AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.

અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.

Read More

Breaking News : અમદાવાદમાં વાયુ પ્રદૂષણ અંગે જાણવા 140 બાંધકામ સ્થળોનું નિરીક્ષણ કરાયું

2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે પ્રયાસો કરી રહી છે, જેમાં બાંધકામ સ્થળોએથી થતા પ્રદૂષણને રોકવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

Ahmedabad News: ખાનપુરની ‘બાગબાન’ સાઈટ વિવાદમાં, અશાંતધારાની મંજૂરી મેળવવા હિન્દુ ભાગીદારને ‘મહોરો બનાવાયાનો MLAનો આક્ષેપ

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં અશાંતધારા હેઠળ મંજૂરી મેળવવા માટે ‘રહેબર ડેવલપર્સ’ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મુસ્લિમ બિલ્ડર ગ્રુપ દ્વારા હિન્દુ વિસ્તારમાં બાંધકામની પરવાનગી લેવા માટે 5% હિસ્સા સાથે હિન્દુ વ્યક્તિને ભાગીદાર બનાવ્યા બાદ મંજૂરી મળતા જ તેને દૂર કરી દેવાતા વિવાદ વકર્યો છે. ધારાસભ્યની ફરિયાદ અને તપાસમાં ગેરરીતિ સામે આવતા તંત્રએ સાઈટ સીલ કરી છે, જેની સામે બિલ્ડરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસ પરત લેવા મામલે હવે રાજનીતિ થઈ તેજ, હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની ઉઠી માગ

ક્ષત્રિય યુવાઓ સામેના કેસ પરત ખેંચાતા કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. પૂર્વ MLA ઋત્વીક મકવાણાએ પણ સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માગ કરી છે.

હોસ્પિટલમાં ‘હેવાનિયત’! સાબરમતીમાં ખાનગી દવાખાનામાં મહિલા દર્દીની છેડતી, અડપલા કરનાર સ્ટાફ બ્રધર જેલભેગો – જુઓ Video

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ (Metis) હોસ્પિટલમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. વાત એમ છે કે, હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની છેડતી કરવામાં આવી છે. હવે આ ઘટનાને લઈને દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Breaking News : સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, ત્રણની ધરપકડ, જુઓ Video

સુરતમાં DGGI એ ₹37 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના તાર અમદાવાદ, બેંગલુરુ અને દિલ્હી સુધી ફેલાયેલા હતા. તપાસ એજન્સી દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના બાબુલાલ રાધેશ્યામ શર્મા અને સુરતની એક કંપનીના ડાયરેક્ટરનો સમાવેશ થાય છે. આરોપીઓએ બેંક લોન મેળવવા અને જીએસટી ચોરી કરવા બોગસ પેઢીઓ બનાવી હતી.

Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત, અનેક વિસ્તારોમાં 180 ને પાર, જુઓ Video

અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર ફરી વધ્યું છે. શહેરના એસજી હાઈવે, નરોડા, ઓઢવ, શાહીબાગ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં AQI 185 થી 195 વચ્ચે પહોંચી ગયો છે, જે ચિંતાજનક છે ઠંડી વધવાની સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જેના કારણે સવારે વિઝિબિલિટી ઘટી રહી છે અને વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવી પડે છે.

Breaking News : ભારતીય રેલવેની મોટી સિદ્ધિ, અમદાવાદમાં પ્રથમ LNG–ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનો પ્રારંભ, જુઓ Photos

ભારતીય રેલવેએ અમદાવાદ ખાતે તેની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું સફળ સંચાલન કર્યું છે. આ પહેલ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-પ્રભાવી રેલ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

અમદાવાદ શાહપુરમાં તંત્રની આંખ ઉઘાડતો વીડિયો વાયરલ થતાં મહિલા કોર્પોરેટર એક્શનમાં, જુઓ Video

અમદાવાદને સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ શાહપુર વિસ્તારમાં રસ્તા અને ગટરની દયનીય સ્થિતિ વિકાસના દાવાને પોકળ સાબિત કરે છે. બે મહિનાથી ગટરના કામ માટે ખોદેલા રસ્તાઓ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પૂર્ણ થયા નથી.

Breaking News : અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું મોત, જુઓ Video

અમદાવાદના ઘી કાંટા નજીક નવતાડની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું. ડ્રેનેજ કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં એક મજૂર પણ ઘાયલ થયો હતો.

Breaking News : પવનની દિશા બદલાતાં રાજ્યમાં ઠંડી-ગરમીનો ડબલ પ્રહાર, 3 દિવસમાં તાપમાન વધશે પછી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે

રાજ્યમાં આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉતર-પૂર્વ દિશાના પવન ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થશે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે દિવસ દરમિયાન ગરમી અને સવાર-સાંજ ઠંડી અનુભવાશે, જેને કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે.

Breaking News : ‘બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર છે..’, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદના ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસને મળતી માહિતી અનુસાર, ઇમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેલમાં જણાવાયું છે કે બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર હોઈ શકે છે. આ ઇમેઇલ મળતા જ કોર્ટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય તેવુ શાસન હવે આ દેશમાં ક્યારેય નહીં આવેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે કે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી તેના આધાર પર દેશ ચલાવે. 550 વર્ષ પહેલા બાબરે તોડેલ મંદિર ફરી બને અને જોત જોતામાં મંદીર બન્યું એટલુ જ નહીં તેના પર ભગવી ધજા પણ લહેરાય છે.

Breaking News : ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્ય બાબુ જમના પટેલે કોને જવાબદાર ઠેરવ્યા, જુઓ Video

અમદાવાદના ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં ચાર વર્ષના વિલંબથી ખેડૂતોને ભારે હાલાકી પડી છે. ધારાસભ્ય બાબુ જમના પટેલે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવ્યા છે અને સિંચાઈ વિભાગ દ્વારા અચાનક પાણી છોડવાના કારણે બારસો કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો હોવાનું જણાવ્યું છે. સમયસર કામગીરી પૂર્ણ ન થવાથી ખેડૂતોના મોંઢે આવેલો કોળીયો છીનવાયો છે.

Breaking News: અમદાવાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી

પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન, પરેડ અને માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંગેના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

Breaking News : Alpesh Thakor ના આક્રમક તેવર, 26 જાન્યુઆરીએ નવાજૂનીનાં એંધાણ, જુઓ Video

અલ્પેશ ઠાકોર 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં અભ્યુદય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. ઠાકોર સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે જાગૃત કરવા, બદીઓ અને કુરિવાજોથી મુક્ત કરવા આ કાર્યક્રમ યોજાશે. 7 હજાર ગામડાઓથી લોકો જોડાવાનો દાવો છે, જેમાં રાજ્ય સરકારના સહયોગથી અડાલજ ખાતે સરસ્વતીધામ સંકુલ બનશે.

g clip-path="url(#clip0_868_265)">