અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
Breaking News : ભક્તોને ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં દર્શન આપ્યા, જુઓ Video
અમદાવાદમાં આજે જગતના નાથના સોનાવેશમાં દર્શન થયા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષમાં એકવાર ભગવાન સોનાના અલંકારો ધારણ કરે છે.ભક્તોને ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શનનો લાભ મળ્યો હતો. રથયાત્રાની આગેવાની કરનાર ગજરાજોનું કરવામાં પૂજન કરવામાં આવ્યું હતુ.
- TV9 Gujarati
- Updated on: Jul 15, 2026
- 2:31 pm
Ahmedabad plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા જાહેર કરવામાં આવશે નહીં, જાણો કેમ?
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો મામલો AAIBનું સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું, AAIBએ કહ્યું વિમાન દુર્ઘટનાના પુરાવાઓને જાહેર કરી શકાય નહીં. AAIB એ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે.
- Nirupa Duva
- Updated on: Jul 15, 2026
- 1:11 pm
શું તમે નકલી હળદર, મરચુ ખાઈ રહ્યા છો? અમદાવાદ માધુપુરામાં શંકાસ્પદ ગરમ મસાલાનો જથ્થો પકડાયો, રૂ. 12.50 લાખનો માલ સીલ
આરોગ્ય વિભાગે રૂ. 12.50 લાખની કિંમતના અંદાજે બે હજાર કિલો મસાલાના જથ્થાને વેચાણ માટે રોકી દીધો છે. આ મસાલાનું વેચાણ 'કેસરીનંદન સ્પાઈસીસ' નામથી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 15, 2026
- 12:25 pm
Breaking News: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા એરપોર્ટને લઈને ‘મોટી જાહેરાત’, આગામી 3-4 મહિનામાં શરૂ થશે ‘ધોલેરા એરપોર્ટ’
PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'ધોલેરા એરપોર્ટ'ને લઈને ગુજરાત માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ધોલેરા ગ્રીનફીલ્ડ એરપોર્ટ આગામી 3 થી 4 મહિનામાં શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 14, 2026
- 8:04 pm
ગુજરાતમાં આ તરીખથી જામશે ‘ચોમાસુ’, અંબાલાલ પટેલે ફરી શરુ કરી હવામાનની આગાહી – જુઓ Video
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરી છે. તેમણે આગામી સમયમાં હવામાનમાં થનારા પલટા અને કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેની વિગતો આપી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 14, 2026
- 5:11 pm
દેશમાં ગુજરાતનો ડંકો ! કમાણી અને ખર્ચ મામલે દિલ્હી-મુંબઈથી પણ આગળ આ 3 શહેર
કમાણી અને ખર્ચના મામલે નાના નાના શહેરો દિલ્હી અને મુબંઈ જેવા મોટા શહેરોને પણ ટક્કર મારી ચૂક્યા છે. તેમાં પણ ગુજરાતના આ 3 શહેરે દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવતા રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત આપ્યો છે.
- Devankashi rana
- Updated on: Jul 14, 2026
- 4:15 pm
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ, 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર
દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં, ગુજરાત હાઇકોર્ટે 2223 પાનાનો વિગતવાર લેખિત ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતોને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખીને આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ સામાન્ય […]
- TV9 Gujarati
- Updated on: Jul 14, 2026
- 2:23 pm
Breaking News : રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન, જુઓ Video
આ પ્રસંગે એક હજારથી વધુ સાધુ-સંતો મહાપ્રસાદ ગ્રહણ કરશે, જ્યારે અંદાજે 25 હજારથી વધુ ભક્તો માટે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના રસોડામાં સેંકડો સેવકો દ્વારા પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
- Devankashi rana
- Updated on: Jul 14, 2026
- 12:53 pm
અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા ‘ગુજરાતના ખેડૂતો’, વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવી ફરી આગાહી શરૂ કરવા કરી ‘માંગ’
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાના વિવાદોથી કંટાળીને આગાહીઓ કરવાનું બંધ કરવાની જાહેરાત કરતાં જ ગુજરાતના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંબાલાલ કાકાના આ અચાનક નિર્ણય બાદ હવે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતો તેમના સમર્થનમાં ખુલ્લીને મેદાનમાં આવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 13, 2026
- 8:31 pm
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ‘મોટો નિર્ણય’, ‘લાઈસન્સ’ વગર શાળાએ ‘ટુ-વ્હીલર’ લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ – જુઓ Video
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહામંડળે તમામ શાળાઓને અપીલ કરી છે કે, વધતા અકસ્માતો અટકાવવા માટે લાઈસન્સ વગર ટુ-વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
- Ravi Prajapati
- Updated on: Jul 13, 2026
- 4:52 pm
અમદાવાદ રથયાત્રા વિશેષ, હાથીઓની સુરક્ષા માટે 360 ડિગ્રી CCTV અને ડેસિબલ મીટરની નવી સિસ્ટમ
આગામી 149મી અમદાવાદ રથયાત્રામાં સામેલ 18 હાથીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ થશે. ગયા વર્ષે હાથી બેકાબૂ બન્યાની ઘટના બાદ, આ વર્ષે દરેક હાથી પર 360 ડિગ્રી CCTV કેમેરા, ડેસિબલ મીટર અને જાયરોસ્કોપ ધરાવતા યુનિટ લગાવવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jul 13, 2026
- 4:33 pm
મિયાવાકી ટેકનિક શું છે? અમદાવાદે એક કલાકમાં 361,000 વૃક્ષો વાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. AMCએ ભાડજમાં મિયાવાકી ટેકનીકથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષ લગાવ્યા હતા. 25,000થી વધારે સ્વયંસેવકોની મદદથી આ સફળતા મળી છે. તો ચાલો જાણીએ મિયાવાકી ટેકનીક શું છે? ખુબ ઓછા સમયમાં આટલા વધારે વૃક્ષો કેમ લગાવવામાં આવે છે.
- Nirupa Duva
- Updated on: Jul 13, 2026
- 9:26 am
Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર, જમીન વળતરના વિવાદથી ₹40 હજાર કરોડના વધારાના બોજનો દાવો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જમીન વળતરનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. દેશના મહત્વાકાંક્ષી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા આ પ્રોજેક્ટમાં ખેડૂતોને આપવામાં આવેલા વધારાના વળતરના નિર્ણયને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jul 12, 2026
- 2:56 pm
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા, જુઓ Video
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે સરસપુરમાં ભગવાનના મોસાળ પક્ષે મામેરાના દર્શન યોજાયા છે. ભાવિક ભક્તો રાત્રે 9 વાગ્યા સુધી સોના-ચાંદીના અલંકારો અને રજવાડી વસ્ત્રોથી સુશોભિત ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શનનો લાભ લઈ શકશે.
- TV9 Gujarati
- Updated on: Jul 11, 2026
- 3:55 pm
Breaking News : અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું છે કે શહેરમાં અંદાજે 150 જેટલા સ્થળોએ ભૂવા પડી શકે છે.
- Devankashi rana
- Updated on: Jul 10, 2026
- 12:56 pm