
રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.
Breaking News : અમદાવાદમાં બુલેટ ટ્રેન કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા ટ્રેન વ્યવહારને ભારે અસર, અનેક ટ્રેન કેન્સલ, અનેક રિશિડ્યુઅલ કરાઇ
અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે, ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની તો થઇ નથી. જો કે ક્રેન પડવાને કારણે ત્યાંથી જ પસાર થતી રેલવે લાઇનને અસર થઈ છે. જેમાં અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇનમાં અસર થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 1:56 pm
ટ્રેન 3 કલાકથી વધુ મોડી તો મળશે 100% રિફંડ ! જાણો કેવી રીતે ?
જો ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય અને મુસાફર તેમની મુસાફરી રદ કરવા માંગે છે, તો ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધા માટે રિફંડ પોલિસી પ્રદાન કરે છે.
- Ashvin Patel
- Updated on: Mar 22, 2025
- 6:13 pm
Railway Ticket New Rules : હવે તમે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશી શકશો, નવી સિસ્ટમ થશે શરૂ, જાણો
ભીડ ટાળવા માટે, રેલવે મંત્રાલયે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ હવે તમને ફક્ત ત્યારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હશે. આ નિયમ 60 સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.
- Sagar Solanki
- Updated on: Mar 20, 2025
- 4:26 pm
શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે
દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 7:12 pm
Railway: અરે….વાહ! ઉદયપુરથી મુંબઈનું અંતર થશે ઓછું, સુરત, વડોદરા, અમદાવાદના મુસાફરોને જલસા, બચશે 3 કલાકનો સમય
Railway News:ઉદયપુરથી મુંબઈની મુસાફરી હવે સરળ બનશે. કારણ કે નવી રેલ લાઇન અંતર 165 કિલોમીટર ઘટાડશે અને સમય બચાવશે. ઉદયપુર-ડુંગરપુર-અમદાવાદ રૂટથી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આનાથી આસપાસના જિલ્લાઓને ફાયદો થશે અને મુસાફરોને મધ્યપ્રદેશ જવા માટે લાંબો ચકરો કાપવી નહીં પડે.
- Meera Kansagara
- Updated on: Mar 18, 2025
- 2:24 pm
Indian Railway : જાનૈયાઓને ટ્રેનમાં લઈને જવા છે ? તો આ રીતે કરો આખો કોચ બુક, જાણો આખી પ્રોસેસ
જો તમારો પ્લાન પણ જાન ટ્રેનમાં લઈ જવાનો છે, અને લગ્ન માટે જો તમે એક ટ્રેનનો આખો કોચ બુક કરવા માંગો છો. તો ચાલો જાણીએ કેવી રીતે તમે કોચ બુક કરી શકશો.
- Nirupa Duva
- Updated on: Mar 18, 2025
- 1:11 pm
IRCTC Tour Package : જૈન પ્રવાસીઓ માટે રેલવેનું શાનદાર ટુર પેકેજ, 08 રાત અને 09 દિવસની યાત્રા
IRCTC જૈન પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટુર પેકેજ બહાર પાડ્યું છે. "જૈન યાત્રા" સોમવાર 31મી માર્ચ 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસ (મુંબઈ) રેલ્વે સ્ટેશનથી 08 રાત/09 દિવસની મુસાફરી માટે પ્રસ્થાન કરવા માટે તૈયાર છે.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2025
- 11:14 am
અમદાવાદથી ઉપડતી અને ફરવા જવા માટેની આ સૌથી બેસ્ટ ટ્રેન, ગુજરાતને જોડે છે સુંદર 4 રાજ્યો સાથે
Super Fast Express Train : તમારે વેકેશન દરમિયાન કે બિઝનેસ ટ્રિપ દરમિયાન સાઉથના તેલંગણા કે આંધ્રપ્રદેશમાં જવાનું થાય તો તમારા માટે આ ટ્રેન સૌથી ઉત્તમ છે.
- Meera Kansagara
- Updated on: Mar 10, 2025
- 2:26 pm
Train name: હમસફર એક્સપ્રેસથી વંદે ભારત સુધી, ટ્રેનોના નામ કેવી રીતે રાખવામાં આવે છે?
રેલવે દ્વારા હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. આ ટ્રેનોના નામ અલગ-અલગ છે. જાણો આ બધી ટ્રેનોના નામ કેવી રીતે રાખવામાં આવ્યા છે. ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું ચોથું સૌથી મોટું નેટવર્ક છે. જો આપણે દૈનિક ધોરણે વાત કરીએ તો દેશમાં 13,000 થી વધુ ટ્રેનો દોડે છે. આમાં હમસફર એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ જેવી ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે.
- Meera Kansagara
- Updated on: Mar 10, 2025
- 8:49 am
આને કહેવાય જીવનું જોખમ! ફાટક બંધ હોવા છતાં આ રીતે ઓળંગ્યા રેલવે પાટા, Video થયો Viral
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @gharkekalesh હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, બંધ ફાટક પાર કરવા માટે તે વ્યક્તિએ બાઇકને ખભા પર ઉંચકી લીધી. માત્ર થોડીક સેકન્ડની આ ક્લિપ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવી છે.
- Meera Kansagara
- Updated on: Mar 9, 2025
- 7:44 am
દરરોજ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને આ વસ્તુ ખબર નથી, 5 સુવિધાઓ મળે છે મફત
Free 5 Facilities: જો કોઈ મુસાફરને ટ્રેન બદલવાની જરૂર હોય અથવા સ્ટેશન પર થોડો સમય રાહ જોવી પડે તો તે રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ એસી અથવા નોન-એસી વેઇટિંગ હોલનો ઉપયોગ કરી શકે છે. આ માટે મુસાફરોએ ફક્ત તેમની વેલિડ ટ્રેન ટિકિટ બતાવવાની રહેશે.
- Meera Kansagara
- Updated on: Mar 8, 2025
- 10:27 am
Stock Market : રેલવે મંત્રાલય હેઠળ કામ કરતી IRCTC અને IRFC બની ‘નવરત્ન’, હવે શેરના ભાવ વધશે !
ભારત સરકારે રેલવે મંત્રાલય હેઠળ કામ કરતી બે સરકારી કંપનીઓ IRCTC અને IRFC નો દરજ્જો અપડેટ કર્યો છે અને તેમને 'નવરત્ન' કંપનીનો દરજ્જો આપ્યો છે. આ કંપનીઓને 'નવરત્ન' બનાવવાનો અર્થ શું છે અને શું આનાથી તેમના શેરના ભાવ પર અસર પડશે?
- Sagar Solanki
- Updated on: Mar 3, 2025
- 11:36 pm
દરિયાની નીચે ટનલ… બુલેટ ટ્રેનનું 360 કિમી કામ પૂર્ણ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અપડેટ શેર કરી
Mumbai Ahmedabad Bullet Train Project: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક મોટી અપડેટ શેર કરી છે. રેલવે મંત્રીએ અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના કારણે પ્રોજેક્ટમાં થયેલા વિલંબની ભરપાઈ કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: Mar 2, 2025
- 7:25 am
Railway News : જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, આ હેલ્પલાઇન નંબર પરથી તમે ગુજરાતીમાં પુછપરછ કરી શકો છો
ભારતીય રેલ્વેએ વર્ષ 2020માં રેલ્વે ફરિયાદ નિવારણ હેલ્પલાઇન નંબરો નાબૂદ કરી દીધા છે અને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની સહાય, ફરિયાદ અથવા અન્ય જરૂરિયાતો માટે એક નંબર 139 નક્કી કરવામાં આવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Feb 27, 2025
- 11:43 am
Fastest Train in Gujarat : ગુજરાતમાં દોડે છે દેશની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન, જુઓ List
ભારતની સૌથી ઝડપી અને લક્ઝરી ટ્રેનો પર નજર કરવામાં આવે તો વંદે ભારત એક્સપ્રેસ થી લઈ તેજસ એક્સપ્રેસ સુધીની ટ્રેનો છે. જે ગુજરાતમાં પણ દોડે છે. જે તમામની વિશેષતા અનોખી છે.
- Sagar Solanki
- Updated on: Feb 26, 2025
- 4:20 pm