AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત

સુરત

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.

શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.

આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.

મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.

Read More

Breaking News: સુરતમાં IT વિભાગનો સપાટો! સટ્ટાકિંગના ઠેકાણે દરોડા, કરોડોના હવાલા અને રોકડ વ્યવહારોના પર્દાફાશની આશંકા – જુઓ Video

સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા લક્ષ્મી ગ્રુપ પર હાથ ધરવામાં આવેલી તપાસ હજુ પણ યથાવત છે. આ સર્ચ ઓપરેશનમાં શહેરના પોશ વિસ્તારમાં થયેલી એક મોટી રિયલ એસ્ટેટ ડીલ તપાસનું મુખ્ય કેન્દ્ર બની છે.

Breaking News : ફૂલોથી સજાવેલા બંગલામાં ગુંજ્યો ગોળીનો અવાજ, ખુશીના પ્રસંગ પહેલાં શોકની છાયા, જુઓ Video

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ દીકરીના લગ્નના ચાર દિવસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો. પત્ની સાથે મહેમાનો બોલાવવા બાબતે થયેલા ઝઘડા બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે અને સ્થિતિ ગંભીર છે. ઉમરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Breaking News : યુનિયન બજેટમાં સુરતને મોટો લાભ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી ગુજરાતને કાર્ગો અને શિપિંગમાં નવા અવસર

કેન્દ્રીય બજેટ 2024માં પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ માટે મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરાયા છે. દેશભરમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને 20 નવા નેશનલ વોટરવેઝ કાર્યરત કરવાની જાહેરાત કરાઈ છે. મહત્વનું છે કે આ જાહેરાતમાં સુરતને પણ મોટો લાભ થવાનો છે.

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: ચાંદીમાં 46 વર્ષનો સૌથી મોટો ઘટાડો, જાણો અત્યારે ખરીદી કરવી કેટલી ફાયદાકારક?

સુરતમા બજારો ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું રૂ. 1,63,600 અને ચાંદી રૂ. 3 લાખના સ્તરે પહોંચતા ગ્રાહકો માટે ખરીદીની સુવર્ણ તક ઉભી થઈ છે. નિષ્ણાંતોના મતે, 1980 પછી ચાંદીમાં આ સૌથી મોટું કરેક્શન છે.

Breaking News : સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, ત્રણની ધરપકડ, જુઓ Video

સુરતમાં DGGI એ ₹37 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના તાર અમદાવાદ, બેંગલુરુ અને દિલ્હી સુધી ફેલાયેલા હતા. તપાસ એજન્સી દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના બાબુલાલ રાધેશ્યામ શર્મા અને સુરતની એક કંપનીના ડાયરેક્ટરનો સમાવેશ થાય છે. આરોપીઓએ બેંક લોન મેળવવા અને જીએસટી ચોરી કરવા બોગસ પેઢીઓ બનાવી હતી.

સુરતમાં B-Tech ના વિદ્યાર્થીએ બનાવી 1 પૈડાં વાળી અદભૂત બાઇક, પેટ્રોલ વગર ફક્ત 1 રૂપિયામાં 40 KM ચાલશે, જુઓ Video

સુરતના એક B-Tech વિદ્યાર્થીએ અનોખી એક પૈડાવાળી ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે. આ સ્વ-સંતુલિત વાહન બેટરીથી ચાલે છે, જે પ્રદૂષણમુક્ત પરિવહનનો વિકલ્પ પૂરો પાડે છે.

Breaking News : બારામતી પ્લેન ક્રેશનો મોટો ખુલાસો! પ્લેન ક્રેશ પહેલાનું સુરત કનેક્શન સામે આવ્યુ

VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું આ ચાર્ટર્ડ Learjet-45 વિમાન 25 અને 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત એરપોર્ટ પર પાર્ક હતું. આ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં યોજાયેલા સેલિબ્રિટી કાર્યક્રમમાં મહેમાનોના આવાગમન માટે આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Breaking News : લક્ષ્મી ગ્રુપ પર IT ના દરોડા યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સી કનેક્શન અને કરોડોની કરચોરીની શંકા, જુઓ Video

સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર બીજા દિવસે પણ આઈટીના દરોડા યથાવત છે. વસંત અને ચૂની ગજેરા સંચાલિત ગ્રુપના ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળોએ તપાસ ચાલી રહી છે. ભાગેડુ મેહુલ ચોક્સી સાથે કનેક્શન અને મોટી કરચોરીની શંકાના આધારે 110 અધિકારીઓ કાર્યરત છે. EDની એન્ટ્રી પણ શક્ય છે.

Breaking News : નાઈઝિરીયન મહિલા પાસેથી ઝડપાયું 2 કરોડ 30 લાખનું સૌથી ઘાતક ડ્રગ્સ, જુઓ વીડિયો

સુરતમાં નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ધાતક ડ્રગ્સ ઝડપાયું છે. જેને લઈ હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 2 કરોડ 30 લાખ છે.

સુરતના અનોખા ‘દેશભક્ત’ જીતેન્દ્રસિંહને PMOનું આમંત્રણ, 2 લાખ શહીદોનો ડેટા રાખનાર ગાર્ડ જશે દિલ્હી

સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડે 2 લાખથી વધુ શહીદોની માહિતીનો અનોખો સંગ્રહ તૈયાર કર્યો છે. કારગિલ યુદ્ધથી પ્રેરાઈને શરૂ થયેલી આ દેશભક્તિની સફર હવે તેમને દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસના મહેમાન તરીકે લઈ જઈ રહી છે.

સુરતના નિલેશ માંડલેવાલાનું પદ્મશ્રીથી કરાયુ સન્માન, 1300થી વધુ અંગોનું દાન કરાવી અનેક જરૂરતમંદોને આપ્યુ છે નવજીવન

સુરતના સામાજિક કાર્યકર નિલેશ માંડલેવાલાને પદ્મ શ્રી પુરસ્કાર જાહેર થતા સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી વ્યાપી છે. 'ડોનેટ લાઈફ' સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં 1360થી વધુ અંગોનું દાન કરાવી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી લાવનારા માંડલેવાલાને આ સન્માન મળ્યું છે.

Breaking News : સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ,સ્ટેજ પર કોર્પોરેટરની હાજરીમાં ભોજપુરી ગીતો પર લગાવ્યા ઠુમકા- Video

સુરતમાંથી એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં ભક્તિ અને મનોરંજન વચ્ચેની રેખા પર મોટો સવાલ ઉભો થયો છે. સરસ્વતી પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજ પર ઠુમકા લાગ્યા, અને હવે એ કાર્યક્રમ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદનું કેન્દ્ર બન્યો છે.

Breaking News : છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ, પછી શું જુઓ Video

સુરતમાં ૩૪ કરોડના ખર્ચે બનેલો બ્રીજ ખુલ્લો મુકાયો છે, પરંતુ આગળનો રેલવે કનેક્ટિંગ બ્રીજ અધૂરો હોવાથી વાહનચાલકોને ૬૦૦ મીટરનો બ્રીજ ક્રોસ કર્યા બાદ યુ-ટર્ન લેવો પડે છે. આ વિલંબને કારણે પ્રોજેક્ટ ખર્ચ ૫૯ કરોડથી વધીને ૭૪ કરોડ થયો છે અને લાખો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી

ગુજરાત સરકારે આજે 22મી જાન્યુઆરીના રોજ બે સનદી અધિકારીઓની બદલી કરી છે. જેમાં ધ્યાન ખેંચે તેવી એક બદલી સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને સુરતથી ગાંધીનગર બોલાવાયા છે. શાલિની અગ્રવાલને, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ  (GUVNL) ના MD બનાવાયા છે. 

Breaking News: ગુજરાતમાં 3 IAS અધિકારીની બદલી, સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને સોંપાઈ નવી જવાબદારી- વાંચો

ગુજરાત સરકારે તાજેતરમાં 2 IAS અધિકારીઓની બદલી કરી છે. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવાયા છે, જ્યારે એમ. નાગરાજનને સુરતના નવા મનપા કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, રાજેન્દ્ર કુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે

g clip-path="url(#clip0_868_265)">