રાજકોટ
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. 1720 માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.
રાજકોટ વર્ષ 188 9 માં રેલવે મારફતે વાંકાનેર સાથે જોડાયેલો હતો. 1893 માં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલ લિંકની સ્થાપના થઈ હતી. તે સમય દરમિયાન મોટેભાગે મીટર ગેજ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારોમાં પરિવહનની મુખ્ય જીવનરેખાની રચના કરે છે.1925 માં મહાત્મા ગાંધીએ સૌપ્રથમવાર શહેરની મુલાકાત લીધી અને ત્યાં પ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સ્થાપના કરી. આજે તે ગ્રામીણ ઉદ્યોગો માટે એક સુસ્થાપિત કેન્દ્ર છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. 1937 માં વઢેરાએ દિવાન વિરાવાડના અત્યાચારનો ફરીથી વિરોધ કર્યો અને પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. અને છેલ્લે આ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. છેવટે આ ઠરાવને પાછળથી તબક્કામાં મૂકી દેવામાં આવ્યો અને આ વિકાસ સાથે મહાત્મા ગાંધીએ આ પગલાને નકારવા માટે ભૂખ હડતાલ શરૂ કરી.
Read MoreBreaking News : રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, જુઓ Video
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે.લોધિકા ખરીદ વેચાણ સંઘમાં રાદડિયા જુથનો દબદબો યથાવત જોવા મળ્યો છે. 5 બેઠક પર ગઇકાલે મતદાન થયું હતું. 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Sep 9, 2026
- 12:39 pm
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે યોજાયુ મતદાન, કૂલ 21 પૈકી 20 મતદારોએ કર્યુ મતદાન
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. કુલ 21 પૈકી 20 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ચૂંટણીમાં ભાજપ vs ભાજપનો જંગ જોવા મળ્યો. પ્રાદેશિક નેતાઓના બે જૂથો સામસામે હતા, અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આવતીકાલે પરિણામ જાહેર થશે.
- TV9 Gujarati
- Updated on: Sep 8, 2026
- 3:35 pm
Breaking News : ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત, પોરબંદરની સ્થિતિ પણ ગંભીર ! જુઓ Video
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજી સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ધટ છે 73% પર ધટ પહોંચી છે. પોરબંદરમાં હજી સુધી 18 ટકા જ વરસાદ વરસ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 6, 2026
- 11:12 am
એ હાલો… ચરર ચરર મારુ ચકડોળ ચાલે….. લોકમેળાની મોજ માણવા ઉમટ્યા રાજકોટવાસીઓ, રાઈડ્સની મજા માણી થયા ખુશખુશાલ
રાજકોટનો ભવ્ય લોકમેળો સાતમ-આઠમની રજાઓમાં રાજકોટવાસીઓ અને આસપાસના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બાળકો, યુવાનો અને વડીલો સૌ કોઈ રોમાંચક રાઈડ્સ, વિવિધ ખાણીપીણી અને રમકડાંની મજા માણી રહ્યા છે. આ મેળામાં 34 થી વધુ રાઈડ્સ, રંગબેરંગી સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 4, 2026
- 7:06 pm
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી, કોઈ દુર્ઘટના ઘટશે પછી જ જાગશે પાલિકા?
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્મશાન રોડ વિસ્તારમાં તૂટેલા વોકળાનો સ્લેબ જોખમી બન્યો છે. સ્થાનિકો દ્વારા આ અંગે નગરપાલિકા ને અનેક રજૂઆતો કરવા છતા પાલિકનું નિંભર તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ છે. તેમણે નક્કી જ કરી લીધુ હોય કે કોઈ દુર્ઘટના ઘટે પછી જ કામગીરી કરવી તેવો ઘાટ ઘડાયો છે.
- Mina Pandya
- Updated on: Sep 4, 2026
- 4:44 pm
Rajkot Breaking News : રાજકોટના લોકમેળામાં તંત્રની કડકાઈ! 34 માંથી માત્ર 8 રાઈડ્સને જ મળી મંજૂરી ! Video
રાજકોટમાં યોજાયેલા લોકમેળામાં રાઈડ્સને લઈને તંત્ર દ્વારા SOP નું પાલન કરાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. લોકમેળામાં કુલ 34 રાઈડ્સમાંથી માત્ર 8 રાઈડ્સને જ મંજૂરી આપવામાં આવેલી છે. બાકીની રાઈડ્સને SOP નું પાલન કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Sep 3, 2026
- 1:07 pm
રાજકોટ લોકમેળાનો આજથી પ્રારંભ, પરંતુ રાઇડ્સને હજુ સુધી મંજૂરી નહીં મળતા મેળો ફિક્કો રહેશે
મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ સિટી રાઇડ્સ એન્ડ સેફ્ટી કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આ કમિટીમાં વિવિધ વિભાગોના 13 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટના લોકમેળામાં કુલ 34 રાઇડ્સ માટે 11 જેટલા સંચાલકોએ અરજી કરી છે. જોકે, અત્યાર સુધી કમિટી દ્વારા એકપણ રાઇડ માટે મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે પોલીસ વિભાગ દ્વારા પણ રાઇડ્સ શરૂ કરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.
- Bipin Prajapati
- Updated on: Sep 2, 2026
- 2:41 pm
Breaking News : રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી, એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જુઓ Video
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે. એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જેના કારણે લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા.
- Sagar Solanki
- Updated on: Sep 1, 2026
- 7:38 pm
Breaking News : રાજકોટના માલિયાસણ પાસે અકસ્માત થતા દારૂની હેરાફેરીનો ભાંડો ફુટ્યો, જુઓ Video
રાજકોટના માલિયાસણ પાસે અકસ્માત થતા દારુની હેરાફેરીનો ભાંડો ફુટ્યો છે.અજાણ્યા કારણોસર કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારમાંથી દેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Sep 1, 2026
- 11:57 am
ઈન્દોરથી અમદાવાદ માત્ર 6 કલાકમાં: MP-ગુજરાત ફોરલેન હાઈવે તૈયાર, દાહોદ, ગોધરા અને રાજકોટ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી
નેશનલ હાઈવે-47 નો ઈન્દોર-ગુજરાત બોર્ડર ફોરલેન સેક્શન તૈયાર થતાં હવે ઈન્દોરથી અમદાવાદનું અંતર માત્ર 5 થી 6 કલાકમાં કાપી શકાશે. ₹168.58 કરોડના ખર્ચે બનેલા અંડરપાસ અને બાયપાસથી મુસાફરી ઝડપી, સુરક્ષિત અને અકસ્માત-મુક્ત બનશે.
- Sachin Agrawal
- Updated on: Aug 30, 2026
- 10:50 pm
રાજકોટના વિંછિયા તાલુકાના 6 ગામના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, ખેતીની જમીનમાંથી ઈકો-સેન્સિટિવ ઝોનની નોંધને દૂર કરાશે
રાજકોટના વિંછીયા તાલુકાના છ ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. ખેડૂતોની જમીનમાં 7/12ના ઉતારામાંથી નોંધાયેલા ઈકો-સેન્સિટિવ ઝોનને હવે દૂર કરવામાં આવશે. વિંછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા ગામને પર્યાવરણ અને વન વિભાગ દ્વારા રાહત આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 30, 2026
- 8:58 pm
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવનિયુક્તની અધિક્ષકની સફાઈ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ, જાતે સફાઈ કરી આપ્યો કડક સંદેશ
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવ નિયુક્ત અધિક્ષકે જાતે હોસ્પિટલની સફાઈ કરતા નજરે પડ્યા હતા. અધીક્ષક કમલ ડોડિયાએ ઈમજન્સી વિભગ પાસે તેઓ વાઈપર લઈને સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ સાથે તેઓ સફાઈ પ્રત્યે કટિબદ્ધ છે અને સ્હેજ પણ આમતેમ ચલાવી નહીં લે તેવો સંદેશ સફાઈકર્મીઓ અને અન્ય સિવિલ સ્ટાફને આપ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 30, 2026
- 8:17 pm
ધોરાજીમાં ઓવરબ્રિજનું કામ 2 વર્ષ બાદ પણ અધૂરું! 5 મિનિટના રસ્તે 30 મિનિટનો જામ, ઉદ્યોગો અને ઇમરજન્સી સેવા ખોરવાઈ – જુઓ Video
ધોરાજીનો ઓવરબ્રિજ બે વર્ષથી અધૂરો રહેતા સ્થાનિકો માટે મુશ્કેલીનો પહાડ બન્યો છે. જુનાગઢ રોડ પર ખાડા, ધૂળ અને ભારે ટ્રાફિકને કારણે 5-10 મિનિટનો રસ્તો 30 મિનિટમાં કપાય છે. ઇમરજન્સી વાહનો અને 350 ઉદ્યોગોને પણ અસર થઈ છે. કોંગ્રેસ દ્વારા કામગીરી ઝડપી કરવા અને રસ્તો સુધારવા માંગ કરાઈ છે.
- Ravi Prajapati
- Updated on: Aug 30, 2026
- 4:24 pm
રાજકોટ વાળા આવી તમાકુ ખાય છે ! SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video
રાજકોટમાં SOG પોલીસે ગેરકાયદે ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડી છે. હિરેન પરફ્યુમરી વર્ક નામના ગોડાઉનમાં દરોડા પાડી હિરેન સોનેજી અને રાજુ સોનેજી સામે કાર્યવાહી કરાઈ છે.
- Sagar Solanki
- Updated on: Aug 28, 2026
- 7:19 pm
Breaking News : નેપાળમાં પૂરની હોનારત વચ્ચે કુલ 23 ગુજરાતીઓ લાપતા, જુઓ Video
નેપાળમાં પૂરની હોનારત વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળમાં લાપતા થયેલા ગુજરાતીઓનો આંકડો વધ્યો છે.ગુજરાતના 23 લોકો લાપતા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે માહિતી આપી છે. તો કુલ18 ગુજરાતીઓ નેપાળમાં ફસાયા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 28, 2026
- 11:36 am