
અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
મોટેરાથી ગાંધીનગર સચિવાલય સુધી આ તારીખથી દોડશે મેટ્રો, માર્ગમાં નવા 7 સ્ટેશને ઊભી રહેશે
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણમાં મેટ્રો રેલ સેવા લોકપ્રિય બની ગઈ છે. આ સેવાને મોટેરાથી ગાંધીનગર સચિવાલય સુધી વિસ્તારવામાં આવી છે. આવનારા દિવસોમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડતી થઈ જશે.
- TV9 Gujarati
- Updated on: Apr 25, 2025
- 7:38 pm
ગુજરાત સુપર લીગની સિઝન-2 ની થઈ જાહેરાત, પરિમલ નથવાણીએ ટ્રોફી અને જર્સીનું કર્યું અનાવરણ
અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1 થી 13 મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનની શરૂઆત થશે. સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ ટીમ માલિકોનું સન્માન કયું હતું. સાથે જ ટ્રોફી અને જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.
- Smit Chauhan
- Updated on: Apr 25, 2025
- 5:59 pm
Ahmedabad : વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ, જુઓ Video
અમદાવાદમાં વક્ફ બોર્ડના નામે બની બેઠેલા ટ્રસ્ટીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. તપાસના આધારે જમાલપુરના કુખ્યાત સલીમ જુમ્મા ખાન પઠાણ સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ખાનગી માલિકીની તો એક AMCનાં ભોગવટાવાળી જગ્યા પર ગેરકાયદે કબ્જો કરી હડપ કરી કરોડોની છેતરપિંડી આચર્યાનો આરોપ છે.
- TV9 Gujarati
- Updated on: Apr 25, 2025
- 12:27 pm
Ahmedabad : સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ, જુઓ Video
અમદાવાદમાંથી ફરી એક વાર હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું છે. સિંધુ ભવન રોડ પર હાઈ પ્રોફાઈલ જુગાર ધામને બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યું છે. મળતી માહિતી અનુસાર સિંધુ ભવન રોડ પર આવેલા એક બંગલોમાં જુગાર રમાતું હોવાની બાતમીના આધારે બોડકદેવ પોલીસે દરોડા પાડ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 25, 2025
- 11:13 am
History of city name : કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કાંકરિયા તળાવ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલું એક વિખ્યાત ઐતિહાસિક તળાવ છે. આજે તે એક સુંદર પ્રવાસસ્થળ, ઐતિહાસિક નિશાની અને મનોરંજન કેન્દ્ર તરીકે જાણીતું છે, જ્યાં દરરોજ હજારો લોકો ફરવા આવે છે.
- Ashvin Patel
- Updated on: Apr 24, 2025
- 6:06 pm
Pahalgam Terror Attack : શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને, 2 હજારની ટિકિટના ભાવ હવે 15 હજારે પહોંચ્યા, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ઠંડા કાળજે 27 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીરમાં જ નહીં દેશભરમાં ઉગ્ર માહોલ જોવા મળ્યો છે. ત્યારે દેશભરમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો કાશ્મીરમાં ફસાયા છે. આતંકી હુમલા બાદ ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 1:57 pm
ભીખારી પાકિસ્તાનને ગુજરાતમાંથી આટલી વસ્તુઓ મોકલવામાં આવે છે, અટારી બોર્ડરથી થાય છે નિકાસ
India Pakistan trade relations: ભારત અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં અટારી-વાઘા બોર્ડર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એકમાત્ર કાયદેસર જમીન માર્ગ છે જેના દ્વારા બંને દેશો વચ્ચે વેપાર થાય છે. ભારતનું એક મુખ્ય ઔદ્યોગિક અને કૃષિ રાજ્ય ગુજરાત, અટારી સરહદ દ્વારા પાકિસ્તાનમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે.
- Meera Kansagara
- Updated on: Apr 24, 2025
- 8:26 am
Pahalgam Attack : J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા, જુઓ Video
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો મૃત્યુ પામ્યા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃતદેહોને ગુજરાત લાવવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે પીડિત પરિવારોને સહાયતા પૂરી પાડવાની જાહેરાત કરી છે.
- Ronak Varma
- Updated on: Apr 24, 2025
- 5:13 pm
Ahmedabad Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટીઓ, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
અમદાવાદ ભારતના ટોચના ધનિક શહેરોમાં છે. આ લેખમાં અમદાવાદની છ સૌથી મોંઘી સોસાયટીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે વૈભવી સુવિધાઓ અને લકઝરી જીવન જીવવા માટે જાણીતી છે.
- Sagar Solanki
- Updated on: Apr 23, 2025
- 5:23 pm
Pahalgam Terrorist Attack : આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ, જુઓ Video
પહેલગામ આતંકી હુમલાના મૃતકોને અમદાવાદમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મણીનગરના મણિકર્ણિકેશ્વર મહાદેવના મંદિરમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્થાનિકોએ મંદિરમાં પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 23, 2025
- 2:35 pm
Breaking News : ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખને પાર
રેકોર્ડ બ્રેક- સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો. ટ્રેડવોર અને સોનાની આક્રમક ખરીદીના લીધે ભાવમાં થયો જંગી ઉછાળો.
- Ravi Prajapati
- Updated on: Apr 21, 2025
- 8:36 pm
સોનાના રોકાણકારોની નૈયા પાર, સોનું 1 લાખ પાર ગયું
દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી સરાફામાં 21 એપ્રિલ 2025ના રોજ સાંજે 6.28 વાગ્યે સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો.
- Ravi Prajapati
- Updated on: Apr 21, 2025
- 8:20 pm
અમદાવાદ વક્ફ બોર્ડમાં બોગસ ટ્રસ્ટીઓએ 100 કરોડની મિલક્તોનું 20 વર્ષ સુધી ખોટી રીતે વસુલ્યુ ભાડુ- Video
અમદાવાદના વક્ફ બોર્ડમાં 100 કરોડથી વધુની મિલકતોના ભાડામાં છેતરપિંડીનું મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. બોગસ ટ્રસ્ટીઓએ 20 વર્ષ સુધી ગેરકાયદે ભાડું વસૂલીને AMC અને વક્ફ બોર્ડને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં શાળાના બાંધકામ અને ફ્લેટના નિર્માણ સંબંધિત ગેરરીતિઓ સામેલ છે.
- Mihir Soni
- Updated on: Apr 21, 2025
- 3:53 pm
અમદાવાદ મ્યુ.કો હસ્તકની 1800 ઈમારતો પર રૂફ- ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે
'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનરપાલિકા હસ્તકની આશરે 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. પ્રથમ ચરણમાં 400 બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે 5.50 કરોડના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ કામગીરી આગામી ચોમાસાની ઋતુ પહેલા પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.
- Jignesh Patel
- Updated on: Apr 21, 2025
- 3:00 pm
અમદાવાદમાં કાળજુ કંપાવી દેતી ઘટના ! ભાડાની તકરારમાં રિક્ષા ચાલકે કરી હત્યા, જુઓ CCTV વીડિયો
અસામાજીક તત્ત્વો કાયદાને પડકારી રહ્યા છે અને લોકોમાં ડરનો ભય પેદા કરી રહ્યા છે. એવામાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ ચેક કરતા બહાર આવી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 21, 2025
- 2:38 pm