AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

Unique Railway Station : શું તમને ખબર છે? ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ટ્રેન તો દૂર, મુસાફરી કરવાની પરવાનગી પણ નથી!

શું તમે ક્યારેય એવું રેલવે સ્ટેશન જોયું છે, જ્યાં નામ તો રેલવે સ્ટેશનનું હોય પરંતુ ત્યાંથી કોઈ ટ્રેન પસાર થતી નથી અને મુસાફરો માટે ક્યાંય જવાની સગવડ જ ન હોય?

Budget 2026 Breaking : બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, અમદાવાદને પણ લાભ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વાર સંસદમાં બજેટ રજૂ કર્યુ છે. 2026-27 ના કેન્દ્રીય બજેટમાં તેમણે ભારતીય રેલવેના પરિવર્તન માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો. સરકારે દેશના મુખ્ય આર્થિક કેન્દ્રોને જોડવા માટે 7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોરના પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતીય રેલવેનું પરિવર્તન લાવશે.

Breaking News : ભારતીય રેલવેની મોટી સિદ્ધિ, અમદાવાદમાં પ્રથમ LNG–ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનો પ્રારંભ, જુઓ Photos

ભારતીય રેલવેએ અમદાવાદ ખાતે તેની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું સફળ સંચાલન કર્યું છે. આ પહેલ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-પ્રભાવી રેલ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

અમેરિકા કે જાપાન નહીં, દુનિયાનું સૌથી શક્તિશાળી ટ્રેન એન્જિન છે ભારત પાસે, જાણો તેની ખાસિયત

ભારતીય રેલવેએ તાજેતરમાં અત્યાધુનિક વંદે ભારત સ્લીપર ટ્રેન લોન્ચ કરીને સાબિત કર્યું છે કે દેશ ટેકનોલોજીમાં કોઈથી ઓછો નથી. આ ટ્રેન આરામદાયક મુસાફરી સાથે સુરક્ષા અને ગતિમાં પણ નવી ઉંચાઈઓ સ્થાપે છે. આ ઉપરાંત, રેલ્વે પાસે એવું શક્તિશાળી એન્જિન પણ છે, જે એકસાથે 16 વંદે ભારત ટ્રેનો ખેંચવાની ક્ષમતા ધરાવે છે. તેની શક્તિ અને કાર્યક્ષમતા એટલી વધુ છે કે અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં પણ આ સ્તરના એન્જિન દુર્લભ છે. આ બધું દર્શાવે છે કે ભારતીય રેલવે સતત આધુનિક ટેકનોલોજી અપનાવીને દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.

Breaking News : ટ્રેનમાં તમારી સીટ પર બીજુ કોઈ કબ્જો જમાવી લે તો શું કરવું? ફક્ત એક ફોનમાં આવી જશે નિરાકરણ, જાણો

ટ્રેનમાં તમારી બુક કરેલી સીટ પર કોઈ અજાણી વ્યક્તિ બેઠી હોય તો ઝઘડો નહીં. ફક્ત તમારા ફોન આવી જશે નિરાકરણ, ભારતીય રેલવેએ મુસાફરોની સહાય માટે એક સરળ અને વિશ્વસનીય વ્યવસ્થા બનાવી છે.

શું તમે જાણો છો કે IRCTC વેબસાઈટ પર કોણ TDR ફાઈલ કરી શકે છે અને ક્યાં સંજોગોમા કરી શકે છે?…. ચાલો જાણીએ શું છે નિયમો

જ્યારે આપણે કઈક ફરવા જઈએ ત્યારે કેટલી વખત એવું બનાવ બને છે કે આપણે મુસાફરી અચાનક રદ કરવી પડે છે, ક્યારેક ટ્રેન ખૂબ મોડી પડે છે અથવા રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં, મુસાફરોના મનમાં આ સૌથી મોટો પ્રશ્ન આવે છે કે રિફંડ મળશે કે પૈસા ગયા...!

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાઓ તો શું કરવું? જાણો

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો અચાનક તબિયત બગડી જાય તો તમારે ચિંતા કરવાની જરરુ નથી. રેલવે અનેક સુવિધાઓ આપે છે. જેની તમે મદદ લઈ શકો છો. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.

Indian Railway : બજેટમાં મેગા પ્લાન તૈયાર..દેશની પ્રગતિ થશે સુપરફાસ્ટ ! રેલવે બનશે ‘વિશ્વનું પાવરહાઉસ’

કેન્દ્રીય બજેટ 2026 પૂર્વે ભારતીય રેલવેના ખાનગીકરણની ચર્ચા તેજ બની છે. આ લેખ રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ અને આર્થિક યોગદાન પર પ્રકાશ પાડે છે.

Breaking News : ભારતની આ ટ્રેનમાં મુસાફરોને મફત મળે છે નાસ્તો, લંચ અને ડિનર, તમે નહીં જાણતા હોવ..

શું તમને એવી કોઈ ટ્રેન વિશે ખબર છે, જેમાં મુસાફરોને મુસાફરી દરમિયાન વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે? અને શું આ સુવિધા ટ્રેનના દરેક કોચમાં બેઠેલા મુસાફરો માટે સમાન રીતે ઉપલબ્ધ હોય છે?

અમરેલીમાં ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, લોકો પાયલટની સમયસૂચક્તાથી ટળી મોટી રેલ દુર્ઘટના-Video

અમરેલીમાં કેટલાક દુષ્ટ લોકો દ્વારા ટ્રેન ઉથલાવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો. જોકે લોકોપાયલટની સમયસૂચક્તાથી મોટી રેલ દુર્ઘટના ટળી છે. જો થોડી પણ ચૂક રહી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં બે પ્લેટફોર્મ વચ્ચે છે રસ્તો, કાર અને ટ્રેન એકસાથે ચાલે, જુઓ

ભારતીય રેલવેનું અનોખું રેલવે સ્ટેશન, જ્યાં પ્લેટફોર્મ વચ્ચેથી વાહનો માટે રસ્તો પસાર થાય છે. આ એકમાત્ર સ્થળ છે જ્યાં કાર અને ટ્રેનો એકસાથે દોડતી જોવા મળે છે.

મુંબઈના બાંદ્રાથી સુરત, વડોદરા, અમદાવાદ તરફ આવતી-જતી 3 ટ્રેનને પશ્ચિમ રેલવે આગામી 23 ફેબ્રુઆરી સુધી દોડાવશે

ગુજરાતના વિવિધ શહેરોમાંથી મુંબઈ અને તેની આસપાસના શહેરો અને ઉપનગરો સુધી મુસાફરોના વધી રહેલા ઘસારાને પહોચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ, સુરત, વડોદરા, અમદાવાદ તરફ આવતી અને જતી સ્પેશિયલ ટ્રેનને આગામી 23મી ફેબ્રુઆરી સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.

મુસાફરો માટે ખાસ ! શું ટ્રેનમાં ‘ઘી’ લઈ જઈ શકાય? રેલવેનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

જો તમે ટ્રેનમાં ઘી લઈને મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા રેલવેની ગાઈડલાઈન (માર્ગદર્શિકા) જાણી લેવી જરૂરી છે. જો તમે સાચા નિયમો સમજીને ચાલશો, તો કોઈ પણ પ્રકારની પરેશાની તમને નહીં થાય.

Business Idea: 5 હજારથી પણ ઓછા ખર્ચમાં રેલવે સાથે શરૂ કરો આ વ્યવસાય, દર મહિને થશે જબરદસ્ત કમાણી

તમે 5 હજારથી પણ ઓછા ખર્ચમાં રેલવે સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. બીજું કે, આ બિઝનેસ થકી તમે દર મહિને સારી એવી કમાણી પણ કરી શકો છો.

ભારતની એવી ટ્રેન જે સળંગ ચાલે છે 74 કલાક અને 10 મિનિટ, જાણો આ એવી તો કેવી ટ્રેન છે..?

દેશમાં એક અનોખી ટ્રેન દોડી રહી છે, જે દેશની અંદર દોડે છે પણ સિંગાપોર જેટલું અંતર કાપે છે. રસ્તામાં એટલા બધા સ્ટોપ છે કે મુસાફરો થાકી જાય છે. આ ટ્રેન વિશે વધુ વાંચો.

g clip-path="url(#clip0_868_265)">