રાજકોટ
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. 1720 માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.
રાજકોટ વર્ષ 188 9 માં રેલવે મારફતે વાંકાનેર સાથે જોડાયેલો હતો. 1893 માં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલ લિંકની સ્થાપના થઈ હતી. તે સમય દરમિયાન મોટેભાગે મીટર ગેજ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારોમાં પરિવહનની મુખ્ય જીવનરેખાની રચના કરે છે.1925 માં મહાત્મા ગાંધીએ સૌપ્રથમવાર શહેરની મુલાકાત લીધી અને ત્યાં પ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સ્થાપના કરી. આજે તે ગ્રામીણ ઉદ્યોગો માટે એક સુસ્થાપિત કેન્દ્ર છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. 1937 માં વઢેરાએ દિવાન વિરાવાડના અત્યાચારનો ફરીથી વિરોધ કર્યો અને પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. અને છેલ્લે આ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. છેવટે આ ઠરાવને પાછળથી તબક્કામાં મૂકી દેવામાં આવ્યો અને આ વિકાસ સાથે મહાત્મા ગાંધીએ આ પગલાને નકારવા માટે ભૂખ હડતાલ શરૂ કરી.
Breaking News : ગુજરાતમાં 12 માર્ચ સુધી રહેશે હીટવેવ, રાજકોટમાં 42 ડિગ્રીએ પહોંચ્યો પારો
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 10 અને 11 માર્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. 12 માર્ચે પણ કેટલાક ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2026
- 6:39 pm
Breaking News: ગુજરાતના અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટ શહેરની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. અજાણ્યા વ્યક્તિએ ઇમેઇલ મારફતે પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
- Devankashi rana
- Updated on: Mar 10, 2026
- 3:58 pm
Iran Israel War Breaking: ગુજરાતમાં તોળાતું ગેસ સંકટ, મોરબીમાં 100થી વધુ ફેક્ટરીઓ બંધ, ટાટા મોટર્સ પ્લાન્ટમાં 50% ઉત્પાદન ઘટવાની આશંકા
એક બાજુ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ગેસ સંક્ટ જોવા મળી રહ્યું છે.ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર પણ સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. હવે કેન્દ્ર સરકારે દેશભરમાં ECA લાગુ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2026
- 2:41 pm
ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી, 9 માર્ચે નોંધાઈ સામાન્ય કરતા 4થી9 ડિગ્રી વધુ ગરમી
ગુજરાતમાં વહેતા ગરમ અને સુકા પવનને કારણે ગરમીનો પારો એકાએક ઉચકાયો છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં નોંધાયેલ ગરમી, સામાન્ય કરતા 4 ડિગ્રીથી માંડીને 9 ડિગ્રી સુધી વધુ નોંધાઈ છે. કચ્છના કંડલા ખાતે ગરમીનો પારો 41.4 ડિગ્રીએ નોંધાયો છે. જે સામાન્ય કરતા 9.3 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 7:05 pm
નિર્લિપ્ત રાયની નિમણૂકને પગલે ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, દાદાના રાજમાં અસામાજિકોને ડામવા ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ !
નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી પદે નિમણૂક થવાની સાથે જ કેટલાકના ભવા પણ ચડી ગયા હોવાના વાવડ વહેતા થયા હતા. જો કે, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ દાદાના રાજમાં અસામાજીક તત્વોને ડામી દેવાની જે મનસા વ્યક્ત કરી છે તે પરીપૂર્ણ કરવાના ભાગરૂપે જ નિર્લિપ્ત રાયની વરણી રાજકોટ રેન્જમાં કરવામાં આવી છે. અગાઉ આ જ અધિકારીએ અમરેલીમાં કેટલાયના માન-મોભાને જમીન ઉપર ઉતારી લેવડાયા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 2:55 pm
Breaking News : યુદ્ધના ભણકારા વચ્ચે દુબઈમાં ગુજરાતી પરિવાર, કહ્યું, સામાન્ય લોકો માટે સ્થિતિ સુરક્ષિત, જુઓ Video
દ્ધના ભણકારા વચ્ચે રાજકોટનો એક પરિવાર દુબઈમાં છે. જયંત ભૂપતાણીના દીકરાએ વીડિયો કોલ કરીને પિતાને જણાવ્યું કે સામાન્ય લોકો માટે દુબઈ સુરક્ષિત છે, જોકે અમેરિકા-બેઝ સેન્ટરો પર હુમલા થયા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 1, 2026
- 3:42 pm
Breaking News : રાજકોટમાં એક અપાર્ટમેન્ટમાં લાગી આગ, આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત થયા
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં ભીષણ આગમાં ગૂંગળાઈ જવાથી માતા-પુત્રના મોત નિપજ્યા છે.પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 12:35 pm
Breaking News: રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના મેદાનમાં, CCTV અને પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
Breaking News: વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે. સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે વિદ્યાર્થીઓને લોકેશન પણ મોકલવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 3:02 pm
Breaking News : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1504 બાંધકામોના ડિમોલેશનની કામગીરી પૂર્ણ, જુઓ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી મહદ અંશે પૂર્ણ થયું છે.ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં નદીનો વિસ્તાર વધ્યો છે.વાહનોની અવરજવર થઈ શકે તે માટે અત્યારે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે.
- Mohit Bhatt
- Updated on: Feb 25, 2026
- 1:40 pm
રાજકોટના જંગલેશ્વરમા અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ચાલ્યુ બુલડોઝર
રાજકોટના જંગલેશ્વરમાં સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 24, 2026
- 3:50 pm
Breaking News: રાજકોટના જંગલેશ્વરમાં હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત, PGVCLને 50 લાખનું થતું હતું નુકસાન, જુઓ Video
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે મહા કાર્યવાહી યથાવત્ છે. સોમવારે 1119 જેટલી મિલકતો તોડી પાડ્યા બાદ આજે વધુ 300 ઈમારતોને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. બપોરે 3 વાગ્યા સુધી ડિમોલિશન ચાલવાની શક્યતા છે. ત્યારબાદ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે. સમગ્ર ઓપરેશનને 7 ઝોનમાં વહેંચીને સુચારૂ રીતે અમલમાં મૂકાયું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 24, 2026
- 2:20 pm
Breaking News : રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતોઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, અનેક ટપોરી પ્રકારના તત્વોએ જંગલેશ્વરના સરકારી પ્લોટ પર કબજો કર્યો હતો. અને એ કબજે કરેલા પ્લોટ ઉપર આલીશાન મકાન તાણીને લોકોને ભાડે રહેવા આપી દીધા હતા. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 23, 2026
- 7:55 pm
તંત્રને વિનંતી સરકારી જમીનને સાચવજો, જેથી કોઇના સપનાના મહેલ ન તૂટે !
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ થઈ છે. જે હજુ ત્રણ દિવસ ચાલશે. આ ડિમોલિશન દરમિયાન 1498 મકાનો ધરાશાયી થવાના છે. ત્યારે વિપક્ષના નેતાઓ સહિત સામાન્ય નાગરિકના મનમાં પણ એક જ સવાલ છે કે આટલા મોટા પાયે આ દબાણો કોની રહેમનજર હેઠળ થવા દેવામાં આવ્યા ?
- Mohit Bhatt
- Updated on: Feb 24, 2026
- 1:46 pm
Breaking News : સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડીમોલેશન રાજકોટના જંગલેશ્વરમાં શરુ, જુઓ વીડિયો
રાજકોટમાં આજે વહેલી સવારથી ડિમોલેશન શરૂ કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાશે,પીજીવીસીએલ,RMC અને પોલીસની ટીમ તૈનાત છે.મનપાના ઇતિહાસનું આ સૌથી મોટુ જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન છે.
- Mohit Bhatt
- Updated on: Feb 23, 2026
- 11:59 am
Breaking News: રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન શરુ થતા પહેલા લોકોમાં આક્રોશ,મકાન ખાલી કરવા સમયમર્યાદા વધારવાની માગ
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી પહેલા જ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ, PGVCL અને RMCના અધિકારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા અને દબાણગ્રસ્ત મકાનો ખાલી કરવા લોકોને અપીલ કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 21, 2026
- 1:36 pm