રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
ટ્રેનના એન્જિનમાં રેતી ભરેલી બોરીઓ શા માટે રાખવામાં આવે છે ? મોટાભાગના લોકો નથી જાણતા
ટ્રેનમાં એન્જિન સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. એન્જિન વગર ટ્રેનના કોચ પોતે ચાલી શકતા નથી. એન્જિનની શક્તિથી જ સમગ્ર ટ્રેન આગળ વધે છે અને બધા ડબ્બાઓને ખેંચીને લઈ જાય છે.
- Ashvin Patel
- Updated on: Mar 16, 2026
- 5:07 pm
ICC T20 WC Breaking News: ફાઈનલ મેચ માટે રેલવેએ શરૂ કરી ‘સ્પેશિયલ ટ્રેન’, આજે રાત્રે જ અમદાવાદ માટે થશે રવાના
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં રેલવેએ નવી દિલ્હીથી સાબરમતી વચ્ચે એક 'ફુલ એસી સ્પેશિયલ ટ્રેન' ચલાવવાની જાહેરાત કરી છે.
- Ravi Prajapati
- Updated on: Mar 7, 2026
- 7:12 pm
Breaking News : મુંબઈ-પુનાથી સુરત, ભરૂચ, વડોદરા થઈને અમદાવાદ આવવા-જવા પશ્ચિમ રેલવે 4 સુપર સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે ચાર સુપર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2026
- 8:31 pm
Breaking News : હોળી ઉજવવા બિહાર-UPના લોકોની દોટ, સુરત રેલવે સ્ટેશન પર ભીડ કાબૂ બહાર!
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પર્વ નિમિત્તે બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં હજારો મુસાફરોની ભારે ભીડ જોવા મળી. પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સુરક્ષા તથા સુવિધાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. મુસાફરો વધુ ટ્રેનોની માંગ કરી રહ્યા છે કારણ કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 28, 2026
- 10:49 am
Breaking News : લાખો મુસાફરોને અસર કરતો રેલવેનો આ નિર્ણય, 1 માર્ચથી રેલવેનો નવો નિયમ લાગુ
Railways Rules : 1 માર્ચથી રેલવે ટિકિટ બુક કરવાની રીતમાં ફેરફાર કરશે. જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે એક નવી એપની જરૂર પડશે. મુસાફરી કરતા પહેલા કોઈપણ સમસ્યા ટાળવા માટે શું બદલાવ થઈ રહ્યો છે તે જાણો.
- Hasmukh Ramani
- Updated on: Feb 27, 2026
- 5:27 pm
હવે 1 માર્ચથી જમ્મુથી શ્રીનગર સુધી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નહીં દોડે, રેલવેએ કર્યો ખુલાસો
જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે રેલવે વિભાગે અંગે એક મોટો ખુલાસો કર્યો છે. આ ટ્રેન હવે 1 માર્ચથી જમ્મુથી શ્રીનગર વચ્ચે નહીં દોડે. અગાઉ, ઉત્તર રેલવેએ જોરશોરથી જાહેરાત કરી હતી કે, લોકોની માંગને કારણે, ઉત્તર રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને જમ્મુ સુધી લંબાવી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2026
- 2:29 pm
44 પ્લેટફોર્મ, આલીશાન રેસ્ટોરાં અને મોટું ફૂડ માર્કેટ… આ તો વળી ‘રેલવે સ્ટેશન’ છે કે કોઈ ‘લક્ઝરી મોલ’?
શું તમે જાણો છો કે, દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? ખાસ વાત એ છે કે, દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન કોઈ મહેલ કરતા ઓછું નથી.
- Ravi Prajapati
- Updated on: Feb 20, 2026
- 12:54 pm
ભાવેણાવાસીઓને ક્યારે મળશે ‘વંદે ભારત’ ટ્રેન?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ- Video
ભાવનગરને વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી ન મળતા સ્થાનિક નાગરિકો અને વિપક્ષે અવાજ ઉઠાવ્યો છે. ગુજરાતના 20 શહેરોને વંદે ભારત મળી છે, પરંતુ ભાવનગર વંચિત છે
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 9:00 pm
Holi Special Train: તહેવારોના પગલે 9 સ્પેશિયલ ટ્રેન શરુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીને કનેક્ટ કરશે
હોળી નજીક આવી રહી છે, અને શ્રમિક અને પરપ્રાંતીયોને વતન પહોંચવા માટે પૂર્વ મધ્ય રેલ્વે લાવ્યું છે 9 સ્પેશિયલ ટ્રેન. સુરત, ગાંધીધામ, ડીડીયુ અને પશ્ચિમ બંગાળ સુધી આ ટ્રેન મુસાફરોને કન્ફર્મ સીટ સાથે સુરક્ષિત અને આરામદાયક મુસાફરી આપે છે.
- Nishat
- Updated on: Feb 18, 2026
- 12:13 pm
Unique Railway Station : આ રેલવે સ્ટેશન પર દરરોજ ટિકિટ ખરીદે છે લોકો, પરંતુ ટ્રેનમાં નથી બેસતા, કારણ જાણી ચોંકી જશો..
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ નજીક દયાલપુર રેલવે સ્ટેશન એક અનોખી વાર્તા કહે છે. 2006માં બંધ થયા બાદ, 2022માં ફરી ખુલ્યા પછી, ગામલોકો સ્ટેશન બંધ ન થાય તે માટે દરરોજ ટિકિટ ખરીદે છે, ભલે તેઓ મુસાફરી ન કરતા હોય.
- Sagar Solanki
- Updated on: Feb 12, 2026
- 9:11 pm
દુનિયા જોતી રહી ગઈ! 354 ડબ્બા અને 7 એન્જિન… ભારતની સૌથી લાંબી ટ્રેન, જે ‘મહાદેવ’ના નામ પરથી બની
ભારતમાં મુસાફરી માટેનું મુખ્ય સાધન ટ્રેન છે, જેના દ્વારા દરરોજ લાખો મુસાફરો દેશના એક છેડેથી બીજા છેડે જાય છે. એવામાં ખાસ વાત એ છે કે, ભારતમાં એક એવી ટ્રેન પણ ચાલે છે કે, જે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડની સૌથી લાંબી ટ્રેન છે.
- Ravi Prajapati
- Updated on: Feb 12, 2026
- 10:55 am
Breaking News: ભારતમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક વધશે! બજેટમાં થઇ છે 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, આખરે કયા શહેરો વચ્ચે શરૂ થશે આ સેવા?
ભારતીય રેલવે બોર્ડે દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કનો વ્યાપ વધારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલા સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે રેલવે બોર્ડે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે.
- Om Prakash
- Updated on: Feb 10, 2026
- 12:12 pm
Breaking News: અમદાવાદ-સાણંદ વચ્ચે દોડશે દેશની ‘બીજી RRTS’, ‘ગુજરાત’ બનશે મેટ્રો બાદ હાઈટેક રેલ નેટવર્ક ધરાવતું ‘બીજું રાજ્ય’
ગુજરાત સરકાર પાંચ સેટેલાઇટ ટાઉન્સને મુખ્ય શહેરો સાથે જોડવા માટે હાઈટેક 'રીજનલ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTS) શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનો પ્રથમ કોરિડોર અમદાવાદ અને સાણંદ વચ્ચે તૈયાર કરવામાં આવશે.
- Om Prakash
- Updated on: Feb 10, 2026
- 11:10 am
Breaking News : રેલવે ટ્રેક પર 10 સિંહ! એક સેકન્ડ મોડું પડ્યું હોત તો… જાણો શું થયું
સાસણગીર નજીક કાસિયા નેસ પાસે રેલવે ટ્રેક પર આવેલા 10 સિંહના જૂથનો બચાવ કરાયો. વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે સિંહોને જોઈને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી. બાદમાં વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા, જેનાથી મોટી દુર્ઘટના ટળી.
- Hasmukh Ramani
- Updated on: Feb 10, 2026
- 10:03 am
ભારતનું અનોખું રેલવે સ્ટેશન! અહીં’ પ્લેટફોર્મ ટિકિટ’ નહીં પણ પાસપોર્ટ બતાવવો પડતો હતો, શું તમને આ રોચક ઈતિહાસ વિશે ખબર છે?
ભારતના અલગ-અલગ રેલવે સ્ટેશનોનો પોતાનો કોઈને કોઈ એવો કિસ્સો જરૂર હોય છે કે, જે તેને અત્યંત અનોખો બનાવે છે. એવામાં ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે કે, જ્યાં જવા માટે પ્લેટફોર્મ ટિકિટ નહીં પરંતુ પાસપોર્ટ બતાવવો પડતો હતો.
- Ravi Prajapati
- Updated on: Feb 8, 2026
- 11:18 am