ચારધામ
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. હિન્દુ ધર્મમાં બે પ્રકારની ચાર ધામ યાત્રા કરવામાં આવે છે. એક બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. આ ચાર ધામ એટલા પવિત્ર છે કે એવું માનવામાં આવે છે કે આ ધામોની મુલાકાત લેવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે. આના કારણે અહિં છ મહિના મંદિરના કપાટ બંધ રહે છે, અને છ મહિના માટે ફરી તેને દર્શન માટે ખોલવામાં આવે છે.
Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો, હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ આ તારીખથી શરુ થશે
ગુપ્તકાશી ફાટા સિરસીથી છ એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. યાત્રાના છેલ્લા તબક્કામાં કેદારનાથની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ટિકિટ માટે આટલો જ સમય બાકી છે.
- Nirupa Duva
- Updated on: Oct 7, 2025
- 5:09 pm
Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો ચાર ધામના દર્શન, આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ
જો તમે માતા-પિતાને લઈ ચારધામની યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છો. બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપટ ટુંક સમયમાં જ બંધ થશે. તો ચાલો જાણીએ ક્યારે ચારધામના કપાટ બંધ થશે.
- Nirupa Duva
- Updated on: Oct 5, 2025
- 2:27 pm
IRCTC Tour Package: હવે તમારું ‘ચારધામ યાત્રા’ પર જવાનું સપનું પૂરું થશે! ‘રેલવે’એ લોન્ચ કર્યું એક ‘શાનદાર ટૂર પેકેજ’
IRCTC એ 'ચારધામ યાત્રા 2025' ની જાહેરાત કરી છે, જે 1 સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાની છે. વધુમાં જોઈએ તો, આ વર્ષની ચારધામ યાત્રા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Aug 31, 2025
- 8:41 pm
Uttarakhand : પિથોરાગઢમાં મુસાફરો ભરેલી કાર 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 7 ના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે મંગળવારે એક ગોઝારો અકસ્માત થયો હતો. એક ટેક્સી કાબુ ગુમાવીને લગભગ 150 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. ટેક્સીમાં કુલ 13 લોકો સવાર હતા, જેમાંથી સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા.
- TV9 Gujarati
- Updated on: Jul 15, 2025
- 9:21 pm
Breaking News : ઉત્તરકાશીમાં યમુનોત્રી રોડ પર વાદળ ફાટ્યું, 9 લોકો ગુમ થયા
ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરકાશી જિલ્લાના બારકોટ-યમુનોત્રી રોડ પર આવેલ બાલીગઢમાં વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાને કારણે નવી બંઘાઈ રહેલ હોટલની સાઇટને ભારે નુકસાન થયું છે. હોટલના બાંધકામ સ્થળ પર કામ કરતા 8 થી 9 મજૂરો ગુમ થયા હોવાનુ સામે આવ્યું છે. ઉત્તરાખંડ પોલીસ, SDRF અને NDRFની ટીમ, વાદળ ફાટ્યુ તે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ તેમજ રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. જિલ્લા કલેકટર પ્રશાંત આર્યએ, જણાવ્યું હતું કે ગુમ થયેલા કામદારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 29, 2025
- 9:47 am
Char Dham Yatra: ચાર ધામ યાત્રા કરવાથી શું લાભ થાય છે, હિંદુ ધર્મમાં શા માટે તે મહત્વપૂર્ણ છે?
ચાર ધામ યાત્રાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે માત્ર એક યાત્રા નથી, પરંતુ એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે જે ભક્તોના જીવનમાં પરિવર્તન લાવે છે. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની ચાર ધામ યાત્રાઓ પ્રચલિત છે અને બંનેનું પોતાનું મહત્વ છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2025
- 5:51 pm
Breaking News : કેદારનાથના અકસ્માત બાદ, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર લગાવ્યો પ્રતિબંધ
kedarnath helicopter crash : કેદારનાથમાં આજે સર્જાયેલ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા વિવિધ સૂચનાઓ જાહેર કરી છે. ઉત્તરાખંડ સરકારે, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર બીજો આદેશ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Jun 15, 2025
- 11:18 am
Breaking News : કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, ગુજરાતી સહિત 7 લોકોના મોત
ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર પાસે બની હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.
- Disha Thakar
- Updated on: Jun 15, 2025
- 11:29 am
Char Dham Yatra 2025 : ચારધામના કપાટ ખુલી ગયા છે , જાણો કેવી રીતે કરશે આ યાત્રા
ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે અને ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.જાણો કેવી રીતે કરશે આ યાત્રા
- Nirupa Duva
- Updated on: May 4, 2025
- 2:55 pm
ભક્તોની ભીડ વચ્ચે કેદારનાથના દરવાજા ખુલ્યાં, 108 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું બાબાનુ ધામ
Kedarnath Temple: બાર જ્યોતિર્લિંગોમાંના એક ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હિમાલયની પર્વતમાળામાં આવેલ આ મંદિરને દેશ-વિદેશથી લાવવામાં આવેલા 108 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આખું કેદારનાથ ધામ 'હર-હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નારાથી ગુંજી ઉઠ્યું.
- TV9 Gujarati
- Updated on: May 2, 2025
- 8:43 pm
“ચારધામ યાત્રામાં મુસ્લિમોના પ્રવેશ પર લગાવો રોક, આ દેવભૂમિ છે, કોઈ પર્યટન સ્થળ નથી”- મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ ગીરી
જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ ગીરીએ માગ કરી છે કે ચારધામ યાત્રાના માર્ગ પર બિનહિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ દેવભૂમિ છે કોઈ પર્યટન સ્થળ નથી.
- Mina Pandya
- Updated on: Apr 28, 2025
- 9:36 pm
ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો, પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ હવે ચારધામ યાત્રા કરી શકશે નહીં
ઉત્તરાખંડમાં 30 એપ્રિલ 2025 થી શરૂ થનારી ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો છે. આ યાત્રામાં ભાગ લેવા પર પાકિસ્તાની હિન્દુઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.હવે પાકિસ્તાની હિન્દુઓ ચારધામ યાત્રા નહીં કરી શકે,
- Nirupa Duva
- Updated on: Apr 28, 2025
- 12:45 pm
Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો તો આ વસ્તુઓ બેગમાં પેક કરી લો
ચાર ધામની યાત્રા શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે યાત્રિકો પણ ચારધામ યાત્રામાં જવા માટે તેમની તૈયારીઓ શરુ કરી દીધી છે. તો ચાલો જાણીએ કે, ચારધામ યાત્રામાં જતી વખતે બેગમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જરુરી છે.
- Nirupa Duva
- Updated on: Apr 27, 2025
- 4:07 pm
Travel Tips : જો તમે કેદારનાથ જઈ રહ્યા છો, તો નજીકના આ સુંદર સ્થળોની મુલાકાત લેતા આવજો
કેદારનાથ યાત્રા શરુ થવાના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે પણ આ વર્ષે ભોલેનાથના દર્શન કરવા માટે કેદારનાથ જઈ રહ્યા છો. તો કેદારનાથની આજુબાજુ આવેલા આ સ્થળો પર આંટો મારતા આવજો. તો ચાલો જાણીએ કેદારનાથની આસપાસ ક્યા ક્યા ફરવા લાયક સ્થળો આવેલા છે.
- Nirupa Duva
- Updated on: Apr 23, 2025
- 4:45 pm
Chardham Yatra 2025 : ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખૂબ ક્રેઝ, હજારોની સંખ્યાં વિદેશીએ કરાવ્યું રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા માટે 20 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કર્યું હતુ. અત્યારસુધી કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે 12.50 લાખથી વધુ યાત્રિકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. ચારધામ યાત્રામાં વિદેશી ભક્તોનો પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Apr 18, 2025
- 12:49 pm