સુરત

સુરત

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.

શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.

આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.

મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.

Read More

અહીંયાથી શરુ થાય છે ગોવા જવા માટે ટ્રેન, પણ અમદાવાદ નહીં વડોદરા-સુરત લેશે સ્ટોપેજ

વેકેશન દરમિયાન લોકો નવી નવી જગ્યાઓ પર ફરવા જતા હોય છે. તેમાં પણ ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.

Lok sabha Election 2024 Video : ત્રીજા તબક્કાના મતદાન બાદ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું, આદિવાસી વિસ્તારમાં વધુ મતદાનને જાગૃતિ ગણાવી

Lok sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સુરતમાં નિવેદન સામે આવ્યું છે. મતદાનની ટકાવારી સારી રહેતા સી આર પાટીલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. 

Percent Voting in Gujarat : ગુજરાતમાં ઓવર ઓલ થયું 59.51 ટકા મતદાન, જાણો સૌથી ઓછું અને સૌથી વધુ ક્યાં થયું મતદાન, જુઓ વીડિયો

Voting in Gujarat : ગઈ કાલે એટલે કે 07 મેના રોજ 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 1331 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થઈ ગયું છે. ગઈ કાલે અમુક જગ્યાઓ પર મતદાનનો બહિષ્કાર પણ થયો હતો. તો ઘણી જગ્યા પર વોટિંગ સારો સ્કોર રહ્યો હતો. આવો જાણીએ ક્યાં કેટલા ટકા મતદાન થયું.

અમદાવાદ-બ્રહ્મપુર તેમજ બ્રહ્મપુર-ઉધના વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ટ્રેનનું ટાઈમ ટેબલ

Ahmedabad Brahmpur Udhana train : મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

‘માનસખંડ એક્સપ્રેસ’ કરાવશે તીર્થસ્થાનો અને હેરિટેજની મુલાકાત, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા, જાણો ટાઈમટેબલ

Indian Railway : લોકો ઉત્તરાખંડના મહત્ત્વના તીર્થસ્થાનો અને હેરિટેજ પ્લેસનો આનંદ માણી શકે અને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરી શકે તે હેતુથી IRCTCએ 'માનસખંડ એક્સપ્રેસ' શરુ કરી છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

આખરે કોંગ્રેસ જાગી ! નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આપી અરજી

કોંગ્રેસે હવે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને આ અંગે અરજી આપી છે. અરજીમાં નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટેકેદારોની ખોટી સહીના કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું.

હિન્દુવાદી નેતાઓને ધમકી, પાકિસ્તાન કનેક્શન, સુરતના મૌલાનાની કર્મ કુંડળીની તપાસ માટે કોર્ટે આપી મંજૂરી, જાણો શું છે ઘટના

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં પકડાયેલા મૌલાનાને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે  હવે ગુજરાતમાં  રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. પોલીસ આ મૌલાનાને કોર્ટમાં પણ રજૂ કારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમ્યાન અનેક ખુલાસા થઈ શકે તેમ છે.

ગોવા નહીં ગુજરાત બની રહ્યું છે ડોલ્ફિનનું ઘર…. વેકેશનમાં તેને નજીકથી જાણવા અને માણવા અહીં વહેલી તકે પહોંચી જાઓ

ભારતમાં ડોલ્ફિનનો ઉલ્લેખ થાય એટલે તુરંત ગોવા નજર સામે આવે છે. ગોવા જઈને તમે ડોલ્ફિનને નજીકથી જોઈ શકો છો. અહીંના પાલોલેમ બીચ, કોકો બીચ, કેવેલોસીમ બીચ, સિંકવેરિમ બીચ, મોર્જિમ બીચ પર વહેલી સવારે દરિયાની લહેરોમાં ડોલ્ફિન જોવાની ખૂબ મજા આવે છે.જોકે હવે ગોલફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી.

સુરત વીડિયો : ચૂંટણીના ચાર દિવસ પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો, 100 થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

સુરત : મતદાનના 4 દિવસ પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો.  સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની હાજરીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. 

સુરત : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ યથાવત, “ઠગ ઓફ સુરત”ના લખાણ સાથે બેનર લગાવ્યા, જુઓ વીડિયો

સુરતમાં નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોનો રોષ હજુ સમવાનો નામ લઇ રહ્યો નથી. સુરતના કેટલાક વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ બેનર લાગ્યા છે. આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે "ઠગ ઓફ સુરત"  લખવામાં આવ્યું છે.

ભરૂચના પરિવારની સુરતની નહેરમાં લાશ મળવાનો મામલો: ઘટના સામુહિક આપઘાત કે અકસ્માત?

સુરત :સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના  ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. મૃતકોમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે. પરિવારે ક્યાં કારણોસર સામુહિક આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

સુરત પોલીસને જોઈ યુવાન ભાગ્યો, ઝડપી પાડી તલાસી લેતા લાખોનું ડ્રગ્સ ઝડપાયું, જુઓ વીડિયો

સુરત પોલીસે ફરીએકવાર નશાના કારોબારને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. ડ્રગ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેજો શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર વીડિયો : PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી ! રેન્જ આઇજીએ SPG અને DGPને લખ્યો પત્ર

વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. રેન્જ આઈજી અશોક યાદવે SPG અને DGPને આ અંગે પત્ર લખ્યો. DySP રાજદીપસિંહ નકુમે ફરજમાં બેદરકારી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સુરત SOGના DySPને જામનગર બંદોબસ્તમાં મૂક્યા હતા.

સુરત બેઠકના પરિણામને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી, જુઓ વીડિયો

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

Railway Update : મહાદેવ ભક્તો માટે આનંદો ! લક્ઝરી AC ટ્રેનમાં જ્યોતિર્લિંગના કરો દર્શન, આ ટ્રેન ગુજરાતને પણ જોડશે

Railway Update : રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી AC ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">