સુરત

સુરત

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.

શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.

આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.

મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.

Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માઠી દશા, એક જ સિઝનમાં ત્રણ વાર વાવેતર કર્યા બાદ પણ ધોવાઈ ગયો પાક- Video

જગતના તાત માથે તો જાણે ઘાત બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મેઘરાજા રિસાયા છે, તો કુદરત નારાજ છે, અને આ બંનેનો શિકાર ખેડૂતો બની રહ્યાં છે . એક સિઝનમાં ત્રણ ત્રણ વાર વાવેતર કર્યા બાદ પણ ખેડૂતોને નસીબ તો માત્ર નિસાસો જ છે.

Western Railway : સુરત રેલવે સ્ટેશનની બદલશે ‘સૂરત’, લોકોને મળશે અનેક સગવડો તેમજ આધુનિક સુવિધાઓ

Surat railway station : પશ્ચિમ રેલવેએ 124 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મુંબઈ સેન્ટ્રલ મંડળના 30, વડોદરામાં 18, રતલામના 19, અમદાવાદના 20, ભાવનગરના 20 અને રાજકોટ મંડળના 17 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ અને વિશ્વ કક્ષાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડ કરવામાં આવશે, મુસાફરો માટે મુસાફરીના અનુભવમાં સુધારો થશે અને રેલ્વે કામગીરી વધુ કાર્યક્ષમ બનશે.

Gujarat Rain : મેઘરાજાએ સુરતને ધમરોળ્યુ, બારડોલી, કતારગામ, અડાજણ સહિતના વિસ્તારમાં કરી જમાવટ, જુઓ Video

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.આજે પણ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. સુરત, નવસારી સહિતના જિલ્લામાં મેઘ મહેર થઇ છે.

Surat Video : ગુજરાતમાં વધુ એક શર્મનાક ઘટના ! ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે.સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે દુષ્કર્મ થયુ હોવાની ઘટના સામે આવી છે.

સુરતના હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડને પાર પહોંચ્યો, કૌભાંડીઓ પાસે 27.38 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા- Video

સુરતના હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડના આંકડાને વટાવી ગયો છે. સુરતની આંગડિયા પેઢીમાં 9 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. કૌભાંડીઓ પાસેથી 27.38 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. સાયબર ફ્રોડ કરી USDTમાં નાણાં વિદેશ મોકલવાના હવાલા કાંડનો આંકડો 100 કરોડને પાર પહોંચી ગયો છે.

સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ માંડ્યો મોરચો, કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ વળતર બંધ કરવાનો આક્ષેપ- Video

સુરતમાં છેલ્લા લાંબા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ભાગશ રાજમાર્ગ પર મેટ્રોની કામગીરીને કારણે અનેક વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વેપારીઓએ અગાઉ પણ કલેક્ટરને રજૂઆત કરી હતી છતા કોઈ નિરાકરણ ન આવતા ફરી એકત્ર થઈ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા માટે, નારાયણ સાંઈને હાઈકોર્ટે આપ્યા જામીન, હવાઈ માર્ગે સુરતથી જોધપુર જશે

Narayan Sai Bail : નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની મુલાકાત દરમિયાન માતા અને બહેનને નહીં મળવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. છેલ્લા 11 વર્ષથી પિતા આસારામ સાથે મુલાકાત ના કરી હોવાથી, તેમજ આસારામની તબિયત સારી ના હોવાથી હાઈકોર્ટે માનવતાના ધોરણે જામીન અરજી મંજૂર કરી છે.

સુરતના મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન, જુઓ Video

ગુજરાતમાં સુરતમાંથી સૌથી વધુ અંગદાન કરાયું હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. સુરતના મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીનું અંગદાન કર્યું હોવાનું સામે આવ્યુ છે. વિશ્વમાં પ્રથમ વાર નાની વયની દિયાના હાથ ડોનેટ કરવામાં આવ્યા હતા.

“અમે માર ખાતા નથી અને કોઈને મારવા પણ દેતા નથી”- મોહન ભાગવત

સુરત જૈન મુનિ મહાશ્રમણ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોટુ નિવેદન આપ્યુ છે. ભાગવતે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે ટકોર કરી કે ભારત યુદ્ધ કરવાવાળાઓને પણ સંકટના સમયે મદદ કરે છે.

સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ ઝડપાયું, પાકિસ્તાન, ચીન, દુબઇ, અફધાનિસ્તાન સુધી ફેલાયેલુ છે નેટવર્ક

સુરત શહેર SOGએ કરેલ તપાસમાં, 8 સેવિંગ પાસ બુક, 29 ચેક બુક, 2 કરન્ટ એકાઉન્ટ પાસબુક, 38 ડેબિટ કાર્ડ, 497 સિમ કાર્ડ, 7 મોબાઈલ અને 16 લાખ રોકડ મળી આવ્યા છે. સુરતમાં હવાલા કૌંભાડનો મુખ્ય સૂત્રધાર મકબુલ ડોકટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દુબઈથી મહેશ સુરત ખાતે આંગડિયા મારફત રૂપિયા મોકલતો હતો. તે રૂપિયા માંથી USDT ખરીદી અલગ અલગ દેશમાં મોકલાતા હતા.

Travel Tips : જો તમે પણ બીચની મુલાકાત લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતના આ બીચ બેસ્ટ રહેશે

જો તમે પણ 2 થી 3 દિવસની રજા લઈ ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો આજે અમે તમને ગુજરાતમાં જ કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે પડશે રાજ્યમાં વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, તો 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડશે.

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, અમદાવાદ અને સુરતમાંથી ઝડપાયું નકલી ઘી, તો ગીરસોમનાથમાં અખાદ્ય તેલનો જથ્થો જપ્ત-Video

આવતીકાલે દશેરા છે અને આ દશેરામાં ફાફડા-જલેબીની મોજ માણવા માટે તમારો જીવ અને જીભ બન્ને તલપાપડ થઈ રહ્યા હશે. પરંતુ, કંઈ પણ ખરીદતા પહેલાં કે કંઈ પણ બહારનું ખાતાં પહેલાં અહીં આપેલો વીડિયો જોઈ લો.

Surat : માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ગુજરાત છોડે તે પહેલા અમદાવાદથી થઈ ધરપકડ,જુઓ Video

સુરતમાં માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જ્યારે પોલીસ અન્ય બે આરોપીની ધરપકડ કરવા ગઇ હતી, તે દરમિયાન આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો.

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

સુરતના ચકચારી ગેંગ રેપ કેસના બે નરાધમો પૈકી એકનું મોત નિપજ્યુ છે. શિવશંકર નામના આરોપીને શ્વાસની તકલીફ થતા એમ્બ્યુલન્સમાં લવાયો હતો જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ. શ્વાસ લેવામાં મુશ્કેલીના કારણે આરોપીનું મોત થયુ હોવાનું અનુમાન છે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">