ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.

હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.

Read More

‘માનસખંડ એક્સપ્રેસ’ કરાવશે તીર્થસ્થાનો અને હેરિટેજની મુલાકાત, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા, જાણો ટાઈમટેબલ

Indian Railway : લોકો ઉત્તરાખંડના મહત્ત્વના તીર્થસ્થાનો અને હેરિટેજ પ્લેસનો આનંદ માણી શકે અને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરી શકે તે હેતુથી IRCTCએ 'માનસખંડ એક્સપ્રેસ' શરુ કરી છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

દેશમાં હીટવેવ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યા રાજ્યમાં કેવુ રહેશે હવામાન

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાની સપાટીથી લગભગ 3.1 કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે.

Haridwar Train Waiting list : ‘હરિદ્વાર’ જાય છે 19271 નંબરની આ ટ્રેન, ભાડું તો સસ્તું છે…પણ વેઈટિંગ લિસ્ટ જાણો

Bhavnagar haridwar Express : હરિદ્વાર ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે. થોડાં દિવસ પહેલા આપણે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આ ન્યૂઝમાં અમે તમને તેના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ જવા માટેની ટ્રેન, આટલા સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા

Bhavnagar haridwar Express : આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે.

આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી

સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર સાયક્લોનિક પરિભ્રમણ તરીકે પશ્ચિમી વિક્ષેપ હવે પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. જેથી અમુક રાજ્યોમાં હીટવેવ અને કેટલાક રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

જાણો દેશમાં આગામી 24 કલાકમાં કેવુ રહેશે વાતાવરણ, ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી ?

સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ ઉત્તરી પાકિસ્તાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી ઉપર સ્થિત છે.ઉત્તરપૂર્વ બાંગ્લાદેશમાં ચક્રવાતનું પરિભ્રમણ યથાવત છે.અન્ય ચક્રવાતનું પરિભ્રમણ ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે.

ચારધામની યાત્રાએ આ વર્ષે જવું હોય તો રજિસ્ટ્રેશન કરાવી લો, આ રીતે ઘરે બેઠા જ કરો રજિસ્ટ્રેશન

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા માટે જવા માંગતા યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. ચાર ધામ યાત્રાની સરકારી વિભાગો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મે મહિનામાં ચારેય ધામોના દરવાજા ખુલશે અને ભક્તો તેમના ઇષ્ટદેવના દર્શન કરી શકશે.

જાહેરસભાને સંબોધિત કર્યા બાદ રૂદ્રપુરમાં PM મોદીનો રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ઉત્તરાખંડના રૂદ્રપુરમાં વડાપ્રધાનનો આ પહેલો રોડ શો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પીએમના રોડ શો હવે એક પછી એક ચાલુ રહેવાના છે. ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના સહારનપુર, મુરાદાબાદ, ગાઝિયાબાદમાં મોટી રેલીઓ અને રોડ શો કરવા જઈ રહ્યા છે.

ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફુક્યું છે. મેરઠ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના રૂદ્રપુર અને ઉધમ સિંહ નગરમાં જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કરેલો વિકાસ તો એક ટ્રેલર છે. હવે આપણે દેશને વધુ આગળ લઈ જવાનો છે.

Lok Sabha first phase Election 2024: 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કરવામાં આવશે મતદાન

ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એકસાથે જાહેર થશે. જ્યારે ઉમેદવારો 27મી માર્ચની સાંજ સુધી ઉમેદવારી નોંધાવી શકશે

કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે, આ વર્ષે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી થશે શરૂ

આ વખતે બાબા કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ સવારે 7 વાગ્યાથી ભક્તો માટે ખુલશે. આજે શુક્રવારે, ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં મહાશિવરાત્રિ પર ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.

જોશીમઠ પર ફરી આફત! ડેન્જર ઝોનના 1200 ઘર કરાવવામાં આવશે ખાલી

ઉત્તરાખંડના જોશીમઠમાં ફરી એકવાર 1200થી વધુ ઘરોને જોખમી ક્ષેત્ર હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ડિઝાસ્ટર સેક્રેટરીએ આ સંદર્ભમાં રિપોર્ટ જાહેર કર્યો છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિએ આ અહેવાલ પર સવાલો ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે જો અહીંના લોકો વિસ્થાપિત થશે તો તેઓ ક્યાં જશે. કમિટીએ જોશીમઠની આસપાસના લોકોને ક્યાંક સ્થાયી કરવાની માંગ કરી છે.

હવે સિલ્કિયારા ટનલ જેવી દુર્ઘટના નહીં થાય, જાણો સેલા ટનલમાં શું છે સિસ્ટમ? PM મોદી 9 માર્ચે ઉદ્ઘાટન કરશે

હિમાલયના ક્ષેત્રમાં બીજી મોટી ટનલ તૈયાર છે. ખાસ વાત એ છે કે આ ટનલ ઉત્તરાખંડની સિલ્કિયારા ટનલ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને બનાવવામાં આવી છે. આ ટનલની અંદર કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો તરત જ લોકો બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

What India Thinks Today : એક દેશ, એક બંધારણ – નવા ભારત વિશે CM પુષ્કર સિંહ ધામી શું કહેશે?

'વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે' ગ્લોબલ સમિટ પછી કોન્ક્લેવના ત્રીજા દિવસે 'સત્તા સંમેલન'માં મોટાભાગના સેશન રાજકીય હોય છે અને આ દરમિયાન મંચ પર આવતા રાજકારણના દિગ્ગજ ખેલાડીઓએ દેશની રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા હોય છે. CM પુષ્કર સિંહ ધામી શું કહેશે તેના પર પણ ખાસ નજર રહેશે.

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

મધ્ય પાકિસ્તાનથી લઈને ભારતના પંજાબ પ્રાંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે. આની સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશન પણ આકાર પામ્યુ હોવાથી, અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઈને ઉત્તરના રાજ્યો તરફ જશે. પરિણામે ધુમ્મસભર્યા વાતાવરણની સાથેસાથે તાપમાનનો પારો ગગડશે.

g clip-path="url(#clip0_868_265)">