Chardham Yatra 2025 : આ વખતે નહીં કરી શકો VIP દર્શન, REEL બનાવનાર પર લેવાશે એક્શન
ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 9 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ચારધામ યાત્રામાં આવખતે VIP દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય વીડિયો અને રીલ બનાવનાર લોકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરુઆત એપ્રિલ મહિનાથી શરુ થશે. 30 એપ્રિલના રોજ ગંગોત્રી-યમુનોત્રી ,2 મેના રોજ કેદારનાથ, 4 મેના રોજ બદ્રીનાથ ધામ 25 મેના રોજ હેમકુંડ સાહિબના કપાટ ખુલશે.

આ વખતે પ્રશાસને યાત્રાને લઈ કેટલાક નિયમો પણ બનાવ્યા છે. જેમાં સોશિયલ મીડિયા પર વીડિયો અને રીલ બનાવનાર માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

આ વખતે મંદિરની અંદર વીડિયો અને રીલ બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વીડિયો કે રીલ બનાવતા પકડાય છે. તો તેને દર્શન કર્યા વગર પરત મોકલી દેવામાં આવશે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 9 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.

બદ્રીનાથ ધામના પંડા પંચાયતના ખજાનચી અશોક ટોડરિયાએ કહ્યું કે, દર્શન માટે પૈસા લેવા એ ભગવાનની ગરિમાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં આ વખતે દરેક લોકો સામાન્ય દર્શન જ કરી શકશે, જેના કારણે દરેકને દર્શન કરવાની તક મળશે.

યાત્રાના રૂટને દરેક 10 કિલોમીટરના ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ભાગમાં 6 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રા માટે સરકારે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડશે.પર્યટન વિભાગ અનુસાર આ વખતે યાત્રિકોની સંખ્યા વધુ હોવાની શકયતા છે.

ભક્તો યાત્રા પહેલા તેમનું બુકિંગ કન્ફર્મ કરવું પડશે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે ઋષિકેશ અને હરિદ્વારમાં કાઉન્ટર બનાવવામાં આવશે.

ચાર ધામની યાત્રા યમુનોત્રીથી શરુ થાય છે. ત્યારબાદ બીજો પડાવ ગંગોત્રી ધામ છે. કેદારનાથ ધામ ત્રીજો પડાવ છે અને ચોથો અને છેલ્લો પડાવ બદ્રીનાથ ધામ છે. બદ્રીનાથ ધામમાં ચારધામની યાત્રા પૂર્ણ થાય છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































