જન્મ આપનાર જ ભગવાન, ગુજરાતના આ જિલ્લામાં છે અનોખું માતા-પિતાનું મંદિર, જુઓ તસવીર

દરેક સંતાનને જન્મ થી સફળતા સુધી પહોંચાડવા માટે માતા પિતાનો મોટો હાથ હોય છે. મહત્વનું છે કે આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. હાલના સમયમાં લોકો ભગવાનને પૂજે છે. પરંતુ માતાપિતાના પ્રેમ અને આદર માં ઉછરેલા આ વ્યક્તિએતો માતાપિતાનું મંદિર જ બનાવી દીધું છે.

Manish Trivedi
| Edited By: | Updated on: May 17, 2024 | 6:57 PM
એક એવું મંદિર જ્યાં નથી કોઈ દેવી કે દેવતા, જ્યાં નથી થતું કોઈ પૂજન કે અર્ચન, જ્યાં નથી થતા ધૂપ કે પ્રગટાવતા દીવા.. છતાં મળે છે ખોબો ભરીને અંતરના આશિર્વાદ...

એક એવું મંદિર જ્યાં નથી કોઈ દેવી કે દેવતા, જ્યાં નથી થતું કોઈ પૂજન કે અર્ચન, જ્યાં નથી થતા ધૂપ કે પ્રગટાવતા દીવા.. છતાં મળે છે ખોબો ભરીને અંતરના આશિર્વાદ...

1 / 7
આ મંદિર છે માતા-પિતા મંદિર. અમદાવાદના સિટી સિવિલ કોર્ટમાં સિનિયર એડવોકેટ હરેશ શાહ અને શેર બ્રોકર દિપક શાહે માતા- પિતાની સ્મૃતિમાં  પોતાના ઘરે આ મંદિર બનાવ્યું છે. તેઓ માને છે કે જો ઘરમાં મંદિર હોય તો એ ફક્ત "માતા-પિતા" નું જ હોય. હરેશભાઈ પોતાની લાગણી વ્યક્ત કરતા કહે છે મારા શરીરના પ્રથમ અણુનું નિર્માણ જ જો માતાના ઉદરમાં થયું હોય અને લોહીના દરેક ટીપાનું સિંચન મારી માતા દ્વારા થયું  હોય તો મારા ભગવાન જ મારા માતા હોય.

આ મંદિર છે માતા-પિતા મંદિર. અમદાવાદના સિટી સિવિલ કોર્ટમાં સિનિયર એડવોકેટ હરેશ શાહ અને શેર બ્રોકર દિપક શાહે માતા- પિતાની સ્મૃતિમાં પોતાના ઘરે આ મંદિર બનાવ્યું છે. તેઓ માને છે કે જો ઘરમાં મંદિર હોય તો એ ફક્ત "માતા-પિતા" નું જ હોય. હરેશભાઈ પોતાની લાગણી વ્યક્ત કરતા કહે છે મારા શરીરના પ્રથમ અણુનું નિર્માણ જ જો માતાના ઉદરમાં થયું હોય અને લોહીના દરેક ટીપાનું સિંચન મારી માતા દ્વારા થયું હોય તો મારા ભગવાન જ મારા માતા હોય.

2 / 7
પિતાએ પોતાના પરસેવાની કમાણીનો ઉપયોગ મારા જીવનની પ્રથમ વસ્તુ ખરીદવા માટે આપ્યો હોય એ લાગણી કેમ ભુલાય. મારા જન્મના પ્રથમ દિવસથી શરૂ કરીને આજીવન માતા-પિતાએ મારા ઉછેર માટે પોતાના સુખ અને લાગણીઓને બાજુ પર રાખી મારા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. માટે ઘરમાં મંદિર તો માતા-પિતા નું જ હોય તેવું તેમનું કહેવું છે.

પિતાએ પોતાના પરસેવાની કમાણીનો ઉપયોગ મારા જીવનની પ્રથમ વસ્તુ ખરીદવા માટે આપ્યો હોય એ લાગણી કેમ ભુલાય. મારા જન્મના પ્રથમ દિવસથી શરૂ કરીને આજીવન માતા-પિતાએ મારા ઉછેર માટે પોતાના સુખ અને લાગણીઓને બાજુ પર રાખી મારા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. માટે ઘરમાં મંદિર તો માતા-પિતા નું જ હોય તેવું તેમનું કહેવું છે.

3 / 7
માતા-પિતા પોતાના બાળકો માટે જે પણ કરે છે કે આપે છે એ કોઈપણ સ્વાર્થ વગર આપે છે, કશું માગ્યા વગર આપે છે, સમજીને આપે છે. માટે મા-બાપથી વિશેષ આ દુનિયામાં બીજું કશું હોય જ ન શકે.

માતા-પિતા પોતાના બાળકો માટે જે પણ કરે છે કે આપે છે એ કોઈપણ સ્વાર્થ વગર આપે છે, કશું માગ્યા વગર આપે છે, સમજીને આપે છે. માટે મા-બાપથી વિશેષ આ દુનિયામાં બીજું કશું હોય જ ન શકે.

4 / 7
તેમનું કહેવું છે કે, આ મંદિર પોતાના જન્મદાતાઓ માટેનું મંદિર છે. તેમના આશીર્વાદ નું મંદિર છે. તેમની આસ્થા માટેનું મંદિર છે. આ મંદિરમાં આવીને તમે દર્શન કરશો તો તમને તમારા માતા પિતાના દર્શન થશે. માતા પિતાએ કરેલા ઉપકારના આપણે આજીવન ઋણી છીએ. આ ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ.

તેમનું કહેવું છે કે, આ મંદિર પોતાના જન્મદાતાઓ માટેનું મંદિર છે. તેમના આશીર્વાદ નું મંદિર છે. તેમની આસ્થા માટેનું મંદિર છે. આ મંદિરમાં આવીને તમે દર્શન કરશો તો તમને તમારા માતા પિતાના દર્શન થશે. માતા પિતાએ કરેલા ઉપકારના આપણે આજીવન ઋણી છીએ. આ ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ.

5 / 7
સમગ્ર વિશ્વને આ સંદેશો આપવા માટે અને આપણે માતા-પિતા ને આપણા ઘરમા અને આપણા હૃદયમાં સન્માનપૂર્વક દરજ્જો આપી શકીએ આ શુભ ઉદ્દેશ્યથી હરેશભાઈ અને દિલીપભાઈએ આ મંદિર બનાવ્યું છે.

સમગ્ર વિશ્વને આ સંદેશો આપવા માટે અને આપણે માતા-પિતા ને આપણા ઘરમા અને આપણા હૃદયમાં સન્માનપૂર્વક દરજ્જો આપી શકીએ આ શુભ ઉદ્દેશ્યથી હરેશભાઈ અને દિલીપભાઈએ આ મંદિર બનાવ્યું છે.

6 / 7
12 ફૂટ ઊંચા અને 6 ફૂટ પહોળા આ અષ્ટકોણીય મંદિરને બનતા 11 મહિનાનો સમય લાગ્યો હતો. તેમના આર્કિટેક્ચર મિત્ર જીગ્નેશભાઈ સાથે મળીને ફાઇબર ગ્લાસ અને કાંસામાંથી માતા-પિતાની મૂર્તિ અને મંદિર ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી એક વ્યક્તિ વિશેષ અથવા બાળકોના માતાપિતા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ આશય નથી.

12 ફૂટ ઊંચા અને 6 ફૂટ પહોળા આ અષ્ટકોણીય મંદિરને બનતા 11 મહિનાનો સમય લાગ્યો હતો. તેમના આર્કિટેક્ચર મિત્ર જીગ્નેશભાઈ સાથે મળીને ફાઇબર ગ્લાસ અને કાંસામાંથી માતા-પિતાની મૂર્તિ અને મંદિર ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી એક વ્યક્તિ વિશેષ અથવા બાળકોના માતાપિતા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ આશય નથી.

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">