Breaking news : રીયલ એસ્ટેટ માટે રાહતના સમાચાર, રાજ્યમા નવી જંત્રી નો અમલ હાલ મોકૂફ
ગુજરાતમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ 1 એપ્રિલ, 2024થી નવી જંત્રી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
ગુજરાતમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ 1 એપ્રિલ, 2024થી નવી જંત્રી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
મુખ્ય કારણો જંત્રી મોકૂફ રાખવાના
અપૂર્ણ જિલ્લાવાઇસ ડેટા: રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મળેલા ડેટામાં પૂરતા આધારો મળ્યા નથી, જેના કારણે યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ થયો.સ્ટેમ્પ પેપરની અતિશય ખરીદી: માર્કેટમાં વધી રહેલી સ્ટેમ્પ પેપરની માંગ અને અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને સરકાર હજુ ચોકસાઇ કરી રહી છે.
બિલ્ડર લોબીની નારાજગી
નવી જંત્રીમાં વધારો થવાને કારણે બિલ્ડર સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેના કારણે સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.
નવેમ્બર 2024માં રાજ્ય સરકારે જંત્રીના ભાવ વધારવાની જાહેરાત કરી હતી. બજારમાં જમીનની કિંમતોમાં સતત વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે જંત્રીમાં સુધારો કરવો જરૂરી હતો. પરંતુ હકીકતમાં, રિયલ એસ્ટેટ માર્કેટ પર તેની સીધી અસર થવાના કારણે રાજ્ય સરકારને નિર્ણય પાછો ખેંચવો પડ્યો.
રીયલ એસ્ટેટ ઉદ્યોગ માટે ફાયદો
જંત્રી રોકાતા પ્રોપર્ટી ખરીદનારાઓ અને બિલ્ડર્સ માટે નક્કર રાહત મળી છે. હાલ પ્રોપર્ટી ખરીદી પર વધેલા રજિસ્ટ્રેશન ચાર્જ અને ટેક્સનો બોજ ઘટાડાશે. જો સરકાર ભવિષ્યમાં ફરીથી જંત્રી લાવવાનો પ્રયાસ કરશે, તો તે સંપૂર્ણ ડેટા અને માર્કેટની સ્થિતિને આધારે જ કરવામાં આવશે.
આગામી પગલાં
રાજ્ય સરકાર દ્વારા આગામી મહિનાઓમાં ફરીથી આ મુદ્દા પર સમીક્ષા કરવામાં આવશે. જો બિલ્ડર લોબી અને પ્રોપર્ટી ખરીદનારાઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે, તો જ નવી જંત્રી અમલમાં મુકવામાં આવશે. ત્યારે સુધી હાલની જંત્રી યથાવત રહેશે.
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
