રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
હવે કંપનીઓ જ ડિઝાઇન કરશે માલગાડીના ડબ્બા, રેલવે 15 દિવસમાં લાવશે નવી નીતિ
ભારતીય રેલવેએ માલ પરિવહન ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. હવે વિવિધ ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ માલગાડીના ડબ્બાની ડિઝાઇન સૂચવી શકશે. રેલ મંત્રાલય આગામી 15 દિવસમાં નવી વેગન ડિઝાઇન પોલિસી લાવવાની તૈયારીમાં છે.
- Sachin Agrawal
- Updated on: Jun 25, 2026
- 9:20 pm
હવે અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી દ્વારકા જઈ શકશો, વંદે ભારત ટ્રેનના સમય, રૂટ અને સ્ટેશનમાં કરાયા મોટા ફેરફાર
રેલવે મંત્રાલયે અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રક અને સંચાલન દિવસોમાં ફેરફાર કર્યા છે. હવે ટ્રેન સાબરમતી જંક્શનથી ઉપડશે અને આંબલી રોડ સ્ટેશન પર સ્ટોપેજ મળશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. જોકે, દ્વારકા મંદિરમાં દર્શનનો સમય અને ટ્રેનના સમય વચ્ચે મેળ ન હોવાથી ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલી પડશે.
- Mina Pandya
- Updated on: Jun 25, 2026
- 7:59 pm
Tatkal ticket : તત્કાલ ટિકિટ માટે કાઉન્ટર પર લાંબી લાઇન નહીં જોવા મળે ! રેલવે લાવી રહી છે ‘Q Mitra’ એપ
ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે 'Q Mitra' એપનું ટ્રાયલ કરી રહી છે. આ એપ દ્વારા મુસાફરો ઘરે બેઠા ડિજિટલ ટોકન મેળવી શકશે, જેનાથી ટિકિટ કાઉન્ટર પર થતી ભીડ અને કતારો ઘટશે.
- Sagar Solanki
- Updated on: Jun 24, 2026
- 6:15 pm
Breaking News: રેલવે તરફથી એક અદ્ભુત ભેટ… આ 175 સ્ટેશનો પર મહિલાઓને મળશે મફત સેનિટરી પેડ
ભારતીય રેલવેએ મહિલા મુસાફરો માટે મોટી રાહત આપી છે. ઉત્તર રેલવે અને ઇન્ડસ ટાવર્સ સાથે ભાગીદારીમાં દિલ્હી અને લખનઉ સહિત 175 સ્ટેશનો પર 500 સ્માર્ટ સેનિટરી પેડ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. હવે, મહિલાઓ મુસાફરી દરમિયાન 24 કલાક સંપૂર્ણપણે મફત સેનિટરી નેપકિનનો ઉપયોગ કરી શકશે.
- Meera Kansagara
- Updated on: Jun 24, 2026
- 8:54 am
TTE સાથે સેટિંગ’ ભારે પડી શકે! ટ્રેનમાં રસીદ વગર સીટ લીધી તો જેલ સુધી પહોંચી શકે છે મામલો
ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન હોય ત્યારે TTE સાથે ‘જુગાડ’ કરીને સીટ મેળવવી જોખમી સાબિત થઈ શકે છે. ચેકિંગ દરમિયાન મુશ્કેલી ઊભી કરી શકે છે અને દંડ નહીં ભરો તો જેલની સજા પણ થઈ શકે છે. જાણો રેલવેના નિયમો.
- Sachin Agrawal
- Updated on: Jun 23, 2026
- 9:10 pm
Breaking News : ટ્રેનોમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા બદલ રેલવેએ દંડ વધારીને 10,000 રૂપિયા કર્યો
ભારતીય રેલવે હાલમાં નવા નિયમ લાગુ કર્યા છે. જેના ઉલ્લંધન કરવા પર 10 હજાર રુપિયા સુધીનો દંડ અને જેલ થઈ શકે છે. ટિકિટ વગર મુસાફરી ,મહિલા કોચમાં એન્ટ્રી કે ગંદકી ફેલાવવા પર મોટો દંડ લાગી શકે છે.
- Nirupa Duva
- Updated on: Jun 23, 2026
- 9:03 am
1 જુલાઈથી બદલાઈ શકે છે રેલવેના નિયમો! વગર ટિકિટે પ્રવાસ, લેડીઝ કોચમાં પ્રવેશ અને હંગામો કરવા પર લાગશે ભારે દંડ
રેલવેમાં ટિકિટ વગર પ્રવાસ કરવા પર, લેડીઝ કોચમાં બેસવા પર અને નશો કરીને હંગામો કરવા બદલ હવે ભારે આર્થિક દંડ ચૂકવવો પડશે. 1 જુલાઈથી નવા નિયમો લાગુ થઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: Jun 20, 2026
- 10:20 pm
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદ રેલવે મંડળની અનોખી પહેલ, 4 વંદે ભારત ટ્રેનોમાં પણ થશે યોગ સત્રો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીને અનોખો આયામ આપતા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે રેલવે પરિસરો ઉપરાંત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ યોગ સત્રો યોજવાનો નિર્ણય લીધો છે. મુસાફરોને સ્વસ્થ જીવનશૈલી અને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Jun 20, 2026
- 5:04 pm
તમારી કન્ફર્મ સીટ પર કોઈ બીજુ હક જમાવીને બેસી ગયુ છે? તો અહીં કરો ફરિયાદ ઝટપટ થઈ જશે ખાલી
ટ્રેનની મુસાફરી દરમિયાન જ્યારે કોઈ તમારી કન્ફર્મ સીટ પર કોઈ કબજો જમાવીને બેસી જાય અને વિનંતીઓ અથવા દલીલો છતાં તેને ખાલી કરવાનો ઇનકાર કરે છે ત્યારે તે ખૂબ જ નિરાશાજનક હોય છે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો?
- Devankashi rana
- Updated on: Jun 19, 2026
- 1:07 pm
Travel Tips : જો તમારી પાસે કન્ફર્મ અથવા RAC ટિકિટ છે, તો તમે રેલ્વે સ્ટેશન પર કેટલા કલાક મફતમાં રહી શકો છો? જાણો
ટ્રેનમાં મુસાફરી કરનારા મોટાભાગના લોકોના મનમાં સવાલ રહે છે કે, જો ટિકિટ કન્ફોર્મ છે. તો સ્ટેશન પર કેટલા કલાક રોકાય શકે છે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2026
- 12:01 pm
ગુજરાતથી રાજસ્થાન જવું બનશે વધુ સરળ, સાબરમતી-બીકાનેર વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ થશે
ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા હજારો લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે, જે બંને રાજ્યો વચ્ચે દૈનિક સીધી રેલવે કનેક્ટિવિટી પૂરી પાડશે.
- Sachin Agrawal
- Updated on: Jun 17, 2026
- 7:10 pm
ટ્રેનમાં ખિસ્સાકાતરું તમારા ખિસ્સા કેવી રીતે કાપે છે? Viral Video જોઈને તમને ગુસ્સો આવશે
સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક મુસાફરનો ફોન ચોરાઈ ગયો હોય તેવું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે અને તેઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Jun 17, 2026
- 3:05 pm
ટ્રેનમાં તમારા બાળકની હાફ ટિકિટ લેવા પર શું મળે છે આખી સીટ? જાણો અહીં નિયમ
Railway Rule : સૌથી સામાન્ય મૂંઝવણ એ ઊભી થાય છે કે શું 'હાફ ટિકિટ' બુક કરાવેલી હોય તો બાળકને અલગ સીટ મળે છે. ઘણા મુસાફરો બુકિંગ દરમિયાન પૈસા બચાવવા માટે હાફ ટિકિટ પસંદ કરે છે પરંતુ પાછળથી બેઠક અંગે મુશ્કેલીઓનો સામનો કરે છે.
- Devankashi rana
- Updated on: Jun 17, 2026
- 9:19 am
Breaking News : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની મોટી તક ! NHSRCLમાં 224 જગ્યાઓ પર ભરતી, અરજીથી લઈને પગાર સુધી જાણો સંપૂર્ણ માહિતી
ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ આપવા માટે, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ 224 જગ્યાઓ માટે ભરતી બાહેર પાડી છે. આ જગ્યાઓ પર જુનિયર એન્જિનિયર, સ્ટેશન/ટ્રેન મેનેજર અને ડેપો/ઓપરેશન કંટ્રોલરનો સમાવેશ થાય છે.
- Dhruval Shah
- Updated on: Jun 16, 2026
- 1:22 pm
Sabarmati Bikaner Express Train : ટૂંક સમયમાં શરૂ થશે સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેન, જાણો ક્યાં ક્યાં ઊભી રહેશે ?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અને બીકાનેર વચ્ચે દૈનિક સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જે વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો, વેપારીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2026
- 11:44 am