AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત

સુરત

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.

શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.

આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.

મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.

Read More

Breaking News: ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ! કોંગ્રેસે મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 7 શહેરો માટે 243 નામો પર મારી મહોર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં કોંગ્રેસે બાજી મારી છે. 7 મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરીને પક્ષે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. અમદાવાદથી લઈને ભાવનગર સુધી કોના નસીબ ખુલ્યા અને કયા શહેરમાં કેટલા ઉમેદવારો મેદાને ઉતર્યા? જુઓ સંપૂર્ણ યાદી.

સુરતમાં LPG ની બૂમરાણ! કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ગેસના બાટલા ના મળ્યા, લોજ સંચાલકો હવે કોલસાના સહારે

ડાયમંડ સિટી સુરતમાં ખાનપાનના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓ પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછતને કારણે નાની રેસ્ટોરન્ટ અને લોજના સંચાલકો હવે મજબૂરીમાં ગેસ છોડીને કોલસા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે.

Breaking News: સુરતના કાપડ બજારને ‘યુદ્ધ’નો માર! ઉત્પાદન કાપ અને વધતી મોંઘવારી, હજારો વેપારીઓ સંકટમાં

ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસિએશન અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર ઘણા એકમોએ તેમના ઉત્પાદન ચક્રને 24 કલાકથી ઘટાડીને 12 કલાક કરી દીધા છે. જેના કારણે એકંદર ઉત્પાદન પર અસર પડી છે. પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે અને ઉદ્યોગને દરરોજ આશરે ₹90-100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

Breaking News : યુદ્ધની સ્થિતિને લઈને સુરતના સિરામિક ઉદ્યોગ પર મોટી અસર, જુઓ વીડિયો

ઈરાન -ઈઝરાયલ યુદ્ધનો આજે 35મો દિવસ છે. યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણની અછત સર્જાઈ છે. મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાના કારણે સુરતમાં મોટી અસર જોવા મળી છે.અંદાજિત કરોડો રૂપિયાનો નુકસાન હોવાનું સામે આવ્યું છે.

Breaking News: પનીર અસલી કે એનાલોગ? હવે આ અંગે હોટલ-રેસ્ટોરન્ટે ફરજિયાત લગાવવું પડશે બોર્ડ, સરકારનો મોટો નિર્ણય

જો તમે પણ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ મંગાવો છો પણ તે પનીર અસલી છે કે નકલી એટલે કે એનાલોગ તેને લઈને આપણાને કોઈ જાણ હોતી નથી. જેના લીધે ઘણી જગ્યાએ નકલી પનીર પીરસવામાં આવે છે. ત્યારે હવે અંગે હવે સકારે મોટો નિર્ણય લીધો છે.

Breaking News: સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી

સુરતના ટેક્સટાઈલ માર્કેટના વિવિધ ઉદ્યોગને 1002 કરોડની સબસિડીનું મોટું પેકેજ રિલીઝ થયું છે. મળતી માહિતી મુજબ 2019ની ટેક્સટાઈલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર થઈ છે. કુલ 4500થી વધુ ફાઈલોના નિકાલ થવાથી ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં રાહત મળી છે.

Breaking News: સુરતના સચિન GIDCમાં ભીષણ આગ, ગોપી નીટિંગ ફેક્ટરી ભભુકી ઉઠી, જુઓ Video

સુરતના સચિન GIDC વિસ્તારમાં આગની મોટી ઘટના સામે આવી છે, જ્યાં રોડ નંબર 12 પાસે આવેલી ગોપી નીટિંગ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક બહાર નીકળવાની ભાગદોડ મચી ગઈ હતી.

ગુજરાતના બે શહેરો સહિત દેશના આ 7 શહેરોની હોલસેલ માર્કેટમાં પાણીના ભાવે મળી જશે બ્રાન્ડેડ જીન્સ

Cheapest Jeans Market: જીન્સ એક એવુ ક્લાસિક અને વર્સેટાઈલ આઉટફિટ છે જેને લગભગ દરેક ઓકેઝન પર પહેરી શકાય છે અને તેની સૌથી મોટી ખાસિયત તેની કમ્ફર્ટ અને ફ્લેક્સિબિલીટી છે. તેને ટીશર્ટથી લઈને બ્લેઝર સાથે પણ કેરી કરી શકાય છે. આજે અમે આપને જીન્સની સૌથી સસ્તા હોલેસલ માર્કેટ વિશે જણાવશુ

Breaking news: ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં સુરતનું ટેક્સટાઈલ માર્કેટ શેકાયું, વિવિંગ યુનિટોમાં પ્રોડક્શન કાપનો ઐતિહાસિક નિર્ણય, માત્ર 12 કલાક જ ચાલશે મશીનો

મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઉદ્યોગને આર્થિક નુકસાનથી બચાવવા અને કામદારોની રોજગારી ટકાવી રાખવા માટે 'ફોગવા' (FOGWA) ની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News: સુરતના લિંબાયતમાં મોતનું તાંડવ રહેણાક મકાનમાં 8 ટન સાડીના જથ્થાએ લીધો 5 નિર્દોષનો ભોગ

સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલી બેઠી કોલોનીમાં એક મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા અને એક બાળક સહિત કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે.

Breaking News: સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેન મારફતે કેશ સપ્લાય કરવા કરી માગ, જુઓ-Video

સુરતની અનેક બેંકમાં રોકડની અછતને પહોંચી વળવા માટે સુરતની એક બેંક એ મેરઠથી વિમાન મારફતે રોકડ મંગાવવાની ફરજ પડી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?

સુરતમાં જૈન આચાર્ય સાગરચંદ્ર સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણ તેમજ કરોડોની ઉચાપતના ગંભીર આક્ષેપો બાદ હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં ફરિયાદ કરનાર મહિલાઓનો આરોપ છે કે આચાર્યના સમર્થકો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

Breaking News : સુરતમા એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષક માર મારતા હોવાની ચીઠ્ઠી લખી, જુઓ વીડિયો

સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેનાથી તબીબો પણ ચોંકી ગયા છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હું મરવા જાઉં છું તેવી ચીઠ્ઠી લખતા ભય ફેલાયો હતો. તો જાણો સમગ્ર મામલો

શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત; 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ – જુઓ Video

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમિકોનું પલાયન રોકવા માટે તેમને 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News: સુરતીઓ માટે સૌથી મોટા સમાચાર આજથી સુરત મેટ્રોનો ટ્રાયલ રન શરૂ

સુરતની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મેટ્રો પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. આજથી સુરતમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. સુરતીઓનું મેટ્રોમાં બેસવાનું સપનું હવે ખૂબ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે.

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">