AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

Breaking News : ચાંદીના નામે નકલી સિક્કા ! શું આ રેલ કર્મચારીઓનું સન્માન કે પછી અપમાન?

ભારતીય રેલવેમાં રિટાયરમેન્ટ લેવા પર તમને બુકે, પૈસા અને ચાંદીના સિક્કા પણ મળે છે. જો કે, જીવનના આવા મહત્વપૂર્ણ દિવસે જ રેલવેના નિવૃત્ત કર્મચારીઓને આઘાત લાગ્યો છે.

Breaking News: થાઇલેન્ડમાં મોટો ટ્રેન અકસ્માત, વિશાળ ક્રેન ટ્રેન પર પડી, 22 લોકોના મોત

હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક વિશાળ ક્રેન અચાનક કાબુ ગુમાવી દીધી અને પસાર થતી ટ્રેન પર પડી ગઈ. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ટક્કર પછી ટ્રેનના કાટમાળમાં પણ આગ લાગી ગઈ, જેના કારણે પરિસ્થિતિ વધુ કથળી ગઈ.

વંદે ભારત ટ્રેનમાં નહીં હોય VIP કે ઈમરજન્સી કોટા, ટ્રેન માટે મળશે માત્ર કન્ફર્મ ટિકિટ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પાવરપોઈન્ટ પ્રેજેન્ટેશન દ્વારા જાણકારી આપી છે. તે મુજબ 16 ડબ્બાવાળી આ ટ્રેનમાં 11 ડબ્બા થર્ડ એસી, ચાર ડબ્બા સેકન્ડ એસી અને એક ડબ્બો ફર્સ્ટ ક્લાસ એસીનો સામેલ છે. કુલ 823 સીટમાં 611 થર્ડ એસી છે.

રેલવે અધિકારીઓએ કર્યો અંગ્રેજોના જમાનાના કાળા કોટનો બૉયકોટ, મળશે નવો યુનિફોર્મ

અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તે સમયે, આ આશ્ચર્યજનક હતું. આ સાથે, અસંખ્ય નિયમો પણ બનાવ્યા હતા. જેમાંથી કેટલાક હજુ પણ અમલમાં છે. હવે, ભારતીય રેલવે વસાહતી પ્રભાવને દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

શું તમે જાણો છો કે ટ્રેનમાં જનરેટર શું કામ લગાવવામાં આવે છે ? ચાલો જાણીએ

રેલવેનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન કોઈ અસુવિધા ન થાય. આ જ હેતુથી ઇલેક્ટ્રિક ટ્રેનોમાં ખાસ જનરેટર કાર (Power Car) લગાવવામાં આવે છે. ચાલો જાણીએ કે તેનો મુખ્ય ઉપયોગ શું છે.

Breaking News : સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન, શિવભક્તોના નાદથી ગૂંજ્યું સોમનાથ

ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાન અને અડગ આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો પ્રારંભ થયો છે. પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Hydrogen Train : ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન ટ્રાયલ માટે તૈયાર, ચીન અને જર્મની કરતાં વધુ અદ્યતન ટેકનોલોજી

ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. ભારતીય રેલ્વેનો આ મહત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને તેની ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ ભારતને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ એક મોટું પગલું ભરવામાં મદદ કરશે.

Vande Bharat Cost: કેટલા રુપિયામાં બનીને તૈયાર થાય છે વંદે ભારત ટ્રેન, રાજધાની અને શતાબ્દી કરતાં કેટલી મોંઘી છે?

Vande Bharat Cost: વંદે ભારત એક્સપ્રેસ ઘણી મોંઘી છે. ચાલો જાણીએ કે રાજધાની કે શતાબ્દી એક્સપ્રેસની સરખામણીમાં તે કેટલી મોંઘી છે.

Unique Railway Station : ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં રવિવારે ટ્રેનના હોર્ન નથી વાગતા, તમે નહીં જાણતા હોવ નામ

તમે સોશિયલ મીડિયા પર અનેક અનોખા અને વિચિત્ર રેલવે સ્ટેશનો વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં રવિવારે ટ્રેનના હોર્ન અથવા સીટીઓ વાગતી નથી? આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.

ટ્રેનના છેલ્લા ડબ્બા પર ‘X’ચિહ્ન કેમ હોય છે? 99 ટકા લોકો નથી જાણતા કારણ

જો તમે ક્યારેય રેલવે ક્રોસિંગ કે પ્લેટફોર્મ પર ઉભા રહીને પસાર થતી ટ્રેનને ધ્યાનથી જોઈ હોય, તો છેલ્લાં ડબ્બા પર દેખાતું ‘X’ ચિહ્ન ચોક્કસ તમારી નજરમાં આવ્યું હશે. ઘણા લોકો તેને જોવા છતાં તેના પાછળનું સાચું કારણ જાણતા નથી. આ ચિહ્ન માત્ર નિશાની નથી, પરંતુ રેલવેની સુરક્ષા અને વ્યવસ્થાપન સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ સંકેત છે.

આ ટ્રેનમાં તમે કરી શકો છો ફ્રીમાં મુસાફરી- આ કઈ ટ્રેન છે અને ક્યાં આવી છે ચાલો જાણીએ

ભારતમાં એક એવી ટ્રેન છે જેણે 75 વર્ષથી વધુ સમયથી તેના કોઈપણ મુસાફરો પાસેથી એક પણ પૈસો વસૂલ્યો નથી. ચાલો જાણીએ કે તે કઈ ટ્રેન છે અને આ મફત સેવા પાછળનું કારણ શું છે.

ગાડીની જેમ ટ્રેનના પણ વ્હીલ બદલવામાં આવે છે, એક વ્હીલની કિમત જાણીને ચોંકી જશો!

ટ્રેનનું પૈડું ફક્ત પરિવહનનું સાધન નથી, તે કરોડો ડોલરના રોકાણનો પુરાવો પણ છે. ચાલો જાણીએ કે ટ્રેનના પૈડાની કિંમત કેટલી છે અને તે કેટલું મજબૂત છે.

Indian Railways : ભારતીય ટ્રેનના ડબ્બાનો રંગ અલગ અલગ કેમ હોય છે? આની પાછળ કારણ શું છે જાણો

ટ્રેનમાં તમે મુસાફરી કરી ચૂક્યા છો. પરંતુ તમને એ વિચાર આવ્યો છે કે, ટ્રેનના ડબ્બાનો રંગ અલગ અલગ કેમ હોય છે. આની પાછળ કારણ શું છે. આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.

Stones On Railway Tracks: ટ્રેનના પાટા પર પથ્થરો કેમ હોય છે? જાણો તેનું કામ શું છે અને કેવી રીતે કામ લાગે છે

Stones On Railway Tracks: દરેક વ્યક્તિએ રેલવે ટ્રેક જોયા હશે. ચાલો જાણીએ કે તેના પર પથ્થરો શા માટે પડેલા છે. તેની પાછળનું કારણ જાણો.

Railway News : રેલવે મુસાફરો માટે ખુશખબર, ઉત્તરાયણના દિવસથી આ એપ્લિકેશન પર સસ્તામાં મળશે ટિકિટ

રેલવે બોર્ડે ‘રેલવન’ એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ ડિજિટલ માધ્યમથી બુક કરનારા મુસાફરો માટે ડિસ્કાઉન્ટ/કેશબેકની જાહેરાત કરી છે. UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ૩% સીધો ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે R-Wallet પર કેશબેક ચાલુ રહેશે.

g clip-path="url(#clip0_868_265)">