Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રાવેલ

ટ્રાવેલ

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ભારતના રમણીય સ્થળો બધાના ફેવરિટ રહે છે. હિમાચલ પ્રદેશ હોય કે પછી કેરલ હોય. કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મનમોહક, નયનરમ્યો દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. ટ્રાવેલથી મનને શાંતિ મળે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. ઘણી વાર લોકો ટ્રાવેલ માટે સસ્તી ટિકિટો શોધતા હોય છે, ઝડપી ટ્રેન, વેઈટિંગ લિસ્ટ, ટુર પેકેજ, ટ્રાવેસ ટિપ્સ શોધતા હોય છે. જે તમને આસાનીથી અમારા આ પેજ પર ઉપલબ્ધ થશે.

 

Read More

Travel tips : એપ્રિલમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે ગુજરાતના બેસ્ટ સ્થળો, જુઓ ફોટો

ઉનાળા દરમિયાન ગુજરાતમાં મુસાફરી કરવી બેસ્ટ માનવામાં આવે છે. જો તમે પણ ઉનાળાની ઋતુમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે ગુજરાતમાં જ ફરવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જાણીએ એપ્રિલ મહિનામાં ફરવા માટે બેસ્ટ સ્થળો ક્યા ક્યા છે.

Travel tips : ઉનાળાના વેકેશન માટે GSRTCએ ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરી

પ્રવાસીઓ માટે ગુજરાત એસટી નિગમે સારા સમાચાર લઈને આવ્યા છે. ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના ગુજરાત ભરના તમામ એસટી ડેપોમાં લાગુ કરવામાં આવી છે.

Travel with tv9 : ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો

ઉનાળાની રજાઓમાં કાળઝાળ ગરમી હોય છે. ત્યારે મોટા ભાગના લોકોને ફરવા જવા માગતા હોય છે. કેટલાક લોકો જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માગતા હોય છે. જેના પગલે તેઓ રોમેન્ટીક સ્થળોની શોધમાં વિદેશમાં પણ જતા હોય છે. ત્યારે ભારતમાં આવેલા આ બેસ્ટ રોમેન્ટિક સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

ટ્રેન 3 કલાકથી વધુ મોડી તો મળશે 100% રિફંડ ! જાણો કેવી રીતે ?

જો ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય અને મુસાફર તેમની મુસાફરી રદ કરવા માંગે છે, તો ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધા માટે રિફંડ પોલિસી પ્રદાન કરે છે.

Travel with tv9 : પાટણના પટોળા જ નહીં, આ સ્થળો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન

ઉનાળુ વેકેશનમાં મોટાભાગના બાળકો બહાર ફરવા જવાની જીદ્દ કરતા હોય છે. ત્યારે તેમને ક્યાં ફરવા લઈ જવા તે એક મોટો પ્રશ્ન હોય છે. આવા સમયે માતા- પિતાએ એવા સ્થળોએ બાળકોને પ્રવાસ માટે લઈ જવા જોઈએ. જ્યાં બાળકોને ફરવાની સાથે ભારતના ઈતિહાસને પણ જાણી શકે છે.

Travel with tv9 : ઉનાળાની રજાઓમાં બાળકોને રાજકોટના આ સ્થળોની મુલાકાત લેવડાવવાનું ભૂલતા નહીં

ગુજરાતનું જાણીતું શહેર એવા રાજકોટમાં સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રકૃતિનો અનુભવ કરી શકાય તેવા કેટલાક સ્થળો આવેલા છે. ઉનાળાની રજાઓમાં જો તમે રાજકોટ જવાનો પ્લાન કરી રહ્યાં છો આ સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

Railway Ticket New Rules : હવે તમે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશી શકશો, નવી સિસ્ટમ થશે શરૂ, જાણો

ભીડ ટાળવા માટે, રેલવે મંત્રાલયે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ હવે તમને ફક્ત ત્યારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હશે. આ નિયમ 60 સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.

Travel with tv9 : ઉનાળામાં આ હીલ સ્ટેશનની કરો ટ્રીપ, સોલો ટ્રાવેલ માટે છે બેસ્ટ પ્લેસ

ઉનાળો શરૂ થઈ ગયો છે. ગરમીથી ઠંડા હવામાનમાં મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલ છે. આવી સ્થિતિમાં, તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે આ સુંદર સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. ભીડથી દૂર તમે અહીં વેકેશનની મજા માણી શકો છો.

Travel With Tv9 : વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા વડોદરામાં કરો વન ડે ટ્રીપ, આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં

ઉનાળા વેકેશનમાં મોટા ભાગના લોકો બહાર ફરવા જતા હોય છે. ત્યારે તમે પણ આ વેકેશનમાં સંસ્કારી નગરી એવા વડોદરાની મુલાકાત લેવાનું વિચારી રહ્યાં છો તો આ શહેરમાં આવેલા કેટલાક સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

Indian Railway : જાનૈયાઓને ટ્રેનમાં લઈને જવા છે ? તો આ રીતે કરો આખો કોચ બુક, જાણો આખી પ્રોસેસ

જો તમારો પ્લાન પણ જાન ટ્રેનમાં લઈ જવાનો છે, અને લગ્ન માટે જો તમે એક ટ્રેનનો આખો કોચ બુક કરવા માંગો છો. તો ચાલો જાણીએ કેવી રીતે તમે કોચ બુક કરી શકશો.

Travel tips : દિલ તો બચ્ચા હૈ જી, ઉનાળાના વેકેશનમાં બાળકોને ફરવા માટે આ સ્થળે લઈ જાવ

ઉનાળાના વેકેશનમાં મોટાભાગના બાળકો મોબાઈલ અને કોમ્પયુટર પર પોતાનો સમય વધારે પસંદ કરે છે.પરંતુ કેટલાક એવા સ્થળો છે. જ્યાં તમે ઉનાળામાં બાળકો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. બાળકોને આ સ્થળ ખુબ મજા પણ આવશે.

Travel with Tv9 : તમે એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યા છો ? શહેરના આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો

અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું એક શહેર છે. અમદાવાદમાં અનેક મંદિરો આવેલા છે. ઉનાળાની રજાઓમાં જો તમે પણ એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યાં છો તો શહેરના આ મંદિરની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ.

Gujarat Tourism : પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, GSRTC ટુંક જ સમયમાં શરુ કરશે ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે હવે એસટી નિગમ પ્રવાસીઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. ટુંકમાં એસટી નિગમ ટુંક જ સમયમાં રાજ્યના તીર્થ સ્થળો માટે ટૂરિસ્ટ પેકેજની શરુઆત કરી શકે છે.

Travel Tips : ગુજરાતના આ સ્થળે થયા હતા કૃષ્ણ અને રુક્મિણીના લગ્ન, અહી ભરાય છે મોટો મેળો

પોરબંદરના માધવપુર ખાતે ચૈત્ર મહિનાની સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીનો વિવાહ પ્રસંગનો મેળો ભરાય છે. જે આ વર્ષે 6 થી 10 એપ્રિલે યોજાશે. વિવિધ રાજ્યોના સરકારના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો જાણો આ માધવપુરના મેળામાં કેવી રીતે પહોંચશો.

IRCTC Tour Package : જૈન પ્રવાસીઓ માટે રેલવેનું શાનદાર ટુર પેકેજ, 08 રાત અને 09 દિવસની યાત્રા

IRCTC જૈન પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટુર પેકેજ બહાર પાડ્યું છે. "જૈન યાત્રા" સોમવાર 31મી માર્ચ 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસ (મુંબઈ) રેલ્વે સ્ટેશનથી 08 રાત/09 દિવસની મુસાફરી માટે પ્રસ્થાન કરવા માટે તૈયાર છે.

g clip-path="url(#clip0_868_265)">