
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.
Travel with tv9 : ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો
ઉનાળાની રજાઓમાં કાળઝાળ ગરમી હોય છે. ત્યારે મોટા ભાગના લોકોને ફરવા જવા માગતા હોય છે. કેટલાક લોકો જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માગતા હોય છે. જેના પગલે તેઓ રોમેન્ટીક સ્થળોની શોધમાં વિદેશમાં પણ જતા હોય છે. ત્યારે ભારતમાં આવેલા આ બેસ્ટ રોમેન્ટિક સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.
- Disha Thakar
- Updated on: Mar 23, 2025
- 11:27 am
પતંજલિનું આધ્યાત્મિક નેતૃત્વ વ્યવસાય સિવાયના જીવનને કેવી રીતે બદલી રહ્યું છે ? આવો જાણીએ
Patanjali આજે પતંજલિ યોગપીઠને કોઈપણ પ્રકારે ઓળખની જરૂર નથી. બાબા રામદેવ દ્વારા સ્થાપિત આ સંસ્થા આજે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર આયુર્વેદિક ઉત્પાદનો વેચવાનો જ નથી, પરંતુ એક સર્વગ્રાહી અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનો પણ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 21, 2025
- 7:51 pm
Travel with tv9 : ઉનાળામાં આ હીલ સ્ટેશનની કરો ટ્રીપ, સોલો ટ્રાવેલ માટે છે બેસ્ટ પ્લેસ
ઉનાળો શરૂ થઈ ગયો છે. ગરમીથી ઠંડા હવામાનમાં મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલ છે. આવી સ્થિતિમાં, તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. ભીડથી દૂર તમે અહીં વેકેશનની મજા માણી શકો છો.
- Disha Thakar
- Updated on: Mar 19, 2025
- 12:58 pm
જૂનાગઢ, પાવાગઢ, અંબાજી-ગબ્બરમાં છે રોપ વે, કેટલી ઝડપે ચાલે છે ટ્રોલી ? એક કિલોમીટરનો રોપ વે બનાવવા માટે કેટલો ખર્ચ આવે ?
પર્વતીય વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોચવા માટે રોપ વે યોગ્ય માધ્યમ ગણવામાં આવે છે. ગુજરાતમા જૂનાગઢ, પાવાગઢ અને અંબાજી ગબ્બર ખાતે રોપ વે છે. કેન્દ્ર સરકારે ઉત્તરાખંડના કેદારનાથ અને હેમકુંડ સાહિબને રોપ વે સેવાથી જોડી દેવાનો નિર્યણ કર્યો છે. ત્યારે શું તમે જાણો છે કે રોપ વેની ટ્રોલી કેટલી ઝડપે ચાલે છે અને એક કિલોમીટરનો રોપ વે બનાવવા માટે કેટલો ખર્ચ આવે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 2:32 pm
Breaking News : બદ્રીનાથના માણા ગામ નજીક ગ્લેશિયર તુટી પડતા 57 મજૂરો દટાયા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જનજીવન સામાન્ય કરવા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. આ બરફ હટાવવા દરમિયાન શુક્રવારે સવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ગ્લેશિયર તુટી પડવાને કારણે 57 મજૂરો બરફ નીચે દટાઈ ગયા છે. હિમશીલા નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 28, 2025
- 6:51 pm
Chardham Yatra 2025 : ચારધામ યાત્રાની શરુ કરી દો તૈયારી, ચાર ધામના કપાટ ખુલવાથી લઈ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વિશે A થી Z માહિતી જાણો
ભારતીય શાસ્ત્રો અનુસાર યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ હિન્દુઓના સૌથી પવિત્ર સ્થાનો છે. જેને ચાર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચારે ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ ક્યારે આ ચારેય ધામના કપાટ ખુલશે.
- Nirupa Duva
- Updated on: Feb 27, 2025
- 5:11 pm
Breaking News : 3 લાખમાં ગોલ્ડ મેડલ મેળવો… નેશનલ ગેમ્સમાં ફિક્સિંગનો પર્દાફાશ
ઉત્તરાખંડમાં 38મી રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. આ રમતો દરમિયાન ફિક્સિંગનો એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, તાઈકવોન્ડો સ્પર્ધામાં મેડલ ખરીવામાં અને વેચવામાં આવી રહ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Feb 4, 2025
- 7:01 pm
ઉત્તરાખંડમાં UCC લાગુ, જાણો હવે કોના માટે કેવો બદલાવ આવશે ?
ઉત્તરાખંડ રાજ્યમાં ગઈકાલ, 27 જાન્યુઆરી, સોમવારથી સમાન નાગરિક સંહિતા એટલે કે UCC અમલમાં આવી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સત્તાવાર પોર્ટલ લોન્ચ કરતી વખતે આ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ, ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ચાલો જાણીએ કે UCC ના કારણે ઉત્તરાખંડમાં શું બદલાવ આવશે?
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2025
- 2:45 pm
Winter Char Dham yatra : કડકડતી ઠંડીમાં પણ 15 હજારથી વધુ ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા, જુઓ ફોટો
આ વખતે પ્રથમ વખત ઉત્તરાખંડ સરકારે શિયાળુ ચારધામ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ભક્તોએ ચારેય ધામોના દર્શન કર્યા છે. સરકારને આશા છે કે જાન્યુઆરીમાં વધુ સારો પ્રતિસાદ મળશે.
- Nirupa Duva
- Updated on: Jan 1, 2025
- 4:06 pm
Maha Kumbh 2025 : મહાકુંભના મેળામાં જઈ રહ્યાં છો, તો આ વસ્તુઓ લઈ જવાનું ભૂલતા નહીં, જુઓ તસવીરો
Maha Kumbh 2025 : ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું આગવુ મહત્વ છે. કુંભ મેળામાં લોકો દૂર દૂર થી સ્નાન કરવા માટે આવે છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે ત્યાં જતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવુ જોઈએ તે જાણીશું.
- Disha Thakar
- Updated on: Jan 1, 2025
- 11:26 am
હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે બરફવર્ષા, પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ, જુઓ ફોટા
ભારતના પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. શિમલા, મનાલી, ઔલી, કેદારનાથ, બદ્રીનાથ અને કાશ્મીર જેવા સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 24, 2024
- 3:24 pm
હરિદ્વારના આ શિવ મંદિરે બદલી નાંખી હની સિંહની જિંદગી, ચોરી છૂપે આવતો હતો, જુઓ Video
બોલિવૂડ સિંગર અને રેપર યો-યો હની સિંહે શુક્રવારે હરિદ્વારની એક દિવસીય આધ્યાત્મિક યાત્રા કરી હતી. હની સિંહે હરિદ્વારમાં ભગવાન શિવનો જળાભિષેક કર્યો અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા. તેમણે કહ્યું કે ભગવાન શિવે છેલ્લા ચાર વર્ષમાં તેમનું જીવન બદલી નાખ્યું અને તેમને સફળતાની નવી ઊંચાઈઓ પર પાછા લઈ ગયા.
- Sagar Solanki
- Updated on: Dec 23, 2024
- 11:00 pm
Travel With Tv9 : અમદાવાદથી દહેરાદૂન ફરવા જવાનો, ખાવા-પીવા સહિતનો ખર્ચ કેટલો થશે ? જાણો
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં દેહરાદૂન ફરી શકાય.
- Disha Thakar
- Updated on: Dec 19, 2024
- 9:13 am
અહીં થી સ્વર્ગ શરૂ થાય છે ! ભારતનું આ હિલ્સ સ્ટેશન ગુજરાતીઓનું ફેવરિટ, જુઓ Photos
ભારતના આ હિલ સ્ટેશન માટે એવું કહેવાય છે કે અહીં જમીન સમાપ્ત થાય છે, સ્વર્ગ શરૂ થાય છે. કારણ કે અહીં એવો અદભૂત નજારો છે. અહીં પર્વતોની હરિયાળી, સુંદર સરોવર અને શાંત વાતાવરણ છે. ટ્રેકિંગ, ફોટોગ્રાફી અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ માટે આ ઉત્તમ સ્થળ છે.
- Sagar Solanki
- Updated on: Dec 15, 2024
- 4:15 pm
Maha Kumbh 2025 : મહાકુંભમાં જતા પહેલા આ 4 વાતો યાદ રાખો, તમને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે
Maha Kumbh 2025 : મહાકુંભનું આયોજન મોટા પાયે થાય છે. આવી સ્થિતિમાં દેશના લાખો લોકો ત્યાં પહોંચે છે. ત્યાં જવા માટે અને તેનો ભાગ બનવા માટે અગાઉથી આયોજન કરવું મહત્વપૂર્ણ છે. જો તમે પણ અહીં જવાની તૈયારી કરી રહ્યા છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Dec 11, 2024
- 9:03 am