રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
Read MoreBreaking News : શનિ-રવિની રજામાં ફરવાનો પડી જશે જલસો, કલાકોમાં પહોંચી જશો ઉદયપુર
જો તમારે પણ શનિ-રવિની રજાઓમાં ક્યાં દુર ફરવા જવું છે. તો આ વંદે ભારત ટ્રેન તમારા માટે બેસ્ટ રહેશે. તમે 7 કલાકમાં ઉદયપુર પહોંચી જશો. આરામથી ફરી તમે પરત ઘરે આવી શકો છો. તો જોઈ લો વંદે ભારતનો રુટ.
- Nirupa Duva
- Updated on: Sep 14, 2026
- 10:57 am
Indian Railways : રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા પર નંબર શા માટે લખેલા હોય છે ? જાણો કેવી રીતે બચાવે છે અકસ્માત અને જીવ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હોય, તો તમે કદાચ રેલવે ટ્રેકના થાંભલા પર નંબરો જોયા હશે. આ થાંભલાઓમાં ઘણીવાર 262/7, TV/0/12, અથવા તેના જેવા નંબરો હોય છે. મોટાભાગના લોકો આશ્ચર્ય થાય છે કે રેલવે ટ્રેકના થાંભલા પર નંબરોનો અર્થ શું છે અને તે ત્યાં શા માટે લખવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Sep 13, 2026
- 11:00 am
Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે ! રેલવેના નવા નિયમો વિશે જાણો
ભારતીય રેલવેના નવા નિયમો અનુસાર ટ્રેનમાં કોઈ પણની પરવાનગી વગર સીટ બદલવી અથવા ખાલી સીટ પર બેસવું અથવા અન્ય કોઈની કન્ફોર્મ ટિકિટ પર મુસાફરી કરવા પર દંડ લાગી શકે છે. ચાલો જાણીએ નિયમો
- Nirupa Duva
- Updated on: Sep 13, 2026
- 10:34 am
Railway Rules : શું ટ્રેનમાં મફત પાણીની બોટલ મળે છે? જાણો રેલવેના નિયમો
ભારતીય રેલવેમાં દરેક ટ્રેનમાં મફત પાણીની બોટલ મળતી નથી. વંદે ભારત, રાજધાની, શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને મફત 'રેલ નીર' બોટલ મળે છે, જે ટિકિટના ભાડામાં શામેલ હોય છે.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2026
- 8:27 pm
Breaking News : IRCTC હોટેલ ટેન્ડર કેસમાં લાલુ પરિવારને મોટો ફટકો, તેજસ્વી અને રાબડી સહિત 9 લોકો સામે આરોપો ઘડાયા
રાઉસ એવન્યુ કોર્ટે IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી સહિત નવ આરોપી સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે આ મામલે લાલુ યાદવની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી.
- Bipin Prajapati
- Updated on: Sep 10, 2026
- 6:56 pm
Breaking News : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 7 રેલવે કોરિડોરને 4-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી, ટ્રેનની અવરજવર થશે સરળ
મોદી કેબિનેટે ભારતીય રેલવે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7 હાઈ-ડેન્સિટી રેલવે કોરિડોરને 4-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી અપાઈ છે. દિલ્હી-મુંબઈ જેવા વ્યસ્ત રૂટ પર ક્ષમતા વધારવા, વિલંબ ઘટાડવા અને મુસાફરોની સુવિધા સુધારવાનો આશય છે.
- Sagar Solanki
- Updated on: Sep 9, 2026
- 8:07 pm
Breaking News : રૂપસુંદરી નેહાની ટ્રેન મુસાફરી પાછળ છુપાયેલું મોટું રહસ્ય ! બેગ ખૂલતાં જ લોકો ચોંકી ગયા
નેહા ઝા નામની 25 વર્ષીય યુવતીની મુશ્કેલીઓ વધી છે. સમસ્તીપુરમાં ટ્રેનમાંથી દારૂની મોટી જથ્થાબંધ ખેપ ઝડપાયા બાદ પોલીસ હવે માત્ર 75 લીટર વિદેશી દારૂની જ તપાસ નથી કરી રહી, પરંતુ નેહાની જૂની મુસાફરી, મોબાઇલ રેકોર્ડ અને કથિત સપ્લાય નેટવર્કની પણ તપાસ કરી રહી છે.
- Sagar Solanki
- Updated on: Sep 9, 2026
- 6:00 pm
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર શું છે? PM મોદીએ WDFC ના 3 મહત્વના સેક્શન રાષ્ટ્રને કર્યા અર્પણ, જાણો મોટા ફાયદા
વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રેલવે નેટવર્ક અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ક્રાંતિ લાવનારા એવા મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે, જેણે 20 વર્ષ જૂના સપનાને પૂરું કર્યું છે! 2,843 કિમી લાંબા આ વિશાળ ડેડિકેટેડ ટ્રેકથી ઔદ્યોગિક માલસામાન અને પેસેન્જર ટ્રેનોની મુસાફરીમાં કેવો મોટો ફેરફાર આવશે? જાણો આ મેગા પ્રોજેક્ટની અંદરની વિગત.
- Sachin Agrawal
- Updated on: Sep 8, 2026
- 9:32 pm
રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ કેટલા પ્રકારના હોય છે ? સાઇડથી લઈને આઇલેન્ડ પ્લેટફોર્મ સુધીની રસપ્રદ વિગતો
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે અનેક પ્લેટફોર્મ પર ઊભા રહ્યા હશો, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલવેમાં પ્લેટફોર્મ પણ અલગ-અલગ પ્રકારના હોય છે? કયું પ્લેટફોર્મ કઈ રીતે બને છે અને તેની પાછળનું એન્જિનિયરિંગ શું છે? વાંચો રેલવેના આ અજાણ્યા પાસા વિશે.
- Sachin Agrawal
- Updated on: Sep 8, 2026
- 4:30 pm
રેલવેનો મોટો નિર્ણય… ગુજરાત-MP વચ્ચે દોડશે વધુ ટ્રેનો, મુસાફરો અને વેપારીઓને થશે ‘સીધો ફાયદો’
ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી ધરાવતા મુસાફરો તેમજ વેપારીઓ માટે રેલવે તરફથી મોટા સમાચાર આવ્યા છે. સૌથી વ્યસ્ત ગણાતા રૂટ પર ટ્રેનોની અવરજવર વધુ ઝડપી બનાવવા અને ભીડનું દબાણ ઘટાડવા માટે વેસ્ટર્ન રેલવેએ ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે.
- Ravi Prajapati
- Updated on: Sep 8, 2026
- 3:28 pm
Maharashtra Pune Breaking News : હવે ખાખી પણ નથી સુરક્ષિત, ગંજેરીઓને ટોકતાં જ રેલવે પોલીસ પર છરી વડે જીવલેણ હુમલો !
પુણેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુંડાઓ અને ગેંગ દ્વારા આતંકની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે એવું સામે આવી રહ્યું છે કે આ ગુંડાઓ અને ગેંગ દ્વારા એક રેલવે પોલીસ અધિકારીને નિશાન બનાવવામાં આવ્યું છે.
- Dhruval Shah
- Updated on: Sep 8, 2026
- 3:13 pm
તહેવારોમાં કન્ફર્મ ટિકિટનું ટેન્શન ખતમ : રેલવેએ શરૂ કરી ખાસ સ્પેશિયલ ટ્રેનો, અહીં જુઓ રૂટ અને શિડ્યુલ
જો તમે પણ તહેવારોમાં દિલ્હી, ચંડીગઢ કે વારાણસીથી ઘરે જવાનું વિચારી રહ્યા છો અને ટ્રેનમાં વેટિંગથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે છે! નોર્ધન રેલવેએ દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે.
- Dhruv Barot
- Updated on: Sep 7, 2026
- 5:32 pm
કન્ફર્મ ટિકિટ હોવા છતાં એકલી મુસાફરી કરતી મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી દીધી, માનવાધિકાર પંચે વળતર ચૂકવવા આપ્યો આદેશ
રેલવે ક્લાર્કની ભૂલ અને ટીટીઈની બેદરકારીને કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતી એકલી મુસાફર મહિલાને અડધી રાત્રે ટ્રેનમાંથી ઉતારી આરપીએફને સોંપી દેવાઈ હતી. કેસ દાખલ થતાં મહિલાની સરકારી કોન્ટ્રાક્ટની નોકરી પણ છૂટી ગઈ હતી. રેલવેને દોષિત ઠેરવી પીડિતાને વળતર ચૂકવવાનો આદેશ.
- Sachin Agrawal
- Updated on: Sep 7, 2026
- 3:50 pm
ટ્રેનમાં સૌથી નીચેની સીટ કોને મળે છે? જાણો રેલવેનો નવો નિયમ
દરેક વ્યક્તિની પ્રાથમિકતા કોઈક રીતે લોઅર બર્થ મેળવવાની હોય છે. આનું કારણ એ છે કે નીચેની બર્થ ટ્રિપનો આનંદ બમણો કરે છે; આખી મુસાફરી દરમિયાન તમને બારીની સીટનો આનંદ માણવા મળે છે, પરંતુ ફરતી વખતે પણ કોઈ અસુવિધા થતી નથી
- Devankashi rana
- Updated on: Sep 7, 2026
- 8:54 am
વંદે ભારતમાં કમાલની ટેકનોલોજી: બ્રેક મારતાં જ બનશે વીજળી, 30% સુધી પાવર બચાવશે આ ખાસ બ્રેકિંગ સિસ્ટમ
ભારતીય રેલ્વેની પ્રીમિયમ વંદે ભારત એક્સપ્રેસ માત્ર સ્પીડ અને લક્ઝરી માટે જ નહીં, પરંતુ તેના અદ્યતન બ્રેકિંગ સિસ્ટમ માટે પણ ચર્ચામાં છે. ટ્રેનમાં કાર જેવી ઈલેક્ટ્રો-ન્યુમેટિક ડિસ્ક બ્રેક લાગેલી છે, જે બ્રેક લગાવતી વખતે વેડફાતી ગતિજ ઉર્જાને 30% સુધી વીજળીમાં રૂપાંતરિત કરી ફરી ઉપયોગમાં લે છે.
- Sachin Agrawal
- Updated on: Sep 6, 2026
- 5:10 pm