Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.

હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.

Read More

Chardham Yatra 2025 : ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખૂબ ક્રેઝ, હજારોની સંખ્યાં વિદેશીએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટે 20 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કર્યું હતુ. અત્યારસુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે 12.50 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

UCC લાગુ થયા પછી હરિદ્વારમાં લિવ-ઇન રિલેશનશિપની નોંધણી માટે ઉમટી ભીડ

ઉત્તરાખંડમાં યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ હરિદ્વાર જિલ્લામાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપ અને વારસાની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને લિવ-ઇન સંબંધોની નોંધણી માટે લોકો વધુ જાગૃત બન્યા છે. અત્યાર સુધીમાં લિવ-ઇન રિલેશનશિપ માટે કુલ નવ અરજીઓ પ્રાપ્ત થઈ છે, તેમ જિલ્લા પ્રશાસને માહિતી આપી છે.

Char Dham Yatra : તમારા મમ્મી-પપ્પાને મોકલી રહ્યા છો ચારધામ યાત્રા, જાણો ડોક્ટરની મહત્વની ટિપ્સ

Char Dham Yatra Tips : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. ચાારધામની યાત્રા ધાર્મિક અને પવિત્ર યાત્રા માનવામાં આવે છે પરંતુ રસ્તાઓ ખુબ અઘરા અને ઉંચાઈ વાળા છે. તો આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે, હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓએ મુસાફરી કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ?

Chardham Yatra 2025 : પર્સનલ કાર લઈને જઈ રહ્યા છો ચારધામ યાત્રા, તો એક વખત આ એડવાઈજરી વાંચી લેજો

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પ્રશાસન દ્વારા એડવાઈજરી પણ જાહેર કરવામાં આવી છે.

IRCTC : 8 એપ્રિલથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો આ વખતે ભાડું કેટલું હશે અને બુકિંગ કેવી રીતે કરશો

આ વર્ષે 2 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે. જો તમે હેલિકોપ્ટરથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલથી IRCTCનું બુકિંગ શરુ થશે. તો આખી પ્રોસેસ શું છે તેના વિશે જાણો

Travel tips : કઠિન છે દુનિયાના સૌથી ઉંચા ગુરુદ્વારાની યાત્રા, જાણો કેવી રીતે જવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું

વિશ્વ પ્રસિદ્ધ હેમકુંડ સાહિબના કપાટ આ વર્ષે 25 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.આ યાત્રા 25 મે થી શરુ થશે અને 10 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. શ્રદ્ધાળુઓ પાંચ મહિના સુધી આ પવિત્ર સ્થળના દર્શન કરી શકશે. તો ચાલો જાણીએ અહીં જતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.

Chardham Yatra 2025 : આ વખતે નહીં કરી શકો VIP દર્શન, REEL બનાવનાર પર લેવાશે એક્શન

ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 9 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ચારધામ યાત્રામાં આવખતે VIP દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય વીડિયો અને રીલ બનાવનાર લોકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

Travel with tv9 : ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો

ઉનાળાની રજાઓમાં કાળઝાળ ગરમી હોય છે. ત્યારે મોટા ભાગના લોકોને ફરવા જવા માગતા હોય છે. કેટલાક લોકો જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માગતા હોય છે. જેના પગલે તેઓ રોમેન્ટીક સ્થળોની શોધમાં વિદેશમાં પણ જતા હોય છે. ત્યારે ભારતમાં આવેલા આ બેસ્ટ રોમેન્ટિક સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

પતંજલિનું આધ્યાત્મિક નેતૃત્વ વ્યવસાય સિવાયના જીવનને કેવી રીતે બદલી રહ્યું છે ? આવો જાણીએ

Patanjali આજે પતંજલિ યોગપીઠને કોઈપણ પ્રકારે ઓળખની જરૂર નથી. બાબા રામદેવ દ્વારા સ્થાપિત આ સંસ્થા આજે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર આયુર્વેદિક ઉત્પાદનો વેચવાનો જ નથી, પરંતુ એક સર્વગ્રાહી અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનો પણ છે.

Travel with tv9 : ઉનાળામાં આ હીલ સ્ટેશનની કરો ટ્રીપ, સોલો ટ્રાવેલ માટે છે બેસ્ટ પ્લેસ

ઉનાળો શરૂ થઈ ગયો છે. ગરમીથી ઠંડા હવામાનમાં મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલ છે. આવી સ્થિતિમાં, તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. ભીડથી દૂર તમે અહીં વેકેશનની મજા માણી શકો છો.

જૂનાગઢ, પાવાગઢ, અંબાજી-ગબ્બરમાં છે રોપ વે, કેટલી ઝડપે ચાલે છે ટ્રોલી ? એક કિલોમીટરનો રોપ વે બનાવવા માટે કેટલો ખર્ચ આવે ?

પર્વતીય વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોચવા માટે રોપ વે યોગ્ય માધ્યમ ગણવામાં આવે છે. ગુજરાતમા જૂનાગઢ, પાવાગઢ અને અંબાજી ગબ્બર ખાતે રોપ વે છે. કેન્દ્ર સરકારે ઉત્તરાખંડના કેદારનાથ અને હેમકુંડ સાહિબને રોપ વે સેવાથી જોડી દેવાનો નિર્યણ કર્યો છે. ત્યારે શું તમે જાણો છે કે રોપ વેની ટ્રોલી કેટલી ઝડપે ચાલે છે અને એક કિલોમીટરનો રોપ વે બનાવવા માટે કેટલો ખર્ચ આવે.

Breaking News : બદ્રીનાથના માણા ગામ નજીક ગ્લેશિયર તુટી પડતા 57 મજૂરો દટાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જનજીવન સામાન્ય કરવા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. આ બરફ હટાવવા દરમિયાન શુક્રવારે સવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ગ્લેશિયર તુટી પડવાને કારણે 57 મજૂરો બરફ નીચે દટાઈ ગયા છે. હિમશીલા નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Chardham Yatra 2025 : ચારધામ યાત્રાની શરુ કરી દો તૈયારી, ચાર ધામના કપાટ ખુલવાથી લઈ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વિશે A થી Z માહિતી જાણો

ભારતીય શાસ્ત્રો અનુસાર યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ હિન્દુઓના સૌથી પવિત્ર સ્થાનો છે. જેને ચાર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચારે ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ ક્યારે આ ચારેય ધામના કપાટ ખુલશે.

Breaking News : 3 લાખમાં ગોલ્ડ મેડલ મેળવો… નેશનલ ગેમ્સમાં ફિક્સિંગનો પર્દાફાશ

ઉત્તરાખંડમાં 38મી રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. આ રમતો દરમિયાન ફિક્સિંગનો એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, તાઈકવોન્ડો સ્પર્ધામાં મેડલ ખરીવામાં અને વેચવામાં આવી રહ્યા હતા.

ઉત્તરાખંડમાં UCC લાગુ, જાણો હવે કોના માટે કેવો બદલાવ આવશે ?

ઉત્તરાખંડ રાજ્યમાં ગઈકાલ, 27 જાન્યુઆરી, સોમવારથી સમાન નાગરિક સંહિતા એટલે કે UCC અમલમાં આવી ગયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સત્તાવાર પોર્ટલ લોન્ચ કરતી વખતે આ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ, ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ચાલો જાણીએ કે UCC ના કારણે ઉત્તરાખંડમાં શું બદલાવ આવશે?

g clip-path="url(#clip0_868_265)">