સુરત
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.
શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.
આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.
મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.
Surat Breaking News: સુરતમાં ફાયર વિભાગ એક્શનમાં, ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચકાસણી શરૂ
લખનઉમાં બનેલી દુર્ઘટના બાદ હવે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સઘન તપાસ શરૂ કરી છે. શહેરના ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો, હોટલો અને શાળાઓમાં અલગ-અલગ ફાયર ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 24, 2026
- 12:56 pm
Surat Qatar Breaking News : કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ, 24 કલાકથી સંપર્ક વિહોણો ! જુઓ Video
કતારના રાસ લાફાન વિસ્તારમાં આવેલી એક નેચરલ ગેસ અને પેટ્રોલિયમ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 12 ભારતીય કામદારોના મોતના અહેવાલ મળ્યા છે. જ્યારે અન્ય કર્મચારીઓ વિશે હજી માહિતી નથી.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 2:39 pm
Breaking News : હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી, કોર્ટે કેસ કર્યો બંધ
હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા, અશોક જીરાવાલા સામે કેસ પરત ખેંચાયો છે. કેસ કેન્સલ કરવાનો આદેશ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 1:28 pm
Surat Breaking News : નાસીરનગર ડિમોલિશન કેસમાં તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસા, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
નાસીરનગર ડિમોલિશન મામલે તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે. ઝોનલ ચીફ આશિષ નાયકે તૈયાર કરેલો 40 પાનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ડિમોલિશન દરમિયાન સ્થળ પર હાજર રહેલા 15 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- Devankashi rana
- Updated on: Jun 23, 2026
- 12:40 pm
Breaking News : સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, 15 લોકોના મોત
લખનઉના અલીગંજમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો. 15 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.
- Sagar Solanki
- Updated on: Jun 22, 2026
- 7:14 pm
Surat Rain Breaking News: સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લગભગ 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 22, 2026
- 10:33 am
Weather Breaking News : સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો, ભારે ઉકળાટ બાદ બારડોલીમાં મેઘરાજાની પધરામણી, જુઓ Video
સુરત જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બારડોલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
- Sagar Solanki
- Updated on: Jun 21, 2026
- 4:59 pm
Surat Controversy : સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ કર્યા પ્રેમલગ્ન, પાટીદાર સમાજમાં ચર્ચા
સુરત પાટીદાર સમાજમાં લોકગાયિકા રિદ્ધિ રાજપરા અને મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલાના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. પાટીદાર આગેવાન હિરેન ભેસાણીયાએ સમાજને જાગૃત થવા અપીલ કરી છે અને તેમને સામાજિક કાર્યક્રમોમાં આમંત્રિત ન કરવા જણાવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jun 20, 2026
- 7:43 pm
Breaking News: માંગરોળમાં 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, જલેબી હનુમાન મંદિરે વૈદિક વિધિ સાથે કરાયો કાર્યક્રમ, Watch Video
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 જેટલા આદિવાસી પરિવારોની ઘર વાપસી કરાવવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2026
- 3:06 pm
Surat Breaking News : દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય ! જુઓ Video
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચોમાસું ખેંચાતા ખેતીના પાકો પર પડતી અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2026
- 2:11 pm
Surat Breaking News : રાજ્યમાં નકલી ઘી, તેલ, મસાલા પછી હવે બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
સુરતમાં એક મોટા નકલી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યાં પોલીસે નકલી વર્ઝનના ઉત્પાદન અને વિતરણમાં સંડોવાયેલા એક ઓપરેશનનો પર્દાફાશ કર્યો છે. પોલીસ અને અસરગ્રસ્ત કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા વરાછા વિસ્તારમાં એક વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2026
- 12:32 pm
રાજકોટ, વડોદરા બાદ સુરતમાં પણ જન્મ મરણના દાખલા માટે અરજદારોને હાલાકી, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા નથી મળતા દાખલા
રાજ્યમાં સ્કૂલોમાં નવુ સત્ર શરૂ થતા જ જન્મ-મરણના દાખલા માટે સિવિક સેન્ટરોમાં લાઈનો લાગવાની શરૂઆત થઈ ગઈ છે. આ અંગે જાણ હોવા છતા તંત્ર દ્વારા નક્કર આયોજન ન કરાતા હવે અરજદારો ધક્કા ખાવા અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે અને કંઈક આવાજ દૃશ્યો રાજકોટ, વડોદરા બાદ ડ્રીમ સિટી સુરતમાંથી પણ સામે આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 18, 2026
- 6:01 pm
Breaking News : દેશના આ શહેરમાં કાપડ વેપારીઓ માટે પહેલી વખત બનશે પોલીસ સ્ટેશન, જાણો શું ખાસ હશે?
ટેક્સ્ટાઈલ વેપારીઓ માટે હવે આનંદના સમાચાર સામે આવ્યા છે. દેશના આ શહેરમાં પહેલુ ટેક્સ્ટાઈલ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યુ છે. જેને મંજૂરી પણ અપાઈ ગઈ છે. ટેકસ્ટાઈલ હબ તરીકે જાણીતા આ શહેરમાં કાપડ વેપારીઓ માટે અલાયદુ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યુ છે.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2026
- 11:59 am
Breaking News : સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ, રેસ્ટોરન્ટ પણ આવી ચપેટમાં
અડાજણ વિસ્તારમાં આજે એક ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર શોરૂમને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. આગમાંથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- Devankashi rana
- Updated on: Jun 18, 2026
- 10:29 am
Surat Breaking News : સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ
ધમકીભર્યો ઇ-મેઇલ મળતા જ મનપાના ઉચ્ચ અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો મનપા કચેરી ખાતે પહોંચ્યો હતો
- Devankashi rana
- Updated on: Jun 17, 2026
- 12:59 pm