 2026
પંચમહાલમાં ગોધરાના વાવડી ખુર્દ પાસે અકસ્માતમાં 3 યુવાનના મોત થયા છે. મોડી રાતે મુખ્ય માર્ગની બાજુમાં ઉભેલ 3 યુવકને કાર ચાલકે લીધા અડફેટે. વાવડી ખુર્દ ગામ નજીક હોટલ ચામુંડા પાસે થયો અકસ્માત. અકસ્માતમાં બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ થયા મોત. અકસ્માતમાં દરૂણિયા ગામના 2 અને બેટિયા ગામના 1 યુવકનું થયું ઘટના સ્થળે જ મોત. તમામ મૃતદેહોને પી એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કાર ચાલક મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં મધર્સ ડે ના દિવસે માતૃત્વ લજવાયું છે. પાલનપુરમાં ખેતરના સેઢે નવજાત ત્યજી દેવાઈ છે. અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચડોતર ગામે ખેતરના સેઢા પરથી જીવિત બાળકી મળી આવી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે. ખેતરેથી પરત ફરી રહેલ વ્યક્તિએ સેઢા પર નવજાત શિશુ જોતા પોલીસને જાણ કરી હતી. બાળકીનો જન્મ છુપાવવા માટે કોઈ અજાણી સ્ત્રીએ તેને ત્યજી દીધી હોવાનું અનુમાન. અજાણી મહિલા વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ.
વિજય આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ટીવીકે ચીફ સી. જોસેફ વિજય આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે. તેમણે બે વર્ષ પહેલા પાર્ટીની સ્થાપના કરી હતી. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન- ડીએમકે / એઆઈએડીએમકે સરકાર બનવાની તૈયારીમાં છે.
લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરાયો છે. ડઢાણા ગામે ચાલુ કાર્યક્રમમાં કરાયો હુમલો. લગ્ન પ્રસંગે ગરબા કાર્યક્રમમાં બનેલ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાર્કિંગ પ્લોટમા પણ બે ગાડીઓ અથડાવવામા આવી હતી. હાલમાં પોલીસે આરોપીઓની અટકાયત કરવા અને હુમલા પાછળના મુખ્ય હેતુને સ્પષ્ટ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પ્રેમ લગ્ન બાદ અલ્પેશ અને કાજલના સાસરી પક્ષના લોકોને, સતત ધમકીઓ મળતી હોવાના ગંભીર આક્ષેપો કાજલ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી આ હુમલા પાછળના કારણો અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અમદાવાદના હાંસોલ ઈન્દિરા બ્રિજ ખાતે આઈકોનિક રોડ પરથી પસાર થઈ રહેલા વૃદ્ધને ગુજરાત હાઈકોર્ટના જજના પુત્રે કારથી ઉડાવી દીધા હતા. કાર ચાલક ચિરાગ વાછાનીએ રાહદારી વૃદ્ધ જગદીશ પ્રજાપતિ અડફેડે લીધા હતા. વૃદ્ધને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધ જગદીશભાઈનું સારવાર દરમિયાન મુત્યુ નિપજ્યું હતું. જી ટ્રાફિક પોલીસે કારચાલક ચિરાગ વાછાની વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
આજે 10 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 9:58 am, Sun, 10 May 26