અમદાવાદ
અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈને મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ, ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા અમદાવાદ શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી 56,33,927 હતી. શહેરના વ્યાપને ગણતા અમદાવાદ શહેરની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
Breaking News : રેલયાત્રિકો માટે ખુશખબર, હવે વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલા મળશે, જુઓ Video
ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે વેઈટિંગ અને RAC ટિકિટ ધરાવતા મુસાફરો પોતાની ટિકિટનું સ્ટેટસ ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલાં જોઈ શકશે.
- Sagar Solanki
- Updated on: Dec 17, 2025
- 5:29 pm
અમદાવાદમાંથી ઝડપાયુ ગોગો પેપરનું ગોડાઉન,એક આરોપીની ધરપકડ -જુઓ Video
એરપોર્ટ પોલીસે ગોડાઉન પર દરોડા પાડીને 72 લાખ રૂપિયાનું ગોગો પેપર જપ્ત કર્યું.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2025
- 2:54 pm
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ઇમેઇલમાં ખાલિસ્તાની મૂવમેન્ટ, અમિત શાહ, લોરેન્સ બિશ્નોઇનો ઉલ્લેખ
અમદાવાદ બાદ હવે ગાંધીનગરની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તમામ શાળાઓ ખૂબ જ ખ્યાતનામ હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરની અનેક શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2025
- 1:30 pm
Breaking News : અમદાવાદ શહેરની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલને ઇમેઇલથી ધમકી મળી
અમદાવાદમાં શહેરની અનેક સ્કૂલમાં ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદની મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે અને બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે.
- Sachin Kolte
- Updated on: Dec 17, 2025
- 2:51 pm
આજનું હવામાન : આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો વધવાની સંભાવના, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 15 ડિગ્રી રહી શકે
જમ્મુ-કાશ્મીરમાં દેશનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જેની અસર હવે મેદાની પ્રદેશો ધરાવતા રાજ્યોમાં થઇ રહી છે. ગુજરાતમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળી શકે છે. તાપમાન વધવાની શક્યતા છે.
- Tanvi Soni
- Updated on: Dec 17, 2025
- 9:00 am
ખાખી પર કલંક! અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી, CID ક્રાઇમના PI અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા – જુઓ Video
અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં CID ક્રાઇમ વિભાગના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 16, 2025
- 12:21 pm
Breaking News : અમદાવાદના નારોલમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 2ના મોત 3 ઈજાગ્રસ્ત
અમદાવાદ નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે. જ્યારે એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. મકાનનાં પહેલા માળે ગેસ સિલિન્ડરમાં ગેસ લિકેજને કારણે આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
- Nirupa Duva
- Updated on: Dec 14, 2025
- 9:27 am
BU પરમિશન ન ધરાવતી શાળાઓ પર તવાઈ! પ્રિ-સ્કૂલ બંધ થતા બાળકોનો અભ્યાસ બગડશે, હવે તેની જવાબદારી કોણ લેશે? જુઓ Video
અમદાવાદમાં AMC દ્વારા BU પરમિશન ન ધરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. BU પરમિશનના અભાવે કુલ 35 શાળાઓને સીલ કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 13, 2025
- 7:33 pm
લગ્નના 9 વર્ષ બાદ અભિનેત્રીએ લીધા છૂટાછેડા, બોલિવુડની સિંગલ મધર સંજીદાનો આવો છે પરિવાર
સંજીદાએ નાના પડદાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પોતાની અભિનય કુશળતાથી મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો. તે અનેક ફેમસ ફિલ્મોમાં જોવા મળી છે.તેમના ફિલ્મી કરિયર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 13, 2025
- 7:15 am
જાગ્યા ત્યારથી સવાર! અમદાવાદ મનપાની રોડ કમિટીમાં મોટો નિર્ણય, 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે ‘હાઈટ બેરીયર’ – જુઓ Video
અમદાવાદ મનપાની રોડ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે કે, શહેરના લગભગ 16 બ્રિજ પર હાઈટ બેરીયર લગાવવામાં આવશે. AMC એ આ કામ માટે કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Dec 12, 2025
- 7:55 pm
અમદાવાદના અનેક બ્રિજ પર ચોંકાવનારી હકીકત : સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર – જુઓ Video
અમદાવાદમાં સુભાષ બ્રિજ જોખમી હાલતમાં હોવાને કારણે તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ TV9ના રિયાલિટી ચેક પછી શહેરના અનેક બ્રિજો પરની હકિકત ચોંકાવનારી બહાર આવી રહી છે. શહેરની સફાઈ, સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ વચ્ચે બ્રિજોની સ્થિતિ ગંભીર ચિંતા ઊભી કરે છે.
- Manish Gangani
- Updated on: Dec 11, 2025
- 9:06 pm
Tv9ના રિયાલિટી ચેકમાં સામે આવી તંત્રની ઘોર બેદરકારી, અમદાવાદનો સરદાર બ્રિજ પણ ગમે ત્યારે ધરાશાય થવાની સ્થિતિમાં- જુઓ Video
સુભાષ બ્રિજ પછી હવે સરદાર બ્રિજ લોખંડના સળિયા દેખાયા, જોઈન્ટ્સમાં ઊંડા ગાબડાં, ઇન્સ્પેક્શનમાં પાસ થયેલા બ્રિજની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે તો જેના ઇન્સ્પેક્શન કરવામાં ના આવ્યા હોયે તે બ્રિજની હાલત શું હશે?
- TV9 Gujarati
- Updated on: Dec 11, 2025
- 8:08 pm
એરપોર્ટ પર મુશ્કેલી વેઠનાર મુસાફરોને IndiGo આપશે રૂપિયા 10,000 નું વાઉચર! તમને મળશે કે નહીં ? જાણો
ઇન્ડિગોએ તાજેતરની મુસાફરી કટોકટી બાદ અસરગ્રસ્ત મુસાફરો માટે ₹10,000 નું ટ્રાવેલ વાઉચર જાહેર કર્યું છે. ફ્લાઇટ રદ થવા પર વળતર અને રિફંડ પણ અપાઈ રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Dec 11, 2025
- 5:32 pm
Year Ender 2025 : ગુજરાતીઓનું હૈયું હચમચાવી દેતી ઘટનાઓ ! ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી લઈ અમદાવાદ પ્લેનક્રેશમાં અનેક પરિવારોએ ગુમાવ્યા વ્હાલસોયા
ગુજરાત માટે વર્ષ 2025માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલા અમદાવાદ પ્લેનક્રેશની ઘટના અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.
- Disha Thakar
- Updated on: Dec 11, 2025
- 2:01 pm
અમદાવાદનો સુભાષ બ્રિજ ફરી ચર્ચામાં: 5 મહિના જૂના રિપોર્ટમાં જ ખામીના સંકેત
અમદાવાદ સુભાષ બ્રિજનો કન્ટીલીવર સ્લેબ ખરાબ હોવા છતાં AMC નિષ્ક્રિય હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઈન્સ્પેક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી,
- TV9 Gujarati
- Updated on: Dec 10, 2025
- 9:15 pm