Dakor Train : અમદાવાદ-સુરત-રાજકોટથી ડાકોર જવા માટે ટ્રેનમાં જવું છે? આ છે તેનો રુટ, જાણો કેવી રીતે ડાકોર પહોંચવું
Railway News : વેકેશનનો માહોલ બરાબરનો જામ્યો છે. બાળકોને ફરવા માટેના સ્થળ અને વડીલો પણ ખુશ થાય તેવું સ્થળ એટલે આપણું ડાકોર. ત્યાં સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માંથી કંઈ રીતે પહોંચવું એ માટે આજે આ ન્યૂઝમાં તમને ટ્રેન રુટ વિશે જણાવવાના છીએ.

ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે 7 મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન ANAND GODHRA SPL (09131) 05.10 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની છેલ્લી મેમુ ટ્રેન આનંદ ગોધરા પેસેન્જર (09395) 19.20 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે.

આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે સૌથી ઝડપી મેમુ ટ્રેન આનંદ ગોધરા પેસેન્જર (09393) 10.00 વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે. અને તે 40 મિનિટમાં 30 કિલોમીટરનું અંતર કાપે છે.

સૌરાષ્ટ્ર અને સુરત તરફથી આવતા પ્રવાસીઓએ આણંદ ઉતરવાનું રહેશે. સુરત-નવસારી બાજુ જતી કોઈ પણ ટ્રેનમાં તમે અમદાવાદ કે આણંદ પહોંચી શકો છો.

અમદાવાદથી તેમજ પાટણ, મહેસાણાથી આવતા પ્રવાસીઓએ પણ આણંદ ઉતરવાનું રહેશે. આણંદથી ડાકોર જવા માટે લગભગ પોણા કલાક જેટલો સમય લાગે છે.

આણંદથી ડાકોર માટેની 7 ટ્રેનો સતત ચાલે છે. આ ટ્રેનો દરરોજ દોડે છે. આણંદથી પહેલી ટ્રેન 05:10 વાગ્યે, આણંદ ડાકોર પેસેન્જર ટ્રેન 07:35 વાગ્યે, આણંદ ગોધરા પેસેન્જર ટ્રેન 10:00 વાગ્યે, આણંદ ગોધરા સ્પેશિયલ 12:15, આણંદ ગોધરા સ્પેશિયલ 14:10, આણંદ ડાકોર પેસેન્જર ટ્રેન 15:40, આણંદ ગોધરા પેસેન્જર 19:20 વાગ્યે ચાલુ થાય છે.






































































