AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે

રેલવે

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.

ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.

ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.

Read More

Breaking News : આશ્રમ એક્સપ્રેસ સહિતની 7 ટ્રેન દિલ્હી કેન્ટ સ્ટેશને 16 ઓકટોબર સુધી ઊભી નહીં રહે

અમદાવાદ ડિવિઝનથી આવતી અને જતી 7 ટ્રેન દિલ્હી કૅન્ટ સ્ટેશન પરનો સ્ટોપેજ અસ્થાયી રીતે રદ રહેશે.

જો તમે IRCTC પરથી રેલવે ટિકિટ બૂક કરાવતા હશો તો 15 જુલાઈથી જોવા મળશે નવા ફેરફાર, એક જ ક્લિકમાં બધા જ ક્લાસની ખાલી ટિકિટ જોઈ શકશો

શું તમે ટ્રેન ટિકિટ બુક કરતી વખતે સર્જાતી ટેકનિકલ ખામીઓથી હેરાન- પરેશાન થાવ છો ? તો હવે તમારી આવી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. IRCTC તેની નવી, સુપરફાસ્ટ વેબસાઇટનું બીટા વર્ઝન લોન્ચ કરી રહ્યું છે. સુપર ફાસ્ટ વેબસાઈટ લોન્ચ થવાની સાથે, પહેલા કરતા વધુ ઝડપથી તમારી ટિકિટ બુકિંગ થઈ શકશે. આ નવી વેબસાઇટમાં રજૂ કરાયેલા ફેરફારો પર એક નજર અહીં છે.

કાનુની સવાલ : ભૂલથી પણ રેલવેની ચાદર, ધાબળા અને ઓશિકા તમારા બેગમાં ન નાખતા, પકડાશો તો જેલ ભેગા થશો

હંમેશા મુસાફરો ટ્રેનમાં સફર કરવાની સાથે મળનારી ચાદર અને તકિયા સાથે લઈ જાય છે. સામાનની આ ચોરીનું નુકસાન રેલવે સ્ટાફ ભોગવે છે. કારણ કે, આ બધાના પૈસા તેના પગારમાંથી કાપવામાં આવે છે. તો ચાલો જાણીએ ટ્રેનમાંથી જો તકિયા કે ચાદરની ચોરી કરી તો કેટલી સજા થશે.

VIDEO : હનીમૂન કોચની ઘટના બાદ હવે ‘ચાલતી ટ્રેનમાં પંડિતે કરાવી પૂજા’ ! વીડિયો સામે આવતા રેલવેએ કરી સ્પષ્ટતા

તાજેતરમાં રેલવે 'હનીમૂન કોચ'નો એક વીડિયો વાયરલ થયો છે, અને હવે આવો જ એક બીજો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેનાથી એક નવો વિવાદ ઉભો થયો છે.

Breaking News : ભારતીય રેલવેના AC કોચમાં ચોરી, 4 વર્ષમાં1.27 કરોડ ચાદર, ટુવાલ, ધાબળા અને ઓશિકા ગુમ

RTI પાસેથી મળેલા આંકડાથી ખુલાસો થયો કે, ભારતીય રેલવેના AC કોચમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં બેડશીટ, ટુવાલ,ધાબડા અને ઓશિકા ગુમ થઈ રહ્યા છે. જેનાથી રેલવેને મોટું નુકસાન થાય છે.

Breaking News : રેલવે મંત્રીએ ગુજરાતીઓ માટે આપી ગુડ ન્યુઝ, આ દિવસથી તમે બુલેટ ટ્રેનની મુસાફરી કરી શકશો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પર એક ગુડ ન્યુઝ આપ્યા છે. કહ્યું કે, બુલેટ ટ્રેન આવતા વર્ષે દોડવા લાગશે. ગુજરાતીઓ માટે ગુડ ન્યુઝ એ છે કે, પહેલો ફેઝ સુરત-બિલિમોરાનો હશે. ત્યારબાદ ધીમે ધીમે અન્ય રુટ શરુ થશે.

Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર, જમીન વળતરના વિવાદથી ₹40 હજાર કરોડના વધારાના બોજનો દાવો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જમીન વળતરનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. દેશના મહત્વાકાંક્ષી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા આ પ્રોજેક્ટમાં ખેડૂતોને આપવામાં આવેલા વધારાના વળતરના નિર્ણયને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

Indian Railway Locomotive Colors : 90% લોકો નથી જાણતા ! ભારતીય રેલવેના એન્જિન અલગ-અલગ રંગના કેમ હોય છે?

ભારતીય રેલવેમાં ચાલતા લોકોમોટિવ્સને અલગ-અલગ રંગોથી રંગવામાં આવે છે. દરેક રંગ પાછળ એક ખાસ હેતુ હોય છે. આ રંગો દ્વારા લોકોમોટિવનો પ્રકાર, તેનો ઉપયોગ, તે કયા ઉત્પાદન એકમમાં બનાવાયું છે અને તેની વિશેષ ઓળખ સરળતાથી જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, ઘણા પરંપરાગત ડીઝલ લોકોમોટિવ લાલ અને ક્રીમ રંગમાં જોવા મળે છે, જ્યારે નવી પેઢીના ઇલેક્ટ્રિક લોકોમોટિવ સામાન્ય રીતે વાદળી રંગમાં જોવા મળે છે.

એક જ ટિકિટમાં 9 રાજ્યોની સફર! 58 સ્ટેશનો પર ઊભી રહે છે ભારતની આ એકમાત્ર ટ્રેન, 4 દિવસમાં કાપે છે 4189 કિમીનું અંતર

ભારતીય રેલવેની સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન 'દિબ્રુગઢ-કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ' વિશે શું તમે જાણો છો? આ અનોખી ટ્રેન 4189 કિલોમીટરના પ્રવાસ દરમિયાન કુલ 9 રાજ્યો અને 58 સ્ટેશનોને કવર કરે છે. આ આખી સફર પૂરી થવામાં અંદાજે 74 થી 75 કલાક એટલે કે આખા 4 દિવસ જેટલો સમય લાગે છે.

ગુજરાતથી ઉત્તરાખંડ માટે નવી સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ: 29 સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન, જુઓ આખું શિડ્યુઅલ

ગુજરાતના વેરાવળ જંકશનથી ઉત્તરાખંડના હરિદ્વાર વચ્ચે મુસાફરી કરતા યાત્રિકો માટે રેલવેએ જુલાઈ મહિનામાં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચાલશે અને બંને તરફથી જુલાઈ મહિનામાં 4-4 ટ્રિપ લગાવશે. મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય, તારીખો અને રૂટની સંપૂર્ણ વિગત અહીં ચેક કરો.

જનરલ કોચમાં ટિકિટ વગર ટૂંકા અંતરની મુસાફરી કરી શકાય? રેલવેએ જાતે આપી આ માહિતી

લોકો ઘણીવાર વિચારે છે કે શું ટિકિટ વિના જનરલ કોચમાં થોડા કિલોમીટર મુસાફરી કરવાની છૂટ છે. જો તમે પણ આ જ માન્યતા ધરાવો છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે.

Indian Railways New Rule: રેલવે મુસાફરો માટે મોટું એલર્ટ! હવે WhatsApp ટિકિટ કે સ્ક્રીનશોટથી નહીં થાય મુસાફરી, જાણો RailOneનો નવો નિયમ

ભારતીય રેલવેએ RailOne એપથી બુક થતી અનરિઝર્વ્ડ ટિકિટ અંગે નવો નિયમ અમલમાં મૂક્યો છે. હવે માત્ર WhatsApp પર મળેલી ટિકિટ, તેનો સ્ક્રીનશોટ અથવા અન્ય વ્યક્તિ પાસેથી ફોરવર્ડ કરેલી ટિકિટ બતાવીને મુસાફરી કરી શકાશે નહીં. મુસાફરી દરમિયાન ટિકિટ બુક કરાવવા માટે ઉપયોગમાં લેવાયેલા રજિસ્ટર્ડ મોબાઇલમાં RailOne એપ પર જ માન્ય ઈ-ટિકિટ દર્શાવવી જરૂરી રહેશે.

રાજધાનીનો ‘જલવો’ કે પછી વંદે ભારત ટ્રેનનો? ‘સ્પીડની મહારાણીઓ’ પાટા પર સામસામે આવી, જુઓ રોમાંચક દ્રશ્ય

રાજધાની એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને ટ્રેનો થોડા સમય માટે એકબીજાની સાથે દોડતી દેખાય છે, પરંતુ પછી, તેની ઝડપી ગતિ અને ઉત્તમ પિકઅપને કારણે, વંદે ભારત એક્સપ્રેસ એકબીજાને પાછળ છોડી દે છે. આ રોમાંચક દ્રશ્યે વ્યાપક ધ્યાન ખેંચ્યું છે.

કાનુની સવાલ : શું ટ્રેનમાં સુહાગરાતનું ડેકોરેશન કરી શકાય, રેલવેના કડક નિયમો અને સજા વિશે જાણો

બલ્હારશાહ-દાદર નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચની બર્થ પરવાનગી વગર ઓનલાઈન ડેકોરેટરને બોલાવી હનીમુનના ડેકોરેશનની જેમ શરણગારવા અને મીણબતી સળગાવવાનો વીડિયો વાયરલ થયો છે. સુરક્ષાના નિયમોના ઉલ્લંધન પર રેલવે ટીટીઈને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. તો ચાલો જાણીએ આ મામલે રેલવેના નિયમો શું કહે છે.

ટિકિટ ઘરે ભૂલી ગયા? તો પણ કરી શકશો મુસાફરી ! રેલવેના આ નિયમથી નહીં આવે અડચણ

રિઝર્વ્ડ ટ્રેન ટિકિટ ખરીદી હોય પરંતુ ભૂલથી તે ઘરે રહી ગઈ હોય, તો ગભરાવાની જરૂર નથી. ભારતીય રેલવે તમને આવી પરિસ્થિતિઓમાં તમારી મુસાફરી ચાલુ રાખવાની મંજૂરી આપે છે

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">