રાજકોટ
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. 1720 માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરાફેટેડ શાસક મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.
રાજકોટ વર્ષ 188 9 માં રેલવે મારફતે વાંકાનેર સાથે જોડાયેલો હતો. 1893 માં રાજકોટ અને જેતલસર વચ્ચે રેલ લિંકની સ્થાપના થઈ હતી. તે સમય દરમિયાન મોટેભાગે મીટર ગેજ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે વિસ્તારોમાં પરિવહનની મુખ્ય જીવનરેખાની રચના કરે છે.1925 માં મહાત્મા ગાંધીએ સૌપ્રથમવાર શહેરની મુલાકાત લીધી અને ત્યાં પ્રથમ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સ્થાપના કરી. આજે તે ગ્રામીણ ઉદ્યોગો માટે એક સુસ્થાપિત કેન્દ્ર છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. 1937 માં વઢેરાએ દિવાન વિરાવાડના અત્યાચારનો ફરીથી વિરોધ કર્યો અને પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો. અને છેલ્લે આ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. છેવટે આ ઠરાવને પાછળથી તબક્કામાં મૂકી દેવામાં આવ્યો અને આ વિકાસ સાથે મહાત્મા ગાંધીએ આ પગલાને નકારવા માટે ભૂખ હડતાલ શરૂ કરી.
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઊલ્ટીના 40થી વધુ કેસ નોંધાયા, જુઓ Video
રાજકોટના ધોરાજી પંછીપીર વાડી વિસ્તારમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી ઊઠ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઝાડા-ઉલટીના પાંચ નવા કેસ નોંધાયા છે, જે સાથે જ વિસ્તારમાં કુલ 40 કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ દર્દીઓના કોલેરા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે
- TV9 Gujarati
- Updated on: Nov 17, 2025
- 12:45 pm
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે CMને લખ્યો પત્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપવા મામલે વિરોધ ઉગ્ર બન્યો છે. કામગીરીમાં હાજર ન થઈ શક્તા શિક્ષકો માટે નીકળેલા વોરંટનો શિક્ષકો એકસૂરે વિરોધ કરી રહ્યા છે. આ મામલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે CM અને ઈલેક્શન કમિશનને પત્ર લખ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 16, 2025
- 9:37 pm
ધોરાજીના ખેડૂતો પર બેવડો માર, માવઠાથી માર સહન કરી રહેલા ખેડૂતોવે હવે બદલાતા વાતાવરણે રડાવ્યા- Video
રાજકોટના ધોરાજીના ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠાની નુકસાની વેઠી ચુકેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણને કારણે ડબલ માર પડી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 16, 2025
- 9:15 pm
Rajkot : જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ, લાખો રુપિયાનો માલ બળીને ખાખ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગની ઘટના સામે આવી છે. જેતપુરના રબારીકા રોડ પર આવેલા જયફેશન ટેક્સટાઈલમાં આગ લાગી હતી.
- TV9 Gujarati
- Updated on: Nov 16, 2025
- 12:14 pm
Rajkot : ધોરાજીમાં કોલેરાનો કહેર ! પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જુઓ Video
રાજકોટમાં ફરી એક વાર કોલેરાના કહેર જોવા મળ્યો છે. રાજકોટના ધોરાજીના પાંચપીર વાળી વિસ્તાર કોલેરાના ભરડામાં આવ્યો છે. પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30થી વધુ કેસ નોંધાયા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 16, 2025
- 10:17 am
Rajkot : મુરઘા ગેંગના સમીરના રિમાન્ડમાં મોટા ખુલાસો, આરોપીએ કારમાં સંતાડી હતી પિસ્તોલ, જુઓ Video
રાજકોટમાં મંગળા રોડ પર ગેંગવોરમાં ફાયરિંગનો કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. મુરઘા ગેંગના સમીરના રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસો થયો છે. ગુનામાં વપરાયેલી પિસ્તોલ કારમાં સંતાડ્યા હોવાનો ખુલાસો થયો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 15, 2025
- 2:55 pm
Rajkot : પતિએ પત્નીને ગોળી મારી પોતે કરી આત્મહત્યા, પત્ની સારવાર હેઠળ, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વખત ઘર કંકાસના કારણે પરિવાર વેરવિખેર થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ઘરકંકાસનો કરુણ અંજામ આપ્યો છે. પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 15, 2025
- 2:50 pm
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP એ શરૂ કરેલી હેલ્પલાઇન રણકવા લાગી, દરરોજ મળી રહી છે અનેક ફરિયાદો
રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ડીસીપીએ, એક નંબર જાહેર કરીને જાહેર જનતાને તેના પર ફરિયાદ કરવા જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ શરૂ કરેલ આ નવતર પ્રયાસને ધાર્યા કરતા અનેક ગણી સફળતા સાંપડી છે. લોકો રાજકોટથી જ નહીં, સૌરાષ્ટ્રના અન્યત્રથી પણ હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી રહ્યાં છે.
- Mohit Bhatt
- Updated on: Nov 13, 2025
- 7:18 pm
આજનું હવામાન : સ્વેટર કાઢીને તૈયાર રાખજો, અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 13, 2025
- 8:08 am
Rajkot : BMW કારથી અક્સમાત સર્જીને એકનો ભોગ લેનાર નબીરો છૂટી જતાં મૃતકના પરિવારમાં રોષ, જુઓ Video
રાજકોટમાં BMW કારના ચાલકે અકસ્માત સર્જી એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે અકસ્માતના બીજા જ દિવસે અકસ્માત સર્જનાર નબીરો છૂટી જતાં મૃતક યુવકના પરિવારજનોમાં રોષની લાગણી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 12, 2025
- 2:38 pm
રાજકોટમાં રમાનારી વનડે મેચમાં ફ્રી એન્ટ્રીથી ભીડ ઉમટવાની સંભાવના, દિલ્હી બ્લાસ્ટ બાદ વધારાઈ સુરક્ષા, જુઓ Video
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ સહિતના તમામ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 12, 2025
- 11:41 am
14 વર્ષ પહેલા રાજકોટમાં સાયનાઇડથી ત્રણના મોત થયાં હતા,વાંચો કેટલું ઘાતક છે સાયનાઇડ અને ક્યાં થાય છે તેનો ઉપયોગ ?
અમદાવાદમાં ગુજરાત ATS દ્રારા પકડવામાં આવેલા ત્રણ આતંકીઓ સાયનાઇડ અને તેનાથી પણ ઘાતક એવા રાઇઝિન નામના ઝેરનો નરસંહાર માટે ઉપયોગ કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. આપને થશે કે સાયનાઇડ અને રાઇઝિન જેવા ઝેર ક્યાં પ્રકારના છે તેની અસર કેટલી છે અને તેનાથી કેટલું નુકસાન થઇ શકે છે તો આ અહેવાલ ખુબ જ અગત્વનો છે.
- Mohit Bhatt
- Updated on: Nov 11, 2025
- 4:43 pm
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ, જુઓ વીડિયો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ, રાજ્યના પોલીસ મહાનિર્દેશકે આપેલા એલર્ટના આદેશ બાદ, રાજકોટમાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ચેકીંગની કામગીરીમાં જોડાયા છે. મોડી રાત સુધી ઉચ્ચ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા આદેશ આપવામાં આવ્યા છે. શંકાસ્પદ વાહનો, વ્યક્તિઓની તપાસ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 10, 2025
- 10:01 pm
ધોરાજીમાં માવઠાએ સંપૂર્ણ પાક ધોઈ નાખતા ખેડૂતોએ બગડી ગયેલા પાકમાં પશુઓને ચરવા છોડી દીધા- Video
દિવાળી બાદ ત્રાટકેલા માવઠાથી ધોરાજી સહિત રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. કપાસ જેવા પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થયા છે. આર્થિક બોજને કારણે લાચાર ખેડૂતોએ બગડી ગયેલા પાકમાં પશુઓને ચરવા છોડી દીધા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 10, 2025
- 6:27 pm
Rajkot : પોપટપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે બબાલ, ફરિયાદી પર 7 લોકોએ કર્યો હુમલો, જુઓ Video
રાજકોટના પોપટપરા નજીક અમૃત સોસાયટી-3માં જૂની અદાવત અને પાર્કિંગના મામલે પાડોશીઓ વચ્ચે મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. આ ઘટનામાં ફરિયાદી સંજય રાઠોડ પર પિતા-પુત્ર સહિત સાત લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 8, 2025
- 1:32 pm