ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

અમદાવાદ-બ્રહ્મપુર તેમજ બ્રહ્મપુર-ઉધના વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ટ્રેનનું ટાઈમ ટેબલ

Ahmedabad Brahmpur Udhana train : મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

‘માનસખંડ એક્સપ્રેસ’ કરાવશે તીર્થસ્થાનો અને હેરિટેજની મુલાકાત, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા, જાણો ટાઈમટેબલ

Indian Railway : લોકો ઉત્તરાખંડના મહત્ત્વના તીર્થસ્થાનો અને હેરિટેજ પ્લેસનો આનંદ માણી શકે અને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરી શકે તે હેતુથી IRCTCએ 'માનસખંડ એક્સપ્રેસ' શરુ કરી છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

IRCTC Tour Package : નોકરિયાત માટે બેસ્ટ છે આ ટુર પેકેજ, એક સાથે 2-2 સુંદર દેશ ફરવાની તક મળશે

આઈઆરસીટીસીના આ સ્પેશિયલ ટુર પેકેજમાં તમે સિંગાપુર અને મલેશિયા ફરવાની તક મળશે. જેમાં તમે 3 રાત સિંગાપુર અને 2 રાત મલેશિયાની હોટલમાં રહેશો, મહત્વની વાત તો એ છે કે, આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની પણ સુવિધા આપવામાં આવશે.

Kullu Manali : ઉનાળાના ધોમધખતા તાપથી મેળવો છુટકારો, કુલુ-મનાલી ફરવા માટે આ ટ્રેનમાં કરો મુસાફરી

kullu manali : ઉનાળામાં ગુજરાતમાં ખૂબ જ તડકો પડે છે. અત્યારે સામાન્ય રીતે બાળકોને સ્કૂલોમાં પણ વેકેશન પડી ગયું હોય છે. તો ઘણી વખત તાપથી બચવા માટે અને ફરવા માટે લોકો દરિયાકિનારે અને સ્વીમિંગ પુલમાં જતા હોય છે. તમારે બીજા રાજ્યનો અનુભવ કરવો હોય તો બાળકોને લઈને કૂલુ-મનાલી જવા માટેની ટ્રીપ ગોઠવી શકાય.

IRCTC Tour Package : બાળકોને લઈ જાવ ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા જોવા, આ સ્થળેથી ઉપડશે ટ્રેન

પ્રવાસીઓ માટે એવી કોઈ સિઝન બાકી રહી નથી. જેમાં પ્રવાસીઓ ફરવા ન જાય ઉનાળો હોય કે શિયાળી કે પછી વરસાદ કેમ ન હોય, લોકો બેગ પેક કરી પરિવાર સાથે ફરવા નીકળી જાય છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છીએ આઈઆરસીટીસીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનું ટુર પેકેજ.

Poicha Nilakantha Dham : પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

Haridwar Train Waiting list : ‘હરિદ્વાર’ જાય છે 19271 નંબરની આ ટ્રેન, ભાડું તો સસ્તું છે…પણ વેઈટિંગ લિસ્ટ જાણો

Bhavnagar haridwar Express : હરિદ્વાર ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે. થોડાં દિવસ પહેલા આપણે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આ ન્યૂઝમાં અમે તમને તેના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

IRCTC Tour Package : માત્ર એક હજાર રુપિયાના EMI પર માતા-પિતાને લઈ 7 જ્યોતિર્લિંગના દર્શન કરી આવો

IRCTC મે મહિનામાં સાત જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ 22 મે 2024થી શરૂ થશે. ચાલો તમને જણાવીએ આ ટુર પેકેજ વિશે તમામ વાત.

Thailand Tour : વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, ફ્લાઈટમાં પરિવાર સાથે કરી લો આ ટ્રિપ

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ તો મે મહિનામાં થાઈલેન્ડનું પેકેજ બુક કરાવી શકો છો. તમે ઓછા પૈસામાં વિદેશ ફરીને આવી જશો. આ સાથે તમને ફ્લાઈટમાં બેસવાનો પણ આનંદ મળશે. આ પેકેજ માટે સિંકદરાબાદ, વિજયવાડા રેલવે સ્ટેશનનો પણ સંપર્ક કરી શકો છો.

Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ જવા માટેની ટ્રેન, આટલા સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા

Bhavnagar haridwar Express : આ ટ્રેન આખા અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1575 કિમીનું અંતર કવર કરે છે.

Railway Update : મહાદેવ ભક્તો માટે આનંદો ! લક્ઝરી AC ટ્રેનમાં જ્યોતિર્લિંગના કરો દર્શન, આ ટ્રેન ગુજરાતને પણ જોડશે

Railway Update : રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી AC ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાંથી પસાર થશે ઉજ્જૈન, દરભંગા, ગાંધીધામ, વેરાવળ-સાલારપુરની સ્પેશિયલ ટ્રેનો, જાણો ટાઈમટેબલ

Indian Railway : પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ નવી 4 ટ્રેનની જાહેરાત કરી છે. આ ટ્રેનો ગુજરાતના લગભગ મોટાં ભાગના શહેરોને એકબીજા સાથે જોડે છે.

સાળંગપુરથી સૌરાષ્ટ્ર તરફ જતી આ ટ્રેન, કાળિયા ઠાકોરના દેવભૂમિ દ્વારકા સુધીની કરાવે છે સફર, જાણો ટાઈમટેબલ

ટ્રેન નંબર 19209 Bvc Okha Exp એ પ્રવાસીઓ માટે આ રૂટ પરની મુખ્ય ટ્રેનોમાંની એક છે. તે ભાવનગર સ્ટેશનથી શરૂ થાય છે અને ઓખા ખાતે સમાપ્ત થાય છે.

સાળંગપુરથી રિટર્ન અમદાવાદ-સુરત બાજુ આવવા માટે ચાલે છે આ ‘મહુવા’ ટ્રેન

લોકો સાળંગપુર દાદાના દર્શને કે બોટાદ બાજુ ફરવા માટે જતા હોય છે. તો તેમના માટે પાછા આવવા માટે પણ એક સારી ટ્રેન ચાલે છે. જે તમને રાજુલા, દામનગર, અમદાવાદ થઈને સુરત પહોંચાડે છે.

હૈદરાબાદ ફરવા માટે સૌરાષ્ટ્રથી ઉપડે છે આ ટ્રેન, તો 12થી વધુ ગુજરાતના સ્ટેશન પર કરે છે સ્ટોપેજ

Rjt Sc Sup Exp : હૈદરાબાદ ફરવાના શોખીનો માટે આ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેન ગુજરાતના 12થી વધુ મોટા શહેરોમાંથી પસાર થાય છે. બિઝનેસ મિટિંગમાં જવા માટે પણ આ ટ્રેન બેસ્ટ ઓપ્શન છે.

g clip-path="url(#clip0_868_265)">