
સુરત
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.
શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.
આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.
મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.
કાનુની સવાલ : શું પુરુષો પર પણ રેપ થાય છે? આ અંગે ભારતીય કાયદો શું કહે છે, ગુજરાતમાં પણ બની છે આવી સત્ય ઘટના
કાનુની સવાલ: હા, પુરુષો પર પણ રેપ થઈ શકે છે પરંતુ ભારતીય કાયદામાં આ વિષય પર પરિસ્થિતિ થોડી જટિલ છે. ચાલો આને વિગતવાર સમજીએ - કાયદાઓ, સામાજિક દ્રષ્ટિકોણ, ઘટનાઓ અને ચુકાદાઓ સાથે.
- Meera Kansagara
- Updated on: Apr 15, 2025
- 2:42 pm
ગુજરાતના બોર્ડના પરીણામ અંગે અખીલેશની પોસ્ટ પર વિફર્યા શિક્ષણ રાજ્યમંત્રી, કહ્યુ હજુ પરિણામ જ જાહેર થવાનુ બાકી
ગુજરાત બોર્ડની પરિણામ અંગે અખીલેશ યાદવે પોસ્ટ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તેમના પર વિફર્યા છે અને અખીલેશની પોસ્ટને તેમણે ભ્રામક ગણાવતા કહ્યુ કે ગુજરાતમાં હજુ બોર્ડનું પરિણામ જ જાહેર થવાનું બાકી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 13, 2025
- 8:09 pm
Surat : ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 12, 2025
- 1:20 pm
Breaking News : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગ, 18 લોકો ફસાયા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે.
- Baldev Suthar
- Updated on: Apr 11, 2025
- 1:42 pm
વાળ પકડ્યા, ઢસડીને લાતો મારી, સુરતના સરદાર માર્કેટમાં શાકભાજી ચોરીના આરોપ બાદ મહિલાઓ પર હુમલો, જુઓ Video
સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ બનાવમાં બે મહિલાઓને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Baldev Suthar
- Updated on: Apr 10, 2025
- 7:21 pm
Breaking News : સુરતના 118 રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, કૂલરના પાણીમાં ભેળવ્યો હતો આ પદાર્થ
સુરત : અવિશ્વસનીય પણ સત્ય! સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા “અનભ જેમ્સ” નામના રત્ન કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. 118 જેટલા રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ તબિયત લથડવા લાગી હતી. જે પછી 108 જેટલા રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 10, 2025
- 10:16 am
Railway News : હવે સુરત નહીં ઊભી રહે અમદાવાદ-હાવડા સહિત 8 એક્સપ્રેસ ટ્રેન, જુઓ List
સુરત રેલવે સ્ટેશન પરના વિકાસ કાર્યને કારણે, 8 એક્સપ્રેસ ટ્રેનો 8 એપ્રિલથી અસ્થાયી રૂપે ઉધના સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોમાં અમદાવાદ-હાવડા, ઓખા-શાલીમાર સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: Apr 9, 2025
- 8:26 pm
Breaking News : સુરતના 70 રત્નકલાકારો હોસ્પિટલમાં દાખલ, પાણીમાં ઝેરી દવા ભેળવી લોકોનો જીવ લેવાનો પ્રયાસ ! જુઓ Video
સુરતના મિલેનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી અનુભ જેમ્સ કંપનીમાં કામ કરતા 70 જેટલા રત્નકારીગરોને ઝેરી દવાના કારણે બીમાર થયા છે. કંપનીના પાણીના ટાંકામાં "સેલ્ફોસ" નામની કીટનાશક દવા મળી આવી છે.
- Baldev Suthar
- Updated on: Apr 9, 2025
- 7:59 pm
Surat : પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત, સડેલા બટાકા અને પુરીઓના જથ્થોનો કરાયો નાશ, જુઓ Video
ઉનાળાની શરૂઆત સાથે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં મનપાના આરોગ્ય અધિકારીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે. સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપસાનો ધમધમાટ કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 8, 2025
- 2:30 pm
સુરતની વારસાગાથા એટલે ખમ્માવતી વાવ, જાણો તેનો ગૌરવપૂર્ણ ઇતિહાસ
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી 6૦૦ વર્ષથી વધુ જૂની ખમ્માવતી વાવ એ નંદા શૈલીનું શિલ્પકલા સમૃદ્ધ સ્મારક છે. વણઝારાઓ દ્વારા બાંધવામાં આવેલી આ વાવ માત્ર પાણીના સ્રોત રૂપે નહિ, પણ ઈતિહાસ, સંસ્કૃતિ અને લોકશ્રદ્ધાનું પ્રતિક છે. આજે પણ અહીંના પવિત્ર પાણીની ઔષધીય માન્યતાઓ અને ખમ્માવતી માતાનું મંદિર લોકોએ જીવંત રાખ્યું છે. ખમ્માવતી વાવ સુરતના પ્રાચીન ગૌરવ અને વારસાની અનમોલ સાક્ષી છે.
- Sanjay Chandel
- Updated on: Apr 5, 2025
- 2:29 pm
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરત ફાયર બ્રિગેડે જે 16 માર્કેટને ફાયર સેફ્ટીને લઈને કારણદર્શક નોટિસ ફટકારી છે તેમાંથી 10 માર્કેટએ NOC રિન્યૂ કરાવી નથી, જ્યારે 6 માર્કેટ પાસે ફાયર સેફ્ટિનું NOC જ નથી. શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ પણ સુરતમાં કાપડના વેપારીઓનું વલણ જોવા મળ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2025
- 8:30 pm
Breaking News : દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને આવતીકાલ 5 એપ્રિલને શનિવારના રોજ સજા ફટકારવામાં આવે તેવી સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2025
- 6:43 pm
Surat : ઘર છોડી જતી રહેલી 8 વર્ષની બાળકીને ડ્રોન ટેકનોલોજીથી શોધાઇ, ભીડવાળા શાક માર્કેટમાંથી મળી , જુઓ Video
સુરત, ઉધના: ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘર છોડીને જતી રહેલી બાળકીને શોધવામાં સફળતા મળી છે. આ અનોખા પ્રયાસ માટે સુરત પોલીસે વિશેષ પ્રશંસા પામે તેવી કામગીરી કરી છે.આ પ્રયાસને લોકો અને સમાજ દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2025
- 1:30 pm
Travel with Tv9 : ડાયમંડ સિટી સુરતની જોવો ‘સુરત’ ! એક દિવસમાં એક નહીં, આટલા સ્થળોની લો મુલાકાત
ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે સુરતના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
- Disha Thakar
- Updated on: Apr 2, 2025
- 9:03 am
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, CCTVના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો, જુઓ Video
સુરતના ઉતરણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઉતરાણ વિસ્તારમાં 2 યુવતીઓને કારચાલકે ટક્કર મારી હતી. મોપેડ સવાર યુવતીઓ ઉછળીને રસ્તા પર પટકાઈ હતી. ત્યારે આરોપી કારચાલક ટક્કર મારી ફરાર થયો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 29, 2025
- 2:25 pm