
ચારધામ
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. હિન્દુ ધર્મમાં બે પ્રકારની ચાર ધામ યાત્રા કરવામાં આવે છે. એક બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. આ ચાર ધામ એટલા પવિત્ર છે કે એવું માનવામાં આવે છે કે આ ધામોની મુલાકાત લેવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે. આના કારણે અહિં છ મહિના મંદિરના કપાટ બંધ રહે છે, અને છ મહિના માટે ફરી તેને દર્શન માટે ખોલવામાં આવે છે.
Chardham Yatra 2025 : આ વખતે નહીં કરી શકો VIP દર્શન, REEL બનાવનાર પર લેવાશે એક્શન
ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 9 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ચારધામ યાત્રામાં આવખતે VIP દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય વીડિયો અને રીલ બનાવનાર લોકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Mar 28, 2025
- 4:13 pm
જૂનાગઢ, પાવાગઢ, અંબાજી-ગબ્બરમાં છે રોપ વે, કેટલી ઝડપે ચાલે છે ટ્રોલી ? એક કિલોમીટરનો રોપ વે બનાવવા માટે કેટલો ખર્ચ આવે ?
પર્વતીય વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોચવા માટે રોપ વે યોગ્ય માધ્યમ ગણવામાં આવે છે. ગુજરાતમા જૂનાગઢ, પાવાગઢ અને અંબાજી ગબ્બર ખાતે રોપ વે છે. કેન્દ્ર સરકારે ઉત્તરાખંડના કેદારનાથ અને હેમકુંડ સાહિબને રોપ વે સેવાથી જોડી દેવાનો નિર્યણ કર્યો છે. ત્યારે શું તમે જાણો છે કે રોપ વેની ટ્રોલી કેટલી ઝડપે ચાલે છે અને એક કિલોમીટરનો રોપ વે બનાવવા માટે કેટલો ખર્ચ આવે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 2:32 pm
Chardham Yatra 2025 : ચારધામ યાત્રાની શરુ કરી દો તૈયારી, ચાર ધામના કપાટ ખુલવાથી લઈ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વિશે A થી Z માહિતી જાણો
ભારતીય શાસ્ત્રો અનુસાર યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ હિન્દુઓના સૌથી પવિત્ર સ્થાનો છે. જેને ચાર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચારે ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ ક્યારે આ ચારેય ધામના કપાટ ખુલશે.
- Nirupa Duva
- Updated on: Feb 27, 2025
- 5:11 pm
Breaking News : માતા-પિતા સાથે કેદારનાથ જવાનો બનાવી લો પ્લાન, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ
મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે. તેમજ કેદારનાથ ધામ કેવી રીતે પહોંચશો.
- Nirupa Duva
- Updated on: Feb 27, 2025
- 3:56 pm
Char Dham Yatra 2025 : ચારધામ યાત્રા માટે આ તારીખથી શરુ થઈ રહ્યું છે રજિસ્ટ્રેશન, જાણો વિસ્તારથી માહિતી
Chardham Yatra Registration 2025 : ઉત્તરાખંડની યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ચારધામ યાત્રા 2025ની શરુઆત એપ્રિલથી શરુ થઈ રહી છે. તો ચાલો જાણી લો ચારધામ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન શું પ્રોસેસ છે.
- Nirupa Duva
- Updated on: Feb 23, 2025
- 11:44 am
Winter Char Dham yatra : કડકડતી ઠંડીમાં પણ 15 હજારથી વધુ ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા, જુઓ ફોટો
આ વખતે પ્રથમ વખત ઉત્તરાખંડ સરકારે શિયાળુ ચારધામ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ભક્તોએ ચારેય ધામોના દર્શન કર્યા છે. સરકારને આશા છે કે જાન્યુઆરીમાં વધુ સારો પ્રતિસાદ મળશે.
- Nirupa Duva
- Updated on: Jan 1, 2025
- 4:06 pm
Travel tips : જલદી બનાવી લો કેદારનાથ-બદ્રીનાથ જવાનો પ્લાન, મંદિરોના કપાટ આ તારીખે બંધ થશે
ઉત્તરાખંડ સ્થિત ચારધામ યાત્રાનું મહત્વ ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર માટે ખુબ ખાસ છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચારધામ યાત્રા માટે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર ધામોમાં દર્શન માટે પહોંચી જતા હોય છે.
- Nirupa Duva
- Updated on: Oct 22, 2024
- 5:59 pm
કેદારનાથમાં હજુ પણ ફસાયેલા છે યાત્રિકો, 9000 લોકોનું કરાયું રેસ્કયું, જાણો સ્થિતિ
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને કેરળમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ભારે તબાહી થઈ છે. ઉત્તરાખંડની કેદાર ઘાટીમાં વાદળ ફાટવાથી થયેલ તારાજીને કારણે ફસાયેલા 9000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ પણ 500 લોકો કેદારનાથમાં ફસાયેલા હોવાનું કહેવાય છે.
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2024
- 3:28 pm
ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા પર લાગ્યો બ્રેક, ગઢવાલ કમિશનરે જાહેર કરી સૂચના
ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનની સમસ્યા પણ જોવા મળી રહી છે. આ દરમિયાન ગઢવાલ કમિશનરે ચાર ધામ યાત્રાને લઈને સૂચનાઓ જારી કરી છે.
- Devankashi rana
- Updated on: Jul 7, 2024
- 12:53 pm
કેદારનાથમાં હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી; જુઓ VIDEO
ઉત્તરાખંડના કેદારનાથમાંથી એક ભયાનક તસવીર સામે આવી છે. અહીં ગાંધી સરોવર ઉપર બરફનો પહાડ તૂટી પડ્યો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. કેદ્રનાથ ખાતેની આ ઘટનાનો વીડિયો ડરામણો છે.
- Dhinal Chavda
- Updated on: Jun 30, 2024
- 6:11 pm
આ 2 ગુજરાતી યુવાનોએ ટ્રેન, બસ કે ગાડી નહિ, સાયકલથી કરી 2500 કિલોમીટરની ચારધામની યાત્રા, જુઓ ફોટો
ગુજરાતી લોકો નવું અને સાહસ કરવામાં સૌથી આગળ હોય છે એમાં પણ સુરતના હોય તો જોવાનું શું ચારધામની યાત્રા સાયકલ પ્રવાસ દ્વારા બે યુવાનોએ 36 દિવસમાં પૂરી કરી છે. તેમના આ કાર્યથી પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે
- Sanjay Chandel
- Updated on: Jun 26, 2024
- 2:25 pm
IRCTC Chardham Yatra Package : મમ્મી-પપ્પાને કરાવો ચારધામની યાત્રા, અમદાવાદથી ફ્લાઈટમાં કરી શકશે મુસાફરી
આઈઆરસીટીસીનું આ સ્પેશિયલ ટુર પેકેજ ચારધામ યાત્રા માટે છે. જેમાં તમે ગંગોત્રી, ગુપ્તકાશી, બદ્રીનાથ,હરિદ્રાર, જાનકી ચટ્ટી, ઉત્તરકાશી, યમુનોત્રી, કેદારનાથ, રુદ્રપ્રયાગની યાત્રા કરી શકો છો. આ ટુર પેકેજમાં તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા આપવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: May 22, 2024
- 12:23 pm
સુરત વીડિયો : ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા, સરકાર સમક્ષ કરી રજૂઆત
સુરત : ઠેરઠેર ભીડ, ધક્કામુક્કી, અરાજકતા અને અવ્યવસ્થા જેવી સ્થિતિનો ચારધામ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓને સામનો કરવો પડી રહ્યો છે. સોનપ્રયાગમાં સ્થિતિ વધુ વિકટ છે. કેદારનાથની યાત્રા દરમિયાન સુરતી યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
- Baldev Suthar
- Updated on: May 18, 2024
- 10:01 am
ચારધામમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ, મંદિર પાસે વિડીયોગ્રાફી કરનાર સામે પોલીસ કેસ કરાશે
ચાર ધામ મંદિરોના પરિસરથી 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડીયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે, અધિકારીઓને તેનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 16, 2024
- 6:53 pm
ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન બે દિવસ માટે કરાયું બંધ, ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય
Chardham Yatra News : ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકો માટેની જરૂરી વ્યવસ્થા જાળવવી સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. 22-25 કલાક સુધી ચારધામ યાત્રાના હાઇવે પર મુસાફરો અટવાયા છે. આવી સ્થિતિમાં સરકારે બે દિવસ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે.
- TV9 Gujarati
- Updated on: May 15, 2024
- 1:30 pm