રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
Breaking News: રેલવેનો ‘મોટો નિર્ણય’! હવે કેમેરામાં કેદ થશે ‘ટિકિટ ચેકિંગ’, ‘TTE’ નવા અવતારમાં જોવા મળશે
ભારતીય રેલવે હંમેશા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે નવા પ્રયત્નો કરતી રહે છે. આ દિશામાં આગળ વધતા રેલવેએ હવે ટિકિટ ચેકિંગની પદ્ધતિમાં એક ખાસ ફેરફાર કર્યો છે.
- Ravi Prajapati
- Updated on: May 15, 2026
- 8:20 pm
અમદાવાદથી ભાવનગરનું અંતર ઘટશે, ગુજરાતને મળશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ, જાણો
હાલમાં ભાવનગરથી અમદાવાદ જવા માટેની રેલવે લાઇન ધોળા, ઢસા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને સરખેજ જેવા સ્ટેશનો પરથી પસાર થાય છે. પરંતુ ભવિષ્યમાં ભાવનગર-ધોલેરા-સરખેજના માર્ગે રેલવે દોડશે. નવા રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનવાની શક્યતા છે.
- Sagar Solanki
- Updated on: May 15, 2026
- 6:09 pm
તલાટી પદે રહેવાને લાયક નથી આ ‘કર્મચારી’! રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા – જુઓ Video
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક સરકારી કર્મચારી દ્વારા રેલવે ટ્રેક પર કાર દોડાવવાની ઘટના સામે આવી છે. આ જોખમી સ્ટન્ટને કારણે ટ્રેન વ્યવહાર અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી.
- TV9 Gujarati
- Updated on: May 13, 2026
- 5:12 pm
Breaking News : મોદી સરકારે કપાસ, તુવેર, મગ, બાજરી સહીત ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા, સરખેજથી ધોલેરા સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. આ હેતુ માટે રૂપિયા 260,000 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજે 13મી મે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત માટે સરખેજથી ધોલેરા સુધી સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને મંજૂરી આપવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: May 13, 2026
- 4:51 pm
રોજ રાત્રે 11:45 વાગ્યે… અડધી રાત્રે રેલવેના સર્વર પર એવું તો શું થાય છે કે, તમે ‘ટિકિટ’ બુક નથી કરી શકતા ?
આજકાલ આપણે બધું જ કામ ઓનલાઇન અને ગમે ત્યારે કરવા ટેવાયેલા છીએ. એવામાં શું તમે ક્યારેય નોંધ્યું છે કે, દરરોજ રાત્રે એક એવો સમય આવે છે, જ્યારે રેલવેની ટિકિટ બુકિંગ સેવા અચાનક બંધ થઈ જાય છે?
- Ravi Prajapati
- Updated on: May 12, 2026
- 4:21 pm
ટ્રેનના છેલ્લા ડબ્બા પર ‘X’ અને ‘LV’ કેમ લખેલું હોય છે? જાણો આ નિશાની પાછળનું અસલી કારણ
રેલવેમાં મુસાફરી કરતી વખતે આપણે ઘણીવાર ટ્રેનના છેલ્લા ડબ્બા પર પીળા રંગનો મોટો 'X' અને 'LV' લખેલું બોર્ડ જોતા હોઈએ છીએ. આપણને લાગતું હશે કે, આ માત્ર એક સામાન્ય નિશાની છે પરંતુ વાસ્તવમાં આ નાનકડી દેખાતી નિશાની પાછળ રેલવેની સુરક્ષાનું એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે.
- Ravi Prajapati
- Updated on: May 11, 2026
- 7:41 pm
ટ્રેનના ડબ્બાને ‘બૉગી’ કહેવાની ભૂલ તમે પણ કરો છો ? જાણો કોચ અને બૉગી વચ્ચેનો અસલી તફાવત!
શું તમે જાણો છો કે જે ડબ્બામાં તમે બેસો છો તેને રેલવેની ભાષામાં 'બૉગી' નથી કહેવાતી? જાણો ટ્રેનના પૈડાં અને ડબ્બા પાછળનું અસલી એન્જિનિયરિંગ અને તકનીકી સત્ય.
- Sachin Agrawal
- Updated on: May 11, 2026
- 3:20 pm
PM Modi Breaking News: “દેશ પહેલા…” PM મોદીએ નાગરિકોને કરી 10 મોટી અપીલ, જાણો શું બદલવું પડશે જીવનમાં
દેશ પર વૈશ્વિક સંકટની અસર ઓછી થાય તે માટે PM મોદીએ નાગરિકોને 10 મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. ઈંધણ બચતથી લઈને સોનાની ખરીદી ટાળવા અને Work From Home અપનાવવા સુધીના સંદેશે દેશભરમાં ચર્ચા જગાવી છે.
- Nishat
- Updated on: May 11, 2026
- 8:10 am
પરીક્ષાનું ટેન્શન ભૂલી જાઓ! ભારતીય રેલવેમાં સીધી ભરતીની સુવર્ણ તક, 1644 પદો માટે નથી આપવી પડે લેખિત પરીક્ષા
રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) એ 1644 ટ્રેડ એપ્રેન્ટિસ પદો પર ભરતી બહાર પાડી છે, જેમાં પસંદગી કોઈપણ પરીક્ષા વગર સીધી મેરિટના આધારે કરવામાં આવશે. 4 જૂન સુધી અરજી કરવાની છેલ્લી તારીખ છે.
- Sachin Agrawal
- Updated on: May 10, 2026
- 9:06 pm
Live Death Video: ચાલતી ટ્રેનમાં દરવાજા પર બનાવી રહ્યો હતો વીડિયો, થાંભલા સાથે જોરદાર અથડાયો અને પછી…
Live Death Video: ચાલતી ટ્રેનમાં રીલ ફિલ્માવતા એક યુવકનું થાંભલા સાથે અથડાવાથી મોત થયું. વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોને આઘાત અને ભાવુક કરી દીધા. આખો વીડિયો અહીં જુઓ.
- Meera Kansagara
- Updated on: May 10, 2026
- 11:54 am
સાવધાન! કન્ફર્મ ટિકિટ હોવા છતાં તમારી સીટ છીનવાઈ શકે છે, રેલવેનો આ નિયમ તમને ખબર છે કે નહીં?
રેલવેમાં કન્ફર્મ ટિકિટ હોવી એ મુસાફરી માટે મોટી રાહત ગણાય છે પરંતુ શું તમે જાણો છો કે, તમારી એક નાનકડી બેદરકારી આ ટિકિટને નકામી બનાવી શકે છે? ઘણીવાર મુસાફરો વિચારે છે કે, કન્ફર્મ સીટ તો હવે સુરક્ષિત છે પણ રેલવેના અમુક એવા નિયમો છે કે, જે તમારી કન્ફર્મ સીટ પળવારમાં છીનવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: May 9, 2026
- 4:32 pm
એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું, નેતાઓના વચનોથી હવે લોકોનો ભરોસો ઉઠ્યો!
સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર પાસે રેલવે ફાટક વારંવાર બંધ થતા લાખો લોકો ટ્રાફિકની જંજાળમાં ફસાયા છે. સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે નોકરીયાત વર્ગ, દરેકના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. વારંવાર ઓવરબ્રિજની જાહેરાતો છતાં નક્કર કામગીરી ન થતા હવે નગરજનો આંદોલનના માર્ગે વળવાની તૈયારી કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 6, 2026
- 7:38 pm
IRCTC Tour Package : માતા-પિતાને કન્યાકુમારી, રામેશ્વર અને મદુરાઈ લઈ જવાનો છે પ્લાન, આ છે બેસ્ટ ટુર પેકેજ
IRCTC Tour Package : આઈઆરસીટીસી એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. જે તમને કન્યાકુમારી, રામેશ્વર અને મદુરાઈમાં આવેલા મંદિરોના દર્શન કરાવશે. તો ચાલો આ પેકેજ વિશે તમામ માહિતી મેળવીએ.
- Nirupa Duva
- Updated on: May 5, 2026
- 3:09 pm
ક્યારે અને કેવી રીતે કરશો 7 પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન ? જાણો IRCTC ના આ ખાસ ‘ભારત ગૌરવ’ પેકેજની વિગતો
શ્રદ્ધાળુઓ માટે IRCTC એક અદભૂત ટૂર પેકેજ લઈને આવ્યું છે, જેમાં માત્ર 23,505 રૂપિયાથી શરૂ કરીને 7 જ્યોતિર્લિંગોની યાત્રા કરી શકાશે. જમવા અને વીમાની સુવિધા પેકેજમાં જ સામેલ છે, જે શ્રદ્ધાળુઓ માટે સુવર્ણ તક સમાન છે.
- Sachin Agrawal
- Updated on: May 5, 2026
- 4:03 pm
શું લોકો પાયલટ રાત્રે દારૂ પીને બીજા દિવસે ડ્યૂટી પર આવી શકે? આ ભૂલ તેને આખી જિંદગી ભારે પડી શકે છે!
રેલવે બોર્ડ દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકો પાયલટ અને મોટરમેન માટે કડક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો ડ્યૂટી દરમિયાન નિર્ધારિત મર્યાદાથી વધુ આલ્કોહોલ લોહીમાં મળી આવશે, તો પરામર્શ કે ચેતવણી નહીં, પણ સીધી નોકરીમાંથી બરતરફી કરવામાં આવશે. જાણો કઈ કલમો હેઠળ થશે કાર્યવાહી.
- Sachin Agrawal
- Updated on: May 5, 2026
- 4:04 pm