ચારધામ
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. હિન્દુ ધર્મમાં બે પ્રકારની ચાર ધામ યાત્રા કરવામાં આવે છે. એક બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. આ ચાર ધામ એટલા પવિત્ર છે કે એવું માનવામાં આવે છે કે આ ધામોની મુલાકાત લેવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે. આના કારણે અહિં છ મહિના મંદિરના કપાટ બંધ રહે છે, અને છ મહિના માટે ફરી તેને દર્શન માટે ખોલવામાં આવે છે.
Breaking News : શું સારા અલી ખાન હવે કેદારનાથ જઈ શકશે નહી? દર્શન માટે ‘એફિડેવિટ’ રજૂ કરવું પડશે
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન હવે કેદારનાથ મંદિરમાં દર્શન કરવા મુશ્કેલ છે. આનું કારણ બદ્રીનાથ -કેદારનાથ મંદિર કમિટીના ચેરમેનનું નિવેદન છે. ત્યારબાદ આને લઈ હવે ચર્ચાઓ શરુ થઈ છે. તો શું હવે સારા અલી ખાન કેદારનાથ મંદિરની મુલાકાત નહી લઈ શકે.
- Nirupa Duva
- Updated on: Mar 18, 2026
- 2:10 pm
Breaking News : ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિર્ણય, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ
Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. ઉત્તરાખંડ સરકારે 19 એપ્રિલના રોજથી શરુ થનારી પવિત્ર તીર્થયાત્રાની યોજના બનાવી રહેલા ભક્તો માટે ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે. આ વચ્ચે ઉત્તરાખંડ મંદિર સત્તામંડળે ચારધામ યાત્રા 2026 પહેલા 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો
- Nirupa Duva
- Updated on: Mar 12, 2026
- 12:38 pm
Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રોસેસ જાણો
Char Dham Yatra 2026 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓ વેબસાઈટ, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા ઘરે બેસી રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જાણો.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 2:50 pm
Char Dham Yatra 2026 : આ વર્ષે ચારધામ યાત્રા ક્યારે શરૂ થશે? 11 દિવસ વહેલા ખુલશે કપાટ
Char Dham Yatra 2026 : જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારા માટે આ ગુડન્યુઝ છે. તો જાણી લો ચારધામ યાત્રાના કપાટ ક્યારે ખુલશે.
- Nirupa Duva
- Updated on: Jan 26, 2026
- 1:58 pm
Breaking News : ઉત્તરાખંડના ગંગોત્રીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પણ લેવાશે આવો જ નિર્ણય ?
ઉત્તરાખંડમાં મંદિર સમિતિની યોજાયેલી બેઠકમાં ગંગોત્રી ધામ અને માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ધામ પૈકી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા પણ આવો જ પ્રસ્તાવ વિચારાઈ રહ્યો છે. આગામી દિવસોમાં બદ્રીનાથ અને કેદારનાથ ધામમા પણ બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 1:35 pm
Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો, હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ આ તારીખથી શરુ થશે
ગુપ્તકાશી ફાટા સિરસીથી છ એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. યાત્રાના છેલ્લા તબક્કામાં કેદારનાથની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ટિકિટ માટે આટલો જ સમય બાકી છે.
- Nirupa Duva
- Updated on: Oct 7, 2025
- 5:09 pm
Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો ચાર ધામના દર્શન, આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ
જો તમે માતા-પિતાને લઈ ચારધામની યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છો. બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપટ ટુંક સમયમાં જ બંધ થશે. તો ચાલો જાણીએ ક્યારે ચારધામના કપાટ બંધ થશે.
- Nirupa Duva
- Updated on: Oct 5, 2025
- 2:27 pm
IRCTC Tour Package: હવે તમારું ‘ચારધામ યાત્રા’ પર જવાનું સપનું પૂરું થશે! ‘રેલવે’એ લોન્ચ કર્યું એક ‘શાનદાર ટૂર પેકેજ’
IRCTC એ 'ચારધામ યાત્રા 2025' ની જાહેરાત કરી છે, જે 1 સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાની છે. વધુમાં જોઈએ તો, આ વર્ષની ચારધામ યાત્રા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Aug 31, 2025
- 8:41 pm
Uttarakhand : પિથોરાગઢમાં મુસાફરો ભરેલી કાર 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 7 ના મોત
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આજે મંગળવારે એક ગોઝારો અકસ્માત થયો હતો. એક ટેક્સી કાબુ ગુમાવીને લગભગ 150 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. ટેક્સીમાં કુલ 13 લોકો સવાર હતા, જેમાંથી સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા.
- TV9 Gujarati
- Updated on: Jul 15, 2025
- 9:21 pm
Breaking News : ઉત્તરકાશીમાં યમુનોત્રી રોડ પર વાદળ ફાટ્યું, 9 લોકો ગુમ થયા
ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરકાશી જિલ્લાના બારકોટ-યમુનોત્રી રોડ પર આવેલ બાલીગઢમાં વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાને કારણે નવી બંઘાઈ રહેલ હોટલની સાઇટને ભારે નુકસાન થયું છે. હોટલના બાંધકામ સ્થળ પર કામ કરતા 8 થી 9 મજૂરો ગુમ થયા હોવાનુ સામે આવ્યું છે. ઉત્તરાખંડ પોલીસ, SDRF અને NDRFની ટીમ, વાદળ ફાટ્યુ તે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ તેમજ રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. જિલ્લા કલેકટર પ્રશાંત આર્યએ, જણાવ્યું હતું કે ગુમ થયેલા કામદારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 29, 2025
- 9:47 am
Char Dham Yatra: ચાર ધામ યાત્રા કરવાથી શું લાભ થાય છે, હિંદુ ધર્મમાં શા માટે તે મહત્વપૂર્ણ છે?
ચાર ધામ યાત્રાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે માત્ર એક યાત્રા નથી, પરંતુ એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે જે ભક્તોના જીવનમાં પરિવર્તન લાવે છે. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની ચાર ધામ યાત્રાઓ પ્રચલિત છે અને બંનેનું પોતાનું મહત્વ છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2025
- 5:51 pm
Breaking News : કેદારનાથના અકસ્માત બાદ, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર લગાવ્યો પ્રતિબંધ
kedarnath helicopter crash : કેદારનાથમાં આજે સર્જાયેલ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા વિવિધ સૂચનાઓ જાહેર કરી છે. ઉત્તરાખંડ સરકારે, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર બીજો આદેશ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Jun 15, 2025
- 11:18 am
Breaking News : કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે ક્રેશ, ગુજરાતી સહિત 7 લોકોના મોત
ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તાર પાસે બની હતી. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો.
- Disha Thakar
- Updated on: Jun 15, 2025
- 11:29 am
Char Dham Yatra 2025 : ચારધામના કપાટ ખુલી ગયા છે , જાણો કેવી રીતે કરશે આ યાત્રા
ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે અને ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.જાણો કેવી રીતે કરશે આ યાત્રા
- Nirupa Duva
- Updated on: May 4, 2025
- 2:55 pm
ભક્તોની ભીડ વચ્ચે કેદારનાથના દરવાજા ખુલ્યાં, 108 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું બાબાનુ ધામ
Kedarnath Temple: બાર જ્યોતિર્લિંગોમાંના એક ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હિમાલયની પર્વતમાળામાં આવેલ આ મંદિરને દેશ-વિદેશથી લાવવામાં આવેલા 108 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આખું કેદારનાથ ધામ 'હર-હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નારાથી ગુંજી ઉઠ્યું.
- TV9 Gujarati
- Updated on: May 2, 2025
- 8:43 pm