AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For Backpain: જો તમને કમરનો દુખાવો હોય તો દરરોજ આ ત્રણ યોગાસનોનો અભ્યાસ કરો

Yoga For Backpain: આજના ભાગદોડભર્યા જીવનમાં કમરનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી બેસવું, ખોટી મુદ્રા અને તણાવ આના મુખ્ય કારણો છે. આવી સ્થિતિમાં તમે કેટલાક યોગ આસનોનો અભ્યાસ કરી શકો છો.

| Updated on: Mar 30, 2025 | 9:36 AM
Share
આજના ભાગદોડભર્યા જીવનમાં કમરનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી બેસવું, ખોટી મુદ્રા અને તણાવ આના મુખ્ય કારણો છે. જો તમને પણ કમરના દુખાવાની સમસ્યા હોય તો દવા લેતાં પહેલા યોગનો પ્રયાસ કરો. યોગ માત્ર દુખાવામાં રાહત આપતું નથી પણ કરોડરજ્જુને મજબૂત અને ફ્લેક્લિબલ પણ બનાવે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે દરરોજ અમુક યોગ મુદ્રાઓનો અભ્યાસ કરવાથી કમરનો દુખાવો ઓછો થાય છે. ચાલો જાણીએ તે 4 યોગાસનો વિશે જેમાં કમરના દુખાવાથી રાહત મળશે.

આજના ભાગદોડભર્યા જીવનમાં કમરનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી બેસવું, ખોટી મુદ્રા અને તણાવ આના મુખ્ય કારણો છે. જો તમને પણ કમરના દુખાવાની સમસ્યા હોય તો દવા લેતાં પહેલા યોગનો પ્રયાસ કરો. યોગ માત્ર દુખાવામાં રાહત આપતું નથી પણ કરોડરજ્જુને મજબૂત અને ફ્લેક્લિબલ પણ બનાવે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે દરરોજ અમુક યોગ મુદ્રાઓનો અભ્યાસ કરવાથી કમરનો દુખાવો ઓછો થાય છે. ચાલો જાણીએ તે 4 યોગાસનો વિશે જેમાં કમરના દુખાવાથી રાહત મળશે.

1 / 6
શલભાસન કમર અને પીઠના સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ અસરકારક છે. આ કરવા માટે તમારા પેટ પર સૂઈ જાઓ, તમારા હથેળીઓ નીચે રાખો અને શ્વાસ લેતી વખતે તમારા પગ પાછળની તરફ ઉંચા કરો. તમારા માથા અને છાતીને પણ થોડું ઊંચું કરો. આ મુદ્રામાં 20-30 સેકન્ડ રહો પછી ધીમે-ધીમે નીચે આવો. આ આસન કરોડરજ્જુને ફ્લેક્લિબલ બનાવે છે અને કમરના નીચેના ભાગમાં દુખાવો ઘટાડે છે.

શલભાસન કમર અને પીઠના સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ અસરકારક છે. આ કરવા માટે તમારા પેટ પર સૂઈ જાઓ, તમારા હથેળીઓ નીચે રાખો અને શ્વાસ લેતી વખતે તમારા પગ પાછળની તરફ ઉંચા કરો. તમારા માથા અને છાતીને પણ થોડું ઊંચું કરો. આ મુદ્રામાં 20-30 સેકન્ડ રહો પછી ધીમે-ધીમે નીચે આવો. આ આસન કરોડરજ્જુને ફ્લેક્લિબલ બનાવે છે અને કમરના નીચેના ભાગમાં દુખાવો ઘટાડે છે.

2 / 6
ભુજંગાસન એ કમરના દુખાવા માટે સૌથી લોકપ્રિય યોગ આસનોમાંનું એક છે. તમારા પેટ પર સૂઈ જાઓ અને તમારા હથેળીઓને તમારા ખભા નીચે રાખો. શ્વાસ લેતી વખતે તમારી છાતી ઉપર ઉઠાવો અને તમારી નજર આગળ રાખો. 15-20 સેકન્ડ સુધી પકડી રાખો પછી ધીમે ધીમે નીચે આવો. આ આસન કરોડરજ્જુને ખેંચે છે. પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પીઠના દુખાવામાં રાહત આપે છે. આ દરરોજ 4-5 વખત કરો.

ભુજંગાસન એ કમરના દુખાવા માટે સૌથી લોકપ્રિય યોગ આસનોમાંનું એક છે. તમારા પેટ પર સૂઈ જાઓ અને તમારા હથેળીઓને તમારા ખભા નીચે રાખો. શ્વાસ લેતી વખતે તમારી છાતી ઉપર ઉઠાવો અને તમારી નજર આગળ રાખો. 15-20 સેકન્ડ સુધી પકડી રાખો પછી ધીમે ધીમે નીચે આવો. આ આસન કરોડરજ્જુને ખેંચે છે. પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પીઠના દુખાવામાં રાહત આપે છે. આ દરરોજ 4-5 વખત કરો.

3 / 6
બાલાસન કમરને આરામ આપવા અને તણાવ દૂર કરવા માટે ઉત્તમ છે. તમારા ઘૂંટણ પર બેસો, શ્વાસ બહાર કાઢો અને આગળ ઝૂકો અને તમારા કપાળને જમીન પર અડાડો. હાથ આગળ કે પાછળ રાખી શકાય છે. 30 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. આ આસન કરોડરજ્જુને આરામ આપે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.

બાલાસન કમરને આરામ આપવા અને તણાવ દૂર કરવા માટે ઉત્તમ છે. તમારા ઘૂંટણ પર બેસો, શ્વાસ બહાર કાઢો અને આગળ ઝૂકો અને તમારા કપાળને જમીન પર અડાડો. હાથ આગળ કે પાછળ રાખી શકાય છે. 30 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. આ આસન કરોડરજ્જુને આરામ આપે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.

4 / 6
ધ્યાનમાં રાખો કે તમારે આ ત્રણ આસનો નિયમિતપણે કરવા જોઈએ અને સવારે ખાલી પેટે યોગ કરવો પણ સારું છે. દરરોજ પાંચ મિનિટ આ યોગાસનો કરવાથી તમને જલ્દી જ ફાયદો જોવા મળશે. તમને ફક્ત કમરના દુખાવાની સમસ્યાથી જ રાહત મળશે નહીં પરંતુ બીજી ઘણી શારીરિક સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે.

ધ્યાનમાં રાખો કે તમારે આ ત્રણ આસનો નિયમિતપણે કરવા જોઈએ અને સવારે ખાલી પેટે યોગ કરવો પણ સારું છે. દરરોજ પાંચ મિનિટ આ યોગાસનો કરવાથી તમને જલ્દી જ ફાયદો જોવા મળશે. તમને ફક્ત કમરના દુખાવાની સમસ્યાથી જ રાહત મળશે નહીં પરંતુ બીજી ઘણી શારીરિક સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે.

5 / 6
(નોંધ: આ લેખ યોગ નિષ્ણાતોના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આસનની સાચી સ્થિતિ જાણવા માટે તમે યોગ ગુરુનો સંપર્ક કરી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન યોગ વિશે ડૉક્ટરની સલાહ અવશ્ય લો.)

(નોંધ: આ લેખ યોગ નિષ્ણાતોના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આસનની સાચી સ્થિતિ જાણવા માટે તમે યોગ ગુરુનો સંપર્ક કરી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન યોગ વિશે ડૉક્ટરની સલાહ અવશ્ય લો.)

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">