AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.

હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.

Read More

Breaking News : કેદારનાથના અકસ્માત બાદ, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર લગાવ્યો પ્રતિબંધ

kedarnath helicopter crash : કેદારનાથમાં આજે સર્જાયેલ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા વિવિધ સૂચનાઓ જાહેર કરી છે. ઉત્તરાખંડ સરકારે, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર બીજો આદેશ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય આગામી આદેશ સુધી ચાલુ રહેશે.

Breaking News : કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, ગુજરાતી સહિત 7 લોકોના મોત

ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર પાસે બની હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.

Breaking News : પંચકુલામાં બુરાડી જેવી ઘટના, એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેર પી લીધુ, તમામના મોત

મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે 12.15 વાગ્યે સેક્ટર 27 માં એક ખાલી પ્લોટની સામે પાર્ક કરેલી કારમાં પ્રવિણ મિત્તલ (42), તેમની પત્ની, ત્રણ બાળકો (એક પુત્ર અને બે પુત્રીઓ) અને પ્રવિણના વૃદ્ધ માતા-પિતા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

પિતા બહેન મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સિંગરનો પરિવાર જુઓ

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' ના વિજેતા પવનદીપ અકસ્માત બાદ ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે હોસ્પિટલ તરફથી તેમના સ્વાસ્થ્ય અપડેટ આવ્યા છે. તે હવે સ્વસ્થ છે,

પતંજલિ પાસેથી જાણી જશો ખોરાક અંગેના તથ્યો અને નિયમો તો સ્વાસ્થ્ય રહેશે તમારુ એકદમ સારું

સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ઉપરાંત ખોરાક સંબંધિત નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ ગુરુ બાબા રામદેવ અને આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણના પુસ્તકમાંથી, તમે ખોરાક સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો અને નિયમો જાણી શકશો જે તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે.

Breaking News : આંખના પલકારામાં સિંગરની કાર કેન્ટર સાથે અથડાઈ, સિંગરને ICUમાં ખસેડવામાં આવ્યો

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12ના વિજેતા પવનદીપ રાજનનો 5 મેના રોજ ગંભીર અકસ્માત થયો છે. ત્યારબાદ તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ઉત્તારખંડથી દિલ્હી આવતી વખતે ગજારૌલમાં ડ્રાઈવરને ઊંઘ આવી જતા આ અક્સ્માત સર્જાયો હતો. જેમાં પવનદીપને હાથ અને પગમાં ફેક્ચર થયું છે.

ભક્તોની ભીડ વચ્ચે કેદારનાથના દરવાજા ખુલ્યાં, 108 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું બાબાનુ ધામ

Kedarnath Temple: બાર જ્યોતિર્લિંગોમાંના એક ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હિમાલયની પર્વતમાળામાં આવેલ આ મંદિરને દેશ-વિદેશથી લાવવામાં આવેલા 108 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આખું કેદારનાથ ધામ 'હર-હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નારાથી ગુંજી ઉઠ્યું. 

“ચારધામ યાત્રામાં મુસ્લિમોના પ્રવેશ પર લગાવો રોક, આ દેવભૂમિ છે, કોઈ પર્યટન સ્થળ નથી”- મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ ગીરી

જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ ગીરીએ માગ કરી છે કે ચારધામ યાત્રાના માર્ગ પર બિનહિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ દેવભૂમિ છે કોઈ પર્યટન સ્થળ નથી.

ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો, પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ હવે ચારધામ યાત્રા કરી શકશે નહીં

ઉત્તરાખંડમાં 30 એપ્રિલ 2025 થી શરૂ થનારી ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો છે. આ યાત્રામાં ભાગ લેવા પર પાકિસ્તાની હિન્દુઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.હવે પાકિસ્તાની હિન્દુઓ ચારધામ યાત્રા નહીં કરી શકે,

Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો તો આ વસ્તુઓ બેગમાં પેક કરી લો

ચાર ધામની યાત્રા શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે યાત્રિકો પણ ચારધામ યાત્રામાં જવા માટે તેમની તૈયારીઓ શરુ કરી દીધી છે. તો ચાલો જાણીએ કે, ચારધામ યાત્રામાં જતી વખતે બેગમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જરુરી છે.

Chardham Yatra 2025 : ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખૂબ ક્રેઝ, હજારોની સંખ્યાં વિદેશીએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ચારધામ યાત્રા માટે 20 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કર્યું હતુ. અત્યારસુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે 12.50 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

UCC લાગુ થયા પછી હરિદ્વારમાં લિવ-ઇન રિલેશનશિપની નોંધણી માટે ઉમટી ભીડ

ઉત્તરાખંડમાં યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ હરિદ્વાર જિલ્લામાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપ અને વારસાની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને લિવ-ઇન સંબંધોની નોંધણી માટે લોકો વધુ જાગૃત બન્યા છે. અત્યાર સુધીમાં લિવ-ઇન રિલેશનશિપ માટે કુલ નવ અરજીઓ પ્રાપ્ત થઈ છે, તેમ જિલ્લા પ્રશાસને માહિતી આપી છે.

Char Dham Yatra : તમારા મમ્મી-પપ્પાને મોકલી રહ્યા છો ચારધામ યાત્રા, જાણો ડોક્ટરની મહત્વની ટિપ્સ

Char Dham Yatra Tips : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. ચાારધામની યાત્રા ધાર્મિક અને પવિત્ર યાત્રા માનવામાં આવે છે પરંતુ રસ્તાઓ ખુબ અઘરા અને ઉંચાઈ વાળા છે. તો આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે, હૃદય, ડાયાબિટીસ, બીપી અને સાંધાના દુખાવાના દર્દીઓએ મુસાફરી કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ?

Chardham Yatra 2025 : પર્સનલ કાર લઈને જઈ રહ્યા છો ચારધામ યાત્રા, તો એક વખત આ એડવાઈજરી વાંચી લેજો

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરુ થવા જઈ રહી છે. યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પ્રશાસન દ્વારા એડવાઈજરી પણ જાહેર કરવામાં આવી છે.

IRCTC : 8 એપ્રિલથી કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ થશે, જાણો આ વખતે ભાડું કેટલું હશે અને બુકિંગ કેવી રીતે કરશો

આ વર્ષે 2 મેથી કેદારનાથ ધામના કપાટ ખુલી રહ્યા છે. જો તમે હેલિકોપ્ટરથી કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલથી IRCTCનું બુકિંગ શરુ થશે. તો આખી પ્રોસેસ શું છે તેના વિશે જાણો

g clip-path="url(#clip0_868_265)">