ઉત્તરાખંડ
ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.
Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 10:23 pm
Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ
14 માર્ચે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન થવાના છે. લગ્ન પહેલા 13 માર્ચે કુલદીપ યાદવના હલ્દી અને સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કુલદીપ-વંશિકાની સાથે ચહલ અને અન્ય મહેમાનોએ મજેદાર ડાન્સ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 8:22 pm
Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.
- Smit Chauhan
- Updated on: Mar 13, 2026
- 6:40 pm
ઉનાળાના વેકેશનમાં ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું વિચારો છો? આ 5 સ્થળ તમારુ મન મોહી લેશે, જુઓ તસવીરો
ગરમીના વધતા તાપમાન વચ્ચે ભારતની કેટલીક સુંદર જગ્યાઓને ઉનાળાના વેકેશન માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ માનવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 13, 2026
- 2:30 pm
Breaking News : ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિર્ણય, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ
Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. ઉત્તરાખંડ સરકારે 19 એપ્રિલના રોજથી શરુ થનારી પવિત્ર તીર્થયાત્રાની યોજના બનાવી રહેલા ભક્તો માટે ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે. આ વચ્ચે ઉત્તરાખંડ મંદિર સત્તામંડળે ચારધામ યાત્રા 2026 પહેલા 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો
- Nirupa Duva
- Updated on: Mar 12, 2026
- 12:38 pm
Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રોસેસ જાણો
Char Dham Yatra 2026 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓ વેબસાઈટ, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા ઘરે બેસી રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જાણો.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 2:50 pm
લાઈવ સ્ટ્રીમિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુટ્યુબરના પરિવાર વિશે જાણો
અનુરાગ ડોભાલનો હાલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, યુટ્યુબર પોતાના અંગત અનુભવો શેર કરે છે. આ વીડિયો વાયરલ થતાં જ અનુરાગની પર્સનલ લાઈફ અને તેની પત્ની ચર્ચાનો વિષય બની ગયા છે. આજે આપણે અનુરાગ ડોભાલના પરિવાર વિશે વાત કરીશુ.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 7:02 am
Breaking News : ઉત્તરાખંડમાં મદરેસા ખતમ, લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના, ધામી સરકારે લીધો મોટો નિર્ણય
આગામી જુલાઈ 2026 થી મદરેસા બોર્ડ નાબૂદ કર્યા પછી, ઉત્તરાખંડની ધામી સરકારે, ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીએ જણાવ્યું હતું કે આ સત્તામંડળ હવે લઘુમતી બાળકોને આપવામાં આવતા શિક્ષણનું સ્વરૂપ નક્કી કરશે અને અભ્યાસક્રમને અંતિમ સ્વરૂપ આપશે.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2026
- 8:53 pm
Breaking News : ઉત્તરાખંડના ગંગોત્રીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પણ લેવાશે આવો જ નિર્ણય ?
ઉત્તરાખંડમાં મંદિર સમિતિની યોજાયેલી બેઠકમાં ગંગોત્રી ધામ અને માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ધામ પૈકી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા પણ આવો જ પ્રસ્તાવ વિચારાઈ રહ્યો છે. આગામી દિવસોમાં બદ્રીનાથ અને કેદારનાથ ધામમા પણ બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 1:35 pm
Breaking News : ચાર ધામની યાત્રામાં હવે મોબાઇલ ફોન અને કેમેરા ની ‘No Entry’, મંદિર પરિસરમાં વીડિયો અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ
ચાર ધામ યાત્રા રાજ્યનું એક પવિત્ર યાત્રાધામ છે, જ્યાં ભક્તો ભક્તિભાવથી આવે છે. પણ હવે દર્શન માટે પ્રવેશતા પહેલા ભક્તોએ પોતાના મોબાઇલ ફોન અને કેમેરા જમા કરાવવાના રહેશે.
- Devankashi rana
- Updated on: Jan 18, 2026
- 7:37 am
ઉત્તરાખંડના પીપલકોટીમાં THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં 2 લોકો ટ્રેન અથડાઈ, જેમાં 60 લોકો ઘાયલ
Pipalkoti Tunnel Incident: મંગળવારે રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ પીપલકોટી ખાતે THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં કામદારો અને અધિકારીઓને લઈ જતી એક લોકો ટ્રેન અને એક માલગાડી અથડાઈ હતી.
- Meera Kansagara
- Updated on: Dec 31, 2025
- 1:04 pm
Delhi blast case: મૌલાના આસીમ કાસમીને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યું, મોબાઇલ અને લેપટોપ જપ્ત
NIA એ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાંથી મૌલાના કાસમી નામના આરોપીની ધરપકડ કરી છે. આતંકી ઉમરની કૉલ ડિટેલના આધારે હલ્દ્વાનીના બિલાલી મસ્જિદના ઇમામ સકંજામાં, પૂછપરછ શરૂ થઈ.
- Sachin Agrawal
- Updated on: Nov 30, 2025
- 8:50 pm
નેપાળની નવી ₹100 ની નોટ પર ભારતનો વિસ્તાર દર્શાવતા વિવાદ વધ્યો, જાણો શું છે મુદ્દો
નેપાળ રાષ્ટ્ર બેંકે 100 રૂપિયાની નવી નોટ જારી કરી છે, જેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા છે. આ વિવાદ 1816 ની સુગૌલી સંધિથી ઉદ્ભવ્યો છે. ભારત લાંબા સમયથી આ વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે, જ્યારે નેપાળ કાલી નદીના સ્ત્રોતના આધારે તેમના પર દાવો કરે છે.જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Nov 28, 2025
- 4:48 pm
ભારતની ધડકન છે આ નદી, જાણો લાઈફલાઈન ઓફ ઈન્ડીયા કોને કહેવાય છે
ભારતમાંથી 400 થી વધુ નદીઓ વહે છે. હિન્દુ ધર્મમાં, ઘણી નદીઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કઈ નદીને ભારતની જીવનરેખા માનવામાં આવે છે?
- Disha Thakar
- Updated on: Nov 25, 2025
- 1:04 pm
Breaking News: ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 5 ગુજરાતીના મોત
ઉત્તરાખંડ બસ અકસ્માતમાં 5 ગુજરાતીના મોત થયા હોવાનું સામે આવ્યું છે. 29 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં 5 ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા છે.
- Devankashi rana
- Updated on: Nov 24, 2025
- 2:20 pm